૨૯ જુલાઈ / કન્યાને ધંધામાં લાભ તો મકરની વધશે જાવક, જાણો કઈ રાશિના જાતકોનો શનિવાર રહેશે સારો અને કોનો ખરાબ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Share this story

મેષઃ
આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. મિલકત અંગેના અગત્યના નિર્ણયો ટાળવા. આર્થિક રોકાણ કરતી વખતે સાવચેતી જરૂરી. વાહન સાચવીને ચલાવવું. પત્નિ સાથે મનમેળ જળવાય.

વૃષભઃ
નાણાંકીય પાસુ મજબુત બનતું જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ રહેશે. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

‌મિથુનઃ
નાણાંનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઇ બહેન ની ચિંતા રહે. પરિવાર ના સ્ત્રી વર્ગ નું આરોગ્ય કથળતું જણાય. સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. ચામડીના રોગોની કાળજી રાખવી. દગા-ફટકા નો ભોગ ન બનાય એની સાવચેતી જરૂરી.

કર્કૃઃ
દિવસ દરમ્યાન શુભ ફળ નો અનુભવ થાય. નાણાંની છુટ વર્તાય. સંતાન ની પ્રગતિ ના સાક્ષી બની શકો. વિદ્યાર્થી વર્ગને સફળતા. પત્નિ સાથે આનંદ જળવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

સિંહઃ
થોડી માનસિક ચિંતા રહે. શરદી ખાંસી નો ઉપદ્રવ રહેશે. નાણાંકીય બાબતો અંગે લાભ. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય. નવા વાહન ની ખરીદી શક્ય બને. માતા-પિતા નું આરોગ્ય જળવાય.

કન્યાઃ
કરેલા કાર્યો સફળ થતા જણાય. પરિવારમાં સુખ-શાંતિ-સંપ જળવાય. નાના યાત્રા પ્રવાસ ના યોગ બને છે. ભાગ્ય બળવાન બનતા ઓછી મહેનતે વધુ લાભ મળે. આરોગ્ય જળ‍વાશે.

તુલાઃ
મોજ શોખમાં ખર્ચ વધે સાથે સાથે આવકનું પ્રમાણ પણ જળવાય. નવા વસ્ત્રો ખરીદવાની ઇચ્છા થાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. માતૃસુખમાં વૃદ્ધિ થતી જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃ‌શ્ચિકઃ
માનસિક આનંદ બરકરાર રહે. હોંશીયારી અને કાબેલીયત થી સફળતા મળે. અધિકાર નો દુરુપયોગ ન કરવો. વાણી ઉપર કાબુ રાખવો. વિજાતીય પાત્રનું આકર્ષણ વધે. કરિયાણા, શાકભાજી, ધાતુના ધંધામાં લાભ.

ધનઃ
માનસિક શાંતિ વધે. નકારાત્મક વિચારો વધે. પાણીથી દૂર રહેવું. શરદી-ખાંસી નો ઉપદ્રવ રહે. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકરઃ
મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા સ્ત્રોત ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવો. કોસ્મેટીક્સ, સ્ત્રી શણગારના ધંધા માં લાભ.

કુંભઃ
નોકરી, ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઇચ્છુક ને સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ વધતો જણાય. યોગ્ય નિર્ણય લેવાની વ્યવસ્થા સરળ બને. આવકનું પાસુ જળવાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. સંતાનો સાથે શાંતિ રાખવી.

મીનઃ
ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ સફળતા મળે. નાણાંકીય બાબતોમાં સાનુકુળતા જણાય. યાત્રા-પ્રવાસ ના યોગ બને છે. પિતાની ‌તબિયત સાચવવી. માન‌હાનિ ના યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવું.

આ પણ વાંચો :-