HomeAstrologyઘરમાં લગાવતાં જ અસર બતાવશે આ છોડ, ચૂંબકની માફક ખેંચશે ધન

ઘરમાં લગાવતાં જ અસર બતાવશે આ છોડ, ચૂંબકની માફક ખેંચશે ધન

Date:

Related stories

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...

80s Retro Photo Trend પાછળ છુપાયેલું મોટું જોખમ, AIમાં ફોટો આપતા પહેલા સાવધાન

સોશિયલ મીડિયાનો 80ના દાયકાનો રેટ્રો AI ટ્રેન્ડ તમને થોડી...

સુરતની શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમા લાગેલી આગનું રહસ્ય ખૂલ્યું !

સુરત-કડોદરા રોડ પર સારોલીના કુંભારીયા ત્રણ રસ્તા પાસે આવેલી...

સુરતમાં ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે આટલા લાખનો ‘ખેલ’!

સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપના રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના...
spot_img

This plant will show effect as soon

  • સ્પાઈડર પ્લાન્ટને લઈને વાસ્તુ જાણકારોનું કહેવું છે કે જો તેને ઘરમાં યોગ્ય જગ્યા અને યોગ્ય દીશામાં રાખવામાં આવે તો આ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આવો જાણીએ તેના ફાયદા અને દિશા વિશે કેટલીક વાતો..

મોટાભાગે ઘરોમાં તમે સ્પાઈડર પ્લાન્ટ (Spider plant) લાગેલા જોયા હશે. પરંતુ ઘણીવાર પુરી જાણકારી ન હોવાથી છોડનું યોગ્ય ફળ મેળવી શકતા નથી. વાસ્તુમાં તેને મની પ્લાન્ટ (Money plant) કરતાં પણ વધુ અસરદાર છોડ કહેવામાં આવ્યા છે. સ્પાઈડર પ્લાન્ટને લઈને વાસ્તુ જાણકારોનું કહેવું છે કે જો તેને ઘરમાં યોગ્ય જગ્યા અને યોગ્ય દીશામાં રાખવામાં આવે તો આ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આવો જાણીએ તેના ફાયદા અને દિશા વિશે કેટલીક વાતો…

આ દિશામાં લાગાવો સ્પાઈડર પ્લાન્ટ :

વાસ્તુ શાસ્ત્રના અનુસાર કોઈપણ વસ્તુ સકારાત્મક પરિણામ ત્યારે આપે છે. જ્યારે તે યોગ્ય દિશા અને યોગ્ય જગ્યા પર રાખવામાં આવે. વાસ્તુ જાણકારોના અનુસાર વાસ્તુ પ્લાન્ટને ઘરની ઉત્તર, પૂર્વ, ઉત્તર-પૂર્વ, ઉત્તર પશ્વિમ દિશામાં રાખવાનું શુભ ફળદાયી હોય છે. જો તેને તમારી ઓફિસ અથવા કાર્યાલયમાં રાખો છો, તો તે પોતાના ટેબલ પર રાખવું જોઈએ.

અહીં લગાવો સ્પાઈડર પ્લાન્ટ :

વાસ્તુ જાણકારોનું કહેવું છે કે ઘરમાં સકારાત્મક ઉર્જા બનાવી રાખવા અને નકારાત્મક પ્રભાવને દૂર કરવા માટે સ્પાઈડર પ્લાન્ટને યોગ્ય દીશામાં રાખવા ખૂબ જરૂરી છે. તેને ઘરના લિવિંગ રૂમ, કિચન, બાકની અને સ્ટડી રૂમમાં લગાવી શકાય છે.

આ વાતોનું રાખો ધ્યાન :

જો તમે પણ ઘરે સ્પાઈડર પ્લાન્ટ લગાવ્યા છે, તો આ વાતનું ધ્યાન રાખો કે તે ભૂલથી સુકાવવા ન દો. તેને સુકાતા તેને તાત્કાલિક ઘરમાંથી હટાવી દો અને તેના સ્થાન પર નવા છોડ લગાવો. ઘરની દક્ષિણ દિશા અને પશ્વિમ દિશામાં સ્પાઈડર પ્લાન્ટ લગાવવા અશુભ ફળદાયી થાય છે. એટલા માટે ઉચિત દિશામાં લગાવીને જ શુભ ફળોની પ્રાપ્તિ થાય છે.

સ્પાઈડર પ્લાન્ટના ફાયદા :

વાસ્તુ જાણકારોનું કહેવું છે કે ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ લગાવવાથી ઘરમાં તણાવનું હોર્મોન ઓછું થઇ જાય છે. તેનાથી વ્યક્તિ તણાવ અને ડિપ્રેશનથી દૂર રહે છે. એટલું જ નહી ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ કરીને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. તેને યોગ્ય જગ્યાએ રાખવાથી વ્યક્તિને મોટીમાં મોટી વસ્તુમાંથી મુક્તિ મળી જાય છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img