ઉત્તર પ્રદેશના કન્નૌજમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર એક ગંભીર દુર્ઘટના ઘટી હતી, જેમાં સૈફઈ મેડિકલ કોલેજના 5 ડોક્ટરના મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ ડોક્ટરોની કાર અચાનક ડિવાઈડર તોડી સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઇવિંગ દરમિયાન નિદ્રાની સ્થિતિ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની છે.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ડોક્ટરોની ઓળખ અનિરુદ્ધ વર્મા, સંતોષ મૌર્ય, અરુણ લાલ, નરદેવ ગંગવાર અને અન્ય એક વ્યક્તિ તરીકે થઈ છે. તેઓ મેડિકલ પ્રોફેશનલ્સ હતા અને આગ્રા, બરેલી, કન્નૌજ, અને ભદોહી વિસ્તારોના રહેવાસી હતા. આ સાથે ગંભીર રીતે ઘાયલ થયેલા જયવીર સિંહને તાત્કાલિક સારવાર માટે સૈફઈ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા.
માહિતી અનુસાર આ અકસ્માત આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર સર્જાયો હતો. બધા ડૉક્ટરો પોતાની કારમાં લખનઉથી આગરા તરફથી જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર પૂરપાટ ઝડપે. ડિવાઈડર સાથે ભટકાઈને રોંગ સાઈડમાં જતી રહી હતી. જેના કારણે સામેથી આવતા ટ્રક સાથે ભયંકર ટક્કર થઇ ગઇ હતી. આ દુર્ઘટના બુધવારે વહેલી સવારે લગભગ ત્રણ વાગ્યાના સુમારે થઇ હતી. મૃતકોમાં સામેલ લોકો સૈફઈ મેડિકલ યુનિવર્સિટીના ડૉક્ટર છે જે તમામ પીજી સ્ટુડન્ટ્સ હતા. આ ઉપરાંત એક અન્ય ઘાયલ છે.
આ પણ વાંચો :-