Sunday, September 24, 2023
Home NATIONAL એવો તે શું આરોપ લાગ્યો કે ટીએમસીના સાંસદ નુસરત જહાંની ED દ્વારા...

એવો તે શું આરોપ લાગ્યો કે ટીએમસીના સાંસદ નુસરત જહાંની ED દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી ? આવો જાણીએ સમગ્ર ઘટના

  • કેન્દ્રીય એજન્સી આ કેસમાં ECIR દાખલ કરી ચૂકી છે. આરોપ છે કે નુસરત જહાંની કંપનીએ રહેણાંક ફ્લેટ આપવાનું વચન આપીને રોકાણકારોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી.

અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ નુસરત જહાંની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. નુસરતની કોલકાતામાં ED ઓફિસમાં છેતરપિંડી કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈડીએ નુસરત જહાંને હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું.

ઈડીએ નુસરત જહાંને શંકાસ્પદ કોર્પોરેટ કંપનીના ડિરેક્ટર તરીકેના તેના અગાઉના જોડાણ અંગે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. જેમાં વરિષ્ઠ નાગરિકોને વ્યાજબી દરે રહેણાંક ફ્લેટ આપવાનું વચન આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય તાપસ રોયે કહ્યું કે આ મામલે માત્ર નુસરત જહાં જ જવાબ આપવા સક્ષમ છે. પક્ષ તરફથી ટિપ્પણી કરવા માટે કંઈ નથી.

તમને જણાવી દઈએ કે ૨૦૧૪-૧૫માં ૪૦૦ થી વધુ વરિષ્ઠ નાગરિકોએ એક કંપનીમાં પૈસા જમા કરાવ્યા હતા. આ દરમિયાન દરેક વ્યક્તિ પાસેથી ૫.૫ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને બદલામાં તેમને ૧૦૦૦ ચોરસ ફૂટનો ફ્લેટ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. જો કે તેમ કરવામાં આવ્યું ન હતું અને ન તો કોઈને ફ્લેટ મળ્યો હતો કે ન તો પૈસા પરત કરવામાં આવ્યા હતા.

નુસરત જહાં ઉપરાંત ઈડીએ આ કોર્પોરેટ કંપની ૭ સેન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના અન્ય ડિરેક્ટર રાકેશ સિંહને પણ સમન્સ પાઠવ્યા છે. બંનેને ૧૨ સપ્ટેમ્બરના રોજ કોલકાતાની ઉત્તરી બહારના સોલ્ટ લેકમાં સ્થિત કેન્દ્રીય એજન્સીની કેન્દ્ર સરકારની ઓફિસ (CGO) કોમ્પ્લેક્સ ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

આ વર્ષે ઓગસ્ટમાં જ્યારે આ જ કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે નુસરત જહાંનું નામ સામે આવ્યું હતું. તેમના પતિ યશ દાસગુપ્તાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ED તેમની પત્નીને ક્યારેય સમન્સ નહીં મોકલે કારણ કે તેમની સામેના આરોપોમાં કોઈ તથ્ય નથી. દાસગુપ્તાએ 5 ઓગસ્ટે કહ્યું હતું કે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો પાયાવિહોણા છે. મને ખાતરી છે કે ED તેને બોલાવશે નહીં.

ઓગસ્ટની શરૂઆતમાં આ મામલો મીડિયામાં સામે આવ્યાના થોડા દિવસો બાદ જહાંએ મીડિયાને કહ્યું કે તેણે માર્ચ ૨૦૧૭માં કોર્પોરેટ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેણે આ કોર્પોરેટ પાસેથી લગભગ રૂ.૧.૧૬ કરોડની લોન લીધી હતી અને માર્ચ ૨૦૧૭માં જ તેણે રૂ.૧.૪૦ કરોડથી વધુની રકમ વ્યાજ સાથે ચૂકવી દીધી હતી.

આ પણ વાંચો :-

 

RELATED ARTICLES

iPhone 15નું ધાંસુ વેચાણ, પહેલા જ દિવસે સેલ્સમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ, વાંચો….

આઈફોન ૧૫ સીરીઝના સેલિંગમાં આ વખતે કંપનીએ વેચાણના પહેલા જ દિવસે મેડ-ઈન-ઈન્ડિયા આઈફોનને વેચાણમાં મુક્યો અને ધાંસૂ ૧૦૦ટકા સેલિંગ જોવા મળ્યુ છે. ટેક દિગ્ગજ...

