અંબાલાલની આગાહી ! વાવાઝોડું આવશે, ૧૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે, સેવિયર સ્ટ્રોમથી થશે ૨૦૧૮ જેવા હાલ

Share this story
  • ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ડરામણી આગાહી કરી છે. તેમણે કહ્યું કે ઓક્ટોબર માસમાં બંગાળમાં વાવાઝોડાની પ્રક્રિયા થશે શરૂ. ગુજરાતમાં આ સિસ્ટમ વરસાદ લાવી શકે છે. ૧૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જો આવું થયું તો આ સ્થિતિ ગુજરાત માટે મહાવિનાશક સાબિત થઈ શકે છે.

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી સમયમાં પશ્ચિમ બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તારીખ ૩૦ સપ્ટેમ્બરથી બંગાળાના ઉપસાગરમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેસર બનશે. જે મજબૂત બનતા ૨જી ઓક્ટોબર સુધી અરબસાગરમાં આવશે. ૧૨ ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે.

૨૦૧૮ જેવું વાવાઝોડું આવશે :

વર્ષ ૨૦૧૮માં ગુજરાતમાં ભયંકર વરસાદ બાદ વિનાશક ચક્રવાતે ભારે વિનાશ વેર્યો હતો. સંખ્યાબંધ લોકોને ત્યારે જાનમાલની નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો હતો. આ વખતે ફરી એકવાર અંબાલાલ પટેલે કંઈક એવા જ પ્રકારની આગાહી કરી છે. ખાસ કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય. બંગાળાનું ચક્રવાત પ્રતિકલાક ૧૫૦ kmphની ઝડપે ફૂંકવાની શક્યતા છે.

આ વાવાઝોડાની અસર મધ્ય પ્રદેશના ભાગોમાં થઈ ગુજરાતને પણ અસર કરશે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે. જયારે અરબસાગરમાં ૨૧ સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. આ ફેરફારને કારણે ૪ થી ૧૨ ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરુ થશે.

મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદ પડશે. બંગાળાના ઉપસગારમાં આવનારા વાવાઝોડાને કારણે ૨૭-૨૮-૨૯ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. ૧૨ થી ૨૦ ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગલના ઉપસાગરમાં ઊભું થશે.

આ પણ વાંચો :-