Home Blog Page 23

ગ્લાસગોમાં તિરંગો લહેરાયો, કોમનવેલ્થ ગેમ્સ મેડલ ટેલી

0

એક પછી એક મેડલ જીતતા ભારતીય ખેલાડીઓએ ગ્લાસગોમાં તિરંગાનું ગૌરવ વધાર્યું છે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે અત્યાર સુધી 2 ગોલ્ડ, 7 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 12 મેડલ જીતીને પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. હવે ભારતીય ટીમની નજર મેડલ ટેલીમાં વધુ ઉંચાઈ હાંસલ કરવા ઉપર છે.

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 23 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના 122 ખેલાડીઓ મેડલ માટે સ્પર્ધામાં ઉતર્યા છે. ભારતીય ખેલાડીઓ એથ્લેટિક્સ, બોક્સિંગ, વેઇટલિફ્ટિંગ, સ્વિમિંગ, જિમ્નાસ્ટિક્સ, જ્યૂડો અને ટ્રેક સાઇકલિંગ જેવી રમતોમાં ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત પેરા એથ્લેટિક્સ, પેરા પાવરલિફ્ટિંગ અને અન્ય પેરા સ્પર્ધાઓમાં પણ ભારતની મજબૂત હાજરી જોવા મળી રહી છે.

પેરા પાવરલિફ્ટર ઝંડુ કુમારે પુરુષોની હેવીવેઇટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગ્લાસગો 2026માં ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ ઋષિકાન્ત સિંહે પુરુષોની 60 કિગ્રા વેઇટલિફ્ટિંગ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને ભારતનો પ્રથમ સિલ્વર મેડલ મેળવ્યો હતો.

ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ દિગ્ગજ વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ જીત્યું હતો. તેમણે મહિલાઓની 48 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વખત ચેમ્પિયન બનવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી.

હાલ ભારતની મેડલ ટેલીમાં વેઇટલિફ્ટિંગનું સૌથી મોટું યોગદાન છે. આ રમતમાં ભારતે અનેક મેડલ જીત્યા છે, જ્યારે એથ્લેટિક્સ અને પેરા સ્પોર્ટ્સમાં પણ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

બોક્સિંગમાં લવલીના બોર્ગોહેન પણ મેડલની રેસમાં છે. તેને ક્વાર્ટર ફાઇનલમાં બાય મળ્યા બાદ મેડલ નિશ્ચિત છે, પરંતુ તેની નજર હવે ગોલ્ડ મેડલ જીતવા પર છે. આગામી દિવસોમાં ભારત વધુ મેડલ સાથે પોતાની સ્થિતિ મજબૂત બનાવે તેવી આશા છે.

કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે અત્યાર સુધીની શરૂઆત શાનદાર રહી છે, પરંતુ હજુ ઘણી મહત્વની સ્પર્ધાઓ બાકી છે. આગામી દિવસોમાં ભારતીય ખેલાડીઓને વધુ મેડલ જીતવાની આશા છે. ખાસ કરીને એથ્લેટિક્સ, બોક્સિંગ અને વેઇટલિફ્ટિંગમાં ભારત માટે મેડલ જીતવાની તક રહેલી

‘મિની જામતારા’ બન્યું મથુરા! પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

0

ઉત્તર પ્રદેશનું મથુરા હવે માત્ર ધાર્મિક નગરી તરીકે નહીં, પરંતુ ઝડપથી વિકસતા સાઇબર ક્રાઇમ હબ તરીકે પણ ચર્ચામાં આવ્યું છે. પોલીસની તાજેતરની કાર્યવાહી બાદ ખુલાસો થયો છે કે અહીંના 18 ગામોમાંથી સંગઠિત રીતે ઓનલાઈન ઠગાઈનું વિશાળ નેટવર્ક સંચાલિત થઈ રહ્યું હતું. છેલ્લા એક વર્ષમાં 177 સાઇબર ગુનાઓ નોંધાયા છે અને 312 આરોપીઓની ધરપકડ થતાં સમગ્ર દેશનું ધ્યાન આ કેસ તરફ ખેંચાયું છે.

મળતી માહિતી મુજબ, 7 જુલાઈએ પોલીસ અને વિશેષ ટીમોએ ડ્રોનની મદદથી મથુરાના આઠ ગામોમાં એકસાથે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન અનેક શંકાસ્પદ લોકો ભાગી છૂટ્યા, જ્યારે 42 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલા ડિજિટલ પુરાવાના આધારે પોલીસે આશરે 7,000 મોબાઇલ નંબર અને 1,400 બેંક ખાતાઓની ઓળખ કરી છે, જે આ નેટવર્ક સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

તપાસ એજન્સીઓએ ગોવર્ધન, બરસાણા, શેરગઢ, છાતા અને કોસી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા કુલ 18 ગામોને ઓનલાઈન ઠગાઈના હોટસ્પોટ તરીકે ચિહ્નિત કર્યા છે. આ ગામો રાજસ્થાન અને હરિયાણાની સરહદ નજીક હોવાથી આરોપીઓને રાજ્યની સીમા પાર કરીને ભાગવામાં સરળતા રહેતી હોવાનું પોલીસ માને છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ગેંગ અલગ-અલગ ટીમોમાં કામ કરે છે. એક જૂથ નકલી ઓળખપત્રો, ભાડે લીધેલા બેંક ખાતા, પ્રીપેઇડ સિમ કાર્ડ અને એટીએમ કાર્ડની વ્યવસ્થા કરે છે, જ્યારે બીજું જૂથ લોકોને ફોન કરીને અથવા ઓનલાઈન ફસાવે છે અને ત્રીજું જૂથ ઠગાયેલા પૈસા ઉપાડવાનું કામ કરે છે. તેઓ ટેલિગ્રામ જેવી એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરીને સતત સંપર્કમાં રહે છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, OLX જેવી વેબસાઇટ પર QR કોડ પેમેન્ટના નામે છેતરપિંડી, નકલી એડવાન્સ ડિપોઝિટ, ફેક હોટેલ બુકિંગ વેબસાઇટ અને અન્ય ઓનલાઈન કૌભાંડો દ્વારા દેશભરના લોકોને નિશાન બનાવવામાં આવતા હતા. મથુરા પોલીસનું કહેવું છે કે આ નેટવર્કને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે સતત કાર્યવાહી ચાલુ રહેશે અને સાઇબર ગુનાઓ સામે વધુ કડક અભિયાન હાથ ધરવામાં આવશે.

ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે ચારધામ યાત્રા બે દિવસ માટે રોકી દેવાઈ

ઉત્તરાખંડમાં વરસાદે જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ થવા સાથે જ ચારધામ યાત્રા બે દિવસ માટે અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે.

રાજધાની દેહરાદૂન, માલદેવતામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 233 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે દેહરાદૂન, મસૂરી, જોલી ગ્રાન્ટ અને ઉખીમઠ સહિતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો છે. સતત વરસાદને કારણે, ચારધામ યાત્રા બે દિવસ માટે અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે. ભૂસ્ખલનને કારણે કેદારનાથ, બદ્રીનાથ અને યમુનોત્રી હાઇવે અનેક સ્થળોએ બંધ કરવામાં આવ્યા છે. નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે, કાટમાળ અને પથ્થરોના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે બચાવ કાર્ય જરૂરી બન્યું છે અને આજે ચાર જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવામાં આવી છે.

ચારધામ યાત્રા બે દિવસ માટે અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. ગઢવાલ વિભાગના કમિશનરે જણાવ્યું હતું કે અનેક સ્થળોએ ભૂસ્ખલનથી ચારધામ યાત્રા માર્ગ અવરોધિત થયો છે અને ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, તેથી યાત્રાળુઓની સલામતી માટે ચારધામ યાત્રા આજે અને આવતીકાલ માટે મુલતવી રાખવામાં આવી છે. હવામાન અનુકૂળ આવે ત્યારે યાત્રા ફરી શરૂ થશે. ઉત્તરાખંડમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે. હવામાન કેન્દ્રે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. કેટલાક જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. વહીવટીતંત્રને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

દેહરાદૂન ખાતે નંદા કી ચોકી નજીક બનેલો નવો પુલ પહેલા ચોમાસાના વરસાદને પણ સહન કરી શક્યો નહીં. આ પુલ આશરે ₹16 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. વરસાદ દરમિયાન પુલનો મોટો ભાગ ધસી પડતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. તાજેતરમાં પૂર્ણ થયેલા આ પુલના એપ્રોચ રોડને થયેલા નુકસાનથી બાંધકામની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સલામતીના કારણોસર પુલ પર ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે. દરમિયાન, રેન્જર્સ ગ્રાઉન્ડ પાસે પાણી ભરાઈ જવાથી વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે.

જાપાનમાં ભીષણ ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરાઈ

દક્ષિણપશ્ચિમ જાપાનના કુમામોટો પ્રીફેક્ચરમાં મંગળવારે સ્થાનિક સમય મુજબ સાંજે 4:27 વાગ્યે આશરે 10 કિલોમીટરની ઊંડાઈએ 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પ્રીફેક્ચરના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં જાપાન ભૂકંપની તીવ્રતા સ્કેલ પર ભૂકંપની મહત્તમ તીવ્રતા 7 નોંધાઈ હતી.

દક્ષિણપશ્ચિમ જાપાનમાં એરિયાકે સમુદ્ર અને યાત્સુશિરો સમુદ્ર માટે એક મીટરની સુનામી ચેતવણી જારી કરવામાં આવી છે. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેના અહેવાલ મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ કુમામોટોના દરિયાકાંઠાના શહેર ઉકી નજીક હતું. ભૂકંપ માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતો. તેની છીછરી ઊંડાઈને કારણે, આંચકા ખૂબ જ તીવ્રતાથી અનુભવાયા હતા. નુકસાનની માહિતી હાલમાં અજ્ઞાત છે.

જાપાનમાં આવેલા તીવ્ર ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. ભૂકંપ પછી તરત જ, જાપાની અધિકારીઓએ દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરી હતી, જેમાં 1 મીટર ઊંચા સુનામી મોજાની ચેતવણી આપવામાં આવી હતી. દક્ષિણ જાપાની પ્રીફેક્ચર કુમામોટો, નાગાસાકી, કાગોશિમા, ફુકુઓકા, સાગા, ઓઇટા અને મિયાઝાકી માટે કટોકટીની ચેતવણી જારી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારો અને નદીઓની નજીક રહેતા લોકોને તાત્કાલિક ઊંચી જમીન પર સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે. સેન્ડાઈ અને ગેનકાઈ પરમાણુ પાવર સ્ટેશન જેવા પ્રદેશના મુખ્ય પરમાણુ પાવર પ્લાન્ટ્સમાંથી કોઈ ખલેલ કે ખતરાના કોઈ અહેવાલ નથી.

હવે પેપર લીક કરવું પડશે ભારે , નવા બિલમાં શું છે એવી જોગવાઈ?

પેપર લીક, નકલ કૌભાંડ અને પરીક્ષા વ્યવસ્થામાં ગેરરીતિઓને રોકવા માટે કેન્દ્ર સરકારે જાહેર પરીક્ષા (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) કાયદામાં મોટા ફેરફારોનું પ્રસ્તાવિત બિલ સંસદમાં રજૂ કર્યું છે. આ નવા સુધારા હેઠળ દોષિતો માટે જેલની સજા અને દંડની રકમમાં મોટો વધારો કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ બિલ, 2026 રજૂ કરવામાં આવ્યું છે. આ બિલનો ઉદ્દેશ પેપર લીક કરનારા સંગઠિત જૂથો, નકલ માફિયા અને પરીક્ષા આયોજક એજન્સીઓની જવાબદારી નક્કી કરવાનો છે.

જૂના અને નવા કાયદા વચ્ચેનો સૌથી મોટો ફેરફાર સજા અને દંડની કડકાઈમાં જોવા મળી રહ્યો છે. વર્ષ 2024ના કાયદામાં વ્યક્તિગત રીતે નકલ અથવા ગેરરીતિ કરવા બદલ 3 થી 5 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ હતી. હવે 2026ના પ્રસ્તાવિત સુધારા બિલમાં આ સજાને વધારીને 5 થી 10 વર્ષની જેલ અને 50 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. બીજી તરફ, પરીક્ષા આયોજક સંસ્થાઓની સંડોવણીના મામલામાં પણ કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી છે. જ્યાં 2024ના કાયદામાં ઓછામાં ઓછી 5 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ હતી, ત્યાં નવા બિલમાં ઓછામાં ઓછી 7 વર્ષની જેલ અને 10 કરોડ રૂપિયા સુધીના દંડની દરખાસ્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત, પેપર લીક જેવા ગંભીર કેસોની ઝડપી તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) બનાવવાની જોગવાઈ પણ બિલમાં સામેલ કરવામાં આવી છે. તપાસ સમયસર પૂર્ણ થાય તે માટે બે મહિનાની સમયમર્યાદા નક્કી કરવાનો પ્રસ્તાવ છે.

બિલમાં પરીક્ષા સંબંધિત ગુનાઓના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની અને સરકાર દ્વારા વિશેષ સરકારી વકીલની નિમણૂક કરવાની જોગવાઈ પણ છે. ફાસ્ટ ટ્રેક કોર્ટના નિર્ણય સામેની અપીલ હાઇકોર્ટના બે ન્યાયાધીશોની બેન્ચ સાંભળશે અને ત્રણ મહિનાની અંદર તેનો નિકાલ કરવાનો પ્રસ્તાવ છે.

સરકારનું માનવું છે કે આ કડક જોગવાઈઓથી પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ મળશે.

NEET પ્રદર્શનકારીઓ માટે ખુશખબર! જાણો સુપ્રીમ કોર્ટ એ શું આપ્યો મોટો નિર્ણય

0

NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં થયેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અંતરિમ રાહત આપતા હજારો વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ જગાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જેમનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી એવા પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી ન કરવામાં આવે અને તેમની તાત્કાલિક મુક્તિ સુનિશ્ચિત કરવામાં આવે. આ નિર્ણય બાદ વિદ્યાર્થી સંગઠનો અને પ્રદર્શનકારીઓમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે.

મંગળવારે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર લોકશાહીની મૂળભૂત ભાવનાનો ભાગ હોવાનું પુનરોચ્ચાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું કે માત્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે એટલા માટે પોલીસ દ્વારા અતિશય બળપ્રયોગ અથવા દંડાત્મક કાર્યવાહી યોગ્ય ગણાવી શકાય નહીં. સાથે જ, તાજેતરના વિદ્યાર્થી આંદોલન દરમિયાન અટકાયત કરાયેલા અથવા ધરપકડ કરાયેલા એવા વિદ્યાર્થીઓને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેમની સામે અગાઉ કોઈ ગુનાહિત નોંધ નથી.

સુપ્રીમ કોર્ટે પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી FIRના કેસોમાં પણ હાલ માટે કોઈ કડક અથવા દબાણાત્મક કાર્યવાહી ન કરવા જણાવ્યું છે. આ દરમિયાન પોલીસની કાર્યવાહી અંગેના આક્ષેપોની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની જરૂરિયાત પર પણ કોર્ટે ભાર મૂક્યો છે. આ મામલે આગળની સુનાવણી દરમિયાન વધુ માર્ગદર્શિકા અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી શકે છે.

સુરતમાં નક્ષત્ર સેફ હાઉસ કૌભાંડ: ₹2.67 કરોડનું 206 તોલા સોનું ગાયબ

સુરતમાં ખાનગી સેફ વોલ્ટમાં રાખેલા દાગીના પણ હવે સુરક્ષિત નથી? સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી ચર્ચાસ્પદ નક્ષત્ર સેફ હાઉસ (સેફ વોલ્ટ)માં ગ્રાહકોના કરોડો રૂપિયાના દાગીના ગાયબ થવાના મામલે શહેરભરમાં ભારે ચકચાર મચી છે. સિંગણપોર બ્રાન્ચમાં ચોરીની ફરિયાદ નોંધાયા બાદ વરાછા સહિત અન્ય શાખાઓમાં પણ પોતાના લોકરમાં રાખેલા દાગીના અને રોકડ સલામત છે કે નહીં તેની ખાતરી કરવા માટે મોટી સંખ્યામાં ગ્રાહકો પહોંચી ગયા હતા. અનેક સ્થળોએ લોકરો તપાસવા માટે લાંબી કતારો જોવા મળી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર, નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા, તેના પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરા, તેમજ લોકર તોડવામાં નિષ્ણાત ગણાતા મણીલાલ સામે ગંભીર ગુનો નોંધાયો છે. તપાસમાં પ્રાથમિક રીતે એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે ગ્રાહકોના લોકરો ગેરકાયદેસર રીતે ખોલીને સોનાના દાગીના ચોરી કરવાનો પૂર્વઆયોજિત કાવતરું રચાયું હતું.

સિંગણપોર બ્રાન્ચમાં દાગીના ગાયબ થવાની માહિતી બહાર આવતા વરાછા બ્રાન્ચ પર પણ મોટી સંખ્યામાં લોકરધારકો ઉમટી પડ્યા હતા. કેટલાક ગ્રાહકોને લોકર ખોલવામાં મુશ્કેલી પડી હતી, જ્યારે સંચાલકો તરફથી સ્પષ્ટ જવાબ ન મળતાં હોબાળો સર્જાયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસને બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.

પોલીસ નોંધ મુજબ અત્યાર સુધી કુલ 206 તોલા સોનું, જેની અંદાજિત કિંમત ₹2.67 કરોડ જેટલી થાય છે, ચોરાયું હોવાનું સામે આવ્યું છે. ફરિયાદમાં રમેશભાઈ જીવરાજભાઈ વાઘાણી (63 તોલા), રાજેશભાઈ પિપળીયા (49 તોલા), રમેશભાઈ સવજીભાઈ વાઘાણી (3 તોલા), જીતેન્દ્રભાઈ બાબુભાઈ બલર (13 તોલા), ચિરાગભાઈ વલ્લભભાઈ ગોટી (62 તોલા) અને ઉત્સવ અમરશીભાઈ સવાણી (16 તોલા) સહિત અનેક ગ્રાહકોને નુકસાન થયાનો ઉલ્લેખ છે.

મુખ્ય ફરિયાદી રમેશભાઈ જીવરાજભાઈ વાઘાણીના જણાવ્યા મુજબ તેમણે વર્ષ 2020માં પત્નીના નામે લોકર ભાડે રાખ્યું હતું. 8 મે, 2026ના રોજ લોકરમાં તમામ દાગીના સુરક્ષિત હતા. પરંતુ 14 જુલાઈ, 2026ના રોજ ફરી લોકર ખોલતા અંદાજે 63 તોલા સોનાના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું.

ફરિયાદી પરિવાર દ્વારા સીસીટીવી ફૂટેજ જોવા માંગવામાં આવતાં, આરોપી હર્ષ દિયોરાએ ધમકીભર્યું વર્તન કર્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. બાદમાં સીસીટીવી ડેટા ઉપલબ્ધ ન હોવાનું કહેવામાં આવ્યું હતું, જેના કારણે ફરિયાદીઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો.

સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(2), 316(5) અને 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મહેશ દિયોરા અને તેના બંને પુત્રોની ધરપકડ કરી છે, જ્યારે લોકર બ્રેકર મણીલાલની શોધખોળ ચાલુ છે.

