Home Blog Page 446

રાજકોટ: 555 દીકરીઓના સમૂહ લગ્નમાં મોટું કૌભાંડ, નકલી દાગીનાઓ પધરાવ્યા

રાજ્યમાં વધુ એક સમુહ લગ્નમાં છેતરપિંડીનો બનાવ બન્યો છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટમાં 27 એપ્રિલ, 2025ના રોજ શિવાજી સેના દ્વારા આયોજિત 555 દીકરીઓના સમૂહ લગ્નમાં છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. આયોજકોએ વર-કન્યાઓને અસલી દાગીનાને બદલે નકલી દાગીના આપ્યા હોવાનું બહાર આવતાં લખતરના એક પરિવારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.

કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણી તથા કુવાડવાના કારખાનેદાર પીન્ટુ પટેલ, અક્ષય ધાડવી તથા રાહુલ સિસા સામે અરજી કરવામાં આવી છે. ત્યારે અગાઉ પણ રાજકોટમાં ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 28 નવદંપત્તિ લગ્નના તાંતણે બંધાવાના હતા. જોકે જ્યારે લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ત્યા કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી. કન્યા પક્ષ અને વર પક્ષે આરોપ લગાવ્યો છે કે, અમારી પાસેથી 15-15 હજાર રૂપિયા ઉઘરાવવામા આવ્યા હતાં અને એન.વી ઈવેન્ટ ગ્રુપ નામથી રસીદ પણ આપવામાં આવી હતી.

કરિયારમાં આપવામાં આવેલા દાગીના ખોટા નીકળતા પરિવારમાં ભારે રોષનો મોહાલ જોવા મળ્યો હતો. જેથી આ પરિવારોએ સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આયોજકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ માંગ કરી છે. જેથી પોલીસે પણ ઘટનાને ગંભીરતાથીને તપાસ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે, કરિયાવરમાં આપવામાં આવેલા દાગીના નકલી હોવાનું બહાર આવતા અનેક પરિવારોમાં રોષની લાગણી ફેલાઈ છે.

આ સર્વજ્ઞાતિ સમુહલગ્નના આયોજક અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમ સોરાણીનું આ મામલે નિવેદન પ્રકાશમાં આવ્યું છે. વિક્રમ સોરાણીએ કહ્યું કે, આ દાગાની તેમના દ્વારા નહીં પરંતુ દાતાઓ દ્વારા આપવામાં આવ્યાં છે. અને જો તેમાં કોઈ ખોટી વસ્તુ આવી હોય તો તે બદલી આપવા માટે તૈયાર છે, તેવું પણ જણાવ્યું હતું. વિક્રમ સોરાણીએ એવું પણ કહ્યું કે, કરિયાવરમાં સોનાની તો માત્ર એક ચૂક આપવામાં આવી હતી, અન્ય કોઈ વસ્તુ સોનાની આપવામાં આવી નથી. જે ચૂક ખોટી જોય તો સર્વજ્ઞાતિ સમુહલગ્નના આયોજકે તેને બદલી આપવાની ખાત્રી આપી છે.

ભારત-પાક તણાવ ઘટતાં ગુજરાત સરકારે કર્મચારીઓની રજાઓ ફરી મંજૂર કરી

ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને પગલે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં સ્વરૂપે તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી હતી. તમામ કર્મચારીઓને તેમના ફરજ સોંપેલ સ્થળે હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. રાજયના તમામ વિભાગોને એલર્ટ સ્થિતિમાં રાખવામાં આવ્યા હતા જેથી સંકટની સ્થિતિમાં ઝડપથી પ્રતિસાદ આપી શકાય.

હાલમાં, 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાત બાદ પરિસ્થિતિ સામાન્ય થવા લાગી છે. એ અનુસંધાને રાજ્ય સરકારે ફરી એકવાર કર્મચારીઓ માટે રજાઓ મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. આ સમાચાર બાદ સરકારી કર્મચારીઓમાં રાહત અને ખુશીની લાગણી જોવા મળી છે.

CBSE ધોરણ-10નું 93.66 ટકા પરિણામ જાહેર, જાણો કેવી રીતે કરશો ચેક

0

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 10 અને 12 ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. CBSE ધોરણ 10 ના પરિણામમાં કુલ 93.66 ટકા વિદ્યાર્થીઓએ પોતાનો વિજય ધ્વજ લહેરાવ્યો છે. આ પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેમના પરિણામો ચકાસી શકે છે. હવે પ્રશ્ન એ થાય છે કે CBSE ધોરણ 10 ની પરીક્ષા કોણે જીતી, છોકરાઓ કે છોકરીઓ? આ પ્રશ્નનો જવાબ આ સમાચાર દ્વારા જાણીએ.

કોણે સારું પ્રદર્શન કર્યું
સીબીએસઈ ધોરણ 10 ની કુલ પાસ ટકાવારી 93.66 હતી. આ વર્ષની પરીક્ષામાં છોકરીઓએ સારો દેખાવ કર્યો છે. છોકરીઓએ છોકરાઓ કરતાં 2.37% વધુ સારો દેખાવ કર્યો. છોકરીઓની પાસ થવાની ટકાવારી 95.00% હતી. જ્યારે છોકરાઓ 92.63% સાથે પાસ થયા.

  • છોકરીઓ: 95.00% પાસ
  • છોકરાઓ: 92.63% પાસ થયા
  • સારા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા
  • CBSE 10માના પરિણામમાં 90 પર્સન્ટાઇલ અને તેથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1,99,944 વિદ્યાર્થીઓ (8.43%) છે. વધુમાં, 95% અને તેથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 45,51 વિદ્યાર્થીઓ (1.92%) છે.

ચેક કેવી રીતે કરશો

  • સૌપ્રથમ વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ www.cbse.gov.in પર જાઓ
  • આ પછી, વિદ્યાર્થીઓએ હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરવું જોઈએ.
  • આ પછી, વિદ્યાર્થીઓએ જરૂરી વિગતો દાખલ કરવી જોઈએ.
  • આમ કરવાથી પરિણામ તમને દેખાશે.
  • હવે વિદ્યાર્થીઓ તેમના પરિણામો ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે.
  • છેલ્લે, વિદ્યાર્થીઓએ પ્રિન્ટઆઉટ લેવું હોય તો લઈ શકે છે

પરિણામ ક્યાં જોવું
સત્તાવાર વેબસાઇટ:https://results.digilocker.gov.in
ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ: nad-support.digilocker.gov.in પર ટિકિટ સબમિટ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે CBSE 12મા ધોરણના પરિણામોમાં કુલ 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમાં પણ છોકરીઓએ છોકરાઓ કરતાં સારું પ્રદર્શન કર્યું. છોકરીઓનું પાસ થવાનું પ્રમાણ 91.64 ટકા અને છોકરાઓનું પાસ થવાનું પ્રમાણ 85.70 ટકા રહ્યું. છોકરીઓની પાસ થવાની ટકાવારી છોકરાઓ કરતાં 5.94 ટકા વધુ હતી. આ વર્ષે, ધોરણ 10 ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન યોજાઈ હતી.

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ત્રણ આતંકી ઠાર, એન્કાઉન્ટર હજુ પણ ચાલુ

0

પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા. તેઓ એરબેઝ પર સૈનિકોને મળ્યા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેમણે આદમપુર એરબેઝને નિશાન બનાવ્યું હતું. બીજી તરફ, મંગળવારે જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.

સોમવારે રાત્રે જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન જોવા મળ્યાં હતાં. થોડા સમય પછી સેનાએ કહ્યું હતું કે દુશ્મનના કોઈપણ ડ્રોન વિશે કોઈ માહિતી નથી. આજે બધી જગ્યાએ પરિસ્થિતિ સામાન્ય છે.

ભારતીય સેનાએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, 13 મે 2025ના રોજ રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટ તરફથી શોપિયાના શોકલ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેનાએ આતંકવાદીઓને શોધવાની અને મારવાની કામગીરી શરૂ કરી છે. આ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ભારે ગોળીબાર અને ભીષણ ગોળીબાર થયો હતો. જેમાં સેનાએ જવાબ આપ્યો અને પરિણામે ત્રણ કટ્ટર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે. ભારતીય સેનાએ લખ્યું કે, ‘આ કામગીરી ચાલુ છે’

આદમપુર મુલાકાત અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે આજે સવારે, મેં AFS આદમપુરની મુલાકાત લીધી અને આપણા બહાદુર વાયુસેના યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યા. હિંમત, દૃઢ નિશ્ચય અને નિર્ભયતાનું પ્રતિક એવા લોકો સાથે રહેવું એક ખાસ અનુભવ હતો. ભારત હંમેશા સશસ્ત્ર દળો પ્રત્યે આભારી છે.

પીએમ મોદીએ પંજાબના આદમપુર એરબેઝ પર જવાનો સાથે કરી મુલાકાત

0

પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા અને ત્યાં સેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોનો જુસ્સો વધાર્યો હતો. પીએમ મોદી સેનાના જવાનોને મળ્યા અને ઓપરેશન અંગે ચર્ચા પણ કરી. પીએમ મોદીએ સોમવારે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.જેમાં તેમણે સૈનિકોની બહાદુરી અને હિંમતને સલામ કરી હતી.

આદમપુર મુલાકાત અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે આજે સવારે, મેં AFS આદમપુરની મુલાકાત લીધી અને આપણા બહાદુર વાયુસેના યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યા. હિંમત, દૃઢ નિશ્ચય અને નિર્ભયતાનું પ્રતિક એવા લોકો સાથે રહેવું એક ખાસ અનુભવ હતો. ભારત હંમેશા સશસ્ત્ર દળો પ્રત્યે આભારી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આદમપુર એરબેઝની મુલાકાત લઈ પાકિસ્તાનના દાવાને પોકળ કર્યો છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, તેણે હુમલો કરી ભારતના આદમપુર એર ડિફેન્સ યુનિટને નષ્ટ કરી છે. આ આદમપુર એરબેઝ પર આજે PM મોદીનું વીવીઆઈપી વિમાને સફળતાપૂર્વક લેન્ડિંગ કરી પાકિસ્તાનના દાવાને ખોટો પાડ્યો છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતાં સેનાના સાહસના વખાણ કર્યા હતાં. તેમજ તેમના સન્માન માટે દેશભરમાં તિરંગાયાત્રા યોજવાની જાહેરાત કરી હતી.

પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે 06-07 મેની રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આમાં ઘણા આતંકવાદીઓ પણ માર્યા ગયા.

INS વિક્રાંત અંગે માહિતી માંગનાર બનાવટી PMO અધિકારી ઝડપાયો

0

કેરળના કોચીથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે અહીં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપ એ છે કે તે વ્યક્તિએ પોતાને પીએમઓના અધિકારી તરીકે રજૂ કર્યો છે. તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન કોચીમાં નૌકાદળના મુખ્યાલયમાં ફોન કર્યો, પીએમઓ અધિકારી તરીકે ઓળખાતાં, અને INS વિક્રાંતનું સ્થાન પૂછ્યું. આ વ્યક્તિની ઓળખ મુજીબ રહેમાન તરીકે થઈ છે. જોકે, ભારતીય નૌકાદળે કોઈપણ ગુપ્ત માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

કૉલ પર ચોક્કસ સ્થાન પૂછવામાં આવ્યું
ખરેખર, આ આખી ઘટના કોચીની છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઓપરેશન સિંદૂર દરમિયાન, તે વ્યક્તિએ INS વિક્રાંત વિશે માહિતી માંગી હતી. તેની ઓળખ મુજીબ રહેમાન તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુજીબ રહેમાન નામના આ વ્યક્તિએ કોચી નૌકાદળ મુખ્યાલયમાં ફોન કરીને પોતાને પીએમઓના અધિકારી તરીકે ઓળખાવી હતી. તેણે કોલ પર INS વિક્રાંતનું ચોક્કસ સ્થાન આપવાનો નિર્દેશ આપ્યો. જોકે, ભારતીય નૌકાદળે આવી કોઈ માહિતી શેર કરવાનો ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત, અધિકારીઓએ સ્થાનિક પોલીસને પણ જાણ કરી અને તેમને સતર્ક કર્યા.

આરોપીઓની પૂછપરછ ચાલુ છે
આ માહિતી મળતાની સાથે જ પોલીસ ટીમ પણ સક્રિય થઈ ગઈ અને મુજીબ રહેમાનને નવા ફોજદારી કાયદા હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યો. આરોપીને કસ્ટડીમાં લીધા બાદ, રાજ્ય પોલીસ, નેવી અને આઈબી તેની પૂછપરછ કરી રહ્યા છે. જ્યારે મુજીબ રહેમાન મૂળ કોઝીકોડના એલ્થૂર વિસ્તારનો રહેવાસી છે. તેમના પરિવારે દાવો કર્યો છે કે તેઓ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે સારવાર લઈ રહ્યા છે. જોકે, પોલીસ ટીમ આ મામલે પણ તપાસ કરી રહી છે. કેરળ પોલીસે INS વિક્રાંતનું સ્થાન પૂછનાર વ્યક્તિની ધરપકડ કરી છે.

CBSE ધોરણ-12નું 88.39 ટકા પરિણામ જાહેર, જાણો કેવી રીતે કરશો ચેક

0

CBSE 12મા ધોરણની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની રાહ પૂરી થઈ ગઈ છે. CBSE એ ધોરણ 12 નું પરિણામ જાહેર કર્યું છે. 88.39 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. ગયા વર્ષે, બોર્ડે 13 મેના રોજ પરિણામ જાહેર કર્યું હતું. ધોરણ 12 પરીક્ષાનું પરિણામ સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર જઈને ડાઉનલોડ કરી શકે છે.

વિદ્યાર્થીઓ તેમનું પરિણામ https://www.cbse.gov.in

  • અને results.gov.in પર જઈને ચેક કરી શકે છે.

CBSE ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2025 માં વિજયવાડા ક્ષેત્રમાં સૌથી વધુ 99.60% પાસ ટકાવારી નોંધાઈ હતી, ત્યારબાદ ત્રિવેન્દ્રમમાં 99.32% અને ચેન્નાઈમાં 97.39% પાસ ટકાવારી નોંધાઈ હતી. અન્ય ઉચ્ચ પ્રદર્શન કરનારા પ્રદેશોમાં બેંગલુરુ (95.95%), દિલ્હી પશ્ચિમ (95.37%) અને દિલ્હી પૂર્વ (95.06%)નો સમાવેશ થાય છે.

સીબીએસઈ ધોરણ 12 ની પરીક્ષા 2025 માં છોકરીઓએ ફરી એકવાર છોકરાઓ કરતાં વધુ પ્રદર્શન કર્યું, જેમાં પાસ થવાની ટકાવારી 91.94% નોંધાઈ, જે 2024 માં 91.52% હતી તેનાથી થોડી વધારે છે. છોકરાઓએ પાસ થવાની ટકાવારી 85.70% નોંધાવી, જે પાછલા વર્ષના 85.12% થી સુધારો દર્શાવે છે. એકંદરે, છોકરીઓએ 5.94% ના માર્જિનથી છોકરાઓને પાછળ છોડી દીધા. નોંધનીય છે કે, ટ્રાન્સજેન્ડર કેટેગરીએ 2025 માં 100% પાસ થવાની ટકાવારી હાંસલ કરી, જે ૨૦૨૪ માં ૫૦% થી નોંધપાત્ર ઉછાળો છે.

અમૃતસરમાં લઠ્ઠાકાંડથી 14 લોકોના મોત, 6ની હાલત ગંભીર

0

પંજાબના અમૃતસર જિલ્લાના મજીઠામાં સોમવારે (12મી મે) રાત્રે ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત થયા છે. જ્યારે 6ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોટાભાગના મૃતકો ભાંગલી અને મરારી કલાન ગામના રહેવાસી છે. મજીઠા પોલીસ સ્ટેશનના એસએચઓ અવતાર સિંહે જણાવ્યું હતું કે, ‘ઝેરી દારૂ પીવાથી 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

અમૃતસરના ડેપ્યુટી કમિશનર સાક્ષી સાહનીએ કહ્યું, મજીઠામાં એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બની હતી. અમને ગઈ રાત્રે 5 ગામમાંથી લોકોએ દારૂ પીધા બાદ તબિયત લથડી હોવાની માહિતી મળી હતી. મેડિકલ ટીમ ઘરે ઘરે જઈ તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં 14 લોકોનાં મૃત્યુ થયા છે. સરકાર શક્ય તમામ મદદ કરી રહી છે. મૃત્યુઆંક વધે નહીં તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અમે સપ્લાયર્સની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે જુલાઈ 2022 માં ગુજરાતના બોટાદ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં લઠ્ઠાકાંડની દુર્ઘટના બની હતી, જેમાં 42 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને ઘણા લોકો હૉસ્પિટલમાં દાખલ થયા હતા. આ ઘટનામાં પીડિતોએ દારૂ સમજીને મિથાઈલ આલ્કોહોલ (મિથેનોલ) પી લીધું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ઝેરી કેમિકલ એક કેમિકલ પેકેજિંગ કંપનીના કર્મચારી પાસેથી ગેરકાયદેસર રીતે મેળવવામાં આવ્યું હતું અને બુટલેગરોને વેચવામાં આવ્યું હતું.

માર્કેટમાં ધમાકેદાર તેજી: રોકાણકારોએ એક જ દિવસે કમાયા ₹16.11 લાખ કરોડ

પાકિસ્તાનમાં ભારતીય એરફોર્સ દ્વારા મચાવેલી તબાહી બાદ 12 મેના રોજ ભારતીય શેરબજારમાં રેકોર્ડતોડ તેજી જોવા મળી. ગયા વર્ષ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં સૌથી મોટી સિંગલ ડે રેલી નોંધાઈ. ભારતનું બજાર એવું ઉછળ્યું કે રોકાણકારો ખુશીમાં ઝૂમી ઉઠ્યા.

સેન્સેક્સ લગભગ 3000 પોઇન્ટ અને નિફ્ટી ફિફ્ટી લગભગ હજાર પોઇન્ટ ઉંચી થઈને બંધ થયા. છેલ્લા ચાર વર્ષમાં ભારતીય શેરબજારએ સિંગલ ડેમાં સર્વોચ્ચ તેજી નોંધાવી છે. આ તેજી ભારતીય શેરબજાર માટે સારા સંકેતો બતાવે છે. આજની આ તેજીથી રોકાણકારોને રૂ. 16 લાખ કરોડનો નફો થયો છે.

આજે એટલે કે સોમવારે 12 મેના રોજ સેન્સેક્સ 2975.43 પોઇન્ટ એટલે કે 3.7 ટકા ઉંચી થઈને 82429 ના સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટી ફિફ્ટી 916 પોઇન્ટ એટલે કે 3.8 ટકા ઉંચી થઈને 24924 ના સ્તરે બંધ થયો. इससे પહેલાં ભારતીય શેરબજારમાં સિંગલ ડેમાં સૌથી મોટી તેજી 1 ફેબ્રુઆરી 2021ના રોજ નોંધાઈ હતી, ત્યારે સેન્સેક્સ 4.7 ટકા ઉંચી થયો હતો. ત્યારબાદ સૌથી મોટી રેલી 3 જૂન 2024ના રોજ આવી હતી. ત્યારબાદ બજાર પડ્યું હતું અને હવે આજે એટલે કે 12 મેના રોજ આવી તૂફાની તેજી સાથે બધા રેકોર્ડ તૂટ્યા છે.

રોકાણકારોને થયો 16 લાખ કરોડનો ફાયદો
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે સંમતિથી રોકાણકારોમાં ખુશીની લહેર ફાટી નીકળી અને માત્ર એક જ દિવસે તેમનો નફો રૂ. 16 લાખ કરોડથી વધુ થયો. સેન્સેક્સ અને નિફ્ટીમાં ફેબ્રુઆરી 2021 પછી સૌથી વધુ લગભગ 4 ટકા સુધીની તેજી નોંધાઈ છે.

BSEમાં લિસ્ટ થયેલી તમામ કંપનીઓનું કુલ મૂલ્યાંકન આજે ₹1,6,06,576 લાખ કરોડથી વધીને ₹4,32,47,426.73 લાખ કરોડ થયું. શુક્રવારે બજાર બંધ થતાં સુધી આ આંકડો ₹4,16,40,850.46 લાખ કરોડ હતો.

શેરબજારમાં આજે આઈટી શેર્સમાં ધૂમ ખરીદી જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી ટેરિફ વૉર, ડોલરમાં કડાકાના કારણે કરેક્શન મોડમાં ચાલી રહેલા આઈટી સ્ટોકમાં નીચા મથાળે ખરીદી વધી છે. આ ખરીદી પાછળનું કારણ ટેરિફમાં રાહત છે. અમેરિકા અને ચીને એકબીજા પર ટેરિફમાં 115 ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જેનાથી અન્ય દેશોને પણ ટેરિફમાં રાહત મળવાની શક્યતાઓ વધી છે. ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા શેર્સમાં અનેકગણા વોલ્યૂમના પગલે આઈટી ઈન્ડેક્સ 6.75 ટકા ઉછળ્યો છે. એલએન્ડટી 6.50 ટકા, વિપ્રો 6.41 ટકા, ઈન્ફોસિસ 7.91 ટકા, ટીસીએસ 5.17 ટકા ઉછાળે બંધ રહ્યો છે.

ધોલેરા-ભાવનગર હાઇવે પર ભયાનક અકસ્માત, એક મહિલા સહિત 5 લોકોના મોત

ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. બે કાર વચ્ચેની સામસામી ટક્કરમાં એક મહિલા અને ત્રણ પુરુષ સહિત કુલ 5 લોકોનાં મૃત્યુ થયાં છે. પ્રાથમિક માહિતી અનુસાર, સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સસિટી વિસ્તારમાં રહેતા હોવાનું, જ્યારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલિતાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકોની વિગત

1. ગોરધનભાઇ ગોબરભાઈ ડોબરીયા
2. અશોકભાઈ ગોબરભાઈ ડોબરીયા
3. ગૌરવભાઈ ગોબરભાઈ ડોબરીયા
4. તીર્થ ગૌરવભાઈ ડોબરીયા
5. દિશાબેન કિરીટભાઇ પ્રબતાણી

ભાવનગર તરફથી આવી રહેલી કિયા કાર અને ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહેલી સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ. અકસ્માતની ઘટના સર્જાતા માર્ગ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ધોલેરા પોલીસને બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રાહત બચાવ કાર્ય તથા ટ્રાફિક નિયમન શરૂ કરાવ્યું હતું. 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.