HomeInternationalઆ દેશમાં ટાપુ પર રહેવા સરકાર ઘરની સાથે આપશે 75 લાખ રૂપિયા,...

આ દેશમાં ટાપુ પર રહેવા સરકાર ઘરની સાથે આપશે 75 લાખ રૂપિયા, જાણો વિગત

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img
  • યુરોપના એક દેશે પોતાના ટાપુઓ પર સ્થાયી થવા ઈચ્છતા લોકોને ઘરની સાથે 75 લાખ રૂપિયા આપવાની સ્કીમ શરૂ કરી છે. ઉદ્દેશ્ય ટાપુઓમાં વસ્તી વધારવાનો અને તેમને અર્થતંત્રમાં યોગદાન આપવા સક્ષમ બનાવવાનો છે. આ ટાપુઓમાં બહુ ઓછા લોકો રહે છે.

જો તમે સ્થાયી થવા માટે નવી જગ્યા શોધી રહ્યા છો તો સમજો કે તમારી ઈચ્છા પરમાત્માએ પૂરી કરી છે. વાસ્તવમાં યુરોપનો (Europe) એક દેશ લોકોને તેના એક ટાપુ પર સ્થાયી થવા માટે જોરદાર ઓફર્સ આપી રહ્યો છે. અહીંનું સુંદર વાતાવરણ ન માત્ર તમારા મનને મોહી લેશે.

પરંતુ તમને પૈસા કમાવવાની ઘણી તકો પણ મળશે. આધુનિક જીવનની અરાજકતાથી દૂર દૂરના વિસ્તારમાં પોતાનું જીવન જીવવા માંગતા લોકો માટે ઓફર એક સ્વપ્ન સાકાર થવાથી ઓછી નથી. આ દેશનું નામ આયર્લેન્ડ છે. આયર્લેન્ડ યુનાઈટેડ કિંગડમનો પડોશી દેશ છે. તે ઉત્તરી આયર્લેન્ડ (Northern Ireland) સાથે તેની સરહદ વહેંચે છે. જે યુનાઈટેડ કિંગડમનો ભાગ છે.

20 દ્વીપો પર વસનાર લોકો માટે આ ઓફર :

આયર્લેન્ડે હાલમાં પોતાના પશ્ચિમી કિનારા પર આવેલા 20થી વધુ સુંદર દ્વીપોને લોકોને રહેવા લાયક બનાવવાની યોજનાનો ખુલાસો કર્યો છે. તેમાં ઈનિસ મોર દ્વીપ પણ સામેલ છે. આ દુનિયાના સૌથી સુંદર દ્વીપોમાંથી એક છે. જેને હોલીવુડની ઘણી ફિલ્મોમાં દેખાડવામાં આવ્યો છે. આયર્લેન્ડની સરકારે જાહેરાત કરી છે કે આ દ્વીપો પર રહેલા જૂના ઘરોનું રિનોવેશન કરી તેમાં રહેવા ઈચ્છુક લોકોને 92000 ડોલર (લગભગ 7500000) રૂપિયાની મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આયર્લેન્ડમાં જમીનની માલિક સરકાર :

આયર્લેન્ડમાં અચલ સંપત્તિ (જમીન, મકાન) ની ખરીદ પર કોઈ પ્રતિબંધ નથી. અહીં દ્વીપો પર રહેતા લોકોને પણ ખ્યાલ છે કે એક જગ્યાના માલિક હોવાને નાતે તેને કબજો કરવાનો અધિકાર મળતો નથી. સરકારી વેબસાઇટ પર અવર લિવિંગ આયર્લેન્ડ નીતિ અને વર્તમાન રિવાઈવિંગ પ્રોગ્રામ વિશે નવી જાણકારી પ્રકાશિત કરવામાં આવી છે. સરકારની વેબસાઈટ મુજબ આ યોજના ટાપુ પર રહેતા સમુદાયોની લાંબા ગાળાના ટકાઉપણાને સુરક્ષિત કરવા માટે મહત્વપૂર્ણ છે.

આ યોજનાનો ઈરાદો શું છે :

આ યોજનાનો રણનીતિક ઈરાદો દ્વીપો પર રહેતા લોકોની શંક્યા વધારવા, દ્વીપીય અર્થવ્યવસ્થાની વિવિધતાને પ્રોત્સાહન આપવા સ્વાસ્થ્ય અને કલ્યાણ સેવાઓમાં સુધાર, સ્થાનીય દ્વીપ સમુદાયોને મજબૂત કરવા અને સ્માર્ટ, ટકાઉ ભવિષ્ય બનાવવાનો છે. આ યોજના 2023થી 2026 સુધી લાગૂ રહેશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img