New Labour Law : જો તમારી ૩૦ વધારે રજાઓ ભેગી થઈ હશે તો મળશે આટલા રૂપિયા !

Share this story
  • નવા શ્રમ કાયદા હેઠળ કર્મચારીઓને ૩૦ દિવસની વધારે રજા પર પૈસા ઉપરાંત બે દિવસની રજા મળશે. પરંતુ અઠવાડિયાના બાકી દિવસોમાં કામના કલાકો વધી જશે.

દેશમાં કર્મચારીઓના કામ અને જીવનની વચ્ચે સંતુલન રાખવા માટે શ્રમ કાયદામાં મોટો ફેરફાર કરવામાં આવશે. ચાર નવા શ્રમ કાયદામાં ફેરફારની વાત ચાલી રહી છે. જો આમ થશે તો કંપની પાસેથી ૩૦ દિવસથી વધારે રજા વધી હોવા પર કર્મચારીઓને પૈસા મળશે. આ નિયમ હજુ સુધી લાગુ થયા નથી.

નવા કાયદામાં શું થયો છે ફેરફાર? 

મીડિયા અહેવાલ અનુસાર વ્યાવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય અને કાર્ય સ્થિત સંહિતા ૨૦૨૦ અનુસાર એક કર્મચારીને એક કેલેન્ડર યરમાં ૩૦ દિવસથી વધુ પેઈડ લીવ ન વધેલી હોવી જોઈએ. જો કર્મચારી પાસે ૩૦ દિવસથી વધારે પેઈડ લીવ છે તો કંપનીએ ૩૦ દિવસથી વધારે દિવસના પૈસા ચુકવવા પડશે.

આ કાયદાને લાવવા પાછળ સરકારનો હેતુ છે કે લોકોને વર્ષમાં અમુક નિશ્ચિત રજાઓ મળી શકે અને તેમના માટે કરવા માટે સારો વર્કિંગ કંડીશન કોડ લાગુ કરી શકાય.

સંસદમાંથી પાસ થયો શ્રમ કાયદો :

આમ તો ભારતમાં લેબર કોડ નિયમોને લાગુ કરવાની માંગ ઘણા સમયથી થઈ રહી છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે ભારતમાં ચાર શ્રમ કાયદા લાંબા સમયથી સંસદ દ્વારા પાસ કરવામાં આવ્યા છે. આ શ્રમ કાયદા કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સંહિતા દ્વારા પણ સંહિતાબદ્ધ છે. માટે રાજ્યોમાં પણ પાસ કરવા પડશે. તેના બાદ જ તેને આખા દેશમાં સમાન રીતે લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો :-