PM મોદીએ ​​શ્રી રામ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરી

Share this story

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીરામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ અને વિશ્વભરમાં ભગવાન શ્રી રમ પર જારી કરાયેલ ટપાલ પુસ્તકનું વિમોચન કર્યું છે. ડિઝાઇનમાં રામ મંદિર ચૌપાઈ ‘મંગળ ભવન અમંગળ હરી’ સૂર્ય, સરયુ નદી અને મંદિર અને તેની આસપાસના શિલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામની આંતરરાષ્ટ્રીય અપીલ દર્શાવવાનો પ્રયાશ છે આ ૪૮ પાનાના પુસ્તકમાં અમેરિકા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, કેનેડા, કંબોડિયા અને સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓ સહિત ૨૦થી વધુ દેશો દ્વારા જારી કરાયેલ ટપાલ આવરી લેવામાં આવ્યા છે.

PM મોદી બહાર પાડવામાં આવેલ ટપાલ ટિકિટ સૂર્યના કિરણોના સોનાના પાન અને ચોપાઈ આ લઘુચિત્ર શીટને એક જાજરમાન ચિહ્ન આપે છે. પાંચ ભૌતિક તત્વો એટલે કે આકાશ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને પાણી, જેને ‘પંચભૂતો’ તરીકે ઓળખવામાં આવે છે તે વિવિધ રચના તત્વો દ્વારા પ્રતિબિંબિત થાય છે અને તમામ અભિવ્યક્તિઓ માટે જરૂરી પંચમહાભૂતોની સંપૂર્ણ સંવાદિતા સ્થાપિત કરે છે.

PM મોદીએ આ દરમિયાન કહ્યું, “આજે, મને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અભિયાન દ્વારા આયોજિત અન્ય કાર્યક્રમમાં જોડાવાની તક મળી. આજે શ્રી રામ જન્મભૂમિ મંદિર પર ૬ સ્મારક ટપાલ ટિકિટો અને વિશ્વભરમાં ભગવાન રામ પર જારી કરાયેલ સ્ટેમ્પ્સનું આલ્બમ બહાર પાડવામાં આવ્યું છે. હું દેશના લોકોને અને વિશ્વભરના તમામ રામભક્તોને અભિનંદન આપવા માંગુ છું.

આ પણ વાંચો :-