HomeSurat Cityસુરતના મહિધરપુરાની દાળિયા શેરીના સૌથી ધનવાન ગણેશજીની નીકળી શોભાયાત્રા

સુરતના મહિધરપુરાની દાળિયા શેરીના સૌથી ધનવાન ગણેશજીની નીકળી શોભાયાત્રા

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

વિઘ્નહર્તા ગણપતિ દાદાની ગણેશ ચતુર્થી પર્વની દેશભરમાં ગણેશોત્સવનો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. ત્યારે સુરતના મહિધર પુરાની દાળિયા શેરીના સૌથી ધનવાન ગણેશજીની શોભાયાત્રા નીકળી. દાળિયા શેરીના ગણેશજી ગણેશ ઉત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શ્રીજીની સ્થાપનાથી લઈને વિસર્જન સુધી ભક્તો અહીં લાખોનો ખર્ચ કરે છે. અહીંયા આયોજકો ગણેશજીની પ્રતિમાને સોના- ચાંદી અને રીયલ ડાયમંડના ઘરેણા પહેરાવે છે.

ગણેશજીને 20 થી 25 કિલો સોના ચાંદીના મઢેલા દાગીનાનો શણગાર કરાવામાં આવે છે. ગણેશજી સાથે મૂષક રાજ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીંના મૂષક રાજ પણ સાત કિલોના ચાંદીના છે. મહિધરપુરામાં દર વર્ષે ભવ્ય લાઇટિંગ સાથે મહેલ જેવા મંડપમાં ગણેશજીની સ્થાપના કરી ગણેશજીની પૂજા અર્ચના કરાઈ છે.

દાળિયા શેરીના ગણેશજી ગુજરાતભરમાં જાણીતાં છે કારણ કે તેઓ ગુજરાતના સૌથી ધનિક ગણેશજી તરીકે પ્રખ્યાત છે. સુરત ડાયમંડ સિટી છે, ત્યારે પરંપરાગત ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે જાણીતા મહિધરપુરાની મધ્યમાં ગણેશજી વિરાજમાન થાય છે. દર વર્ષે પંડાલમાં લગભગ 5 લાખ મુલાકાતીઓ આવે છે. આ વખતે 6 લાખથી વધુ મુલાકાતીઓની અપેક્ષા રાખે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories