Thursday, May 22, 2025

સુપ્રીમ કોર્ટનો આદેશ: વક્ફ એક્ટ મામલે કેન્દ્ર સરકારને 7 દિવસનો સમય

3 Min Read

સુપ્રીમ કોર્ટમાં આજે સતત બીજા દિવસે વકફ સુધારા અધિનિયમ 2025 પર સુનાવણી થવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે પોતાનો આદેશ આપી શકે છે. બુધવારે સુપ્રીમ કોર્ટે વક્ફ સુધારા કાયદા પર લગભગ 70 મિનિટ સુધી સુનાવણી કરી હતી. કોર્ટે સંકેત આપ્યો હતો કે, તે આ કાયદાના કહેવાતા વિવાદાસ્પદ ભાગોના અમલીકરણ પર રોક લગાવી શકે છે. આજે, સુપ્રીમ કોર્ટ વકફ તરીકે જાહેર કરાયેલી મિલકતોને ડિનોટિફાઇ કરવાના અધિકાર, વકફ બોર્ડમાં(Waqf Board) બિન-મુસ્લિમ સભ્યોનો સમાવેશ અને કલેક્ટરોની તપાસ દરમિયાન મિલકતને બિન-વકફ તરીકે જાહેર કરવાની જોગવાઈ સંબંધિત આદેશ જારી કરી શકે છે.

‘એક અઠવાડિયામાં તમારો જવાબ સબમિટ કરો’
CJI એ કહ્યું, “કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વક્ફ બોર્ડે એક અઠવાડિયાની અંદર પોતાનો જવાબ દાખલ કરવો જોઈએ.” CJI એ એમ પણ કહ્યું કે, “૧૯૯૫ અને ૨૦૧૩ ના વક્ફ કાયદાઓને પડકારતી અરજીઓને સુપ્રીમ કોર્ટની કારણ યાદીમાં અલગથી મૂકવામાં આવશે જેથી તેમની અલગથી સુનાવણી થઈ શકે.” સુપ્રીમ કોર્ટ હવે આગામી સુનાવણી 5 મેના રોજ કરશે.

સુપ્રીમ કોર્ટે વક્ફ એક્ટ કેસમાં કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપ્યો છે. પાંચ દિવસ પછી, અરજદારોએ પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે કાઉન્સિલ અને બોર્ડમાં કોઈ નિમણૂક કરવામાં આવશે નહીં. આગામી સુનાવણીની તારીખ સુધી, પહેલાથી જ નોંધાયેલા અથવા જાહેર કરાયેલા વકફ સહિત, વકફને ડિનોટિફાઇ કરવામાં આવશે નહીં કે કલેક્ટરને બદલવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્રએ સાત દિવસની અંદર પોતાનો જવાબ દાખલ કરવો પડશે.

કોર્ટે કોઈ સ્ટે લગાવ્યો નથી
સુપ્રીમ કોર્ટે આ કાયદા પર કોઈ સ્ટે મૂક્યો નથી. જોકે, તેણે 2025ના વકફ સુધારા કાયદા મુજબ સેન્ટ્રલ વકફ કાઉન્સિલ અને બોર્ડમાં કોઈપણ નિમણૂક અંગે એસજી તુષાર મહેતા દ્વારા આપવામાં આવેલી ખાતરીને રેકોર્ડ પર લીધી છે અને કહ્યું છે કે વપરાશકર્તા દ્વારા પહેલાથી જ વકફ તરીકે જાહેર કરાયેલી અને મૂળ 1995ના કાયદા હેઠળ નોંધાયેલ મિલકતોને ખલેલ પહોંચાડવામાં આવશે નહીં.

દેશના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ વકફ (સુધારા) કાયદાની જોગવાઈઓ પર સુનાવણી સાંભળી રહ્યા છે. આ બેન્ચમાં તમામ હિન્દુ જજ હોવાથી મુસ્લિમ પક્ષકારોએ તેમનો વાંધો ઉઠાવ્યો છે. આજે ગુરૂવારે બપોરે બે વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી.

Share This Article