વાવાઝોડાનું ભારત પર તોળાતું સંકટ!, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Share this story

બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર એરિયા સોમવારે ચક્રવાતમાં ફેરવાઈ ગયું હતું. જેના કારણે ફરી એકવાર ભારત પર ચક્રવાતી તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ચક્રવાતને હામૂન નામ આપવામાં આવ્યું છે. રવિવારે ચક્રવાત ‘તેજ’ નબળું પડ્યા બાદ અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થવાની સંભાવના છે. હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે ચક્રવાત તેજ ૨૪ ઓક્ટોબરની સવારે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થશે અને ૨૫ ઓકટોબર એટલે કે બુધવારે યમન-ઓમાન દરિયાકાંઠે ટકરાશે.

અરબી સમુદ્રમાં બનેલું ચક્રવાત ‘તેજ’ આરબ દેશો તરફ આગળ વધ્યું છે પરંતુ બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાત ‘હામૂન’ અંગે હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું છે. IMD એ આ ચક્રવાતી તોફાનના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત હમુન ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. વર્તમાન આગાહી મુજબ આ ચક્રવાત 5મી ઓક્ટોબરે બપોરે બાંગ્લાદેશના ખેપુપારા અને ચટગાંવ તટ પર ટકરાશે.

નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ૨૪ ઓક્ટોબરથી જ વરસાદી માહોલ જોવા મળશે. સાથે જ ત્રિપુરા અને અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જોકે, ૨૬ ઓક્ટોબરે વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો જોવા મળશે. ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે અને જોરદાર પવન ફૂંકાશે. પવનની ઝડપ ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. આ સિવાય બાંગ્લાદેશના દરિયાકાંઠે પવનની ઝડપ ૭૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ૨૪ ઓક્ટોબરથી જ વરસાદી માહોલ જોવા મળશે. સાથે જ ત્રિપુરા અને અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જોકે, ૨૬ ઓક્ટોબરે વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો જોવા મળશે.

આ પણ વાંચો :-