પોલીસે તપાસના ભાગરૂપે ડીવીઆર, ડિજિટલ રેકોર્ડ અને અન્ય પુરાવા કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ વરાછા સહિત અન્ય શાખાઓમાં પણ આવી જ કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. સુરતમાં સેફ ડિપોઝિટ વોલ્ટમાંથી આ પ્રકારની કરોડોની ચોરીનો આ પ્રથમ મોટો કેસ માનવામાં આવી રહ્યો છે, જેના કારણે લોકરધારકોમાં ચિંતા અને અસુરક્ષાની લાગણી જોવા મળી રહી છે.

PM મોદીના Gen Z વીડિયોને લઈને Facebookમાં મચ્યો હંગામો, METAએ માફી કેમ માંગવી પડી?

0

નીટ પેપર લીક મુદ્દે સરકારના કડક વલણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો Gen Zને સંબોધતો વીડિયો અચાનક ભારતમાં ફેસબુક પર જોવા મળતો બંધ થઈ ગયો હતો. વીડિયોની જગ્યાએ “કાનૂની વિનંતિના કારણે આ કન્ટેન્ટ તમારા વિસ્તારમાં ઉપલબ્ધ નથી” એવો સંદેશ દેખાતા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, થોડા કલાકોમાં વીડિયો ફરી ઉપલબ્ધ થતાં સમગ્ર મામલાનો ખુલાસો થયો.

મળતી માહિતી મુજબ, આ વીડિયો ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ કોઈ સરકારી આદેશ અથવા ઇરાદાપૂર્વક બ્લોક કર્યો નહોતો. કંપનીએ સ્પષ્ટ કર્યું કે આ માત્ર ટેક્નિકલ ગ્લિચનું પરિણામ હતું. ભૂલ સુધાર્યા બાદ વીડિયો ફરીથી સામાન્ય રીતે ઉપલબ્ધ કરાયો અને મેટાએ આ ઘટનાને લઈને ખેદ પણ વ્યક્ત કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વીડિયો ક્યારેય કાયમી રીતે દૂર કરવામાં આવ્યો નહોતો અને સમગ્ર સમય દરમિયાન પ્લેટફોર્મ પર સક્રિય રહ્યો હતો. કેટલીક ક્ષણો માટે થયેલી ટેક્નિકલ ખામીના કારણે કેટલાક વપરાશકર્તાઓને કાનૂની પ્રતિબંધનો સંદેશ દેખાયો હતો, જેના કારણે ગેરસમજ ઊભી થઈ.

સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને મેટા પાસેથી સમગ્ર ઘટનાની સ્પષ્ટતા માંગવામાં આવી શકે છે. શરૂઆતમાં નોટિસમાં કયા કાયદા અથવા કઈ સત્તાધિકારીની વિનંતિના આધારે પ્રતિબંધ મૂકાયો હતો તેની કોઈ માહિતી આપવામાં આવી નહોતી, જેના કારણે અનેક સવાલો ઊભા થયા હતા.

ઉલ્લેખનીય છે કે જે વીડિયોને લઈને વિવાદ થયો હતો તેમાં વડાપ્રધાન મોદીએ નીટ પેપર લીક સહિત જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા વધુ કડક પગલાં લાવવાનો સંકેત આપ્યો હતો. હવે મેટાના સ્પષ્ટીકરણ બાદ સ્પષ્ટ થયું છે કે સમગ્ર વિવાદ પાછળ કોઈ કાનૂની કાર્યવાહી નહીં પરંતુ ટેક્નિકલ ખામી જવાબદાર હતી.

Video: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ‘પાર્ટી’નો વીડિયો વાયરલ… CJP નેતાઓ પર ઉઠ્યા મોટા સવાલો!

36 દિવસના આંદોલન, પોલીસ સાથેના ઘર્ષણ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ‘Cockroach Janta Party’ (CJP)ના નેતાઓની કથિત ઉજવણી હવે નવી ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં CJPના પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રંકા સહિત કેટલાક નેતાઓ દિલ્હીની એક હોટેલમાં સંગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. કેટલાક અહેવાલોમાં આ સ્થળને ફાઇવ-સ્ટાર હોટેલ ગણાવવામાં આવ્યું છે.

વીડિયો સામે આવ્યા બાદ ભાજપના રાજ્યસભા સાંસદ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મહેશ જેટમલાણીએ CJPના નેતાઓ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું કે આંદોલન દરમિયાન કાર્યકરોના પ્રવાસ, ભોજન, રહેવા, સાધનો અને અન્ય વ્યવસ્થાઓ માટે નાણાં કોણે આપ્યાં?

CJPએ NEET-UG પેપર લીક અને શિક્ષણ ક્ષેત્રની અનિયમિતતાઓને લઈને દિલ્હીના જંતર-મંતર ખાતે લાંબો વિરોધ કર્યો હતો. આંદોલનનું મુખ્ય માગણું કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું હતું, જે બાદ તેમણે પદ છોડ્યું. ત્યારબાદ CJPએ સરકાર સાથેની ચર્ચા બાદ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.

હવે વાયરલ ‘રિઝાઇનેશન પાર્ટી’ના વીડિયોએ આંદોલનના નેતાઓની ઉજવણી અને તેના ખર્ચને લઈને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે. જોકે, વીડિયોની સંપૂર્ણ પૃષ્ઠભૂમિ અને પાર્ટીના ખર્ચ અંગેના સવાલો પર CJP તરફથી સ્પષ્ટ જવાબની રાહ જોવાઈ રહી છે.

₹150ની મજૂરીથી કોમનવેલ્થના સિલ્વર સુધી…ઋષિકાંતા સિંહની કહાની!

0

એક સમય હતો જ્યારે પરિવારનું પેટ ભરવા માટે ઋષિકાંતા સિંહને ઢાબામાં વાસણ ધોવા અને બાંધકામ સ્થળે મજૂરી કરવી પડતી હતી. આજે એ જ યુવાન કોમનવેલ્થ ગેમ્સના પોડિયમ પર ભારતનો તિરંગો ઊંચો કરી રહ્યો છે. મણિપુરના ઋષિકાંતા સિંહ ચાનંબમની આ કહાની માત્ર રમતગમતની સફળતા નથી, પરંતુ સંઘર્ષ, ગરીબી અને અડગ ઇચ્છાશક્તિ સામે જીતની પ્રેરણાદાયક ગાથા છે.

ગ્લાસગોમાં યોજાયેલા 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ઋષિકાંતા સિંહે પુરુષોની 60 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં રજત પદક જીત્યો હતો . તેમણે કુલ 264 કિલોગ્રામ વજન ઉઠાવ્યું, જેમાં 121 કિલોગ્રામ સ્નેચ અને 143 કિલોગ્રામ ક્લીન એન્ડ જર્કનો સમાવેશ થાય છે. સ્નેચમાં 121 કિલોગ્રામ વજન ઉઠાવી તેમણે કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

પરંતુ આ સફળતા સુધી પહોંચવાનો રસ્તો સરળ નહોતો. બાળપણમાં પરિવારની આર્થિક મુશ્કેલીઓ વચ્ચે તે ઢાબામાં વાસણ ધોતો, પાણી ભરતો અને બાંધકામ સ્થળે મજૂરી કરતો હતો. પરિવારની મદદ કરવા તે દૈનિક મજૂરી કરતો હતો.

કહેવાય છે કે 12 વર્ષની ઉંમરે એક કોચની નજર તેના પર પડી અને તેને વેઇટલિફ્ટિંગ તરફ વાળવામાં આવ્યો. ત્યારથી શરૂ થયેલી મહેનત આજે આંતરરાષ્ટ્રીય પોડિયમ સુધી પહોંચી છે.
ઋષિકાંતા સિંહની કહાની સાબિત કરે છે કે પરિસ્થિતિઓ માણસને રોકી શકતી નથી—જો સપનાઓને સાકાર કરવાની હિંમત અને સતત મહેનત હોય.