Home Blog Page 1215

માત્ર પાંચ ક્રિકેટરોએ લૂટી લીધા 82 કરોડ, જાણો કોણ રહ્યાં 5 સૌથી મોંઘા ખેલાડી

0

Only five cricketers looted 82 crores

  • ઈન્ડિયન પ્રીમિયર લીગની 2023 માટે થયેલી હરાજીમાં વિદેશી ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. ખાસ કરીને ઈંગ્લેન્ડના ખેલાડી 3 સૌથી મોંઘા ખેલાડીઓના લિસ્ટમાં સામેલ રહ્યાં. ત્યારબાદ એક ખેલાડી ઓસ્ટ્રેલિયા અને એક વેસ્ટઈન્ડિઝનો રહ્યો છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 2023 (IPL 2023) સીઝન માટે મિની હરાજી કોચ્ચિમાં સમાપ્ત થઈ ગઈ છે. કહેવા માટે હરાજી નાની હતી. પરંતુ બોલી મોટી-મોટી લાગી છે. સેમ કરને જ્યાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા તો બેન સ્ટોક્સ, હેરી બ્રૂક, નિકોલસ પૂરન પર પણ પૈસાનો વરસાદ થયો છે. આવો જાણીએ આ હરાજીના સૌથી મોંઘા ખેલાડીઓનું લિસ્ટ….

સેમ કરન :

સેમ કરનને પંજાબ કિંગ્સે આઈપીએલ ઈતિહાસની સૌથી મોટી બોલી લગાવી ટીમ સાથે જોડ્યો છે. પ્રીતિ ઝિન્ટા અને નેશ વાડિયાની માલિકીવાળી ટીમે કુલ 18.50 કરોડ રૂપિયા સેમ કરન પર ખર્ચ્યા છે.

કેમરન ગ્રીન :

ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર કેમરન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે 17.5 કરોડની બોલી લગાવીને ખરીદ્યો છે. તે આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

બેન સ્ટોક્સ :

બેન સ્ટોક્સ પર ચેન્નઈ સુપર કિંગ્સે મોટો દાંવ લગાવ્યો છે. ચેન્નઈએ વિશ્વ વિજેતા ખેલાડીને 16.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે ત્રીજો સૌથી મોંઘો ક્રિકેટર બની ગયો છે.

નિકોલસ પૂરન :

આ કેરેબિયન વિસ્ફોટક બેટર પર કેએલ રાહુલની આગેવાનીવાળી લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે 16 કરોડ રૂપિયાનો વરસાદ કર્યો છે.

હેરી બ્રૂક :

પાકિસ્તાનની ધરતી પર ધમાલ મચાવનાર હેરી બ્રૂક પર પણ કરોડો રૂપિયાનો વરસાદ થયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે આ યુવા બેટર પર 13.25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

આ પણ વાંચો :-

એમ.એ.પોલિટીકલ સાયન્સનો વિદ્યાર્થી અને રાજ્ય શિક્ષણમંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાનો શિક્ષણક્ષેત્રે કંઈક કરવાનો થનગનાટ ભાજપને ચોક્કસ ગૌરવ અપાવશે..

M.A.Political Science student and State Education Minister

  • વિવેકાનંદનાં વિચારોથી રંગાયેલા અને યુવાની કાળથી જ ભાજપનો ભગવો લઈને ફરતાં પ્રફૂલ્લ પાનશેરિયાની અધ્યક્ષ સી.આર. પાટીલે કરેલી પસંદગી ‘કોહીનૂર’ પુરવાર થશે.
  • શિક્ષણ અને બાળકો તેમનો પહેલેથી જ મનગમતો વિષય હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના વિચારો સાકાર કરવા માર્ગ મોકળો કરી દીધો.
  • સામાન્ય પગારદાર અને લીપી પ્રિન્ટીંગ પ્રેસનાં નામથી વ્યવસાય કરતાં પ્રફૂલ્લ પાનશેરિયા બબ્બે વખત કોર્પોરેટર અને ધારાસભ્ય તરીકેની બીજી ટર્મ છતાં હજુ સુધી ‘બેદાગ’ રહ્યાં છે

મનગમતો વિષય, મનગમતુ કામ અને મનગમતુ જમવાનું મળે એટલે સ્વભાવિક માણસ ઉતાવળો બની જાય. સુરતનાં યુવાન ધારાસભ્ય અને રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયા (State Education Minister Prafulla Pansheria) માટે આવું જ કહી શકાય. ભાજપની વિચારધારાને નખશીખ સમર્પિત પ્રફુલ્લ પાનશેરિયાને પાંચ વર્ષની બ્રેક બાદ ફરી ધારાસભ્ય અને મંત્રી તરીકેની તક મળી છે, ત્યારે કંઈક નવું કરવાનો થનગનાટ હોય એ સ્વભાવિક છે.

મૂળભૂત રીતે વિવેકાનંદની વિચારધારાથી પ્રભાવિત પ્રફુલ્લ પાનશેરિયા એક તરવરિયો યુવાન છે અને ભાજપ નેતાગીરીએ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી બનાવીને તેમના વિચારોને અનુરૂપ મંત્રી બનાવ્યા છે. ગુજરાતની વિચારધારાઓથી પરિચિત પ્રફુલ્લ પાનશેરિયા શિક્ષણક્ષેત્રે કંઈક નવું કરવામાં ચોક્કસ સફળ પુરવાર થવા સાથે ભાજપ સરકારને ગૌરવ અપાવશે. ખાસ કરીને પ્રાથમિક શાળાનાં બાળકો માટે ભારોભાર અનુકંપા ધરાવતા પ્રફુલ્લ પાનશેરિયા માટે નિર્દોષ બાળકોનો પ્રેમ અને સહાનુભૂતિ સાથેનું શિક્ષણ તેમના મુખ્ય વિષયો છે.

લોકોને યાદ હશે કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં સૌપ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે ખાસ કરીને ગામડાંનાં બાળકોને શિ‌િક્ષત કરવા આહલેક જગાવી હતી અને શાળા પ્રવેશોત્સવ અને બેટી બચાવો અભિયાન હાથ ધર્યું હતું અને પરિણામરૂપે આજે ગુજરાતનાં સાક્ષરતાનાં દરમાં આશ્ચર્યજનક વધારો થયો છે. બલ્કે શિક્ષણની ભૂખ ઉઘડી છે અને આજે એવી સ્થિતિ છે કે, દરેક ઘરમાં સવાર પડેને બાળકો નિશાળે જતાં જોવા મળશે. અધ્ધવચ્ચેથી શાળા છોડી જવાનો દર ઘટીને લગભગ ‘ઝીરો’ થઈ ગયો છે. આની પાછળ ચોક્કસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ ‘યશ’ આપી શકાય.

ભૂપેન્દ્ર પટેલની સરકારનાં રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયા પણ શિક્ષણને લઈને આક્રમક વલણ ધરાવે છે. શાળાઓ કે બાળમંદિરો કે ટ્યુશન ક્લાસીસમાં બાળકો ઉપર ગુજારવામાં આવતાં અત્યાચાર સામે તેઓ ભયાનક નફરત ધરાવે છે. પ્રફુલ્લ પાનશેરિયા એવું ઈચ્છે છે કે, બાળક સામે ચાલીને શાળાએ આવે તેવું વાતાવરણ સર્જવું જોઈએ અને તેઓ એ દિશામાં કંઈક કરવા થનગની રહ્યાં છે.

મૂળભૂત રીતે આંદોલનકારી સ્વભાવના પ્રફુલ્લ પાનશેરિયા તેમના રાજકીય જીવનની શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી રંગાયેલા રહ્યાં છે. ભાજપ જ્યારે સત્તામાં નહોતો ત્યારે પણ વિપક્ષે રહીને સુરતનાં મીની સૌરાષ્ટ્રમાં છાશવારે ભાજપનો ભગવો લઈને નીકળી પડતા હતા અને હાલ સુરતનું મીની હીરાબજાર ગણાતા વરાછા રોડનાં ચોકમાં ઉભા રહીને અનેક વખત આંદોલનો કર્યા હશે. ઘણી વખત બદલાતા સમય અને સંજોગોને કારણે તેમણે ભાજપ વિરોધી વિચારધારાનાં લોકોનો સામનો પણ કર્યો હતો અને લાંબા સંઘર્ષને અંતે તેઓ સુરત મહાપાલિકાનાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતાં અને વરાછા રોડ વિસ્તારમાં ભાજપનાં ગઢનાં કાંગરા વધુ મજબૂત કર્યાં હતાં.

બબ્બે વખત કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ૨૦૧૨માં તેમને ધારાસભાની ટિકિટ આપવામાં આવી હતી અને સંગઠનનાં કામમાં જોતરી દેવાયા હતા. વચ્ચેનાં પાંચ વર્ષ બાદ ૨૦૧૭માં ફરી તેમને ધારાસભ્ય તરીકેની ટિકિટ આપવામાં આવતાં ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

પ્રફૂલ્લ પાનશે_રિયા

ભાજપ માટે ખરેખર તો પ્રફુલ્લ પાનશેરિયા ‘કોહીનૂર’ હીરો કહી શકાય. તેમણે યુવાની કાળમાં એટલા બધા સકારાત્મક કામો કર્યા છે કે, તેમના વિરોધીઓ પણ પ્રફુલ્લ પાનશેરિયા માટે એકપણ શબ્દ ઘસાતો બોલી શકે તેમ નથી.

એમબીએ સુધીનું ઉચ્ચ શિક્ષણ ઉપરાંત એમ.એ. (પોલિટીકલ સાયન્સ) અભ્યાસ કરતાં પ્રફૂલ્લ પાનશેરિયાએ પ્રિન્ટીંગ પ્રેસથી ધંધાની શરૂઆત કરી હતી. આજે પણ પાર્ટનર મફત શિરોયા સાથે વરાછા વિસ્તારમાં લીપી પ્રિન્ટીંગ પ્રેસનાં નામથી વ્યવસાય કરે છે.

ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને પ્રફુલ્લ પાનશેરિયામાં પહેલેથી ‘હીર’ દેખાતુ હતું અને એટલે જ તેમણે વરાછા ઉપરાંત કામરેજ વિસ્તારને સાંકળતી અને પાંચ લાખ મતદારો ધરાવતી અત્યંત સંવેદનશીલ કામરેજ બેઠક માટે તેમની પસંદગી કરી હતી અને પ્રફુલ્લ પાનશેરિયાએ સી.આર. પાટીલનો વિશ્વાસ ચરિતાર્થ કરી બતાવ્યો હતો. ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદી પણ પ્રફુલ્લ પાનશેરિયાને મળ્યાં હતાં અને પીઠ થપથપાવી હતી.

‌શિક્ષણ અને બાળકો પ્રત્યે બેહદ લગાવ ધરાવતા પ્રફુલ્લ પાનશેરિયાએ બે દિવસ પહેલાં સુરતની એક શાળામાં માસુમ વિદ્યાર્થીઓને માર મારનાર શિક્ષકને તાબડતોબ સસ્પેન્ડ કરાવ્યો હતો. દરમિયાન આજે બનાસકાંઠાનાં દાંતાની શાળામાં શરાબ પીને શાળામાં આવેલા શિક્ષક સામે તાબડતોબ આકરા પગલાં ભરીને તત્કાળ સસ્પેન્ડ કરાવી દાખલો બેસાડયો હતો.

 

 

Nexon, XUV 700 ને ટક્કર આપવા આવી રહી છે આ શાનદાર કાર, ઝલક જોઈને જુમી ઉઠશો !

This amazing car is coming to compete

  • ભારતમાં ટાટા નેક્સન, મારૂતિ સુઝુકી વિતારા બ્રેઝા, કિયા સેલ્ટોસ જેવી SUV લોકોની પહેલી પસંદ છે. જો કે આ બધી કારોને ટક્કર આપવા રેનો કાર પોતાની નવી શાનદાર SUV લઈને આવી રહી છે.

ભારતમાં અનેક કંપનીઓની SUV કાર લોકોની પસંદ છે. જેવી કે ટાટા નેક્સન, મારૂતિ સુઝુકી વિતારા બ્રેઝા, કિયા સેલ્ટોસ. આ સિવાય બીજી ઘણી SUV છે જેની સારી માગ છે. જેવી કે Mahindra XUV 700 અને Maruti Suzuki Grand Vitara. XUV700 માટે વેઈટિંગ પિરિયડ એક વર્ષથી વધુ છે. જ્યારે, ગ્રાન્ડ વિતારાનો વેઇટિંગ પિરિયડ 6 મહિના સુધીનો છે.

પરંતુ હવે રેનો એક એવી SUV લાવવાની યોજના બનાવી રહી છે, જે ક્યાંકને ક્યાંક આ બધાને એકસાથે ટાર્ગેટ કરશે. તેનું નામ રેનો અરકાના છે. તેને ભારતીય રસ્તાઓ પર પરીક્ષણ દરમિયાન જોવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે તેને આવતા વર્ષે લોન્ચ કરવામાં આવી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ તેની લંબાઈ- 4.5 મીટર, પહોળાઈ- 1.8 મીટર અને ઊંચાઈ- 1.5 મીટર હોઈ શકે છે. તેનું વ્હીલબેઝ 2731 mm હોઈ શકે છે. તે કૂપ સ્ટાઈલની એસયુવી હશે.

Renault Arkana પહેલેથી જ વૈશ્વિક બજારમાં હાજર છે. યુરોપમાં, તે હાઈબ્રિડ સેટઅપ સાથે આવે છે. અહેવાલો અનુસાર, તેને ભારતમાં હાઈબ્રિડ સેટઅપ સાથે પણ રજૂ કરવામાં આવી શકે છે, જે તેને વધુ ઈંધણ કાર્યક્ષમ બનાવશે. તેના માઈલ્ડ હાઈબ્રિડ વેરિયન્ટની કિંમત આશરે 10 લાખથી શરૂ થઈ શકે છે. જે સ્ટ્રોન્ગ હાઈબ્રિડ વેરિઅન્ટ્સ માટે 20 લાખ સુધી જઈ શકે છે.

રેનોના ઈન્ડિયા સ્પેક મોડલમાં ઓલ LED લાઈટ્સ સેટઅપ, લેટેસ્ટ સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને લેધર સીટ સાથે શ્રેષ્ઠ ઈન્ટિરિયર મળશે. કારમાં 1.3-લિટર પેટ્રોલ એન્જિન અથવા 1.5-લિટર પેટ્રોલ એન્જિન સાથે આવી શકે છે. જો કે તેમાં 1.3 લીટર એન્જિન મળવાની શક્યતા વધુ છે. તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ગિયરબોક્સ આપી શકાય છે.

આ પણ વાંચો :-

અરે બાપ રે ! સાવ સસ્તામાં મળે છે આ 4 ઈલેક્ટ્રિક સ્કુટર્સ, જાણો માઈલેજ

These 4 electric scooters are available very cheaply

  • ભારતીય બજારમાં અનેક ઈલેક્ટ્રિક સ્કુટર્સ લોન્ચ કરવામાં આવ્યા છે. ઓલા, એધર જેવી કંપનીઓના ઈલેક્ટ્રિક સ્કુટર્સના ભાવ 1 લાખની આસપાસ છે. જો કે બીજી અનેક કંપનીઓ છે જેના ભાવ 45,000થી પણ શરૂ થાય છે. આ ઈલેક્ટ્રિક સ્કુટર્સ પણ શાનદાર માઈલેજ આપે છે.

દેશમાં જ્યારથી પેટ્રોલના ભાવ વધ્યા છે ત્યારથી ઈલેક્ટ્રિક સ્કુટર (Electric scooter) લોકોની પહેલી પસંદ બની છે. આજે ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક સ્કુટરનો સારો એવો દબદબો છે. અનેક કંપનીઓએ આધુનિક ફીચર્સથી સજ્જ ઈલેક્ટ્રિક સ્કુટર્સ લોન્ચ કર્યા છે. હાલમાં ઈલેક્ટ્રિક વાહનો (Electric vehicles) ખૂબ મોંઘા છે.

પરંતુ તેનો અર્થ એ નથી કે માર્કેટમાં સસ્તા ઈલેક્ટ્રિક વાહનો બજારમાં બિલકુલ હાજર નથી. ખાસ કરીને ઈલેક્ટ્રિક સ્કૂટરની વાત કરીએ તો માર્કેટમાં ઘણા સસ્તા ઈલેક્ટ્રિક સ્કૂટર ઉપલબ્ધ છે. ચાલો તમને તેમના વિશે માહિતી આપીએ.

1) Avon E Scoot-

Avon E Scootની કિંમત લગભગ 45,000 રૂપિયા છે. કંપનીનો દાવો છે કે તે 65 કિમીની રેન્જ આપે છે. તેની ટોપ સ્પીડ 24KMPH છે. સ્કૂટર 215W BLDC મોટર અને 48V/20AH બેટરી સાથે આવે છે. બેટરીને ફુલ ચાર્જ થવામાં 6થી 8 કલાકનો સમય લાગે છે.

2) Bounce Infinity E1-

Bounce Infinity E1ની કિંમત રૂ. 45,099 (બેટરી વગરનું વેરિઅન્ટ)થી શરૂ થાય છે. બેટરી પેક વેરિઅન્ટની કિંમત 68,999 રૂપિયા છે. તે 2kWh/48V બેટરી સાથે આવે છે. કંપનીનો દાવો છે કે સ્કૂટરની ટોપ સ્પીડ 65kmph છે અને રેન્જ 85km છે.

3) Hero Electric Optima CX-

Hero Electric Optima CXની (સિંગલ બેટરી વેરિઅન્ટ) કિંમત 62,190 રૂપિયા છે. કંપનીનો દાવો છે કે સ્કૂટરની ટોપ સ્પીડ 45 KM/H છે અને રેન્જ 82KM છે. તેમાં ત્રણ કલર ઓપ્શન છે. તે 51.2V/30Ah બેટરી સાથે આવે છે, જે 4 થી 5 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે.

4) Ampere Magnus EX-

Ampere Magnus EXમાં એલસીડી સ્ક્રીન, ઈન્ટીગ્રેટેડ યુએસબી પોર્ટ, કીલેસ એન્ટ્રી અને એન્ટી થેફ્ટ એલાર્મ છે. તે 1.2 kW મોટર સાથે આવે છે. તેની ટોપ સ્પીડ 55 કિમી પ્રતિ કલાક છે. તે 60V, 30Ah બેટરી સાથે આવે છે, જે 121 કિમીની રેન્જ આપવામાં સક્ષમ છે. તેની કિંમત 73,999 રૂપિયા છે.

આ પણ વાંચો :-

24 ડિસેમ્બર 2022 નું રાશિફળ : આ રાશિના લોકો પર હંમેશા રહે છે લક્ષ્મીજીની કૃપા -ઘરમાં ભરાશે ધનનો ભંડાર

December 24, 2022 Horoscope Gujarat Guardian

મેષ
‌દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધા‌ર્મિક યાત્રા, પ્રવાસના યોગ બને છે. ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

વૃષભ
‌દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય ‌દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પ‌રિવારના સભ્યોએ પડવા વાગવાથી સાચવવું.

‌મિથુન
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ‌ચિંતા હળવી થતી જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે લાભ. આરોગ્ય સારૂં રહેશે.

કર્ક
આ‌‌ર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. ‌મિત્રો ના સહકારથી આ‌‌ર્થિક લાભ મળતો જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે. આક‌સ્મિક ધનલાભ ના યોગ છે.

‌સિંહ
સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાતા જણાય. આદ્યા‌ત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા નો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઇજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ, કાપડના ધંધામાં ‌વિશેષ લાભ.

કન્યા
નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાફચાતુર્ય દ્વારા સફળતા પ્રાપ્ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. ‌દિવસ દરમ્યાન ટુકડે ટુકડે આવક મળતી રહે. ‌વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું.

તુલા
નસીબના સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શકય બને. પ‌રિવારના સભ્યોની પ્રગ‌તિથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. ‌મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃ‌શ્ચિક
આવકમાં વધારો થતો જણાય. આક‌સ્મિક ધન લાભના યોગ છે. પ‌રિવારમાં સુખ-શાં‌તિ બરકરાર રહેશે. સંતાન સાથે વાદ ‌વિવાદ ટાળવો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂ‌તિ થતી જણાય છે.

ધન
માન‌સિક શાં‌તિ-આનંદમાં વધારો થાય. ડોક્ટર, બેંક, ધર્મ કે જ્યો‌તિષને લગતા ધંધામાં ‌વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્તાંગ સંબંધી વ્યાધીથી સાવચેતી જરૂરી. સ્થાવર જંગમ ‌મિલકતથી લાભ.

મકર
‌દિવસ દરમ્યાન થોડી ઉદાસીનતા વર્તાય. વાયુનો ઉપદ્રવ વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં, આવશ્યક કાર્યો પૂરા કરી શકાય.

કુંભ
નાણાંકીય પાસુ મજબૂત બને. શેરબજાર, ટ્રાવે‌લિંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવવો શકય બને. સંતાનની ‌ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારૂ છે. નાના એક-બે ‌દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીન
મનોબળ મજબૂત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્ર‌તિષ્ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.

આ પણ વાંચો :-

ખેડૂતે એવું દિમાગ દોડાવ્યું, એક ખેતીમાંથી 3 બિઝનેસ કરીને લાખો કમાવ્યા

0

The farmer ran the brain

  • એક સમય હતો જ્યારે ગુજરાતના ખેડૂતોની જમીન પાણી માટે તરસતી રહેતી હતી. પરંતુ હવે છેવાડા સુધી પણ પાણી પહોંચતા ખેડૂતો ખેતીમાં વિવિધ પ્રયોગો કરી રહ્યાં છે.

આ રીતે ગુજરાતના (Gujarat) ખેડૂતો હવે ઓછી મહેનતે લાખોની કમાણી કરતા થયા છે. ત્યારે નર્મદા (Narmada) જિલ્લાના નાંદોદ તાલુકાના કરાંઠા ગામના ખેડૂતે બાગાયતી પાક (horticultural crops) કરીને પોતાની આર્થિક પરિસ્થિતિમાં સુધાર લાવ્યા છે.

કરાંઠા ગામમાં રહેતા પ્રિયાંક પટેલ પહેલા કેળાની ખેતી કરતા હતા. કેળાની ખેતીમાં વર્ષે આવક થતી હતી. ત્યારબાદ તેમને વર્ષ 2019 થી તરબૂચની ખેતી કરી. પણ તડબૂચનો પાક જ્યારે બજારમાં વેચવાનો સમય આવ્યો ત્યારે લોકડાઉન આવી ગયું.

ત્યારે આ જાગૃત ખેડૂતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજીટલ ઈન્ડિયાનો સહારો લઈને સોશિયલ મીડિયા થકી તરબૂચનું વેચાણ શરુ કર્યું હતું. જેમાં તેમને સારી આવક થઈ હતી. પ્રિયાંક પટેલને ત્યારબાદ બાગાયતી ખેતી તરફ વળવાનો વિચાર આવ્યો અને હાલ તેમને લાલ જામફળની ખેતી કરી છે.

પોતાના 3 એકરના ખેતરમાં 200 રૂપિયાના ભાવના લાલ જામફળના 1300 થી પણ વધુ છોડ વાવ્યા છે. આ જામફળની ખેતી 20 વર્ષની છે. પણ જામફળનું ઉત્પાદન દોઢ વર્ષમાં શરુ થઈ જાય છે. એટલે 20 વર્ષ સુધી તો ખેડૂતની આવક ચાલુ જ રહે છે અને ઉત્પાદન માટે રાહ પણ જોવી પડતી નથી.

જામફળની ખેતીની સાથે બીજા પણ પાક લઈ શકાય છે. જેથી આવક બમણી થઈ જાય છે. જામફળની ખેતી કરવાથી તેમાંથી નેચરલ જ્યુસ માટે તેનો પલ્પ પણ બનાવીને બજારમાં વેચી શકાય છે. જ્યારે તેથી વેફર પણ બને છે અને જામફળનો પાવડર પણ બજારમાં વેચીને આવક થઈ શકે છે.

લાલ જામફળનું ફળ 1 કિલો ગ્રામ થતું હોય છે. પલ્પ ની વાત કરીએ તો બજારમાં 200 રૂપિયે કિલો જામફળનો પલ્પ વેચાતો હોય છે. હાલ કરાંઠા ગામના પ્રિયાંક પટેલ પોતાના ખેતરના જામફળ ગુજરાત જ નહિ, પણ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પણ વેચીને સારું વળતર મેળવી રહ્યા છે. જામફળના વેચાણ માટે એમને ક્યાંય પણ જવાની જરૂર પડતી નથી.

ડિજિટલ ઈન્ડિયા દ્વારા એટલે કે સોશિયલ મીડિયાના માધ્યમ થકી પોતે માર્કેટિંગ કરીને જામફળ વેચી રહ્યા છે. વર્ષ 2022 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ લીધો હતો તે તેમને ચરિતાર્થ કર્યો છે. બાબતે પ્રિયાંક પટેલ જણાવે છે કે જો ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળે તો ચોક્કસ ખેડૂતોની આવક બમણી થઈ શકે છે.

આ પણ વાંચો :-

આ રહ્યા ભારતના ટોપ-50 ધુતારાઓ ! દેશનું 92,570 કરોડનું કરી ગયા

0

Here are the top 50 stars of India

  • દેશના ટોચના 50 “વિલફુલ ડિફોલ્ટરો” (Wilful Defaulters) પર 31 માર્ચ, 2022 સુધીમાં ભારતીય બેંકોના 92,570 કરોડ રૂપિયાનું દેવું બાકી (wilful defaulters’ owe Indian banks) હતું. વિલફુલ ડિફોલ્ટર્સ તેવા ઉધાર લેનારાઓ છે. જેમની પાસે બેંકોને પાછા ચૂકવવાનું સાધન છે. પરંતુ તે ચૂકવણી કરતા નથી.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટાને આધારે સરકારે 19 ડિસેમ્બરે સંસદમાં જણાવ્યું હતું કે, દેશના ટોચના 50 “વિલફુલ ડિફોલ્ટરો” (Wilful Defaulters) પર 31 માર્ચ, 2022 સુધીમાં ભારતીય બેંકોના 92,570 કરોડ રૂપિયાનું દેવું બાકી (wilful defaulters’ owe Indian banks) હતું.

વિલફુલ ડિફોલ્ટર્સ તેવા ઉધાર લેનારાઓ છે. જેમની પાસે બેંકોને પાછા ચૂકવવાનું સાધન છે. પરંતુ તે ચૂકવણી કરતા નથી. બેંકો આવા ડિફોલ્ટરોને નાણાંકીય પ્રણાલીમાંથી બાકાત રાખે છે અને આ ડિફોલ્ટર્સ બેંકો પાસેથી લોન મેળવી શકતા નથી અથવા નવા વ્યવસાયો શરૂ કરી શકતા નથી.

ગીતાંજલિ જેમ્સ લિમિટેડ યાદીમાં ટોચ પર :

રાજ્યકક્ષાના પ્રધાન ભાગવત કરાડે (Bhagwat Karade) એક લેખિત જવાબમાં સંસદમાં જણાવ્યું હતું કે, 7,848 કરોડ રૂપિયાની લોન પર ડિફોલ્ટ કરનાર ગીતાંજલિ જેમ્સ લિમિટેડ (Gitanjali Gems Limited) આ યાદીમાં ટોચ પર છે. ત્યાર બાદ ઈરા ઈન્ફ્રા (5,879 કરોડ રૂપિયાના એક્સપોઝર સાથે) અને રેઈ એગ્રો છે, જેણે 4,803 કરોડ રૂપિયાની લોન પર ડિફોલ્ટ જાહેર કર્યું છે.

ગીતાંજલિ જેમ્સને ભાગેડુ ડાયમેંટેર મેહુલ ચોક્સી દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. અહેવાલોમાં જણાવાયું છે કે, ગત અઠવાડિયે CBIએ ચોક્સી સામે બેંકોના એક જૂથ સાથે 6,746 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં ત્રણ નવા કેસ દાખલ કર્યા હતા.

એક કિસ્સામાં ચોક્સી, ગીતાંજલિ જેમ્સ અને તેના વરિષ્ઠ અધિકારીઓ પર 2010થી 2018ની વચ્ચે 28 બેંકોના કન્સોર્ટિયમ સાથે 5,564 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. મંત્રીએ જણાવ્યું હતું કે, આ યાદીમાં સામેલ અન્ય લોકોમાં કોનકાસ્ટ સ્ટીલ એન્ડ પાવર, એબીજી શિપયાર્ડ, ફ્રોસ્ટ ઈન્ટરનેશનલ અને વિનસમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરીનો સમાવેશ થાય છે.

બેન્કો ખરાબ લોનની વસૂલાત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે રિકવરી માટે કોઈ અવકાશ ન હોય ત્યારે ધિરાણકર્તાઓ સામાન્ય રીતે લોન માફ કરી દે છે. RBIના આંકડા મુજબ બેંકોએ છેલ્લા પાંચ નાણાંકીય વર્ષમાં 10.09 લાખ કરોડ રૂપિયા રાઈટ ઓફ કરી દીધા છે.

દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ છેલ્લાં પાંચ નાણાંકીય વર્ષમાં રૂ. 2 લાખ કરોડ, પંજાબ નેશનલ બેન્કે રૂ. 67,214 કરોડ અને ત્યાર બાદ આઈડીબીઆઇ બેન્કે રૂ. 45,650 કરોડ રાઈટ ઓફ કર્યા હતા. ખાનગી ક્ષેત્રની બેન્કોમાં આઈસીઆઈસીઆઈ બેન્કે રૂ. 50,514 કરોડની લોન અને એચડીએફસી બેન્કે રૂ. 34,782 કરોડની લોન માફ કરી હતી.

છેલ્લાં થોડાં વર્ષોમાં બેન્ક એનપીએમાં ઘટાડામાં રાઈટ-ઓફનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. જૂન 2022 માટે આરબીઆઈના નાણાંકીય સ્થિરતા અહેવાલ અનુસાર માર્ચ 2022માં બેંકોનો ગ્રોસ એનપીએ રેશિયો ઘટીને છ વર્ષના નીચલા સ્તર 5.9 ટકા પર આવી ગયો છે. માર્ચ 2022માં નેટ નોન પરફોર્મિંગ એસેટસ રેશિયો ઘટીને 1.7 ટકા થયો હતો. કુલ એનપીએ રેશિયો એ બેંકની કુલ લોનની ખરાબ લોનની ટકાવારીનો દર્શાવે છે.

આ પણ વાંચો :-

અરે શું વાત છે ! આ કંપની 797 રૂપિયાના રિચાર્જ પર આપી રહી છે 365 દિવસની વેલેડિટી, સાથે ફ્રી કોલ અને દરરોજના 2 GB ડેટા

The company is offering 365 days validity

  • ટેલિકોમ કંપની 797 રૂપિયાના રીચાર્જ પ્લાનની કિંમતમાં એક વર્ષની વેલેડિટી સાથે ફ્રી કોલ અને દરરોજના 2 GB ડેટા આપી રહી છે. ચાલો જાણીએ આ પ્લાન વિશે..

આપણે દરેક લોકો મોબાઈલ (Mobile) વાપરીએ છીએ અને હાલ મોબાઈલ અને તેમાં ઈન્ટરનેટ વિના જીવવું શક્ય નથી. એવામાં ભારતમાં ફોનના બિલમાં ટૂંક સમયમાં વધારો આવી શકે છે. ટેલિકોમ કંપનીઓ Airtel, Jio અને Vi જલ્દી જ એમના રિચાર્જ પ્લાનની (Recharge plan) કિંમતમાં વધારો કરી શકે છે.

ટેલિકોમ કંપનીના આ ભાવ વધારાની સામે જ એક એક ટેલિકોમ કંપની છે જેના ઘણા પ્લાન સામાન્ય લોકોના બજેટમાં ફિટ થાય છે. આ ટેલિકોમ કંપની 797 રૂપિયાના રીચાર્જ પ્લાનની કિંમતમાં એક વર્ષની વેલેડિટી સાથે ફ્રી કોલ અને દરરોજના 2 GB ડેટા આપી રહી છે. ચાલો જાણીએ આ પ્લાન વિશે.

જો તમે બીએસએનએલની ટેલિકોમ સેવાઓનો ઉપયોગ કરો છો. આવી સ્થિતિમાં આ સમાચાર તમારા કામના છે. આજે અમે તમને BSNL ના એક શાનદાર રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. BSNLના આ રિચાર્જ પ્લાનમાં ઘણા મોટા ફાયદાઓ મળી રહ્યા છે જેવા કે આ પ્લાનમાં એક વર્ષની વેલિડિટી મળે છે.

હાલની પરિસ્થિતિમાં દેશમાં મોટી સંખ્યામાં લોકો Jio, Airtel અથવા Viની ટેલિકોમ સેવાઓનો ઉપયોગ કરે છે અને આ ટેલિકોમ કંપનીના રિચાર્જ પ્લાન ઘણા મોંઘા છે એવામાં લોકો BSNLની ટેલિકોમ સેવાઓનો રિચાર્જ પ્લાનનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહ્યા છે. અન્ય ટેલિકોમ કંપનીઓની તુલનામાં BSNL તેના રિચાર્જ પ્લાનમાં ઘણી સસ્તી કિંમતો પર ઘણા શ્રેષ્ઠ લાભો ઓફર કરી રહી છે.

BSNLના આ રિચાર્જ પ્લાનની કિંમત 797 રૂપિયા છે. આ પ્લાનમાં તમને એક વર્ષની વેલિડિટી મળી રહી છે આ સાથે જ બીજા ઘણા ફાયદા મળી રહ્યા છે.

BSNLના આ પ્લાનમાં ઈન્ટરનેટ વપરાશ માટે દૈનિક ડેટા લિમિટનો લાભ પણ મળે છે. જણાવી દઈએ કે આ પ્લાનમાં તમને દરરોજ 2GB ઈન્ટરનેટ ડેટા મળે છે જે 60 દિવસ સુધી ઉપલબ્ધ છે.

આ સાથે જ આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળી રહી છે.

આ સિવાય પ્લાનમાં દરરોજ 100 SMSની સુવિધા પણ મળી રહી છે.

જો તમે લાંબી વેલિડિટી સાથે સસ્તો અને સારો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો તો BSNLના આ પ્લાન સાથે રિચાર્જ કરી શકો છો.

આ પણ વાંચો :-

પેન્સિલના છોતરાથી માસૂમ બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો, ડોક્ટરને પણ ન આવ્યો વિશ્વાસ

0

It was the turn of an innocent girl to lose  જ્યારે સંબંધીઓ બાળકીને લઈને નજીકની હોસ્પિટલમાં પહોંચ્યા તો ડોક્ટરોએ જણાવ્યું કે બાળકીનું મૃત્યુ થઈ ગયું છે. આ મામલો હમીરપુરના કોતવાલી સ્થિત ગામનો છે. અહીં રહેતા નંદકિશોર નામના વ્યક્તિનો દીકરો અને બે દીકરીઓ ટેરેસ પર ભણતા હતા. તે દરમિયાન આ છ વર્ષની બાળકી આ અકસ્માતનો શિકાર બની હતી.

ક્યારેક ક્યારેક નાના બાળકો અત્યંત જોખમી કૃત્યો કરે છે અને માતાપિતાને ખબર પણ નથી હોતી. બાળકના જોખમી કૃત્યને ધ્યાનમાં ન લેવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આવો જ એક દુર્ભાગ્યપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે જ્યાં પેન્સિલના છોતરાને લીધે એક બાળકીનું મૃત્યુ થયું છે.

પેન્સિલ મોઢામાં જ છાલકા મારી રહી હતી !

વાસ્તવમાં આ ઘટના ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) હમીરપુરની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બધુ ત્યારે થયું જ્યારે છોકરી તેના મોંમાં પેન્સિલ છોલી રહી હતી.. આ બાળકી છ વર્ષની છે અને તે તેના ભાઈ સાથે ઘરની ટેરેસ પર ભણતી હતી. આ દરમિયાન તેણીએ તેની પેન્સિલ છાલવાનું શરૂ કર્યું.

બાળકીના ગળામાં છોલ ફસાયો :

આ છોકરી મોઢામાં કટર ચોંટાડીને પેન્સિલની છાલ કાઢી રહી હતી. પરંતુ કમનસીબે કે બાળકીના ગળામાં પેન્સિલનો છોલ ફસાઈ ગયો. જેથી ગૂંગળામણ થવા લાગી. બાદમાં બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી અને ત્યાં બાળકીનું મૃત્યુ થઈ ગયું.

જ્યારે સંબંધીઓ બાળકીને લઈને નજીકની હોસ્પિટલમાં પહોંચ્યા તો ડોક્ટરોએ જણાવ્યું કે બાળકીનું મૃત્યુ થઈ ગયું છે. રિપોર્ટ્સ અનુસાર આ મામલો હમીરપુરના કોતવાલી સ્થિત ગામનો છે. અહીં રહેતા નંદકિશોર નામના વ્યક્તિનો દીકરો અને બે દીકરીઓ ટેરેસ પર ભણતા હતા. તે દરમિયાન આ છ વર્ષની બાળકી આ અકસ્માતનો શિકાર બની હતી.

આ પણ વાંચો :-

હેલમેટ સહિત ટ્રાફિકના નિયમો પાળવા લાગજો ! ટ્રાફિકની નવી પોલિસી થઈ શકે છે જાહેર 

0

Start obeying traffic rules including helmet

  • અમદાવાદ સહિત ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો તોડનારા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા.

ગુજરાત સરકાર આગામી દિવસોમાં ટ્રાફિકની નવી પોલિસી (New traffic policy) જાહેર કરી શકે છે. જેને લઈ હવે વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજીયાત થશે. આ સાથે ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારાઓના ઘરે જ મેમો આવશે. મહત્વનું છે કે, આગામી દિવસોમાં હવે બોડિ વોર્ન કેમેરા (Body Worn Camera) સાથે સિગ્નલ પર પોલીસ અને ટ્રાફિક પોલીસ (Traffic Police) તૈનાત રહેશે.

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો તોડનારા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હાલમાં ગૃહ વિભાગ દ્વારા નવા નિયમોની તૈયારી ચાલી રહી છે. જેથી હવે આગામી દિવસોએ રોંગ સાઈડમાં ગાડી ચલાવતા વાહન ચાલકો સામે પણ એક્શન લેવાશે. આ સાથે વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત થશે. ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારાઓના ઘરે જ મેમો આવશે.

નવી ટ્રાફિક પોલીસી જાહેર કરી શકે છે સરકાર  :

નોંધનીય છે કે સરકાર આગામી મહિનામાં નવી ટ્રાફિક પોલીસી જાહેર કરી શકે છે. જે મુજબ ગુજરાતવાસીઓએ હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે. જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં પણ ફરજીયાત હેલમેટ પહેરવા પડશે. આ સાથે નિયમોના ભંગ બદલ સીધા ઘરે જ મેમો આવશે તો બોડિ વોર્ન કેમેરા સાથે સિગ્નલ પર પોલીસ અને ટ્રાફિક પોલીસ રહેશે. અહી ઉલ્લેખનીય છે કે 35 ટકા કેસોમા હેલ્મેટ ન પહેરવાથી મોત થાય છે. શહેરી વિસ્તારોમાં રોંગ સાઈડ ટ્રાફિક પર પણ એક્શન લેવાશે.

મહત્વનું છે કે અમદાવાદમાં BRTS અને ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. BRTS કોરિડોરમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી ટ્રાફિક પોલીસે 41 વાહનો ડિટેઇન કર્યા છે. આ સાથે વાહનો ડિટેઇન કરવા સાથે 14 હજાર રૂપિયાથી વધુનો દંડ વસૂલાયો છે.

આ પણ વાંચો :-