- ફિલ્મ ડિરેક્ટર અનિલ શર્માએ હાલમાં જ સલમાન ખાન (Salman Khan) વિશે કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા છે. અનિલ ‘ગદર 2’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. જે 11મી ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.
તાજેતરના એક ઈન્ટરવ્યુમાં અનિલે જણાવ્યું કે તેણે સલમાન ખાન સાથે 2010માં આવેલી ફિલ્મ ‘વીર’માં કામ કર્યું હતું. અનિલે ઈન્ટરવ્યુ દરમિયાન સલમાન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો.
સલમાન ખાન નકારાત્મક વાતચીત ટાળે છે :
અનિલ કહે છે, ‘ખાન સાહેબ સાથે ખૂબ જ મજા આવી, લોકો કહે છે કે તે શરાબી છે અને ઘણીવાર પાર્ટીઓમાં જાય છે, આ બધા બકવાસ દાવા છે. સલમાન અન્ય વ્યક્તિઓની જેમ સાંજે રિલેક્સ થવા માટે એક કે બે ડ્રિંક લે છે. પરંતુ તેમનું ધ્યાન ફક્ત તેમના કામ પર જ હોય છે.
અનિલ આગળ કહે છે, ‘સલમાન ખાન ગોસિપમાં પડવાનું કે કોઈના વિશે ખરાબ બોલવાનું ટાળે છે’. ડિરેક્ટરે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની વાતચીત દરમિયાન સલમાન ખાનનું ધ્યાન માત્ર ફિલ્મી દ્રશ્યો, ગીતો અને ફિલ્મો સાથે જોડાયેલી ચર્ચાઓ પર હતું.
સલમાન ખાન સિનેમા લાઈબ્રેરી :
અનિલ શર્માએ કહ્યું કે, ‘સલમાન ક્યારેય નહીં કહે કે આ વ્યક્તિ ખરાબ છે કે તે વ્યક્તિ ખરાબ છે. જો હું ચાર કલાક સલમાન સાથે હોઉં તો તે આખા ચાર કલાક માત્ર સીન, ગીતો અને ફિલ્મો વિશે જ વાત કરે. તેને ઘણા ગીતો, દ્રશ્યો અને ફિલ્મો યાદ છે. તે એક લાઇબ્રેરી છે, તેને ફિલ્મોનું ‘ગુગલ’ કહી શકાય.
જણાવી દઈએ કે અનિલ શર્મા હાલમાં ‘ગદર 2’ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 2001ની બ્લોકબસ્ટર ગદર : એક પ્રેમ કથાની સિક્વલ છે. ફિલ્મમાં અમીષા પટેલ, સની દેઓલ અને ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ પણ વાંચો :-
- દુનિયાની એવી કોઈ બેન્ક નથી કે મને ખરીદી શકે – ગેનીબેન “વાવનો વટ મારી જનતા છે”
- સુરત સામૂહિક આપઘાત કેસ : સબંધી અને પાડોશીઓના નિવેદનમાં થયો ખુલાસો, કહ્યું પુત્રના કારણે