Home Blog Page 1334

28 ઓગસ્ટ 2022 આજનું રાશિફળ- જાણો આજે કઈ રાશિઓના લોકો બની જશે માલામાલ અને કોને કરવો પડશે નુકસાનનો સામનો

28 August 2022 Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
સત્ય વાત કડવી રીતે કહેવાને કારણે અપ્રિય થવાય. આત્મવિશ્વાસ વધતો જણાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં આનંદ. રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાય.

વૃષભઃ
સ્વભાવમાં લાગણીશીલતા વધે. આવક વધે, સાથે સાથે મોજશોખમાં ખર્ચ વધે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. કરેલા રોકાણો ફળદાયી નીવડે.

મિથુનઃ
આર્થિક બાબતો અંગે શુભ દિવસ. નાના ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ. પરિવારમાં સભ્યોની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ
માનસિક સ્થિરતા જળવાય. આવકનું પ્રમાણ વધે. યોગ્ય નિર્ણય લેવાને કારણે કાર્યક્ષેત્રે સફળતા મળે. આર્થિક રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથી સાથે ગુસ્સો ટાળવો.

સિંહઃ
મનની ચંચળતા વધે. મિત્રોનો સાથ સહકાર મળે. મિત્ર વર્તુળમાં વધારો થાય. નાણાંકીય બાબતોમાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થતો જણાય. વાહન ચલાવવામાં અકસ્માતની શક્યતા છે આથી સાવધાની જરૂરી.

કન્યાઃ
આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. અગત્યના નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી રાખવી હીતાવહ. માથાના દુઃખાવાની શક્યતા છે. આદ્યાત્મિક ક્ષેત્રે રસ વધે.

તુલાઃ
વધુ મહેનતે ઓછો લાભ મળતો જણાય. આળસ વધારે રહે. કુટુંબમાં શાંતિભર્યું વાતાવરણ જળવાય. શેર સટ્ટામાં લાભ. પિતાની તબિયત સાચવવી. ધંધામાં સાવધાનીથી કામ લેવું. આરોગ્ય સંબંધી ચિંતા ઓછી થાય.

વૃશ્ચિકઃ
નોકરીમાં ઉપરી અધિકારી તરફથી પ્રશંસા થાય. નવા ધંધામાં આયોજન તથા ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઈ શકાય. યાત્રા-પ્રવાસમાં કાળજી રાખવી. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એની કાળજી રાખવી.

ધનઃ
ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યમાં વધુ સફળતા મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ.

મકરઃ
નાણાંકીય ક્ષેત્રે નુકસાનીની શક્યતા છે. આવક ઘટે. પરિવારમાં તણાવભર્યું વાતાવરણ રહે. જીવનસાથી સાથે શાંતિથી કામ લેવું. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. શરદી, ખાંસી, કફની સમસ્યા રહે.

કુંભઃ
દામ્પત્ય ક્ષેત્રે આનંદભર્યો દિવસ. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. નિર્ણય શક્તિમાં વધારો થતો જણાય. હયાત રોકાણોથી ફાયદો તથા નવા રોકાણ યોગ્ય રીતે કરી શકાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.

મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. દૃઢ નિર્ણય શક્તિથી અગત્યના કાર્યોમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. જ્યોતિષ, કર્મકાંડ, એક્ષપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં વિશેષ લાભ.

આ પણ વાંચો :-

ઓનલાઇન શોપિંગ કંપની MEESHOએ બંધ કર્યો આ બિઝનેસ, કરી 300 કર્મચારીઓની હકાલપટ્ટી

0

Online shopping company

  • ઓનલાઇન સોશીયલ કોમર્સ પ્લેટફોર્મ મીશોએ ભારતમાં કરિયાણાનો વ્યવસાય બંધ કરી દીધો છે. આ કારણે 300 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા છે.

ઓનલાઇન સોશીયલ કોમર્સ પ્લેટફોર્મ મીશોએ ભારતમાં કરિયાણાનો વ્યવસાય (Grocery business) બંધ કરી દીધો છે. આ કારણે 300 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા છે. મીશોના હાલ કર્ણાટક સહિત તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સુપર સ્ટોર છે.

90 ટકા સ્ટોર બંધ :

હોમગ્રોન સોશિયલ કોમર્સ પ્લેટફોર્મ મીશોએ ભારતના 90 ટકાથી વધુ શહેરોમાં સુપર સ્ટોરના નામથી ચાલતા કરિયાણાના વ્યવસાયને બંધ કરી દીધો છે. હાલ આ સ્ટોર્સ માત્ર નાગપુર અને મૈસુરમાં જ ચાલી રહ્યા છે. આ કારણે કંપનીએ અલગ અલગ શહેરોમાં લગભગ 300 કર્મચારીઓને છૂટા કર્યા છે. જો કે મીશો કંપનીએ આ વિકાસ અંગે હજી સુધી કોઈ માહિતી આપી નથી.

Bharuch : જીઆઇડીસીમાં કેમિકલ ભરેલા ટેમ્પોમાં વિસ્ફોટ સાથે આગ લાગતા દોડધામ મચી | Gujarat Guardian

મિસોએ ફાર્મિસોને સુપર સ્ટોરમાં રિબ્રાન્ડેડ કરી હતી. જેથી ટુ-ટાયર શહેરોમાં પણ ગ્રાહકોને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડી શકાય. કંપનીએ અગાઉ ફર્મિસો સાથે સંકળાયેલા 150 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા, ત્યારબાદ એવું કહેવામાં આવ્યું હતું કે કંપની કરિયાણાનો વ્યવસાય વધારવા માંગે છે.

આ પહેલા પણ 200 કર્મચારીઓને છુટા કર્યા હતા :

આ પહેલા સોશિયલ કોમર્સ પ્લેટફોર્મે કોરોના મહામારીની પહેલી લહેરમાં 200થી વધુ કર્મચારીઓની છટણી કરી હતી. એક રિપોર્ટ અનુસાર મોટાભાગના શહેરોમાં કામકાજ બંધ કરવા પાછળ મૂડીનો અભાવ હોવાનું કહેવાય છે. મીશોએ કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સુપર સ્ટોર્સ શરૂ કર્યા હતા.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મિશોએ બે-બે મહિનાનો પગાર આપીને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. એવું માનવામાં આવે છે કે મીશોના સ્થાપક અને સીઈઓ વિદિત અત્રે તેમની કંપની મીશો સુપરસ્ટોરને તેની મુખ્ય એપ્લિકેશન સાથે જોડવા માંગે છે.

કંપનીના યુઝરમાં વધારો થયો છે :

કરિયાણાની ઓનલાઈન શોપિંગને સસ્તી બનાવવા માટે મીશોએ કર્ણાટકમાં એક પાયલટ લોન્ચ કર્યો હતો. કંપનીએ 2022 ના અંત સુધીમાં 12 રાજ્યોમાં સુપરસ્ટોર્સ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ હવે તે યોજના જોખમમાં હોય તેવું લાગે છે.

મીશોએ તાજેતરમાં ટ્રાન્ઝેક્શન કરવા માટે 100 મિલિયન વપરાશકર્તાઓ સુધી પહોંચ્યા છે. કંપનીનો દાવો છે કે માર્ચ 2021 થી પ્લેટફોર્મ પર યુઝર બેઝ ટ્રાન્ઝેક્શનમાં 5.5 ગણો વધારો થયો છે.

આ પણ વાંચો :-

 

ગુજરાતમાં 20 દિવસથી ગ્રેડ-પે માટે હડતાળ પર આરોગ્ય કર્મચારીઓ, મંત્રીએ કહ્યું, ‘હવે કાર્યવાહી થશે’

0

Health workers on strike

  • રાજ્યમાં એકબાદ એક આંદોલન શરૂ થઇ રહ્યા છે. તલાટીનું આંદોલન પુરુ થયા ત્યાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મીઓ વિરોધ ચઢયા છે.

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પડતર માંગણીઓના (pending demand) વણ ઉકેલાયેલા પ્રશ્નો સામે આવી રહ્યા છે. હાલ પંચાયત વિભાગમાં (Panchayat Department) હડતાળનો દોર ચાલી રહ્યો છે. પહેલા તલાટીની હડતાળ બાદ હવે આરોગ્ય વિભાગના કર્મીઓ (Health Department personnel) પડતર પ્રશ્નોને લઇને 8 ઓગસ્ટથી રસ્તા પર ઉતરી આવ્યા છે.

ગ્રેડ પે નહી તો આંદોલન નહીં સમેટાય, GR નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તો  હડતાળને પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આકરા મૂડમાં જણાયા.

Bharuch : જીઆઇડીસીમાં કેમિકલ ભરેલા ટેમ્પોમાં વિસ્ફોટ સાથે આગ લાગતા દોડધામ મચી | Gujarat Guardian

જો હડતાળ સમેટવામાં નહી આવે તો..- આરોગ્યમંત્રી

મહત્વનું છે કે આરોગ્ય કર્મીઓની આરોગ્યમંત્રી સાથે બેઠક મળી હતી. જેમાં સરકારે ગ્રેડ-પેની માગણી માટે કમિટીની રચના કરી છે. સરકારે 15 દિવસમાં 2 માંગણી માટે GRની ખાતરી આપી છે. તેમ છતાં પણ જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓની હડતાળ યથાવત છે. જેને લઇને આરોગ્યમંત્રી આકરા પાણીએ જણાયા. તેઓએ જણાવ્યું કે જો હડતાળ નહીં સમેટવામાં આવે તો એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી થશે.

આરોગ્ય કર્મચારીઓ કેમ આંદોલનના માર્ગે :

  • ગ્રેડ-પેમાં 2 હજાર 400થી વધારો કરી 4 હજાર 200 કરવો
  • 130 દિવસની રજાનો પગાર અને ઝીરો PTA આપવી
  • કોરોના વોરિયર્સ તરીકેનું માસિક ભથ્થુ આપવું
  • પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેક્નિકલ સંવર્ગ ગણવા
  • 2001ની આરોગ્ય સમિતી અંતર્ગત ટેક્નિકલ સંવર્ગમાં સમાવેશ કરવો
  • આરોગ્ય કર્મચારીઓને 8 કિ.મી નીચેની ફેરણીનું ક્ષેત્રીય ભથ્થું આપવું
  • તમામ માગ સ્વીકાર્યાના GR ઠરાવ અને પરિપત્ર

કોણ કોણ હડતાળમાં જોડાયું છે ?

ગુજરાતના 33 જિલ્લાના આરોગ્યના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, THS, THV અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર જેવા પંચાયતના આરોગ્યલક્ષી તમામ કર્મી તેમજ ફિલ્ડ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે જેઓ ખાસ કરીને ગ્રેડ પે વધારાની માંગ પર અડગ છે.

આ પણ વાંચો :-

તમારી વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં ? હવે સરળતાથી જાણો, ફોલો કરો આ ટિપ્સ

0

Will your waiting ticket

  • ટ્રેન ટિકિટ બુક કરાવવાનો અર્થ એ નથી કે તમારી ટિકિટ કન્ફર્મ જ છે. આવી સ્થિતિમાં તમે સરળતાથી જાણી શકો છો કે તમારી ટિકિટ કન્ફર્મ થવાના ચાન્સ શું છે અને કેટલા છે ?

ભારતીય રેલવે (Indian Railways) દેશની કરોડરજ્જુ છે. દરરોજ લાખો લોકો ટ્રેનમાં (Railways) મુસાફરી કરે છે અને આ જ કારણે હજારો ટ્રેનો હોવા છતાં પણ ઘણી વખત કન્ફર્મ ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા ઘણી ઓનલાઈન સુવિધાઓ આપવામાં આવે છે.

જેમાં ઓનલાઈન ટિકીટ બુકિંગ (Railway Online ticket booking) પણ સામેલ છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઈટ અને એપ લોકોને ટિકિટ બુકિંગથી લઈને ટ્રેન અપડેટ સુધીની સુવિધા આપે છે.

Bharuch : જીઆઇડીસીમાં કેમિકલ ભરેલા ટેમ્પોમાં વિસ્ફોટ સાથે આગ લાગતા દોડધામ મચી | Gujarat Guardian

રેલવેની મોટાભાગની સુવિધાઓ ઓનલાઈન હોવાથી મુસાફરોની સાથે કર્મચારીઓને પણ ફાયદો થયો છે. ત્યારે હવે IRCTC એ તેના યૂઝર્સ માટે એક મહિનામાં ઓનલાઈન ટિકિટ બુક કરવાની મર્યાદા પણ બમણી કરી દીધી છે. હવે તમે IRCTC ID સાથે આધાર લિંક કરીને મહિનામાં 24 ટિકિટ બુક કરી શકો છો. તમે રેલવેની વેબસાઈટ પર જઈને ટ્રેનની સ્થિતિ અને સ્ટેટસ પણ ચેક શકો છો.

જાણો વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં :

ટ્રેન ટિકિટ બુક કરાવવાનો અર્થ એ નથી કે તમારી ટિકિટ કન્ફર્મ જ છે. આવી સ્થિતિમાં તમે સરળતાથી જાણી શકો છો કે તમારી ટિકિટ કન્ફર્મ થવાના ચાન્સ શું છે અને કેટલા છે ? વેઇટિંગ ટિકિટ કન્ફર્મેશન (waiting ticket confirmation) ની સંભાવના જાણવા માટે તમારે ફક્ત PNR નંબરની જરૂર છે. ચાલો જાણીએ તેની સંપૂર્ણ પ્રક્રિયા શું છે અને કઈ રીતે તેને પૂરી કરવી ?

આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ :

સૌથી પહેલા IRCTCની વેબસાઈટ પર જાઓ.

હવે તમારું ID અને પાસવર્ડ નાખીને લોગ ઇન કરો.

હવે તમારી સામે એક પેજ ખુલશે, તેના પર PNR નંબર એન્ટર કરો અને Get Status પર ક્લિક કરો.

હવે સ્ક્રોલ કરીને નીચે આવો.

હવે અહીં Click Here to Get Confirmation Chance પર ક્લિક કરો.

હવે તમારી સામે એક નવી પોપ-અપ વિન્ડો ખુલશે.

આમાં તમારી ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના આપવામાં આવશે

જ્યારે તમે ટિકીટ બુકિંગ કરો તો જરૂરી નથી કે, દરેક વખતે ટિકિટ કન્ફોર્મ થઈ જ જાય, એવામાં બધી માહિતી ન ધરાવતા હોય તેવા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જો કે આ સુવિધાની યૂઝર્સની સમસ્યામાં ઘટાડો આવશે તેવુ લાગી રહ્યું છે.

આ પણ વાંચો :-

300 ફૂટની ઉંચાઇએ બિસ્તરમાં ઝુલવાનો રોમાંચ, ચીનમાં આ અનોખા થિમપાર્કે બન્યો છે આકર્ષણનું કેન્દ્ર

The thrill of swinging in bed

  • ચીનના ચોંગકિંગ પ્રોવિન્સના વાનશેંગ જીલ્લામાં આવેલા ઓર્ડોવિશિયન નામનો થીમપાર્ક વિખ્યાત છે. દક્ષિણ પશ્ચિમ ચીનમાં ૩૦૦ મીટર ઉંચી ચટ્ટાનનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલો પાર્ક સાહસિક પર્યટકોમાં વિશેષ લોકપ્રિય છે.

૭ માળની બિલ્ડીંગ જેટલી ઉંચાઇ પરથી ઝુલામાં બેસીને પર્યટકો ઝુલે ત્યારે તેમાં મનોરંજન સાથે જોખમ પણ હોય છે. પરંતુ આ જોખમમાંથી પેદા થતા રોમાંચને પ્રવાસીઓ માણે છે. રોક કલાઇમ્બિંગના (Rock climbing) શોખીનો માટે આ સ્થળ થ્રીલનો અનુભવ કરાવે છે. વાન્શેંગના (Wanshanga) આ થીમપાર્કમાં ૩૦૦  ફુટની ઉંચાઇ પર ઝુલતા બેડ બાંધવામાં આવ્યા છે.

આ બિસ્તર પર સાહસિક પ્રવાસીઓ સુવાનો અનુભવ માણે છે. અચાનક જ તેજ હવાના લીધે  બિસ્તર ઝુલવા લાગે ત્યારે નીચે પડી જવાનો ડર લાગવો સ્વભાવિક છે. સીધી ઉંડી ખીણ દેખાય ત્યારે શરીરમાં ડરનું લખલખું પસાર થઇ જાય છે પરંતુ કોઇ અક્સ્માત ના થાય તે માટે સેફટી મેજર્સ પણ લેવામાં આવ્યા છે.

બિસ્તરને મોટા તાર વડે સામ સામા અનેક છેડેથી બાંધવામાં આવ્યો છે તેમ છતાં આટલી ઉંચાઇએ બેડ પર સુવુંએ અત્યંત સાહસભર્યુ છે. સોશિયલ મીડિયામાં ૩૦૦ ફૂટની ઉંચાઇએ ઝુલતા બિસ્તરમાં પ્રવાસીઓ સૂતા હોય એવો વીડિયો વાયરલ થતા રહે છે. વાનશેંગના ઓર્ડોવિશિયન પાર્કમાં હેગિંગ બેડ ઉપરાંત ગ્લાસ બ્રીજ, ગેપ બ્રીજ અને કલીક સ્વિંગ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગ્લાસબ્રીજ અને ગેપબ્રીજને પણ બંને છેડે તારથી બાંધવામાં આવ્યા છે.

Bharuch : જીઆઇડીસીમાં કેમિકલ ભરેલા ટેમ્પોમાં વિસ્ફોટ સાથે આગ લાગતા દોડધામ મચી | Gujarat Guardian

પ્રવાસીઓ શેફટી બેલ્ટ બાંધીને પસાર થાય છે. ગમે તેટલો મજબૂત શેફટી બેલ્ટ બાંધવામાં આવ્યો હોય કે ઇમરજન્સી સેવા હાજર હોય તેમ છતાં બ્રિજની અધ વચ્ચે પહોંચ્યા પછી પગ ધુ્જવા લાગે છે. એક એક કદમ આગળ વધવું એ પહાડ ચડવા જેવું અઘરું બની જાય છે.

વીકએન્ડમાં પ્રવાસીઓની ખૂબ ભીડ રહે છે. વિદેશી પ્રવાસીઓને પણ ચીનના આ સાહસિક પાર્કનું આકર્ષણ રહે છે. દુનિયામાં એડવાન્ચરપાર્ક તો અનેક છે પરંતુ ઓર્ડોવિશિયન પાર્ક સૌથી યુનિક ગણાય છે.

આ પણ વાંચો :-

આ ખતરનાક બોલર રોહિત શર્માને બુમરાહની ખોટ વરતાશે નહીં , પાકિસ્તાનને કરશે બરબાદ !

0

This dangerous bowler Rohit Sharma

  • ભારતીય ટીમમાં એક એવો ખેલાડી છે જે એશિયા કપમાં સુકાની રોહિત શર્માને જસપ્રીત બુમરાહની ખોટ નહીં થવા દે. આ ખેલાડી બોલિંગમાં એક્સપર્ટ છે.

ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચે જ્યારે પણ ક્રિકેટ મેચ હોય છે ત્યારે ઉત્તેજના ચરમસીમા પર હોય છે. એશિયા કપની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે રમાશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.

એશિયા કપ પહેલા જ ભારતનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે તેને એશિયા કપમાં જગ્યા મળી નથી. પરંતુ ભારતીય ટીમમાં એક સ્ટાર ખેલાડી છે જે બુમરાહની કમી પૂરી કરી શકે છે. આ ખેલાડી બોલિંગમાં એક્સપર્ટ છે.

આ ખેલાડી બુમરાહની કમીને પૂરી કરી શકે છે :

ભારતીય ટીમમાં ભુવનેશ્વર કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભુવનેશ્વર કુમાર ઇનિંગ્સની શરૂઆતમાં ખૂબ જ ખતરનાક બોલિંગ કરે છે અને વિકેટ લે છે. તેઓ તદ્દન આર્થિક પણ સાબિત થાય છે. ભુવનેશ્વર કુમારે સ્વિંગમાં નિપુણતા મેળવી છે.

Bharuch : જીઆઇડીસીમાં કેમિકલ ભરેલા ટેમ્પોમાં વિસ્ફોટ સાથે આગ લાગતા દોડધામ મચી | Gujarat Guardian

તેની પાસે અપાર અનુભવ છે, જે ટીમ ઈન્ડિયા માટે ઉપયોગી થઈ શકે છે. જ્યારે ભુવી તેની લયમાં હોય છે ત્યારે તે કોઈપણ બેટિંગ આક્રમણને તોડી શકે છે.

ભુવનેશ્વર કુમાર શાનદાર ફોર્મમાં છે :

ભુવનેશ્વર કુમારે ગયા વર્ષના T20 વર્લ્ડ કપથી ODI અને ટેસ્ટ કમ T20 ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તે T20 ક્રિકેટમાં ભારત માટે મોટો મેચ વિનર છે. તેની ચાર ઓવર હાર અને જીત વચ્ચેનો તફાવત નક્કી કરે છે. તે પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કરવા આતુર હશે. ભુવનેશ્વર ધીમી ગતિના બોલ પર ખૂબ જ ઝડપથી વિકેટ લે છે.

ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા :

ભુવનેશ્વર કુમારે ભારતીય ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. તેણે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. ભુવનેશ્વર કુમારે ભારત માટે 21 ટેસ્ટ મેચમાં 63, 121 વનડેમાં 141 અને 72 ટી20 મેચમાં 73 વિકેટ ઝડપી છે. તે માત્ર થોડા બોલમાં મેચનો લાઈન બદલવા માટે પ્રખ્યાત છે.

પાકિસ્તાન માટે ખતરો :

ભારતીય બોલિંગ તાજેતરના સમયમાં ખૂબ જ મજબૂત બની છે. આ બોલરોના બળ પર જ ભારતે વિદેશમાં જીતના ઝંડા લગાવ્યા છે. ભુવનેશ્વર કુમારની ગણતરી ભારતના શ્રેષ્ઠ બોલરોમાં થાય છે. ભારતીય ટીમમાં ભુવનેશ્વર ઉપરાંત અર્શદીપ સિંહ અને અવેશ ખાનને સ્થાન મળ્યું છે.

આ પણ વાંચો :-

શું ફરી જામશે વરસાદી માહોલ ? અંબાલાલ પટેલે આ વિસ્તારોમાં વરસાદની કરી આગાહી

0

Will it rain again

  • રાજ્યમાં વરસાદી માહોલ ફરી એકવાર જોવા મળશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી.

રાજ્યમાં હાલ વરસાદે વિરામ (A break in the rain) લીધો છે. પરંતુ આગામી સમયમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળશે. જી હા આગામી દિવસોમાં વરસાદની ફરી એન્ટ્રી થશે. જોકે આ વખતે ધોધમાર કે ભારે વરસાદની (Torrential or heavy rain) નહીં પરંતુ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજથી હળવા વરસાદની આગાહી – અંબાલાલ પટેલ.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આજથી રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 અને 31 ઓગષ્ટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે ગણેશ ચતુર્થીના તહેવાર પર વરસાદની શક્યતા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

5 સપ્ટેબર સુધી વરસાદની શક્યતા છે. 8 થી 11 સપ્ટેબર કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે. જ્યારે  સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Bharuch : જીઆઇડીસીમાં કેમિકલ ભરેલા ટેમ્પોમાં વિસ્ફોટ સાથે આગ લાગતા દોડધામ મચી | Gujarat Guardian

હાલ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં- હવામાન વિભાગ.

મહત્વનું છે કે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. જ્યારે  ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે.

રાજ્યભરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. સાથે એમ પણ જણાવ્યું કે રાજ્યમાં હાલ ભારે વરસાદથી રાહત મળશે કારણ કે હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.

8 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર :

હવામાન વિભાગે રાજ્યમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  જ્યારે અન્ય 8 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે.

જેમાં અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા રહેલી છે.

આ પણ વાંચો :-

iPhone 14 Proનો લાઇવ ફોટો થયો લીક, જુઓ કેવા બદલાવ સાથે 7 સપ્ટેમ્બરે આવી શકે છે ફોન

0

Live photo of iPhone 14 Pro

  • ફોન 7 સપ્ટેમ્બરે લોન્ચ થવાની માહિતી સામે આવી છે. હવે લોન્ચ પહેલા એક ટ્વિટર યુઝરએ iPhone 14 Proનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં કેટલાક મોટા ફેરફારો જોઈ શકાય છે.

Apple iPhone 14 સિરીઝના લોન્ચિંગને હવે થોડા દિવસો બાકી છે અને તેના વિશે સતત અહેવાલો આવી રહ્યા છે. તે જાણીતું છે કે ફોન 7 સપ્ટેમ્બરે લોન્ચ થશે. હવે લોન્ચ પહેલા એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં તેનો ફોટો જોઈ શકાય છે. વાસ્તવમાં એક ટ્વિટર યુઝરએ iPhone 14 Proનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં કેટલાક મોટા ફેરફારો જોઈ શકાય છે.

પ્રથમ નજરે, તે સ્પષ્ટ છે કે તેમાં એક નવા પ્રકારની નોચ ડિઝાઇન છે, જે ‘i’ જેવી લાગે છે. એવું લાગે છે કે સ્ક્રીન પર પિલ-આકારનું કટઆઉટ ફેસ આઈડી સેન્સર સાથે આવી શકે છે અને ફ્રન્ટ હોલ પંચ કટઆઉટમાં સેલ્ફી કેમેરા મળી શકે છે.

 પ્રથમ નજરે, તે સ્પષ્ટ છે કે તેમાં એક નવા પ્રકારની નોચ ડિઝાઇન છે, જે 'i' જેવી લાગે છે. એવું લાગે છે કે સ્ક્રીન પર પિલ-આકારનું કટઆઉટ ફેસ આઈડી સેન્સર સાથે આવી શકે છે, અને ફ્રન્ટ હોલ પંચ કટઆઉટમાં સેલ્ફી કેમેરા મળી શકે છે.

જો કેમેરા તરીકે જોવામાં આવે, તો તેનો પાછળનો કેમેરા મોડ્યુલ પહેલા કરતા ઘણો મોટો લાગે છે. યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ફોનનો પર્પલ કલર જોઈ શકાય છે. હાલમાં, વીડિયો સાથે કોઈ ફીચરની માહિતી શેર કરવામાં આવી નથી પરંતુ ફોનના સ્પેસિફિકેશનને લઈને ઘણા અહેવાલો સામે આવ્યા છે.

Bharuch : જીઆઇડીસીમાં કેમિકલ ભરેલા ટેમ્પોમાં વિસ્ફોટ સાથે આગ લાગતા દોડધામ મચી | Gujarat Guardian

અગાઉના અહેવાલો સામે આવ્યા હતા કે Apple નવી શ્રેણીના 4 મોડલ રજૂ કરશે, જેમાં iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro અને iPhone 14 Pro Max સામેલ હશે. ત્યારબાદ એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ સીરિઝમાં iPhone 14 mini પણ હાજર રહેશે.

એવી અપેક્ષા છે કે 7 સપ્ટેમ્બરના રોજ iPhone સિવાય, 3 iPads પણ લૉન્ચ કરવામાં આવશે, જેમાં iPad 10.2 (10મી જનરેશન), iPad Pro 12.9 (6ઠ્ઠી જનરેશન), iPad Pro 11 (4થી જનરેશન)નો સમાવેશ થશે.

આ પણ વાંચો :-

 

પાણીની તાકાત અવગણવી ભારે પડી ! બનાસ નદીમાં બે જ દિવસમાં 8 લોકો તણાયા, બે મૃતદેહ મળ્યા 

0

Ignoring the power of water

  • વરસાદની સિઝનમાં નદીમાં ન્હાવા પડતા પહેલા સોવાર વિચારજો, બનાસનદી અત્યાર સુધીમાં 8 લોકોને તાણી ગઇ.

રાજ્યમાં મેઘો ધોધમાર (Cloudy waterfall) વરસ્યો. નદીઓ અને ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. વળી આ વખતે તો ઉત્તર ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો. ખાસ કરીને બનાસકાંઠામાં (Banaskantha) તો મેઘો ધોધમાર વરસ્યો. તેવામાં બનાસ નદી અને દાંતીવાડા ડેમમાં (Dantiwada Dam) પાણીની આવક થવા પામી છે. ત્યારે આ બનાસ નદીમાં (Banas River) પાણી જોઇને ન્હાવા પડેલા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. છેલ્લા બે દિવસમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા.

બનાસ નદીમાં અત્યાર સુધી 8 ડૂબ્યા, 2ના મૃતદેહ મળ્યા :

બનાસ નદીમાં નવા નીરની આવક થતા સ્થાનિકોમાં હરખની લાગણી જોવા મળી રહી છે.લોકો નદીનું પાણી જોવા આવી રહ્યા છે. જોકે નદી બેકાંઠે વહેતા તંત્ર દ્વારા નદી કાંઠે ન જવા લોકોને અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં લોકો નદીમાં જીવના જોખમે ન્હાવાની મજા માણી રહ્યા છે.

નદીમાં ઊંડા ખાડા હોવાને કારણે ડૂબી જવાનો ભય રહે છે. તેમ છતાં લોકોએ બેદરકારી દાખવતા છેલ્લા બે દિવસમાં ન્હાવા પડેલા 8 લોકોએ જીવ ગુમાવ્યો. જો કે હજી સુધી માત્ર 2 લોકોના જ મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા હાલ ડીસા બનાસ પુલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

ગઇકાલે બનાસ નદીમાં બે યુવકો ડૂબ્યા :

બનાસકાંઠાની બનાસ નદીમાં ગઇકાલે વધુ બે યુવકો ડૂબ્યા. કાંકરેજના ઉંબરી ગામ પાસે બે યુવકો ડૂબી ગયા. નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના મોત થતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી.

બનાસ નદીમાં ન્હાવા પડેલા વૃદ્ધ લાપતા :

બીજી તરફ ડીસા નજીક બનાસ નદીમાં ભારે વરસાદની સ્થિતી વચ્ચે એક વૃદ્ધ ન્હાવા પડ્યા હતા જે નદીના જળ પ્રવાહમાં લાપતા બન્યા હતા. આ અંગે જાણ થતાં સ્થાનિક તરવૈયા દ્વારા બનાસ નદીમાં વૃદ્ધની શોધખોળ હાથ ધરાઇ હતી. જોકે 3 કલાકની શોધખોળ બાદ પણ વૃદ્ધની કોઇ ભાળ મળી ન હતી. નોંધનીય છે કે વૃદ્ધ નદીમાં ડૂબતા હોય તેનો વીડિયો પણ સામે આવ્યો હતો.

આ પણ વાંચો :-

કંઢગી હાલતમાં ડોક્ટર સાથે યુવતી કરી ગઈ કાંડ, હોટલમાં બોલાવ્યો અને પછી…

In a state of hunger

  • તબીબ સોશિયલ મીડિયા માધ્યમથી યુવતીના સંપર્કમાં આવ્યા હોય જેથી યુવતીએ તબીબ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિકટતા કેળવી અને પછી મળવા હોટેલ પર બોલાવ્યો હતો.

ભાવનગરના (Bhavnagar) એક તબીબને ‘હની ટ્રેપ‘નો (Honey Trap) શિકાર બનાવતી ટોળકીએ ‘દોઢ કરોડ’ની માતબર રકમની ખંડણી માંગી બ્લેકમેઇલ (Blackmail) કરતી એક યુવતી અને તેના સાગરીત સહિત બેની પોલીસે ધરપકડ કરી છે. જયારે આ બનાવમાં હજુ ત્રણ આરોપીઓ ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરના એક તબીબને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી કાજલ નામની એક યુવતી સાથેની દોસ્તી ભારે પડી હતી. તબીબ સોશિયલ મીડિયા માધ્યમથી યુવતીના સંપર્કમાં આવ્યા હોય જેથી યુવતીએ તબીબ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિકટતા કેળવી અને પછી મળવા હોટેલ પર બોલાવ્યો હતો.

હોટેલમાં તબીબને ઠંડા પીણામાં નશીલો પદાર્થ ભેળવી દેતા તબીબ અર્ધ બેભાન અવસ્થામાં હોય ત્યારે કઢંગી હાલતમાં યુવતીએ તબીબ સાથે વીડિયો બનાવી અને બાદમાં યુવતી અને તેના સાગરીતો દ્વારા તબીબને વીડિયો મોકલી દોઢ કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી અને જો નહિ આપે તો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

પરંતુ દોઢ કરોડ જેવી માતબર રકમ તબીબ પાસે ના હોય આખરે તબીબે ભાવનગર બોરતળાવ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે ભાવનગર પોલીસે આ બનાવને ગંભીરતાથી લઇ હનીટ્રેપની ઘટનામાં કાજલબેન રાજેશભાઇ વાછાણી રહે. નિકોલ અમદાવાદ, તથા વિજયભાઇ ભોપાભાઇ પરમાર રહે. નોંધણવદર તા. પાલીતાણા જી. ભાવનગર વાળાને ગણતરીની કલાકોમાં પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ઘરી હતી. જયારે હજુ આ ટ્રેપમાં સામેલ અન્ય ત્રણ લોકો ફરાર હોય જેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-