- પપૈયાના બીજને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવા માટે ખુબ જ ગણકારી માનવામાં આવે છે, જેનો આહારમાં સમાવેશ કરવાથી તંદુરસ્ત કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રહે છે, જેના અનેક ફાયદા છે, આવો જાણીએ વિસ્તારથી !
કોલેસ્ટ્રોલ સમય જતા ગંભીર બીમારીને જન્મ આપી શકે છે આથી કોઈ પણ કાળે તેને નિયંત્રિતમાં રાખવું ખૂબ જ આવશક્ય છે. આ માટે કોલેસ્ટ્રોલને નિયંત્રિતમાં રાખવા માટે પપૈયાના બીજ ઉપયોગી નિવડી શકે છે. ખાસ વાત એ છે કે પપૈયાના ફળ તરીકે તો અઢળક ફાયદા છે જ સાથે સાથે બીજ પણ વરદાન સમાન છે. પપૈયું પોષક શક્તિ છે. પપૈયાના બીજમાં પણ અનોખા ફાયદા છે. પપૈયાના બીજમાં પપૈન નામનું એન્ઝાઈમ આવેલ હોય છે જેનો ડાયેટરી પ્રોટીન અને ફેટને તોડે છે. પરિણામે હદય રોગનો ખતરો ટળી શકે છે.
ફાઈબરનો અખૂટ સ્ત્રોત :
કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ ફાઈબરએ પપૈયાના બીજમાં જોવા મળતું હોય છે જે ડાયેટરી ફાઈબરનો સ્ત્રોત છે. જે આંતરડામાં જામેલા ખરાબ કોલેસ્ટ્રોલને કાબુમાં રાખી શકે છે. આ ફાયબરયુક્ત આહાર હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ નીવડી શકે છે.
એન્ટીઓકિસડન્ટ પાવરહાઉસ :
ફિનોલિક અને ફ્લેવોનોઈડ નામના સંયોજનોની પપૈયાના બીજમા હાજરી હોય છે અને આ બીજ એન્ટીઓક્સીડેન્ટથી પણ ભરપૂર હોવાથી શરીરમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસ સામે લડવામા મદદરૂપ નીવડે છે. પરિણામે તણાવ ઓછો કરી બળતરા અને હૃદય રોગના જોખમનું જોખમ ઘટે છે.
પાચનમાં મદદરૂપ :
પપૈયાના બીજનો પરંપરાગત રીતે પાચનને સુધારવા માટે પણ ઉપયોગ છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા સહિત પાચન માટે પણ બીજ જરૂરી છે. પપૈયાના બીજને પીસીને નાસ્તા, દહીં સહિતની કોઈ પણ વાનગીમાં ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો :-
- મુખ્યમંત્રીએ વિધાનસભામાં સ્વાગત માટે આમંત્રણ આપ્યું તો વિરોધ પક્ષના નેતાએ બે હાથ જોડી કહ્યું કે…..
- જય વસાવડાને રાજકોટનાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એવો તે કેવો કડવો અનુભવ થયો કે વિડિયો બનાવો પડ્યો.