દિવાળીથી આ મોબાઈલ પર નહીં ચાલે Whatsapp, 24 ઓક્ટોબરથી નહીં મોકલી શકાશે મેસેજ

Share this story

Whatsapp will not work on this mobile

  • WhatsApp iOS 10 અને iOS 11 પર ચાલતા iPhones માટેનું સમર્થન પાછું ખેંચી રહ્યું છે. એટલે કે આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ સાથે iPhone પર WhatsApp કામ નહીં કરે. આ સાથે iPhone 5 અને iPhone 5Cના યૂઝર્સ પણ WhatsAppની સર્વિસ લઈ શકશે નહીં.

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સની (Instant messaging apps) દુનિયામાં વોટ્સએપ (Whats App)  એક મોટું નામ છે. સમગ્ર વિશ્વમાં તેના 2 અબજ માસિક સક્રિય વપરાશકર્તાઓ છે. ભારત તેનું સૌથી મોટું બજાર (Indian Market)છે કારણ કે તેના 500 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે.

દિવાળી આવવાની છે. જેની ખુશીમાં લોકો તેમના ફોનના વોટ્સએપ પરથી શુભેચ્છા પાઠવશે. તહેવારની શુભેચ્છા પાઠવશે. ફોટા અને વીડિયો શેર કરશે. પરંતુ દિવાળી (Diwali)થી દરેકને આ સુવિધા મળી શકશે નહીં. iPhone અને Androidના કેટલાક જૂના વર્ઝન પર WhatsApp કામ કરશે નહીં.

દિવાળીના દિવસે એટલે કે 24 ઓક્ટોબરે WhatsApp જૂના iOS અને Android ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરશે નહીં. આથી જેમની પાસે આવા ફોન છે તેમને વોટ્સએપની સેવા નહીં મળે.

WhatsApp iOS 10 અને iOS 11 પર ચાલતા iPhones માટેનું સમર્થન પાછું ખેંચી રહ્યું છે. એટલે કે આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ સાથે iPhone પર WhatsApp કામ નહીં કરે. આ સાથે iPhone 5 અને iPhone 5Cના યૂઝર્સ પણ WhatsAppની સર્વિસ લઈ શકશે નહીં. આ અંગે વોટ્સએપે કહ્યું છે કે આવા ફોન પર તેની સેવા બંધ કરવામાં આવી રહી છે કારણ કે કેટલાક અપડેટ્સ આવવાના છે જે આવા ફોન પર કામ કરશે નહીં.

WhatsApp હાલમાં તે જ iPhone પર ચાલે છે જે iOS 12 અથવા તેનાથી નવા વર્ઝન પર ચાલે છે. WhatsApp હંમેશા તેના યુઝર્સને નવા વર્ઝનને અપનાવવાની સલાહ આપે છે જેથી નવા ફીચર્સ મળી શકે અને આ એપ સ્માર્ટફોન પર સરળતાથી ચાલી શકે.

iPhone ની જેમ, WhatsApp કેટલાક Android ફોન પર કામ કરશે નહીં. કંપનીએ કહ્યું છે કે 4.1 કે તેથી વધુ જૂના વર્ઝન પર ચાલતા એન્ડ્રોઇડ ફોનને વોટ્સએપ સર્વિસનો લાભ નહીં મળે. એટલે કે આવા ફોનમાંથી ન તો મેસેજ મોકલી શકશે કે ન તો કોલ કે વીડિયો કોલ કરી શકશે. આ માટે યુઝરે પોતાના ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવી પડશે. જો કે આ કાર્ય મુશ્કેલ છે કારણ કે તેનાથી વધુ સારો નવો ફોન ખરીદવાનો વિકલ્પ હશે.

મેસેજિંગ એપ વોટ્સએપનું કહેવું છે કે લોકો હજુ પણ કેટલાક જૂના ઉપકરણો અને સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા છે જેમની સંખ્યા ઓછી છે. આ જૂના ફોન લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ્સ સાથે આવતા નથી. ઉપરાંત આવા ફોન અપડેટેડ વોટ્સએપને સપોર્ટ કરતા નથી. જેના કારણે સેવા બંધ કરવામાં આવી રહી છે. કંપનીએ કહ્યું કે જે ફોન પર વોટ્સએપ બંધ કરવું પડશે. તે મેસેજ યુઝરને સમયસર મોકલવામાં આવશે.

વપરાશકર્તાઓને તેમના ફોનને અપગ્રેડ કરવા માટે યાદ અપાશે. જેથી WhatsApp ફોન પર ચાલતી ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરી શકે. WhatsApp kaiOS 2.5.0 અને નવા વર્ઝન પર કામ કરે છે. આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોનમાં Jio Phone અને Jio Phone 2નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :-