Home Blog Page 1322

સુરતની ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ઉઠામણું કરનાર વધુ એક આરોપીની કરાઈ ધરપકડ

One more accused was arrested

  • થોડા મહિના પહેલા સુરતની ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ઉઠામણું થવાની ઘટમાં બની હતી. જેમાં ઉધારમાં માલ ખરીદીને કુલ રૂપિયા 21 કરોડની છેતરપિંડીના આ કેસમાં વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી.

ગુજરાતની ઔદ્યોગિક રાજધાની (industrial capital) ગણાતા સુરત શહેરમાં કાપડના વેપારીઓ ભરોસા પર પોતાનો ધંધો કરે છે. જોકે, તેના જ કારણે કાપડ માર્કેટમાં (cloth market) ઉઠમણાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે.

થોડા મહિના પહેલા સુરતની ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં (Global Textile Market) ઉઠામણું થવાની ઘટમાં બની હતી. જેમાં ઉધારમાં માલ ખરીદીને કુલ રૂપિયા 21 કરોડની છેતરપિંડીના આ કેસમાં વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી.

ત્યારબાદ તેની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચની ઇકો સેલને સોંપવામાં આવી હતી. જેમાં અગાઉ છ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે અને વધુ એક આરોપીની ઇકો સેલે ભાવનગરથી ધરપકડ કરી છે. મહત્વનું છે કે, આરોપી ગુનો આચરી દુબઈ ભાગી ગયો હતો.

સુરતના સહારા દરવાજા ખાતે આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ADS કલ્ચર અને RNC એન્ટરપ્રાઈઝના નામથી ભાગીદારી પેઢી બનાવીને અલગ અલગ વેપારીઓ પાસેથી ગ્રે કાપડનો કરોડો રૂપિયાનો માલ ઉધારમાં ખરીદીને કુલ 10 જેટલા ભાગીદારોએ 21 કરોડ રૂપિયાનું ઉઠમણું કર્યું હતું અને ઉઘરાણીના સમયે દુકાન બંધ કરીને નાસી ગયા હતા.

આ તમામ લોકો વિવર્સ પાસેથી ઉધારમાં મોટી માત્રામાં ગ્રે કાપડનો માલ મંગાવીને પોતાના નામે બતાવી કાપડ માર્કેટમાં ઓછા ભાવે વેચી દેતા હતા અને વિવર્સને રૂપિયા ચૂકવતા ન હતા. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી અનસ મોટીયાણી છે જે હાલ દુબઈમાં છે.

જ્યારે અન્ય ભાગીદારો પૈકી અજીમ પેન વાલા, દીક્ષિત મિયાણી, જનક છાંટબાર, જીતેન્દ્ર માંગુકિયા, મહાવીર તાપડીયા અને જીતેન્દ્ર પુરોહિત ની આ કેસમાં સુરત પોલીસ અગાઉ ધરપકડ કરી ચૂકી છે. આ કેસનો વધુ એક આરોપી રવિરાજસિંહ ગોહિલ જે પણ અનસ મોટીયાણી સાથે દુબઈ ભાગી ગયો હતો.

તે ભારત પરત આવતા તેની બાતમીના આધારે સુરતની ઇકો સેલે ધરપકડ કરી છે. પોલીસના હાથે પકડાયેલ આરોપી રવિરાજસિંહ ગોહિલ મુખ્ય આરોપી અનસ સાથે દુબઈ ભાગી ગયો હતો અને દુબઈ ખાતે આવેલ અલઅવિર શાક માર્કેટમાં શાકભાજીનો ધંધો શરૂ કર્યો હતો. જો કે બંને પૈકી રવિરાજસિંહના વિઝા પુરા થવાના હોવાથી તે ભારત પરત આવી ગયો હતો.

ભારત આવ્યા બાદ તે રાજ્યના અલગ અલગ મંદિરોમાં રોકાયો હતો. ત્યારબાદ પોતાના ગામ વાવ ખાતે ખેતરોમાં તેમજ ઘરે સંતાઈને રહેતો હતો. જે અંગેની બાતમી સુરત ઇકો સેલ ની ટીમને મળતા તેને તેના મૂળ ગામ ભાવનગરના વાવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી પાસેથી સુરત પોલીસે 4 કરોડ 73 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

વિધિ દરમિયાન આ કાકા સાથે થયું કંઈક એવું કે સમગ્ર પરિવાર હસી પડ્યો | Gujarat Guardian

જ્યારે રવિરાજસિંહ ગોહિલ પકડાયો છે ત્યારે તેની પૂછપરછ કરીને તેની પાસેથી પણ મુદ્દા માલિક કવર કરવાની તજવીજ હાથ કરવામાં આવી છે. સુરત શહેરના કુલ 100 થી વધુ વિવર્સ સાથે છેતરપિંડી કરવાના ગુનામાં રવિરાજસિંહ સહિત પોલીસે કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે.

જ્યારે હજુ ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે જેમાંનો મુખ્ય આરોપી અનસ મોતીયાણી દુબઈમાં બેઠો હોવાથી પોલીસ દ્વારા તેને પકડવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :-

13 સપ્ટેમ્બર આ રાશિના જે લોકો નોકરીની શોધમાં છે તેમને સફળતા મળી શકે છે. જાણો 12 રાશિ વિશે…

September 13 Gujarat Guardian

મેષઃ
આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસું મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શકય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.

વૃષભ :
માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકુળતા. માતા સાથે મતભેદની શકયતા, અપચન, પેટની તકલીફ રહે.

મિથુન :
મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ, પ્રતિષ્‍ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

કર્ક :
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેર બજારથી લાભ. માતૃ પક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી ધંધામાં ‌પ્રગતિ.

સિંહ :
માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજ શોખમાં ખર્ચ રહે. સ્થાવર જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારૂ.

કન્યા :
વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલા :
આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે. તથા ધાર્યા પ્રમાણે ના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજ સાવધાની રાખવી જરૂરી.

વૃશ્ચિક :
મોજ શોખનું પ્રમાણ વધશે આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.

ધન :
દિવસ દરમ્યાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી, શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થે ની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે.

મકર :
માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે પરંતુ બગાડ અટકાવવો. ભાઇ-બહેન સાથે વિખવાદ થવાના યોગ ચે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શકય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.

કુંભ :
જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો, તો આત્મ વિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીન :
ઉદારતા તથા અન્ય ને મદદ કરી શકવાને કારણે મન માં શાંતિ રહે તથા યશ, પ્રતિષ્ઠા વધે. આવકમાં વૃદ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રી વર્ગથી લાભ. નોકરીયાત ને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.

આ પણ વાંચો :-

અમદાવાદમાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ, આગામી ત્રણ કલાક ગુજરાત માટે છે ભારે…

0

Torrential rain in Ahmedabad

  • અમદાવાદમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત. એસ.જી.હાઈવે, શ્યામલ, ગોતા સહિતના વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ. કાળા ડિબાંગ વાદળો છવાતા ભરબપોરે અંધારપટ છવાયો.

ગુજરાતમાં (Gujarat) ભાદરવાના વાદળો બંધાયા છે. ગુજરાતના અનેક શહેરોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો હાલ અમદાવાદમાં (Ahmedabad) સતત ત્રીજા દિવસે વરસાદ તૂટી પડ્યો છે. આગામી ત્રણ કલાક રાજ્યના મોટાભાગના વિસ્તારમા વરસાદની આગાહી છે. અમદાવાદ, સૌરાષ્ટ્ર, ઉ ગુજરાતના બનાસકાંઠામા ભારે વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતના (South Gujarat) વલસાડ સુરત વાપીમા પણ વરસાદની આગાહી છે.

સતત ત્રીજા દિવસે આજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે બપોરે જ ગાજવીજ સાથે વીજળીના કડાકા સાથે મેધરાજા વરસી પડ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. એસ.જી.હાઈવે, શ્યામલ, ગોતા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

વિધિ દરમિયાન આ કાકા સાથે થયું કંઈક એવું કે સમગ્ર પરિવાર હસી પડ્યો | Gujarat Guardian

તો આખા અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ભરબપોરે અંધારપટ છવાયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે. તો પ્રહલાદનગર રોડ પર ભરાયા ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 2 દિવસ વરસાદી માહોલ રહેશે.

આ પણ વાંચો :-

ક્યારથી મોદી સરકાર 7માં પગાર પંચ મુજબ વધારશે DA ? જાણો કેટલી વધશે સેલેરી

0

When will Modi government increase DA

  • કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ 7માં પગાર પંચની જાહેરાત કરી શકે ચે. આ માટે સરકાર નવરાત્રીના શુભ અવસર પર ડીએ વધારવાની જાહેરાત કરી શકે છે. 

છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ 7માં પગાર પંચ અંતર્ગત મોંઘવારી ભથ્થું (Dearness Allowance- DA) અને (Dearness Relief-DR) મોંઘવારી રાહત જેવા વધારાની કેટલાક સમયથી ખૂબ આતૂરતા સાથે રાહ જોઈ રહ્યા છે.

ત્યારે કેન્દ્ર સરકારના (Central Govt) આ લાખો કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. જો તમે પણ આ કર્મચારીઓ પૈકી છો કે તમારા ઘરમાંથી કોઈ કેન્દ્ર સરકારના કર્મચારી છે અને સેલેરી ક્યારે વધશે તેની રાહ જોઈ રહ્યા છો તો તમને જલ્દી ખુશખબરી મળી શકે છે.

આ તારીખે જાહેર થઈ શકે :

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દશેરા પહેલા મોદી સરકાર પોતાના કર્મચારીઓને 7માં પગાર પંચના મોંઘવારી ભથ્થાની ભેટ આપશે. સરકાર નવરાત્રીના શુભ અવસર પર DA વધારવાની જાહેરાત કરી શકે છે. જો કે, હજુ સુધી સરકાર તરફથી DAમાં વધારાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

વિધિ દરમિયાન આ કાકા સાથે થયું કંઈક એવું કે સમગ્ર પરિવાર હસી પડ્યો | Gujarat Guardian

પ્રાપ્ત અહેવાલો અનુસાર, માનવામાં આવે છે કે મોંઘવારી ભથ્થા (DA Hike) વધારવાની જાહેરાત 28 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટની બેઠકમાં કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દર 6 મહિને પોતાના કર્મચારીઓના ડીએમાં ફેરફાર કરે છે.

માર્ચ 2022માં મોંઘવારી ભથ્થું 3% વધ્યું હતું :

અગાઉ માર્ચ 2022માં કેન્દ્રએ તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (DA) ત્રણ ટકાનો વધારો કર્યો હતો. ત્યારથી કેન્દ્રીય કર્મચારીઓને 34 ટકાના દરે ડીએ મળી રહ્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ વખતે સરકાર DAમાં ચાર ટકાનો વધારો કરી શકે છે, ત્યારબાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધીને 38 ટકા થઈ જશે.

પગારમાં કેટલો વધારો થશે ?

વધારો કરવામાં આવેલ આ ડીએ જો 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે તો બાકીની રહેતી રકમ એરિયર્સ તરીકે મળશે. ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અનુસાર, ડીએમાં વધારા બાદ કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થઈ શકે છે.

અહેવાલો અનુસાર, કર્મચારીઓના પગાર ધોરણ મુજબ પગારમાં વધારો થશે. જેને આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો જો તમારો મૂળ પગાર 18,000 રૂપિયા છે, તો તમારો પગાર વાર્ષિક ધોરણે 6,840 રૂપિયા વધશે. મોદી સરકારના આ નિર્ણયથી 47 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શન ધારકોને અસર થશે. કર્મચારીઓને સપ્ટેમ્બરના પગારમાં વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.

આ પણ વાંચો :-

ગુજરાતના રાજકારણને લઇ મોટા સમાચાર : વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, જાણો શું છે સમાચાર 

0

Big news about Gujarat politics

  • ગુજરાતના રાજકારણને લઇને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા AAP અને BTP વચ્ચેનું ગઠબંધન તૂટ્યું.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલા એકબાદ એક રાજકીય ભૂકંપ સર્જાઇ રહ્યાં છે.  ત્યારે ચૂંટણી પહેલા ફરીવાર મોટો રાજકીય ભૂકંપ (A political earthquake) આવ્યો છે. AAP અને BTP વચ્ચેનું ગઠબંધન તૂટ્યું હોવાની ઘટના સામે આવી છે. જેના લીધે ભરૂચ (Bharuch) અને નર્મદાની (Narmada) બે મહત્વની બેઠકો પર તેની અસર થશે.

ટોપીવાળા AAPના લોકો દેખાતા નથી : છોટુ વસાવા

આ ગઠબંધન તૂટવા પાછળના જવાબદાર કારણોમાં AAPના નેતા મનમાની કરતા હોવાની વાત સામે આવી છે. આ અંગે છોટુ વસાવાનું કહેવું છે કે, ‘ટોપીવાળા AAPના લોકો દેખાતા નથી.’ AAPના નેતાઓ BTPનું કહેલું ન માનતા ગઠબંધન તૂટ્યું. આથી, BTP હવે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, 2017માં BTPએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું.

1 મેના રોજ ગુજરાતમાં AAP અને BTP વચ્ચે થયું હતું ગઠબંધન :

ઉલ્લેખનીય છે કે, તારીખ 1 મેના રોજ ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધન થયું હતું. ભરૂચના ચંદેરીયાના વ્હાઇટ હાઉસ ખાતે BTPનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન પહેલા અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી.

જેમાં છોટુ વસાવાએ કહ્યું હતું કે, ‘રાજકારણમાં નવા ઉદયની શરૂઆત થઇ છે. અગાઉ જેમની સાથે ગઠબંધન કર્યું તેમણે કામ ન કર્યું. ગરીબોનું કલ્યાણ થાય તે જ અમારુ લક્ષ્ય.

તદુપરાંત આ મહાસંમેલનમાં કેજરીવાલે કહ્યું હતું કે, ‘ગુજરાતમાં અમારી આ પ્રથમ પબ્લિક રેલી છે. ભાજપ-કોંગ્રેસ પાર્ટી ધનવાન લોકોની સાથે છે. અમે ગરીબો સાથે ઊભા છીએ. ગુજરાતના લોકો લાગણીશીલ હોય છે. હું ગુજરાતના સાડા છ કરોડ લોકો સાથે છું. મને ડર્ટી પોલિટિક્સ નથી આવડતી. મને માત્ર કામ કરતા આવડે છે.’

આ પણ વાંચો :-

જામનગરનો અજીબ કિસ્સો : પોલીસની ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન ખેત મજૂરને વાગી ગોળી

0

Strange case of Jamnagar

  • જામનગર નજીક વિજરખી ફાયરિંગ રેન્જમાં ફાયરિંગની પ્રેક્ટિસ દરમિયાન ત્યાંથી પસાર થતા પરપ્રાંતીય ખેત મજૂરને ગોળી વાગી.

જામનગર (Jamnagar) નજીક વિજરખી ફાયરિંગ રેન્જમાં અજીબ કિસ્સો બન્યો હતો. ફાયરિંગની પ્રેક્ટિસ દરમિયાન ત્યાંથી પસાર થતા પરપ્રાંતીય ખેત મજૂરને (Migrant farm labour) ગોળી વાગી હતી. જેથી મજૂર યુવકને તાત્કાલિક જીજી હોસ્પિટલ (GG Hospital) સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ, જામનગર નજીક વિજરખી ફાયરિંગ રેન્જ આવેલી છે. જ્યાં રોજ ફાયરિંગની પ્રેક્ટિસ કરવામાં આવે છે. રોજના મુજબ આજે પણ ફાયરિંગની પ્રેક્ટિસ કરવામા આવી રહી હતી એ સમયે મધ્યપ્રદેશનો મૂળ રહેવાસી અને જામનગરના વિજરખી ગામમાં ખેતીમાં મજૂરી કામ કરતો 35 વર્ષીય યુવક દરિયાભાઈ ત્યાંખી પસાર થઈ રહ્યો હતો.

આ દરમિયાન તેને ગોળી વાગી હતી. દરિયાભાઈને ગોળી વાગતા તે ગંભીરી રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવાનને તાત્કાલિક જીજી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ કાફલો પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

જામનગર નજીક વિજરખી ફાયરિંગ રેન્જમાં સમયાંતરે પોલીસ વિભાગ દ્વારા ફાયરિંગ પ્રેક્ટિસ હાથ ધરવામાં આવતી હોય છે. જ્યારે ફાયરિંગ પ્રેક્ટિસ અંગેની તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી અવર-જવર ન કરવા માટેનું જાહેરનામુ પણ બહાર પાડવામાં આવતું હોય છે, તેમ છતાં આ મામલે ધ્યન આપવામા આવતુ નથી.

ગ્રામજનો આ જાહેરનામાની દરકાર લેતા નથી તેના પગલે આ પ્રકારની ઘટનાઓ જોવા મળી રહી છે. તો બીજી તરફ, ગામ લોકો પણ વીજરખી ફાયરિંગ રેન્જમાં ફાયરિંગ પ્રેક્ટિસના કારણે ગ્રામજનોને સર્જાતી અનેક સમસ્યાઓ દૂર કરવા પણ માંગણી કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

Asia Cup 2022નું ટાઈટલ પોતાના નામે કરતા શ્રીલંકા પર પૈસાનો વરસાદ

0

Money rains on Sri Lanka claiming

  • એશિયા કપ ટાઈટલ જીતવા પર શ્રીલંકાની ટીમને લગભગ 1.20 કરોડ રૂપિયા (1.5 લાખ ડોલર) આપવામાં આવ્યા છે.

રાજકીય અને આર્થિક અસ્થિરતાનો (Political and economic instability) સામનો કરી રહેલા શ્રીલંકા માટે ક્રિકેટના મેદાનમાં 11 ખેલાડીઓ હીરો બનીને ઉભરી આવ્યા હતા, તેમણે રવિવારે પાકિસ્તાનને (Pakistan) 23 રને હરાવીને છઠ્ઠી વખત એશિયા કપ (Asia Cup) જીત્યો હતો અને દેશવાસીઓના ચહેરા પર સ્મિત લાવી દીધું હતું.

આ જીત માત્ર શ્રીલંકન ક્રિકેટ માટે જ નહીં પરંતુ ઐતિહાસિક અને રાજકીય રીતે પણ ઘણો મહત્વનો છે. એક તબક્કે 58 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ શ્રીલંકાએ ભાનુકા રાજપક્ષેના 45 બોલમાં અણનમ 71 રનની મદદથી છ વિકેટે 170 રન બનાવ્યા હતા.

જવાબમાં પાકિસ્તાનની ટીમ 147 રન પર આઉટ થઈ હતી જ્યારે એક સમયે તેનો સ્કોર બે વિકેટ પર 93 રન હતા. ફાસ્ટ બોલર મધુશાને 4 ઓવરમાં 34 રન આપીને ચાર અને લેગ સ્પિનર વાનિંદુ હસરંગાએ 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી હતી.

વિજેતા ટીમને મળ્યા 1.20 કરોડ રૂપિયા :

એશિયા કપનો (Asia Cup) ખિતાબ જીતવાથી રાજકીય અને આર્થિક અસ્થિરતા સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાને રાહત થઈ છે. એશિયા કપ ટાઈટલ જીતવા પર શ્રીલંકાની (Sri Lanka) ટીમને લગભગ 1.20 કરોડ રૂપિયા (1.5 લાખ ડોલર) આપવામાં આવ્યા છે. બીજી તરફ હારેલી ટીમ એટલે કે પાકિસ્તાનને (Pakistan) લગભગ 60 લાખ રૂપિયા (75 હજાર ડોલર) પ્રાઈઝ મની તરીકે મળી છે.

આ ઉપરાંત ટૂર્નામેન્ટમાં કમાલ કરનારા ખેલાડીઓ પર પણ પૈસાનો વરસાદ થયો છે. પ્લેયરલ ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ વાનિંદુ હસરંગાને મળ્યો હતો જેને લગભગ 11.94 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્લેયર ઓફ ધ ફાઈનલનો ખિતાબ ભાનુકા રાજપક્ષેને મળ્યો હતો જેને ઈનામ તરીકે લગભગ 4 લાખ રૂપિયા મળ્યા હતા.

એશિયા કપ 2022માં સૌથી વધુ રન બનાવનાર ટોપ બેટ્સમેન :

મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન)- 281 રન

વિરાટ કોહલી (ભારત)- 276 રન

ઈબ્રાહિમ જાદરન (AFG)- 196 રન

સૌથી વધુ વિકેટ લેનારા બોલર

ભુવનેશ્વર કુમાર (ભારત)- 11 વિકેટ

વાનિંદુ હસરંગા (શ્રીલંકા)- 9 વિકેટ

શાદાબ ખાન (પાકિસ્તાન)- 8 વિકેટ

આ પણ વાંચો :-

રાતોરાત ફેમસ થયેલાં કમા અંગે માતાએ ખોલ્યું મોટું રહસ્ય, નાનપણમાં કમા વિશે ડોક્ટરે શું કહેલું ?

0

Mother revealed a big secret about kama

  • રાતોરાત પ્રખ્યાત થયેલ કમાભાઈના માતા-પિતાએ એવી વાત કહી જે જાણી ને લોકો હેરાન થઇ ગયા. નાનપણમાં જ કમાના ડોક્ટરે કહ્યું હતું કે…

લોક ડાયરોએ (Folk Dior) ભાતિગળ ગુજરાતી સંસ્કૃતિનો (Gujarati culture) એક મહત્ત્વનો ભાગ છે. પહેલાંના સમયમાં જ્યારે ટીવી-રેડિયો કે કોઈપણ પ્રકારના મનોરંજનના (Entertainment) સાધનો નહોંતા ત્યારે ગમ્મત સાથે જ્ઞાન અને સાહિત્યની વાતો લોક ડાયરા થકી કરવામાં આવતી હતી.

એજ પ્રકારે ભવાઈ પણ આવો જ એક સાહિત્યના આદાન-પ્રદાનનું એક માધ્યમ છે. આજે ટીવી, મોબાઈલ, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં મનોરંજનના અનેકવિધ સાધનો આપણી પાસે છે. જોકે, તેમ છતાંય ગ્રામિણ વિસ્તારોમાં આજેય લોક ડાયરાનું મહત્ત્વ હેમખેમ છે.

એ જ કારણ છે કે, આપણાં કલાકારો અમરેલીથી લઈને અમેરિકા સુધી લોક ડાયરાના પ્રોગ્રામ કરે છે અને ગુજરાતનું ગૌરવ વધારે છે. સ્વભાવિક રીતે જ આ ડાયરાના કલાકારો પણ એક ફિલ્મી સિતારાઓની જેમ મોભો ધરાવે છે. જોકે, છેલ્લાં કેટલાંક દિવસથી ગુજરાતના એક દિવ્યાંગ વ્યકિતએ લોક ડાયરામાં એવી ધૂમ મચાવી છેકે, દેશ અને દુનિયાભરમાં કરોડો લોકો તેના ચાહક બની ગયા છે.

અમે વાત કરી રહ્યાં છીએ, લોક ડાયરામાં અનોખા અંદાજમાં ડાન્સ કરીને ધૂમ માચવનારા કમાભાઈની. જાણીતા લોક સાહિત્યકાર અને ડાયરના ફેમસ સ્ટાર એવા કિર્તીદાન ગઢવીનો ડાયરો ચાલી રહ્યો હતો. એવામાં મોજમાં આવી ગયેલાં એક દિવ્યાંગ વ્યક્તિએ સ્ટેટની સામે ડાન્સ કરીને એવી ધૂમ મચાવી કે જોત-જોતામાં તેનો વીડિયો લાખો લોકો સુધી પહોંચી ગયો.

હાલમાં જ થોડા સમય પહેલાં કિર્તીદાન ગઢવીનો કાર્યક્રમ ચાલતો હતો. ત્યારે આ કમા નામનો એક દિવ્યાંગ વ્યક્તિ સામાન્ય માણસની જેમ કિર્તીદાન ભાઈ ગઢવી નો કાર્યક્રમ નિહાળતો હતો. અને અચાનક કિર્તીદાનનું ગીત સાંભળીને મોજમાં આવી ગયેલાં કમાએ સૌ કોઈને મોજ કરાવી દીધી. મોજમાં આવીને કમો સ્ટેજની સામે ડાન્સ કરવા લાગ્યો. આ વીડિયો એટલો વાયરલ થયો કે તે ઘેરઘેર જાણીતો બની ગયો.

પહેલીવાર જ્યારે કિર્તીદાન ગઢવીએ કમાને જોયો હતો. ત્યારે તેને 2000ની નોટ પણ આપી હતી. પછી કિર્તીદાન ગઢવીએ આ દિવ્યાંગ વ્યક્તિનું નામ પૂછીને તેનો પરિચય પણ મેળવ્યો હતો. આજે દરેક જગ્યાએ ગુજરાતમાં લોકડાયરો અને કલાકાર હોય ત્યાં આ કમાભાઈ હાજરી આપવા પહોંચી જાય છે.

જ્યારથી કીર્તિદાનભાઈ ગઢવી તેનો હાથ પકડ્યો ત્યારથી કમાભાઈનું જીવન આખું બદલાઈ ગયું. હવે તે જ્યા પણ આવે છે ત્યારે પોતાની સાથે ચાર-ચાર બોડીગાર્ડ રાખે છે. ઉલ્લેખનીય છેકે, ડાયરામાં ડાન્સના વીડિયો થકી ઘેર-ઘેર જાણીતો બનેલો કમો મૂળ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલાં કોઠારિયા ગામનો વતની છે.

તેનું સાચુ નામ કમલેશ છે. જોત-જોતામાં કમો હવે એક સેલિબ્રિટી બની ગયો છે. લોકો તેને કમાભાઈ કહીને માન સન્માન સાથે વિવિધ કાર્યક્રમોમાં આવવા માટે આમંત્રણ પાઠવે છે. અને ત્યાં વિવિધ કાર્યક્રમોમાં કમાભાઈને લોકો ઘણાં પૈસા પણ આપે છે. કમાભાઈને જે પણ રૂપિયા મળે છે તે રૂપિયા કમાભાઈ પોતાના ગામમાં આવેલી ગૌશાળામાં દાનમાં આપી દે છે.

કમાભાઈના માતા-પિતા પાસેથી એક વિશેષ વાત જાણવા મળી હતી. કમાભાઈના માતા-પિતાએ કહ્યું હતું કે કમો જ્યારે નાનો હતો ત્યારે જ ડોક્ટર કહ્યું હતું કે તેઓ મંદ બુદ્ધિના બાળક છે. તેને ભજનમાં વિશેષ લાગણી જોવા મળશે. અને થયું પણ એવું જ આજે કમાભાઈ ગુજરાતના દરેક ઘરમાં જાણીતા થઈ ગયા છે.

આ પણ વાંચો :-

ગુજરાતના આ જિલ્લામાં હવે મેલેરિયા, કોરોના સહિત ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક ઉછાળો, તંત્ર થયું દોડતું

In this district of Gujarat, now there is an

  • સુરતમાં વરસાદી વાતાવરણમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં રોગચાળો વધતા 1100 જેટલા હેલ્થ વર્કરો દ્વારા દરેક ઝોનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ (Precipitation system) સક્રિય થઈ છે. આ વચ્ચે સુરત સહિત રાજ્યના ઘણા શહેરોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ (Mosquito borne epidemics) ભરડો લીધો છે.  એક તરફ કોરોના તો બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. જે રીતે રોગચાળો વકરી રહ્યો છે તેને જોતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું (Surat Municipal Corporation) આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

દવા છંટકાવ અને ફોગિંગ જેવી કામગીરી શરૂ :

શહેરમાં કોરોનાના કેસ કરતા પણ બમણી ગતીથી મચ્છજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે. વરસાદી સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય બીમારી ધરાવતા દર્દીઓની સંખ્યા વધી છે, ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ દવા છંટકાવ અને ફોગિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

વરસાદની સિઝનમાં રોગચાળો વધ્યો :

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ગણેશ ઉત્સવ બાદ કોરોનાના કેસમાં પણ વધારો થયો છે. પ્રતિ દિન 50 જેટલા કેસ એક સપ્તાહથી સામે આવી રહ્યા છે. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 27,  મેલેરિયાના 155 કેસ નોંધાયા છે.

ગયા વર્ષની વાત કરીએ તો ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 63 કેસ અને મેલેરિયાના 110 કેસ નોંધાયા હતા. વરસાદી વાતાવરણને જોતા તાવ અને વાયરલના કેસમાં વધારો થઈ રહ્યો છે. રોગચાળો વધતા 1100 જેટલા હેલ્થ વર્કરો દ્વારા દરેક ઝોનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે.

કોરોનાના કેસમાં પણ વધારો થયો :

આ ઉપરાંત ગણેશ ઉત્સવ બાદ કોરોના વાયરસના કેસમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને કોવિડ ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. આ ઉપરાંત વેક્સિનેશન કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં શહેરના 12થી 13 ટકા લોકોએ જ કોરોનાનો પ્રીકોસન ડોઝ લીધો છે.

આ પણ વાંચો :-

શું હવે ખુલશે સોનાલી ફોગાટની હત્યાનું રહસ્ય ? ગોવા CM પ્રમોદ સાવંતે કરી CBI તપાસની ભલામણ

0

Will the secret of Sonali Phogat’s murder

  • ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ભાજપ નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના મોત મામલે CBI તપાસની ભલામણ કરી છે.

ગોવાના (Goa) મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે (Chief Minister Pramod Sawant) ભાજપ નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના (Sonali Phogat) મોત મામલે CBI તપાસની ભલામણ કરી છે. સોનાલી ફોગાટની ગોવામાં એક રિસોર્ટમાં પાર્ટી ખતમ થયા બાદ મોત થઈ ગયું હતું.

સોનાલી ફોગાટના (Sonali Phogat) પરિવારના લોકો સતત આ મામલે સીબીઆઈની તપાસની માગ કરી રહ્યા હતા. હરિયાણા સરકારે (Haryana Govt) પણ પરિવારની માગનું સમર્થન કર્યું હતું.

ગોવા સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે, સોનાલી ફોગાટ પર ગોવા પોલીસ યોગ્ય તપાસ કરી રહી છે. પોલીસને કેટલીય મહત્વની કડીઓ મળી છે. પણ સોનાલી ફોગાટના પરિવારની સોનાલાની દિકરીની ડિમાન્ડ છે કે આ મામલે સીબીઆઈ તપાસ કરે.

ત્યારે આવા સમયે આજે આ કેસ સીબીઆઈને આપવાની ભલામણ કરી છે. હું ખુદ ગૃહમંત્રીને પત્ર લખીને માગ કરી રહ્યો છું કે, આ મામાલામાં સીબીઆઈ તપાસ થવી જોઈએ.

પરિવારે ગોવા પોલીસની તપાસ પર સવાલો ઉઠાવ્યા હતા :

ગોવાના કર્લીજ રેસ્ટોરંટમાં સોનાલી ફોગાટનું 23 ઓગસ્ટના રોજ મોત થઈ ગયું હતુ. સોનાલી ફોગાટના મોત મામલે પરિવાર તરફથી સતત સીબીઆઈની તપાસની માગ થઈ રહી છે. પરિવારનો આરોપ છે કે, ગોવા પોલીસ આ મામલે યોગ્ય તપાસ કરી રહી નથી.

સોનાલી ફોગાટના ભત્રીજા વિકાસ સિંઘમારે હાલમાં જ આરોપ લગાવ્યો હતો કે, ગોવા પોલીસ પર રાજકીય પ્રેશર છે. એટલા માટે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપી દેવી જોઈએ.

આ પણ વાંચો :-