પટૌડી પેલેસમાં મનાવ્યો કરીના કપૂર ખાને જન્મદિવસ, કરિશ્મા કપૂરે શેર કર્યા પાર્ટીના ફોટો

બોલીવુડ ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાન ગઈ કાલે તેનો ૪૩મો જન્મદિવસ ઉજવી રહી છે. આ દિવસની ઉજવણી કરવા કરીના પોતાના પરિવાર સાથે પટૌડી...

નાગપુરમાં ધોધમાર વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ, સ્કૂલોમાં રજા જાહેર કરાઈ

મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે. નાગપુરમાં રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે નાગપુરમાં...

Latest Post

iPhone 15નું ધાંસુ વેચાણ, પહેલા જ દિવસે સેલ્સમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ, વાંચો….

આઈફોન ૧૫ સીરીઝના સેલિંગમાં આ વખતે કંપનીએ વેચાણના પહેલા જ દિવસે મેડ-ઈન-ઈન્ડિયા આઈફોનને વેચાણમાં મુક્યો અને ધાંસૂ ૧૦૦ટકા સેલિંગ જોવા મળ્યુ છે. ટેક દિગ્ગજ...

પટૌડી પેલેસમાં મનાવ્યો કરીના કપૂર ખાને જન્મદિવસ, કરિશ્મા કપૂરે શેર કર્યા પાર્ટીના ફોટો

બોલીવુડ ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાન ગઈ કાલે તેનો ૪૩મો જન્મદિવસ ઉજવી રહી છે. આ દિવસની ઉજવણી કરવા કરીના પોતાના પરિવાર સાથે પટૌડી...

નાગપુરમાં ધોધમાર વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ, સ્કૂલોમાં રજા જાહેર કરાઈ

મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે. નાગપુરમાં રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે નાગપુરમાં...

ભારતીય રેલ્વે : ટ્રેનમાંથી તકિયા-ચાદર ચોરશો તો ફસાઈ જશો, જાણો શું છે તેની સજા

તમામ ભારતીય ટ્રેનોના એસી કોચમાં બેડશીટ, ધાબળો અને તકિયાની સુવિધા આપવામાં આવે છે. ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે કે શું તેઓ...

Cold Drinks શરીરમાં શોષી લે છે આ પોષકતત્વો, શરીર પડે છે નબળું, જાણો તેના આડઅસરો વિશે

કોલ્ડ ડ્રિંક્સમાં રહેલા એસિડ દાંત અને હાડકાને પણ નુકસાન કરે છે. આ એસિડ શરીરમાં કેલ્શિયમ ઘટાડે છે. જેના કારણે આપણા હાડકા નબળા પડી...

ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળશે મહાદેવની ઝલક, પીએમ મોદી આ રાજ્યમાં કરશે શિલાન્યાસ 

પીએમ ગંજારીમાં ૪૫૧ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમમાં સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કર અને...

આજથી મહામેળો શરૂ, અંબાજી જતા ગુંજ્યો જય અંબેનો નાદ, આ રસ્તાઓ બંધ કરાયા

અંબાજી (Ambaji) માં માતાના દ્વાર પર ભાદરવા મહિનાની પૂનમે માથુ ટેકવા સો, હજાર નહીં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ભાદરવી પૂનમના મેળાનું...

અમદાવાદમાં રોડ પર દોડતી રિક્ષા પહેલાં ઉછળી અને પલટી ખાઈ ગઈ. વિચિત્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ 

શહેરમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. આ વચ્ચે શહેરના ચંડોળા વિસ્તારમાં રીક્ષાનો વિચિત્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં રોડ...

નવસારી : પરિવારે બાથરૂમનો દરવાજો નહીં ખૂલતાં દરવાજો તોડ્યો અને અંદર જોયું તો…

નવસારીમાં એક ૧૯ વર્ષની યુવતીએ પોતાના ઘરે ફાંસો ખાઈ લીધાની ઘટના બની છે. આ યુવતીએ ૧૯ વર્ષની નાની ઉંમરે પોતાનો જીવ ટુંકાવ્યાની ઘટનાને...

ફરી ચાર દિવસ વરસાદની આગાહી : સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી આટલા જિલ્લામાં એલર્ટ

Gujarat Rain Alert : રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું કે આગામી ૪ દિવસ ગુજરાતના ૧૭થી વધુ તાલુકામાં ખાબકી શકે છે...