ઉંઢેલા ગામમાં મુસ્લિમોને જાહેરમાં ફટકારનારા પોલીસને ૧૪ દિવસની જેલ, હાઇકોર્ટે ફટકારી સજા

Share this story

ખેડા જિલ્લાના ઉંઢેલામાં નવરાત્રીમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં પોલીસ કર્મીઓની મુશ્કેલી વધી છે. કોર્ટના હુકમના તિરસ્કારના દોષિત ૪ પોલીસ કર્મીઓને ગુજરાત હાઈકોર્ટે સજા ફટકારી છે. હાઈકોર્ટે ચારેય પોલીસ કર્મીઓને ૧૪ દિવસની કેદની સજા અને ૨૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૪ આરોપી પોલીસ કર્મીઓએ કોર્ટના ઓર્ડર મળ્યાના ૧૦ દિવસમાં હાજર થવા ફરમાન કપરવામાં આવ્યુ છે.

ખેડા જિલ્લાના ઉંઢેલામાં નવરાત્રીમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં પોલીસ કર્મીઓની મુશ્કેલી વધી છે. કોર્ટના હુકમના તિરસ્કારના દોષિત ૪ પોલીસ કર્મીઓને ગુજરાત હાઈકોર્ટે સજા ફટકારી છે. હાઈકોર્ટે ચારેય પોલીસ કર્મીઓને ૧૪ દિવસની કેદની સજા અને ૨૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૪ આરોપી પોલીસ કર્મીઓએ કોર્ટના ઓર્ડર મળ્યાના ૧૦ દિવસમાં હાજર થવા ફરમાન કપરવામાં આવ્યુ છે.

સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા માટે સ્ટેની માગ કરવામાં આવી છે. હાઈકોર્ટે પોતાના હુકમમાં સજાની અમલવારી પર ૩ મહિનાનો સ્ટે આપ્યો. ફરિયાદી અને પોલીસકર્મીઓ વચ્ચે સમાધાન નહિ થતાં કોર્ટે કાર્યવાહી છે.

મહત્વનું છે કે ખેડામાં પોલીસકર્મીઓએ આરોપીઓને જાહેરમાં માર માર્યો હતો. જે પછી પોલીસ કર્મીઓ સામે કેસ થયો હતો. ત્યારે ગુનો નોંધાયા બાદ પોલીસકર્મીઓએ કોર્ટમાં અરજી કરી હતી અને પોલીસ વિભાગમાં એક દાયકાની સેવાને ધ્યાને લેવા રજૂઆત કરી હતી. સાથે જ પોલીસકર્મીઓએ વળતર આપવા અંગે પણ તૈયારી દર્શાવી હતી. જો કે આ કેસમાં ફરિયાદી સમાધાન કરવા તૈયાર જ નથી. ઉલ્લેખનીય છે કે ૪ પોલીસકર્મીઓ વિરૂદ્ધ માર મારવાનો ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો :-