Home Blog Page 2

ખાંડ ખરીદવા પર ‘લિમિટ’! Blinkit, Zeptoથી D-Mart સુધી પ્રતિ ગ્રાહક મર્યાદા,નવો ભાવ કેટલા પાર?

રસોડામાં રોજ વપરાતી ખાંડ હવે ખરીદવામાં પણ સાવચેતી રાખવી પડી શકે છે! તહેવારોની સીઝન પહેલાં ખાંડના ભાવમાં જોરદાર ઉછાળો આવતા Blinkit, Zepto અને Swiggy Instamart જેવા ક્વિક-કોમર્સ પ્લેટફોર્મે કેટલીક ખાંડની પ્રોડક્ટ્સ પર ખરીદીની મર્યાદા મૂકી છે. કેટલાક ઓફલાઇન રિટેલર્સે પણ ગ્રાહકો દીઠ ખરીદી મર્યાદિત કરી છે.

26 ઓગસ્ટે દેશમાં ખાંડનો સરેરાશ છૂટક ભાવ ₹65.05 પ્રતિ કિલો નોંધાયો હતો. 25 ઓગસ્ટે આ ભાવ ₹63.97 હતો. એટલે માત્ર એક જ દિવસમાં પણ એક રૂપિયાથી વધુનો વધારો થયો છે. બીજી તરફ, સરકારના 21 ઓગસ્ટના આંકડા મુજબ 20 જુલાઈથી 20 ઓગસ્ટ વચ્ચે ભાવ ₹48.18થી વધીને ₹55.70 પ્રતિ કિલો થયો હતો.

ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ પર મર્યાદા દરેક પ્રોડક્ટ અને શહેર પ્રમાણે અલગ છે.અહેવાલ મુજબ Swiggy Instamart પર કેટલીક 1 કિલોની ખાંડની બે પેકેટ સુધીની મર્યાદા જોવા મળી હતી, જ્યારે Blinkit અને Zepto પર પણ પસંદગીની પ્રોડક્ટ્સ માટે કેપ લાગુ છે.

સરકારે ભાવ અને જથ્થાબંધ ખરીદી પર નિયંત્રણ માટે અનેક પગલાં લીધાં છે. 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી ખાંડના ડીલરો માટે 400 ટનની સ્ટોક મર્યાદા લાગુ છે. 1 સપ્ટેમ્બરથી બલ્ક ગ્રાહકો 15 દિવસની ખપત કરતાં વધુ સ્ટોક રાખી શકશે નહીં.

આ ઉપરાંત કેન્દ્ર સરકારે 10 લાખ ટન કાચી ખાંડની ડ્યૂટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે. સરકારનું કહેવું છે કે આ પગલાંનો હેતુ તહેવારો દરમિયાન પૂરતો સ્ટોક જાળવવો, સંગ્રહખોરી રોકવી અને ભાવને સ્થિર કરવો છે.

જોકે, ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રમુખના જણાવ્યા મુજબ દેશમાં વાસ્તવિક ખાંડની અછત નથી; ભાવવધારામાં સટ્ટાકીય ખરીદીનો પણ ફાળો છે.

નેપાળમાં જળપ્રલય વચ્ચે આટલા ગુજરાતીઓ સંપર્કવિહોણા, પરિવારોની ચિંતા વધી

0

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને અનેક પરિવારોની ચિંતા વધારી દીધી છે. કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ પહોંચેલા 12 ગુજરાતીઓ સંપર્કવિહોણા થયાની માહિતી સામે આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં સંચાર વ્યવસ્થા ખોરવાતા પરિવારજનો પોતાના સ્વજનોનો સંપર્ક મેળવી શકતા નથી અને હવે બચાવ ટીમોની કામગીરી પર નજર રાખી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે સંપર્કવિહોણા ગુજરાતીઓમાં અમદાવાદના 3, સુરતના 3, વડોદરાના 2, આણંદના 2, રાજકોટના 1 અને વલસાડના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. જોકે વલસાડની રોમા ઈંટવાલા નેપાળમાં સુરક્ષિત હોવાની માહિતી સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર તરફથી આપવામાં આવી છે. તેથી તમામ 12 વ્યક્તિઓને લાપતા ગણવાને બદલે સંપર્કવિહોણા અથવા ફસાયેલા તરીકે દર્શાવવું વધુ યોગ્ય છે.

ગુજરાત સરકારે ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ શરૂ કરી નેપાળમાં ભારતીય દૂતાવાસ સાથે સંકલન સાધ્યું છે. બીજી તરફ, નેપાળમાં પૂર બાદ કુલ 826 લોકો ગુમ હોવાનું અને તેમાં 590 પ્રવાસીઓ સામેલ હોવાનું સ્થાનિક સત્તાવાળાઓએ જણાવ્યું છે. ગુમ પ્રવાસીઓમાં 177 ભારતીયો છે. બચાવ અને શોધખોળ કામગીરી હજુ ચાલુ છે.

VIDEO: મુંબઈમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં અટવાઈ, ફાયર બ્રિગેડે આ રીતે બચાવ્યો જીવ

0

મુંબઈમાં બુધવારે સવારે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનામાં 10મા માળેથી નીચે કૂદેલી 26 વર્ષની નવપરિણીત મહિલાનો જીવ જમીન પર નહીં, પરંતુ રસ્તા પાસેના ઝાડે બચાવ્યો હતો. જોકે, નીચે પડતાં એક જાડી ડાળ તેના પગમાં ઘૂસી જતાં મહિલા જમીનથી લગભગ 20થી 25 ફૂટની ઊંચાઈએ હવામાં લટકતી રહી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે જોખમી સ્થિતિ વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી મહિલાને સુરક્ષિત રીતે નીચે ઉતારી હતી.

આ ઘટના ભાંડુપ પશ્ચિમના તુલશેતપાડા વિસ્તારમાં આવેલી સનશાઈન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બુધવાર, 26 ઓગસ્ટની સવારે લગભગ 9:32 વાગ્યે બની હતી. પોલીસ મુજબ મહિલાની ઓળખ પ્રતીક્ષા હિવરાલે તરીકે થઈ છે અને તેમના લગ્નને હજુ માત્ર ચાર મહિના થયા હતા. તેઓ બિલ્ડિંગના ફ્લેટની બારીમાંથી કૂદ્યા બાદ નજીકના ઝાડ પર પડ્યા હતા.

ફાયર બ્રિગેડના જવાનો હૂકવાળી સીડી અને એરિયલ લેડરની મદદથી મહિલાની નજીક પહોંચ્યા હતા. અહેવાલ મુજબ અંદાજે 50થી 60 મીમી જાડી ડાળ તેમની જાંઘમાં ઘૂસી ગઈ હતી. જવાનો દ્વારા ઇલેક્ટ્રિક આરીની મદદથી ડાળ કાપવામાં આવી અને ત્યારબાદ મહિલાને સ્ટ્રેચર તથા દોરડાની મદદથી નીચે ઉતારવામાં આવી હતી.

રેસ્ક્યૂ બાદ પ્રતીક્ષાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી અને બાદમાં સર્જરી માટે એલટીએમજી સાયન હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. હાલમાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. તેમની તબિયતને કારણે પોલીસ હજુ સુધી નિવેદન લઈ શકી નથી. મહિલાએ આ પગલું શા માટે ભર્યું, તેનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી અને પોલીસ તપાસ ચાલુ છે.

જે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા આટલા ગુજરાતી

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભોટેકોશી નદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને અનેક વસાહતો અને મહત્વના માર્ગોને તબાહ કરી નાખ્યા છે. આ ભયાનક ઘટનાથી થોડા જ કલાકો પહેલાં કૈલાસ-માનસરોવર યાત્રા પર ગયેલા ગુજરાતના 43 યાત્રીઓ ફ્રેન્ડશિપ બ્રિજ પાર કરીને ચીનના ક્યિરૉન્ગ પહોંચી ગયા હતા. પાછળથી જે વિસ્તાર પાણી અને કાટમાળમાં તબાહ થયો, એ જ સ્થળેથી સમયસર બહાર નીકળી જવાથી યાત્રીઓ અને તેમના પરિવારજનોએ મોટી રાહત અનુભવી છે.

27 ઓગસ્ટે નેપાળના સત્તાવાર આંકડા મુજબ પૂર બાદ અત્યાર સુધીમાં 165 મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 826 લોકો હજુ ગુમ છે. ગુમ થયેલાઓમાં 579 પ્રવાસીઓનો સમાવેશ થાય છે, જેમાં 466 વિદેશી પ્રવાસીઓ છે. નેપાળ ટુરિઝમ બોર્ડના આંકડા મુજબ ભારતીય પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં સંપર્કવિહોણા થયા છે અને કૈલાસ-માનસરોવર જતાં યાત્રાળુઓ સૌથી વધુ અસરગ્રસ્તોમાં સામેલ છે.

ગુજરાત અને મુંબઈથી ગયેલા 43 યાત્રીઓ ભુજ આધારિત પ્રવાસ આયોજક મારફતે કૈલાસ-માનસરોવર યાત્રાએ નીકળ્યા હતા. તેઓ મંગળવારે નેપાળ-ચીન સરહદે આવેલા ઇમિગ્રેશન વિસ્તારમાં પહોંચ્યા અને ત્યારબાદ ચીનમાં પ્રવેશ્યા હતા. ત્યારના થોડા જ કલાકોમાં પૂર આવ્યું અને ફ્રેન્ડશિપ બ્રિજ, ઇમિગ્રેશન સેન્ટર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું. યાત્રીઓ હાલમાં ચીનના તિબેટ વિસ્તારમાં સુરક્ષિત છે અને આગળની યાત્રા ચાલુ રાખવાની તૈયારીમાં છે.

દરમિયાન, ગુજરાતના કેટલાક અન્ય પ્રવાસીઓ અંગે હજુ ચિંતા યથાવત છે. આણંદ સાથે જોડાયેલા એક NRI દંપતીનો નેપાળ પ્રવાસ દરમિયાન સંપર્ક તૂટ્યો હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ રાજકોટના કેટલાક યાત્રીઓની કૈલાસ-માનસરોવર યાત્રા ચીન તરફથી પરમિટ ન મળતા અગાઉ જ રદ થઈ ગઈ હતી. જે વિસ્તાર બાદમાં તબાહ થયો, ત્યાં જ તેમનું રોકાણ થવાનું હતું.

નેપાળમાં બચાવ અને શોધખોળ કામગીરી હજુ ચાલુ છે. ભારે નુકસાન અને દુર્ગમ ભૂપ્રદેશ વચ્ચે સેના, પોલીસ અને હેલિકોપ્ટરની મદદથી ગુમ થયેલા પ્રવાસીઓની શોધ ચાલી રહી છે.

જૂના પ્રેમીઓની એક અનોખી બજાર જ્યાં ડુંગળી-બટાટા નહીં પણ જુના પ્રેમીઓ મળે છે!

દુનિયામાં એક એવી અનોખી બજાર પણ છે, જ્યાં લોકો ખરીદી કરવા નહીં પરંતુ વર્ષો પહેલાં છૂટા પડી ગયેલા પોતાના પ્રેમીને મળવા પહોંચે છે. વિયેતનામના ઉત્તરી પહાડી વિસ્તારમાં આવેલા ખાઉ વાઈમાં યોજાતી ખાઉ વાઈ લવ માર્કેટ તેની અનોખી પરંપરાને કારણે વિશ્વભરમાં ચર્ચાય છે. અહીં પૂર્વ પ્રેમીઓ વર્ષો બાદ મળે છે, વાતો કરે છે અને જૂની યાદોને ફરી તાજી કરે છે. રસપ્રદ વાત એ છે કે કેટલાક પરિણીત લોકો પોતાના પતિ કે પત્ની સાથે અહીં પહોંચે છે અને પોતાના ભૂતપૂર્વ પ્રેમીને મળવાની આ પરંપરાને સહજતાથી સ્વીકારે છે.

આ પરંપરાનો મુખ્ય મેળાવડો વિયેતનામી ચંદ્ર કેલેન્ડરના ત્રીજા મહિનાની 27મી તારીખે યોજાય છે. જોકે આસપાસના દિવસોમાં પણ લોકસંગીત, નૃત્ય, પરંપરાગત રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. તેથી હવે આ માત્ર મુલાકાતનું સ્થળ નહીં, પરંતુ સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાયેલો મહત્વનો ઉત્સવ બની ગયો છે.

આ બજાર પાછળ એક લોકપ્રિય પ્રેમકથા પણ જોડાયેલી છે. લોકકથા અનુસાર, બા અને ઉત અલગ સમુદાયના હતા અને એકબીજાને પ્રેમ કરતા હતા. પરિવાર અને સમાજના વિરોધને કારણે બંનેને અલગ થવું પડ્યું. ત્યારબાદ તેમણે દર વર્ષે આ જ દિવસે મળવાનું નક્કી કર્યું હતું. આજે પણ આ કથાને ખાઉ વાઈ લવ માર્કેટની પરંપરાની લોકમાન્ય શરૂઆત તરીકે યાદ કરવામાં આવે છે.

વિયેતનામના સત્તાવાર પ્રવાસન સ્ત્રોતો મુજબ, આ પરંપરાનો ઉલ્લેખ 1919થી જોવા મળે છે. એટલે ખાઉ વાઈની આ બજાર માત્ર પ્રેમીઓની મુલાકાત નહીં, પરંતુ પ્રેમ, યાદો અને ભૂતકાળને સ્વીકારતી અનોખી સાંસ્કૃતિક પરંપરા પણ છે.

હવે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી Instagram-Facebook નહીં ચાલે! જાણો કોના માટે લાગુ પડશે

રાત્રે સૂવાના સમયે Reels અને Facebook સ્ક્રોલ કરવાની કિશોરોની આદત પર હવે Meta બ્રેક લગાવશે. અમેરિકામાં થયેલા નવા સમાધાન હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે Instagram અને Facebook પર રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ડિફોલ્ટ રીતે ઉપયોગ બંધ રહેશે. જોકે, આ નિયમ હાલ તરત લાગુ થયો નથી અને કોર્ટની મંજૂરી બાદ તેનો અમલ થશે.

શું છે સમગ્ર મામલો?

અમેરિકાના અનેક રાજ્યોના એટર્ની જનરલે Meta સામે આરોપ મૂક્યો હતો કે Facebook અને Instagramમાં બાળકો તથા કિશોરોમાં સતત ઉપયોગ અને સોશિયલ મીડિયા પર નિર્ભરતા વધારતા ફીચર્સ છે. આથી તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે તેમજ કંપનીએ જોખમ અંગે વપરાશકર્તાઓને પૂરતી માહિતી આપી નહોતી. આ કેસની ફેડરલ ટ્રાયલ 18 ઓગસ્ટ 2026થી શરૂ થઈ હતી. બાદમાં Metaએ રાજ્યો સાથે સમાધાન કર્યું.

કિશોરો માટે શું બદલાશે?

નવા નિયમો હેઠળ Facebook અને Instagram માટે મળીને દિવસની ડિફોલ્ટ બે કલાકની મર્યાદા રહેશે. આ મર્યાદા માતા-પિતાની મંજૂરીથી જ બંધ કરી શકાશે. રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી Feed, Stories, Explore અને Reels જેવી સુવિધાઓનો ઉપયોગ બ્લોક રહેશે.

આ ઉપરાંત સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી નોટિફિકેશન ડિફોલ્ટ રીતે મ્યૂટ રહેશે. સતત 15 મિનિટ ઉપયોગ બાદ કિશોરોને બ્રેક અંગે સૂચના મળશે અને પેરેન્ટલ કંટ્રોલ તથા ઉંમર ચકાસણી વધુ કડક બનાવાશે.

અહવાલો મુજબ Metaનો કરાર $16.68 બિલિયન સુધીનો છે, જ્યારે કેલિફોર્નિયાના એટર્ની જનરલના કાર્યાલયે તેને આશરે $17 બિલિયનનું સમાધાન ગણાવ્યું છે.

27 ઓગસ્ટ 2026 રાશિફળ: કોને મળશે ધનલાભ અને કોના અટકેલા કામ થશે પૂર્ણ ?

આજનો દિવસ ૧૨ રાશિઓ માટે અલગ-અલગ સંભાવનાઓ લઈને આવ્યો છે. જાણો તમારી રાશિ પ્રમાણે આજનું દૈનિક રાશિફળ:

♈ મેષ

ગુરુવારના શુભ પ્રભાવથી જ્ઞાન અને આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે. કાર્યક્ષેત્રે વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે અને તમારી યોજનાઓ સફળ થઈ શકે છે. આર્થિક રીતે દિવસ લાભદાયક રહેશે. અટકેલા નાણાં પરત મળવાની શક્યતા છે. પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર થશે.

♉ વૃષભ

નાણાકીય રોકાણ સંબંધિત બાબતોમાં યોગ્ય આયોજન કરવું જરૂરી રહેશે. કાર્યસ્થળે નવી તકો મળી શકે છે, પરંતુ નિર્ણય લેતા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી હિતાવહ રહેશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને માંગલિક કાર્યોની ચર્ચા થઈ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, બહારના ખોરાકથી બચવું.

♊ મિથુન

તમારી વાતચીતની કળા અને સર્જનાત્મક વિચારોના કારણે મહત્વપૂર્ણ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. વેપારમાં નવી ભાગીદારી અથવા મોટો સોદો થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો સારો સમય છે. મિત્રો અને સ્નેહીજનો સાથે મુલાકાતથી મન પ્રસન્ન રહેશે.

♋ કર્ક

માનસિક શાંતિ જાળવવી અને નાની-નાની બાબતોમાં વધુ પડતો તણાવ ન લેવો. નોકરીમાં તમારી મહેનતની યોગ્ય કદર થશે અને જવાબદારીઓ વધી શકે છે. પરિવારજનો સાથે સ્નેહપૂર્ણ સંબંધો જળવાઈ રહેશે. આધ્યાત્મિક કાર્યોમાં સમય પસાર કરવાથી મનને શાંતિ મળશે.

♌ સિંહ

આત્મવિશ્વાસ સારો રહેશે અને તમારી નેતૃત્વ ક્ષમતાથી કાર્યો ઝડપથી પૂર્ણ થશે. સામાજિક ક્ષેત્રે માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક થવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને જૂના રોકાણોમાંથી લાભ મળી શકે છે. દાંપત્યજીવનમાં પ્રેમ અને મધુરતા જળવાઈ રહેશે.

♍ કન્યા

કામકાજનો બોજ વધુ રહેશે, પરંતુ યોગ્ય આયોજનથી તમે તમામ કાર્યો સમયસર પૂર્ણ કરી શકશો. નાણાકીય લેવડદેવડમાં સાવચેતી રાખવી અને ઉતાવળમાં નિર્ણય ન લેવો. પરિવારજનોનો સંપૂર્ણ સહયોગ મળશે. નિયમિત વ્યાયામ અને યોગ સ્વાસ્થ્ય માટે લાભદાયક રહેશે.

♎ તુલા

આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી અને આર્થિક રીતે લાભદાયક રહેશે. વેપાર-ધંધામાં મોટો નફો થવાના અને નવા ગ્રાહકો જોડાવાના યોગ છે. પરિવારનું વાતાવરણ ઉત્સાહપૂર્ણ રહેશે અને કોઈ શુભ સમાચાર મળી શકે છે. મન પ્રસન્ન અને ઉત્સાહિત રહેશે.

♏ વૃશ્ચિક

કારકિર્દી અને વ્યવસાયમાં નવી તકો મળી શકે છે, જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. કાર્યક્ષેત્રે તમારો પ્રભાવ વધશે અને વિરોધીઓનો પ્રભાવ ઓછો રહેશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી મુશ્કેલ કાર્યો સરળ બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને ઊર્જાનો અનુભવ થશે.

♐ ધન

રાશિ સ્વામી ગુરુની કૃપાથી ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે અને અટકેલા કાર્યો પૂર્ણ થશે. ધાર્મિક પ્રવૃત્તિઓ, સત્સંગ અથવા પૂજા-પાઠમાં મન લાગશે. લાંબા અંતરની સુખદ યાત્રાના યોગ છે. સંતાનો તરફથી ઉત્સાહવર્ધક સમાચાર મળી શકે છે.

♑ મકર

ધીરજ અને શાંતિથી દરેક પરિસ્થિતિનો સામનો કરવો અને ક્રોધથી દૂર રહેવું. કાર્યક્ષેત્રે વધુ મહેનત કરવી પડશે, પરંતુ તેનું પરિણામ સંતોષકારક રહેશે. નાણાકીય બાબતોમાં બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું. નિયમિત દિનચર્યા જાળવવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.

♒ કુંભ

ભાગીદારીના વ્યવસાયમાં પ્રગતિ થશે અને નવા કરારો લાભદાયી સાબિત થઈ શકે છે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને જીવનસાથીનો મહત્વપૂર્ણ સહયોગ મળશે. તમારી નવીન વિચારસરણીથી લોકો પ્રભાવિત થશે. આર્થિક બાબતોમાં સ્થિરતા જોવા મળશે.

♓ મીન

દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદથી કારકિર્દીમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. નાણાકીય બચતમાં વધારો થશે અને ખર્ચ પર સારો અંકુશ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને મનમાં આત્મસંતોષની લાગણી રહેશે.

ચોરી કરેલ લેપટોપ ભંગારવાળાને વહેચી શેર બજારમાં આટલા લાખ ગુમાવનાર આઇટી મેનેજર પકડાયો

જે કંપનીના કિંમતી IT સાધનોની જવાબદારી હતી, એ જ કંપનીના લેપટોપ ચોરીને કોઈ વ્યક્તિ વર્ષો સુધી વેચતો રહે તો મામલો ચોંકાવનારો જ લાગે. હોંગકોંગમાં ડેલોઇટના પૂર્વ IT મેનેજર હો મન-કિટ સાથે આવું જ થયું હતું. તેણે 17 મહિનામાં કંપનીના 423 લેપટોપ ચોરી કરીને ઇલેક્ટ્રોનિક્સ રિસાયકલરને વેચ્યા અને તેમાંથી મળેલા 4.58 લાખથી વધુ હોંગકોંગ ડોલર, એટલે લગભગ ₹55 લાખ, શેર ટ્રેડિંગમાં લગાવી દીધા હતા. જોકે આખી રકમ પણ ગુમાવી દીધી હતી. હવે કોર્ટએ તેને 22 મહિનાની જેલની સજા ફટકારી છે.

હો મન-કિટ, 40, ડેલોઇટના હોંગકોંગ સ્થિત IT વિભાગમાં મેનેજર તરીકે કામ કરતો હતો. સપ્ટેમ્બર 2021થી ફેબ્રુઆરી 2023 વચ્ચે તેણે કંપનીના Lenovo લેપટોપ ગેરકાયદેસર રીતે બહાર કાઢીને રિસાયકલરને વેચ્યા હતા. 13 ફેબ્રુઆરી 2023ના રોજ કંપનીના IT એન્જિનિયરે સ્ટોક તપાસતાં 399 લેપટોપ ઓછા હોવાનું જાણવા મળ્યું હતું. CCTV તપાસમાં હોને સ્ટોરેજ રૂમમાંથી કમ્પ્યુટરનાં બોક્સ બહાર લઈ જતાં જોવામાં આવ્યો હતો. ત્યારબાદની તપાસમાં કુલ 423 લેપટોપની ચોરી સામે આવી હતી.

કોર્ટમાં જાણવા મળ્યું કે ચોરાયેલા લેપટોપની કિંમત આશરે 12 લાખ હોંગકોંગ ડોલર હતી. બેન્ક રેકોર્ડ મુજબ હોને વેચાણમાંથી 4.58 લાખથી વધુ હોંગકોંગ ડોલર મળ્યા હતા. તેણે આ રકમ સ્ટોક ટ્રેડિંગમાં વાપરી, પરંતુ ટ્રેડિંગમાં મોટું નુકસાન થતાં સમગ્ર રકમ ગુમાવી દીધી અને દેવામાં ફસાયો હતો.

આ મામલો બહાર આવ્યા બાદ હોને પોતાની ભૂલ સ્વીકારી અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. બચાવ પક્ષે કોર્ટમાં તેના માનસિક અને પારિવારિક તણાવનો પણ ઉલ્લેખ કર્યો હતો. જોકે જજે કહ્યું કે તેણે લાંબા સમય સુધી પોતાના નોકરીદાતાના વિશ્વાસનો દુરુપયોગ કર્યો હતો. અંતે હાલમાં હોંગકોંગની ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેને 22 મહિનાની જેલની સજા સંભળાવી હતી.

નેપાળમાં જળપ્રલયથી હાહાકાર: 175નાં મોત, 28 દેશોના 476 લોકો લાપતા

0

નેપાળમાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા ભયાનક પૂરથી ભારે તબાહી સર્જાઈ છે. પૂર અને ભુસ્ખલનના કારણે અનેક ગામો તબાહ થઈ ગયા છે, જ્યારે અનેક લોકોના હજુ સુધી કોઈ સમાચાર મળ્યા નથી. રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે.

નેપાળ એમ્બેસી અનુસાર અત્યાર સુધી 175 લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 28 દેશોના કુલ 476 લોકો લાપતા હોવાની માહિતી સામે આવી છે. પૂર એટલું વિનાશક હતું કે અનેક પુલ તૂટી ગયા, ઘરો અને રસ્તાઓને નુકસાન થયું તથા અનેક જળવિદ્યુત પ્રોજેક્ટ્સ પણ પ્રભાવિત થયા છે.

આ વિનાશની સૌથી વધુ અસર રસુવા અને ધાદિંગ જિલ્લામાં જોવા મળી છે. આ ઉપરાંત નુવાકોટ, ચિતવન અને નવાલપરાસી ઈસ્ટ સહિતના વિસ્તારો પણ અસરગ્રસ્ત થયા છે. ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે અનેક માર્ગો બંધ થઈ ગયા છે.

View this post on Instagram

A post shared by Gujarat Guardian (@gujarat_guardian)

આ મુશ્કેલ ઘડીમાં ભારતે નેપાળ તરફ મદદનો હાથ લંબાવ્યો છે. ભારત તરફથી રાહત સામગ્રી, દવાઓ અને ખાદ્ય પેકેટ્સ મોકલવામાં આવી રહ્યા છે. સાથે જ બચાવ અને રાહત કામગીરીમાં પણ મદદ કરવામાં આવી રહી છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે વાત કરી અને પૂરથી થયેલા જાનમાલના નુકસાન અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે સંકટની આ ઘડીમાં ભારત નેપાળની સાથે મજબૂતીથી ઊભું છે અને શક્ય તમામ માનવતાવાદી સહાય આપવા તૈયાર છે. બંને દેશોની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં સાથે મળીને કામ કરી રહી છે.

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

0

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી કિનારાના વિસ્તારોમાં ચિંતા વધી છે. ગંડક નદીમાં આગામી કલાકોમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધવાની શક્યતા વચ્ચે બિહાર સરકારે છ જિલ્લાઓને હાઈ અલર્ટ પર રાખ્યા છે. વહીવટીતંત્રે બચાવ કામગીરીથી લઈને સ્થળાંતર સુધીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

બિહાર સરકારે પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર અને વૈશાલીમાં ખાસ તકેદારીના આદેશ આપ્યા છે. અધિકારીઓને ગંડકના જળસ્તર, તટબંધો, નીચાણવાળા વિસ્તારો, પુલ અને કલ્વર્ટનું સતત મોનિટરિંગ કરવા જણાવાયું છે. જરૂર પડે ત્યારે નદી કિનારે વસતા લોકોને સલામત સ્થળે ખસેડવાની પણ તૈયારી રાખવામાં આવી છે.

સૌથી મોટું જોખમ ગંડક નદીમાં અચાનક પાણી વધવાનું છે. અહેવાલો મુજબ આગામી 5થી 6 કલાકમાં જળસ્તરમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે અને લગભગ 3 મીટર સુધીની ફ્લેશ-ફ્લડ વેવની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વાલ્મીકિનગર બેરેજ અને તેની આસપાસના વિસ્તારો પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે.

બિહારમાં NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ગોપાલગંજ માટે NDRF ટીમ મોકલવાની, મુઝફ્ફરપુરમાં ટીમ સ્ટેન્ડબાય રાખવાની અને બેટિયામાં પણ વધારાની ટીમની વ્યવસ્થા કરવાની તૈયારી છે. જિલ્લા વહીવટીતંત્રને બોટ, રાહત શિબિર અને કમ્યુનિટી કિચનની વ્યવસ્થા તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે.

બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને તમામ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં સંપૂર્ણ તૈયારી રાખવા નિર્દેશ આપ્યા છે. સરકારની અપીલ છે કે લોકો ગભરાય નહીં, પરંતુ નદી અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખે તથા માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરે.