HomeGujarat5 વર્ષથી જામી પડેલા પોલીસકર્મીઓમાં બદલીના સંકેતથી ફફડાટ

5 વર્ષથી જામી પડેલા પોલીસકર્મીઓમાં બદલીના સંકેતથી ફફડાટ

Date:

Related stories

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...
spot_img

ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) મલિક દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યભરના પોલીસ સ્ટેશનોમાં પાંચ વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની યાદી તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

નવી જવાબદારી સંભાળ્યા બાદ ડીજીપી મલિક રાજયના વરિષ્ઠ અને જુનિયર આઈપીએસ અધિકારીઓ, વિવિધ રેન્જના આઈજી, જિલ્લા પોલીસ વડાઓ તથા શહેર પોલીસ કમિશનરો સાથે નિયમિત વિડિયો કોન્ફરન્સ યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. સાથે જ પોલીસ તંત્રને વધુ કાર્યક્ષમ અને જવાબદાર બનાવવા માટે વિવિધ સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ જ દિશામાં રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓની વિગતો એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રેન્જ આઈજી, જિલ્લા પોલીસ અધિક્ષકો (SP) અને શહેર પોલીસ કમિશનર કચેરીઓ દ્વારા આ માહિતી તૈયાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. પોલીસ વિભાગના સૂત્રોનું માનવું છે કે યાદી તૈયાર થયા બાદ રાજ્યવ્યાપી ધોરણે સામૂહિક બદલીનો નિર્ણય લેવામાં આવી શકે છે. જો આવું થાય તો અનેક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના કાર્યસ્થળોમાં ફેરફાર થવાની શક્યતા છે. સુરત શહેરમાં પણ આ પ્રક્રિયાને લઈને કામગીરી શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને વિશેષ બંદોબસ્ત, ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ ડીજીપીના નિર્દેશ મુજબ પાંચ વર્ષથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશન અથવા શાખામાં 624 બજાવતા કર્મચારીઓની માહિતી પણ એકત્ર કરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો રાજ્ય સરકાર અને પોલીસ મુખ્યાલય દ્વારા બદલીની પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવશે તો સુરત સહિત રાજયના અનેક શહેરો અને જિલ્લાઓમાં પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરબદલ જોવા મળી શકે છે. હાલ આ મુદ્દે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, છતાં પોલીસ વિભાગમાં સંભવિત બદલીને લઈને ચર્ચાઓ તેજ બની છે.

પોલીસ કર્મચારીઓમાં આ સંભાવનાને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક કર્મચારીઓ નવી જગ્યાએ કામ કરવાની તકને આવકારી રહ્યા છે, જ્યારે કેટલાક માટે લાંબા સમયથી કાર્યરત સ્થળ છોડવાની સ્થિતિને કારણે અનિશ્ચિતતા પણ જોવા મળી રહી છે. પોલીસ મથકોમાં હાલ “કભી ખુશી, કભી ગમ” જેવો માહોલ જોવા મળી રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Subscribe

Latest stories