- સુરેન્દ્રનગરમાં નિર્માણ પામેલું આધુનિક એસ ટી બસ સ્ટેન્ડ રખડતા ઢોરોનું આશ્રય સ્થાન બની છે. એસ ટી બસ સ્ટેન્ડમાં રખડતા ઢોરોનો જાણે કે ખડકલો થઈ ગયો છે.
મુસાફરોને પણ અહીં ઢોરોનો અડ્ડો બની જતા હાલાકી પડી રહી છે. સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ હજુ બે મહિના પહેલા લાખોનું નવું બનેલું એસ ટી બસ સ્ટેન્ડને લઈને તંત્રની બેદરકારી સામે આવી છે.
લોકોને ઢોરોના ત્રાસે ધક્કે ચઢવાનું થાય છે :
સુરેન્દ્રનગર એસ ટી બસ સ્ટેન્ડ હજુ બે મહિના પહેલા લાખોનું નવું બનેલું છે જેને ખુદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તંત્રનની યોગ્ય દેખરેખ અને જાળવણીને અભાવે આજે આ બસ સ્ટેન્ડની હાલત કોઈ તબેલા જેવી થઈ ગઈ છે. લોકો અહીં એસ ટી બસની રાહ જોતા હોય ત્યારે અચાનક કોઈ ઢોર આવી જાય અને તેમને ભેટું મારી દે તેવી પણ દહેશત રહેલી હોય છે.
આ પણ વાંચો :-