એવો તે શું આરોપ લાગ્યો કે ટીએમસીના સાંસદ નુસરત જહાંની ED દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી ? આવો જાણીએ સમગ્ર ઘટના

Share this story
  • કેન્દ્રીય એજન્સી આ કેસમાં ECIR દાખલ કરી ચૂકી છે. આરોપ છે કે નુસરત જહાંની કંપનીએ રહેણાંક ફ્લેટ આપવાનું વચન આપીને રોકાણકારોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી.

અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ નુસરત જહાંની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. નુસરતની કોલકાતામાં ED ઓફિસમાં છેતરપિંડી કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈડીએ નુસરત જહાંને હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું.

ઈડીએ નુસરત જહાંને શંકાસ્પદ કોર્પોરેટ કંપનીના ડિરેક્ટર તરીકેના તેના અગાઉના જોડાણ અંગે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. જેમાં વરિષ્ઠ નાગરિકોને વ્યાજબી દરે રહેણાંક ફ્લેટ આપવાનું વચન આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય તાપસ રોયે કહ્યું કે આ મામલે માત્ર નુસરત જહાં જ જવાબ આપવા સક્ષમ છે. પક્ષ તરફથી ટિપ્પણી કરવા માટે કંઈ નથી.

તમને જણાવી દઈએ કે ૨૦૧૪-૧૫માં ૪૦૦ થી વધુ વરિષ્ઠ નાગરિકોએ એક કંપનીમાં પૈસા જમા કરાવ્યા હતા. આ દરમિયાન દરેક વ્યક્તિ પાસેથી ૫.૫ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને બદલામાં તેમને ૧૦૦૦ ચોરસ ફૂટનો ફ્લેટ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. જો કે તેમ કરવામાં આવ્યું ન હતું અને ન તો કોઈને ફ્લેટ મળ્યો હતો કે ન તો પૈસા પરત કરવામાં આવ્યા હતા.

નુસરત જહાં ઉપરાંત ઈડીએ આ કોર્પોરેટ કંપની ૭ સેન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના અન્ય ડિરેક્ટર રાકેશ સિંહને પણ સમન્સ પાઠવ્યા છે. બંનેને ૧૨ સપ્ટેમ્બરના રોજ કોલકાતાની ઉત્તરી બહારના સોલ્ટ લેકમાં સ્થિત કેન્દ્રીય એજન્સીની કેન્દ્ર સરકારની ઓફિસ (CGO) કોમ્પ્લેક્સ ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

આ વર્ષે ઓગસ્ટમાં જ્યારે આ જ કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે નુસરત જહાંનું નામ સામે આવ્યું હતું. તેમના પતિ યશ દાસગુપ્તાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ED તેમની પત્નીને ક્યારેય સમન્સ નહીં મોકલે કારણ કે તેમની સામેના આરોપોમાં કોઈ તથ્ય નથી. દાસગુપ્તાએ 5 ઓગસ્ટે કહ્યું હતું કે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો પાયાવિહોણા છે. મને ખાતરી છે કે ED તેને બોલાવશે નહીં.

ઓગસ્ટની શરૂઆતમાં આ મામલો મીડિયામાં સામે આવ્યાના થોડા દિવસો બાદ જહાંએ મીડિયાને કહ્યું કે તેણે માર્ચ ૨૦૧૭માં કોર્પોરેટ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેણે આ કોર્પોરેટ પાસેથી લગભગ રૂ.૧.૧૬ કરોડની લોન લીધી હતી અને માર્ચ ૨૦૧૭માં જ તેણે રૂ.૧.૪૦ કરોડથી વધુની રકમ વ્યાજ સાથે ચૂકવી દીધી હતી.

આ પણ વાંચો :-