કેન્દ્રીય નાણાં પ્રધાને કહ્યું કે નવા બજેટમાં ખેડૂતો માટે બે હજાર વધારો સન્માન મળશે

Share this story

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ૨૦૨૪-૨૫ આ નાણાંકીય વર્ષ માટેનું બજેટ સંસદમાં રજૂ કરશે. નિર્મલા સીતારામન છઠ્ઠી વાર બજેટ રજૂ કરશે. ત્યારે આ બજેટમાં ખેડૂતોને આપવામાં આવનાર સન્માન નિધીમાં બે હજાર રુપિયાનો વધારો થવાની શક્યતાઓ છે.

હાલમાં આ યોજના હેઠળ ખૂડૂતોને ૬ હજાર રુપિયા આપવામાં આવે છે. ત્યારે હવે આ રકમ વધારીને ૮ હજાર રુપિયા થઇ શકે છે. હાલમાં સન્માન નિધી વર્ષમાં ત્રણ હપ્તામાં મળે છે. દર ચાર મહિને ૨ હજાર રુપિયા સીધા ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. મોદી સરકાર તરફથી ૧૫મી નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં આ સન્માન નિધીનો ૧૫મો હપ્તો જમા થયો હતો. કેન્દ્ર સરકારની આ સૌથી મોટી યોજના છે. ૧ ડિસેમ્બર ૨૦૧૮થી આ યોજના લાગૂ કરવામાં આવી હતી. સરકાર દ્વારા આપવામાં આવનાર સન્માન નિધીમાં વધારો થવો જોઇએ એવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી હતી.

ચૂંટણીની પાર્શ્વભૂમી પર ખેડૂતોની જેમ જ મહિલા, આદિવાસી, આર્થિક પછાત વર્ગ, ઉદ્યોગપતી, કર્મચારી વગેરે વર્ગોને સરકાર કંઇક ને કંઇક આપવાનો પ્રયત્ન કરશે. તેથી ભલે વચગાળાનું હોય પણ આ બજેટમાં લોકપ્રિય જાહેરાત કરવામાં આવશે એમ એક્સપર્ટ્સનું માનવું છે. અત્યાર સુધી ૧૧ કરોડ પરિવારોને વડા પ્રધાન ખેડૂત સન્માન નિધીનો લાભ મળ્યો છે. ૨.૬૦ લાખ કરોડ રુપિયા આ યોજના હેઠળ વહેંચવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-