Home Blog Page 1209

દીપિકાની “ભગવા બિકીની” પર ફરશે સેંસર બોર્ડની કાતર, મેકર્સે ‘બેશરમ રંગ’માં કરવા પડશે ફેરફાર

Deepika’s ‘Saffron Bikini’ to Censor Board

  • ‘પઠાણ’ ફિલ્મ હાલમાં જ સર્ટિફિકેશન માટે સીબીએફસી એગ્ઝામિનેશન કમિટી પાસે પહોચી. ફિલ્મને ખૂબ જ બારીકાઈથી જોવામાં આવી. આ ફિલ્મ 2023માં હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલિઝ થવાની છે.

વર્ષ 2023માં આવનારી ફિલ્મ પઠાણને લઈને ઘણો હંગામો થઈ રહ્યો છે. શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને દીપિકા પાદુકોણની (Deepika Padukone) મોસ્ટ અવેઇટેડ ફિલ્મ પઠાણના પહેલા સોન્ગ ‘બેશરમ રંગ‘ પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. દીપિકા પાદુકોણની ‘ભગવા બિકીની’ને લઈને ઘણું રાજકારણ થયું હતું.

ફિલ્મ પર બેન મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર વિવાદ વચ્ચે એક નવું અપડેટ સામે આવ્યું છે. સેન્સર બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર મેકર્સે ફિલ્મમાં ઘણા ફેરફાર કરવા પડશે.

સેન્સર બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મ પઠાણ હાલમાં જ સર્ટિફિકેશન માટે CBFC એગ્ઝામિનેશન કમિટી પાસે ગઈ હતી. CBFCની ગાઈડલાઈન અનુસાર ફિલ્મને બારીકાઈથી જોવામાં આવી હતી. કમિટીએ મેકર્સને ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવાની સલાહ આપી છે. આ ફેરફારો ફિલ્મના સોન્ગ વિશે પણ છે. કમિટીએ પઠાણને તેની થિયેટર રિલીઝ પહેલાં રિવાઈઝડ વર્ઝનને સબમિટ કરવાનો આદેશ આપ્યો છે.

એજન્સી અનુસાર, CBFC સોર્સ કહે છે કે “સેન્સર બોર્ડ હંમેશા જ ક્રિએટિવ એક્સપ્રેશંસ અને લોકોની સેંસિબિલિટી વચ્ચે યોગ્ય બેલેન્સ જાળવી રાખે છે.” અમારું માનવું છે કે પરસ્પર વાતચીત દ્વારા તમામ મુદ્દાઓનો ઉકેલ શોધી શકાય છે. જ્યાં સુધી સૂચિત ફેરફારો ન થાય ત્યાં સુધી, હું જણાવવા માંગુ છું કે આપણી સંસ્કૃતિ અને માન્યતાઓ ભવ્ય, જટિલ અને સૂક્ષ્મ છે.

પઠાણ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થશે. શાહરૂખ ખાન આ ફિલ્મથી 4 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર પરત ફરશે. પઠાણમાં દીપિકા પાદુકોણ સાથે શાહરૂખની જોડી છે. બંને કલાકારો જ્યારે પણ સિલ્વર સ્ક્રીન પર સાથે આવ્યા છે ત્યારે બોક્સ ઓફિસ પર ધમાલ મચી ગઈ છે. શાહરૂખ અને દીપિકાની આ ફિલ્મ શું તહેલકો મચાવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો :-

30 ડિસેમ્બર 2022 રાશિફળ : શુક્રવારના રોજ માં મોગલની કૃપા થશે આ રાશીઓ પર – મળશે સફળતાના માર્ગ

December 30, 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
માનસિક ઉગ્રતા રહે. પરંતુ બપોર પછી સુધારો થતો જણાય. ઈચ્છિત આવકની પ્રા‌પ્તિ અટકે. સ્વાસ્ધ્ય સાચવવું. નવા નાણાકીય રોકાણો ટાળવા. માતૃપક્ષ તરફથી ચિતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી રહે.

વૃષભઃ
આધાત્મિક ક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાનસુખ સારું. મિત્રોથી લાભ. દામ્પત્ય જીવનમાં એકરાગિતા રહે. ભાગ્ય સારું રહે. નોકરી ધંધામાં રાહત.

મિથુનઃ
માનસિક ચિંતા વધે. આકસ્મિક ખર્ચની સંભાવના છે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ રહે. નાણાંનો વ્યવહાર સાચવીને કરવો અન્યથા નાણાં ફસાઈ જવાનો યોગ છે. સાંજે પરિસ્થિતિમાં સુધારો જણાય.

કર્કઃ
દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતો જણાય. આર્થિક બાબતો અંગે સાવધાની રાખવી જરૂરી છે. પરિવારમાં લાગણીશીલતા, સ્નેહનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. દામ્પત્યજીવનમાં પ્રેમ જળવાય.

સિંહઃ
આવકનું પ્રમાણ વધવા છતાં માનસિક ઉચાટ રહે. પરિવારમાં મનમેળ રહે. શરદી-ખાંસી-કફથી સાચવવું. સંતાન અંગે ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. વિચારો ઉપર કાબુ રાખવો. હકારાત્મક વિચારો કરવા.

કન્યાઃ
દિવસ દરમિયાન આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારના સભ્યો સાથે પરસ્પર પ્રેમ જળવાય. જીવનસાથીની પ્રગતિથી આનંદ. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલાઃ
નાણાકીય રોકાણમાં સાવચેતી જરૂરી. સંતાન સાથે વાદવિવાદ ટાળવો. નોકરી-ધંધામાં ચિંતાનું વાતાવરણ. સર્જાય. વાહન સાચવીને ચલાવવું. માતાની તબિયતની ચિંતા રહે. બપોર પછી પરિસ્થિતિ થાળે પડતી જણાય.

વૃશ્ચિકઃ
આત્મબળ વધતા અગત્યના નિર્ણયો મક્કમતાથી લઈ શકાશે. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. જ્ઞાનતંતુ સંબંધી સમસ્યાઓથી સાચવવું.

ધનઃ
નાણાકીય આવક વધતી જણાય. નાના ભાઈ બહેનની ચિંતા હળવી થતી જણાય. માતૃસુખ સારું. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. માન-સન્માનમાં વધારો થાય. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.

મકરઃ
સમાજસેવા ક્ષેત્રે મન પરોવાય પરિણામે યશ-પ્રતિષ્ઠા વધે. પરિવારમાં આનંદ અને કરેલા કાર્યના સારા ફળ મળતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સાડી, ડ્રેસ મટિરિયલ તથા સૌંદર્ય પ્રસાધનના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થતો અનુભવાય. આવકનું પાસું મજબૂત બને. પરિવારમાં સ્નેહ વધે. સંતાનની ચિંતા સતાવે. ભાગ્યના બળે ધંધામાં સફળતા મળવાના યોગ છે. પાણીથી દૂર રહેવું.

મીનઃ
મનમાં ચંચળતા વધે. વિચારવાયુંનું પ્રમાણ વધે. ધનપ્રાપ્તિના યોગ બને છે. નવા પ્રેમ સંબંધોનું નિર્માણ થાય. ઝવેરાત, સોના ચાંદીની ખરીદી શક્ય બને. ભાગીદારી તથા દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય.

આ પણ વાંચો :-

મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અને રાધિકાની રોકા સેરેમનીનો પહેલો ફોટો થયો વાયરલ

0

First photo of Mukesh Ambani

  • અંબાણી પરિવારમાં હાલમાં ઉજવણીનો માહોલ છે. હવે સારા સમાચાર જ કંઈક આવા છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટ સાથે રોકા સેરેમની યોજાઈ છે. હવે બંને બહુ જલ્દી બંને લગ્ન કરી લેશે.

અંબાણી પરિવારમાં (Ambani family) હાલમાં ઉજવણીનો માહોલ છે. હવે સારા સમાચાર જ કંઈક આવા છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની (Anant Ambani) રાધિકા મર્ચન્ટ સાથે રોકા સેરેમની યોજાઈ છે. હવે બંને બહુ જલ્દી બંને લગ્ન કરી લેશે. અનંત અને રાધિકાના લગ્ન પહેલા રોકા સેરેમની યોજાઈ હતી. આ કપલની રોકા સેરેમનીની (Roca Ceremony) પહેલી તસવીર સામે આવી છે. તેમની વિધિ શ્રીનાથજી મંદિરમાં થઈ હતી.

અનંત અને રાધિકાના લગ્ન ક્યારે થશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. અનંત અને રાધિકા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. રાધિકા અંબાણી પરિવારના દરેક ફેમિલી ફંક્શનમાં જોવા મળી છે. હવે બહુ જલ્દી તે અંબાણી પરિવારની નાની વહુ બનશે.

કોણ છે રાધિકા મર્ચન્ટ ?

રાધિકા વિરેન મર્ચન્ટની પુત્રી છે. વિરેન એક હેલ્થકેર ફર્મના CEO છે. રાધિકાએ રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે. 2017માં તેઓ સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ઈસ્પ્રાવા ટીમમાં જોડાયા હતા. રાધિકા દેખાવમાં ખૂબ જ સુંદર છે. તેને વાંચન, ટ્રેકિંગ અને સ્વિમિંગનો શોખ છે. રાધિકા અને અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે. રાધિકા અને અનંતનો એક સાથે ફોટો 2018માં વાયરલ થયો હતો.

આ પણ વાંચો :-

પાકમાં ખળભળાટ ! ઈમરાન ખાનના 6 વીડિયો લીક, મહિલાથી માંડીને યુવાન સાથે બાધ્યાં સંબંધ

Bustle in the crop! 6 sex videos of Imran Khan leaked

  • પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન એક મોટા વિવાદમાં ફસાયા છે. ઈમરાન ખાનના 6 સેક્સ વીડિયો લીક થતા ખળભળાટ મચ્યો છે.

પાકિસ્તાનની (Pakistan) રાજનીતિમાં ઈમરાન ખાનના (Imran Khan) સેક્સ ઓડિયો બાદ હવે આ વીડિયોને લઈને તોફાન મચ્યું છે. ઈમરાન ખાન 6 સેક્સ વીડિયો લીક (Sex video leak) થયા છે જે કેટલાક પત્રકારો, બિઝનેસમેન અને અન્ય મહત્વના લોકો સુધી પહોંચ્યા છે અને તેમાંના કેટલાક તો વાયરલ પણ થવા લાગ્યાં છે.

પાકિસ્તાનના જાણીતા પત્રકાર અસદ તૂરે ખુલાસો કર્યો છે કે આ સમયે પાકિસ્તાનના કેટલાક લોકો સુધી કુલ 6 સેક્સ વીડિયો પહોંચ્યા છે. તૂરે કહ્યું કે આ તમામ વીડિયો ઈમરાન ખાનના નજીકના લોકોએ બનાવ્યા છે.

પહેલા વીડિયોમાં ઈમરાન દેખાયા આયલા મલિક સાથે વાંધાજનક હાલતમાં : 

પહેલા વીડિયોમાં ઈમરાન ખાન કથિત રીતે પાકિસ્તાનની પૂર્વ સાંસદ આયલા મલિક સાથે જોવા મળી રહ્યા છે. આ એ જ આયલા મલિક છે જેની સાથે ઈમરાન ખાનનો કથિત ફોન સેક્સ ઓડિયો આવ્યો છે.

બીજા વીડિયોમાં યુવક સાથે સંબંધ :

બીજા સેક્સ વીડિયોમાં ઈમરાન ખાન એક યુવક સાથે જોવા મળી રહ્યાં છે અને તેની સાથે સંબંધ બાંધી રહેલા જોવામાં આવ્યાં હતા.

ત્રીજા વીડિયોમાં સ્વિમિંગ પૂલમાં ગંદી હરકત  :

ત્રીજા વીડિયોમાં ઈમરાન સ્વિમિગ પૂલમાં એક મહિલા સાથે વાંધાજનક હાલતમાં મસ્તી કરી રહેલા દેખાય છે. ઈમરાન તેમની સાથે સેક્સી ટોક પણ કરી રહ્યાં છે.

ચોથા વીડિયોમાં યુવક સાથે દેખાયા :

ઈમરાન ખાને ચોથા વીડિયોમાં એક જવાન વ્યક્તિ સાથે સંબંધ બાંધ્યો હોવાનો પણ દાવો પાક.પત્રકારે કર્યો છે.
આમાંથી મોટાભાગના વીડિયોમાં ઓડિયો નથી હોતો. આ બતાવે છે કે જે વ્યક્તિએ આ વીડિયો બનાવ્યો છે તે પોતાની ઓળખ છુપાવવા માંગતો હતો.

પાંચમા-છઠ્ઠા વીડિયોમાં શું છે :

પાંચમા વીડિયોમાં ઈમરાન ખાન વાંધાજનક સ્થિતિમાં બેઠા છે અને તેઓ ગંદી ગંદી વાતો કરી રહ્યાં છે. છઠ્ઠા સેક્સ વીડિયોમાં પણ તેઓ એક મહિલા સાથે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે પ્લેબોયની ઈમેજ ધરાવતા ઇમરાન ખાને સત્તાવાર રીતે ત્રણ લગ્ન કર્યા છે પરંતુ ઘણી મહિલાઓ સાથે તેમના આડા સંબંધો રહ્યાં છે.

આ પણ વાંચો :-

 

અન્નપૂર્ણા યોજનાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, ગુજરાતના 29 સેન્ટર પર મળશે આટલાં રૂપિયામાં ભોજન

0

The government has taken a big decision

  • આજથી રાજ્યમાં અન્નપૂર્ણા યોજનાના વધુ 29 કેન્દ્રો ખુલશે. અગાઉ ઓક્ટોબર મહિનામાં 22 કેન્દ્ર ખોલવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ 5 રૂપિયામાં શ્રમિકોને ભોજન આપવામાં આવે છે..

બુધવારે કેબિનેટમાં લેવાય નિર્ણય મુજબ અમદાવાદ ખાતે 28 અને ગાંધીનગર ખાતે એક એમ કુલ 29 કેન્દ્ર ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજના (Shramik Annapurna Yojana) શરૂ કરવામાં આવી છે. આ તમામ કેન્દ્રો ઉપર આવનાર શ્રમિક પોતાનું ઈ નિર્માણ કાર્ડ લઈ આવશે અને તેનો ક્યુ આર કોડ સ્કેન (QR code scan) કરાવી પોતાના ટિફિનમાં કે જમવા માટે રૂપિયા પાંચમા ટોકન ટોકન દરે તેને અને તેના પરિવારને એક સમયનું ભોજન પૂરું પાડવામાં આવશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો સંદર્ભે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાં બંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનો માટે કાર્યરત શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સેવાઓનું વિસ્તરણ કરીને આવતીકાલ તારીખ ૨૯-૧૨-૨૦૨૨ થી રાજ્યમાં વધુ નવા ૨૮ જેટલા કડિયાનાકા પર આ સુવિધાનો શુભારંભ કરાવવામાં આવશે. આમ હવે રાજ્યના કુલ ૫૧ કડિયાનાકા – વિતરણ કેન્દ્રો પર આ યોજનાની સેવાઓ ઉપલબ્ધ બનશે.

મુખ્યમંત્રીના સક્ષમ નેતૃત્વ અને શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના સતત માર્ગદર્શન હેઠળ ગુજરાતના બાંધકામ શ્રમિકો માટે પોષણયુક્ત ભોજન મળી રહી તેવા ઉમદા હેતુથી શરૂ કરવામાં આવેલ શ્રમિક અન્નપૂર્ણા યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ માત્ર રૂ. 5/- ના નજીવા દરે સાત્વિક અને પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોઈ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણી થાય છે અને ૧૫ દિવસ સુધી ભોજન મેળવી શકે છે. ઈ-નિર્માણ કાર્ડ ઈશ્યુ થયેથી તે કાર્ડના આધારે શ્રમિક ભોજન મેળવી શકે છે. બાંધકામ સાઈટ પર 50 થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને બાંધકામ સાઈટ પર જ ડિલિવરી મળી રહે તે માટેની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

આ 29 કડીયાનાકા પર માસિક ૭૫ હજાર જેટલા ભોજન વિતરણ થશે. આ અગાઉ અમદાવાદના 19 કેન્દ્રો અને ગાંધીનગરના ત્રણ કેન્દ્રો ઉપર આ યોજના ચાલુ હતી અને આજે અમદાવાદના 28 કેન્દ્રો અને ગાંધીનગરના એક કેન્દ્ર એમ કુલ મળીને 51 કેન્દ્રો ઉપર હાલ આ યોજના કાર્યરત રહેશે.

તારીખ 8 ઓક્ટોબર, 2022 થી આજ દિન સુધી 1.83 લાખ કરતા વધારે શ્રમિકો દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત ભોજન લેવામાં આવેલ છે. શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત 2017થી અત્યાર સુધી કુલ 1.16 કરોડ જેટલા ભોજન વિતરણ થયા છે.

જરૂરિયાત ધરાવતા મહત્તમ લોકો આ યોજનાનો લાભ લે અને તેમને કમસેકમ એક ટાઈમનું પૌષ્ટિક ભોજન મળી રહે તેઓ શુભ આશય આ યોજના હેઠળ છે. આ યોજનાના નિયંત્રણ અને સંચાલન માટે પોર્ટલ બનાવેલ છે. સદર પોર્ટલમાંથી જ બાંધકામ શ્રમિકોને ટોકન આપવામાં આવે છે. તેનું પોર્ટલ સી.એમ.ડેશબોર્ડ અને જન સંવાદ સાથે ઈન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં રાજ્યના વિવિધ મહાનગરોમાં શ્રમિક અન્નપુર્ણા યોજના હેઠળ નવા કેન્દ્ર શરૂ કરવાનું આયોજન પણ વિચારણા હેઠળ છે.

આ પણ વાંચો :-

ટૂંક સમયમાં લગ્ન કરી રહ્યા છે તારક મહેતાના “અય્યર ભાઈ” ! બબીતા કરતા પણ વધુ સુંદર દેખાય છે તેમના થનારા પત્ની

Tarak Mehta’s “Iyer Bhai” is getting married soon

  • માત્ર રીલ લાઈફમાં જ નહીં રીયલ લાઈફમાં પણ ‘અય્યર’ તેની પત્નીના મામલામાં નસીબદાર છે, કારણ કે તેની ભાવિ પત્ની સુંદરતાની બાબતમાં ‘બબીતા ​​જી’ને પણ માત આપે છે.

કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ (Tarak Mehta Ka Ulta Chashma) ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ પાત્રો દર્શકોને હસાવવામાં ક્યારેય નિષ્ફળ જતા નથી. ખાસ કરીને શોમાં ‘અય્યર’  અને ‘બબીતા ​​જી‘ની (Babita G) જોડી દ્વારા લોકોને ખૂબ હસાવવામાં આવે છે. આ બંનેની જોડી પર ‘જેઠાલાલ’ની (Jethalal) મસ્તી પણ લોકોને ગમે છે.

લોકો ‘બબીતા ​​જી’ એટલે કે મુનમુન દત્તાની સુંદરતાના કાયલ છે. માત્ર રીલ લાઈફમાં જ નહીં રીયલ લાઈફમાં પણ ‘અય્યર’ તેની પત્નીના મામલામાં નસીબદાર છે. કારણ કે તેની ભાવિ પત્ની સુંદરતાની બાબતમાં ‘બબીતા ​​જી‘ને પણ મ્હાત આપે છે.

લગ્ન કરવા જઈ રહ્યા છે અય્યર  :

મીડિયા અહેવાલ અનુસાર,’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘અય્યર’નું પાત્ર ભજવનાર તનુજ મહાશબ્દે રિયલ લાઈફમાં કોઈને ડેટ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. આ સમાચાર પછી તેના ફેંસ ખૂબ જ ઉત્સુક છે અને તે જાણવા માંગે છે કે રિયલ લાઈફમાં તેની ભાવિ પત્ની કોણ છે.

કોણ છે ઐયરની પત્ની?

અત્યાર સુધી તનુજ મહાશબ્દેની ભાવિ પત્ની વિશે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ સમાચાર એ છે કે તેની મંગેતર ખૂબ જ સુંદર છે. તનુજની મંગેતર હોટનેસના મામલે ‘બબીતા ​​જી’ કરતા બે ડગલાં આગળ છે. હાલમાં તનુજ મહાશબ્દેએ તેની ભાવિ પત્નીનો ચહેરો કે તેનું નામ ફેંસ સાથે શેર કર્યું નથી. ફેંસને આશા છે કે તેઓ ટૂંક સમયમાં રહસ્ય પરથી પડદો ઉઠાવશે અને તેમના પ્રશ્નોના જવાબ આપશે.

ક્યારે કરશે લગ્ન?

તનુજ મહાશબ્દે વિશેના આ સમાચાર સાંભળ્યા બાદ ફેંસ તેને પૂછી રહ્યા છે કે તે ક્યારે લગ્ન કરવા જઈ રહ્યો છે? સાથે જ ઘણા ફેન્સ પણ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. ત્યાં જ કેટલાક ફેંસનું કહેવું છે કે ‘અય્યર’ની અસલી પત્નીને જોઈને ‘જેઠાલાલ‘ પણ ચોંકી જશે.

આ પણ વાંચો :-

સુરતમાં કરોડોના ખર્ચે બનાવેલા સિટી બસ સ્ટેન્ડને લઈને થયો મોટો ખુલાસો

0

There was a big revelation about

  • છેલ્લા 2 મહિનામાં પાલિકા સંચાલિત સિટી બસના લીધે અવાર-નવાર અકસ્માતો નોંધાઈ રહ્યાં છે. પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય વ્રજેશ ઉનડકટે બસચાલકો દ્વારા નિયમોની અવગણના કરવા સામે કડક પગલાં ભરવા રજૂઆત કરી હતી.

પાલિકાએ શહેરને સ્માર્ટ બનાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. જોકે અનેક વખત સ્માર્ટ પ્રોજેકટ (Smart project) ઉકરડા સમાન બની જતા હોય છે. ત્યારે સુરતમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા સિટી બસ સ્ટેન્ડમાંથી 80% બસ સ્ટેન્ડ નકામા હોવાનું સામે આવ્યું છે.

આ આરોપ ખુદ ભાજપના કોર્પોરેટર દ્વારા જ લગાડવામાં આવ્યા છે. આ સાથે જ સ્ટેન્ડ પર બસ ઊભી રહેવાના બદલે ડ્રાઇવર રસ્તાની વચ્ચે જ બ્રેક મારી પેસેન્જર બેસાડતા હોવાની ફરિયાદ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઊઠી હતી. આ અંગે સિટી લિંકને અકસ્માતો પર અંકુશ મેળવવા ચાલકો માટે ટ્રેનિંગ વર્કશોપ યોજવા માંગ કરાઈ હતી.

મહત્વનું છે કે છેલ્લા 2 મહિનામાં પાલિકા સંચાલિત સિટી બસના લીધે અવાર-નવાર અકસ્માતો નોંધાઇ રહ્યાં છે. પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય વ્રજેશ ઉનડકટે બસચાલકો દ્વારા નિયમોની અવગણના કરવા સામે કડક પગલાં ભરવા રજૂઆત કરી હતી.

ઉનડકટે પાલિકા કમિશનરને રજૂઆત કરતાં કહ્યું કે, પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચે સિટી બસ સ્ટોપ બનાવ્યા છે. જોકે હાલ 80 ટકા બિન ઉપયોગી દેખાઈ રહ્યા છે. ચાલકો બસ સ્ટેન્ડનો ઉપયોગ કરતાં જ નથી અને એકલ-દોકલ પેસેન્જર માટે પણ રોડ પર જ એકાએક બ્રેક મારી દે છે. જેથી પાછળ આવતા વાહનોના અકસ્માત થાય છે.

આ અંગે તેમણે કિસ્સા પણ રજૂ કર્યાં હતાં. આ સાથે જ શહેરભરના બસ સ્ટેન્ડ રેનબસેરા બની ગયા છે તો કેટલાકમાં ફેરિયા અને અસામાજિકોનો કબજો થઈ ગયો છે. જેથી સ્ટોપની મરામત કરવા પણ રજૂઆત કરાઈ હતી.

આ પણ વાંચો :-

ગીરનાં ખેડૂતોને માથે નવી આફત, આખી રાત કરવા પડે છે ઉજાગરા

0

Farmers of Gir face a new disaster

  • દીપડો ચાલાક અને ભયાનક પ્રાણી છે. તે અચાનક જ મનુષ્ય પર હુમલો કરે છે. એકવાર માનવ લોહી ચાખી ગયા બાદ તે માનવ ભક્ષી બની જાય છે.

ગીરના ખેડૂતો (Farmers of Gir) માથે નવી આફત આવી પડી છે. જંગલી ભૂંડ, નીલગાય અને હવે દીપડાઓ (Leopard) પણ આતંક મચાવી રહ્યા છે. વન્ય પ્રાણીઓ (wild animal) ખેડૂતોનાં પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે ખેડૂતોને પોતાના જીવના જોખમે પોતાના પાકનું રાતે રક્ષણ કરવું પડે છે.

ગીરનાં ગામોમાં ગીર જંગલ માંથી ખેડૂતો માટે નવી આફત આવી છે. ગીરનું જંગલ એટલે કોઈ મનુષ્ય વન વિભાગની મંજૂરી વગર પ્રવેશ ન કરી શકે અને પ્રવેશ કરે તો પણ વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચે તેવું કૃત્ય કરે તો કાયદાકીય રીતે ગુનો લાગુ પડે છે. પરંતુ એ જ વન્ય પ્રાણીઓ માનવ વસ્તીમાં આવી માનવ જીવ અને ખેડૂતોનાં પાકને નુકશાન કરે તો? બસ આવું જ બની રહ્યું છે ગીરના ખેડૂતોની સાથે.

ગીર સોમનાથ જિલ્લાનાં નાનાવાડા, કાજ, જંત્રાખડી, માલગામ અને બાવાનાં પીપળવા સહિતનાં અનેક ગામોમાં નીલગાય અને જંગલી ભૂંડનાં ત્રાસને કારણે ખેડૂતો પોતાના પાકનું રાત્રી રખોપુ ન કરે તો મહિનાઓથી મહેનત કરી તૈયાર કરેલો પાક વન્ય પ્રાણીઓ તહેસનહેસ કરી નાખે છે. ગુજરાત સરકાર દ્વારા વન્ય પ્રાણીઓની ખેડૂતોને દહેશતને કારણે રાત્રીના બદલે દિવસે વીજળી આપવાનું કર્યું છે. ખેડૂતો ખુશ પણ થયા પરંતુ તેમના ઉજાગરા ઓછાં ન થયા.

જો ખેડૂતો રાત્રી ઉજાગરા ન કરે તો રોઝ, જંગલી ભૂંડ અને નીલગાય જેવા પ્રાણીઓ માત્ર એક જ રાત્રીમાં અનેક વિઘા ખેતરમાં ઉભેલો તેનો પાક તહસ નહસ કરી નાખે છે. તો રાત્રી દરમ્યાન દીપડાનો ભય પણ એટલો જ રહે છે. ગીર સોમનાથનાં ગીર બોર્ડર અને દરિયાઈ પટ્ટીનાં ગામોની ખેતીની જમીનમાં ઉભા પાકનો સોથ વાળતા વન્ય પ્રાણી નીલગાય, રોઝ અને ભૂંડને કારણે ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે.

જેથી આ વિસ્તારના ખેડૂતોએ ના છૂટકે ભયના ઓથાર વચ્ચે રાત્રી દરમ્યાન પોતાના ખેતરનું રખોપુ કરવું પડે છે. ગીરનાં ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પશુઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ભૂંડ અને નીલગાય ખેડૂતોનાં પાકોને તબાહ કરી રહ્યા છે. કોડીનારનાં નાનાવાડા ગામનાં ખેડૂતો જંગલી પશુઓથી ત્રાસીને જન પ્રતિનિધિ અને વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી પશુઓથી પાકને બચાવવા માંગ કરી ચુક્યા છે.

સિંહોને કારણે અન્ય વન્યપ્રાણીઓ ખેડૂતોના ખેતરથી દૂર રહે છે. મોટેભાગે સિંહો માનવી પર હુમલો કરતા નથી. પરંતુ ખેડૂતોના પાલતુ પશુઓને શિકાર બનાવે છે. પરંતુ દીપડો ચાલાક અને ભયાનક પ્રાણી છે. તે અચાનક જ મનુષ્ય પર હુમલો કરે છે. એકવાર માનવ લોહી ચાખી ગયા બાદ તે માનવ ભક્ષી બની જાય છે. દીપડો મોટેભાગે રાત્રી દરમ્યાન જ છુપાઈને હુમલો કરતો હોય રાત્રી રખોપુ કરતા ખેડૂતો પર સતત જીવનું જોખમ રહે છે.

વન્યપ્રાણીઓથી ખેડૂતોના પાકને નુકશાન થાય અને સહાય મળે તે સહાય પણ ન જોઈએ. બસ ખેડૂતોનેતો આ આતંક મચાવતા જંગલી ભૂંડ અને નીલ ગાય અને દીપડાથી કાયમી માટે છુટકારો જોઈએ છે. જેથી ખેડૂતોના રાત્રી ઉજાગરા બંધ થાય જેથી ખેડૂતો પોતાના ઘરે રાત્રી દરમ્યાન સુખરૂપ મીઠી નીંદર માણી શકે.

આ પણ વાંચો :-

પીએમ મોદીની માતા હીરાબા સાથેની અતિ દુર્લભ તસવીરોમાં જુઓ યાદગાર પળોની સફર

0

See the memorable moments of PM Modi

  • PM મોદીના માતા હીરાબાની તબિયત બગડતા તેમને અમદાવાદની યુ.એન. મેહતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ પીએમ મોદી યુ.એન. મેહતા હોસ્પિટલમાં પહોંચી ચૂક્યા છે. ગત 4 ડિસેમ્બર, 2022ના રોજ પ્રધાનમંત્રી મોદીએ માતા સાથે મુલાકાત કરી હતી.

આ પહેલા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ગુજરાત મુલાકાતે આવતાં ત્યારે ઘણી વખત વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢીને માતાને મળવા અને આશીર્વાદ લેવા જતાં હોય છે. પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનો (Mother Heeraben) જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. 18 જૂન 2022 તેમણે તેમના જીવનના 100માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હોસ્પિટલ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી મોદી પહેલાંથી તેમના માતા હીરાબાની ખુબ નિકટ હતાં. નરેન્દ્ર મોદીએ ભલે યુવાવસ્થાથી જ ગૃહત્યાગ કર્યો હતો. પણ તેઓ હંમેશા હીરાબાના ખબરઅંતર લેતા. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ નિયમિત રીતે જન્મદિવસ હોય કે કોઈ સારો અવસર હોય ત્યારે હીરાબાના આશીર્વાદ લેવા જરૂર જતાં. હીરાબાએ પહેલાં જ ભવિષ્ય વાણી કરી દીધી હતી કે તેમનો દિકરો નરેન્દ્ર આગળ જતાં દેશનો પ્રધાનમંત્રી બનશે અને દેશની સેવા કરશે. અને પછી થયું પણ એવું જ નરેન્દ્ર મોદી વર્ષ 2014માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડયાં અને દેશના પ્રધાનમંત્રી બન્યાં.

પ્રધાનમંત્રી બન્યા બાદ પણ પીએમ મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવતા ત્યારે જરૂર હીરાબાના આશીર્વાદ લેવા જતાં. અને પોતાના માતા હીરાબાની સાથે તેઓ જમતા હતાં. પીએમ મોદીની હીરાબા સાથેની આ તસવીરો હંમેશા યાદગાર રહેશે. તબિયત નાદુરસ્ત હોવાને કારણે પીએમ મોદીના માતા હીરાબાને અત્યારે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. જો કે હાલ હોસ્પિટલ દ્વારા સત્તાવાર હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદીના માતા હીરાબાની તબિયત સુધારા પર હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

ગુજરાતના આ ચાર શહેરોમાં ભવ્ય પતંગ મહોત્સવ થશે, વિદેશી પતંગબાજો પેચ લડાવશે

0

A grand kite festival will be held

  • ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ગુજરાત પતંગોત્સવ માટે તૈયાર થઈ રહ્યું છે. કોરોનાને કારણે અટકેલો પતંગ મહોત્સવ આ વર્ષે ગુજરાતીઓને માણા મળશે.

ગુજરાતમાં પતંગોત્સવની (Kite festival) છેલ્લાં 2 વર્ષથી પતંગરસિયાઓ રાહ જોઈ રહ્યા છે. ગુજરાતની લોકકલાને ઉજાગર કરતા આ મહોત્સવમાં વિવિધ કલાકારો ભાગ લેતા હોય છે. કોરોનાકાળ બાદ પ્રથમવાર ગુજરાતમાં પતંગોત્સવ યોજવા સરકારે આયોજન હાથ ધર્યું છે. આગામી પતંગોત્સવ રાજ્યના 4 શહેરી વિસ્તારમાં યોજાશે. આ ઉપરાંત પતંગોત્સવમાં સેલ્ફી પોઈન્ટ (Selfie point) પણ બનાવવામાં આવશે.

કોરોનાકાળ બાદ પ્રથમવાર યોજાઇ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને G-20 સમિટ ની થીમ રાખવામાં આવશે. રાજ્યમાં G-20 સમિટ 15 બેઠકો વિવિધ સ્થળો પર યોજાવાની છે. દેશ પ્રથમવાર G-20 સમિટ યજમાની કરી રહ્યો છે. જેથી G-20 સમિટ કેટલાક અંશો પતંગ ઉત્સવમાં જોવા મળશે. આ ઉપરાંત દેશમાં આઝાદી નાં 75 વર્ષની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે પતંગ ઉત્સવમાં તેના કેટલાક અંશો જોવા મળશે

રાજ્યના 4 શહેરી વિસ્તારોમાં પતંગ મહોત્સવ :

છેલ્લા બે વર્ષ રાજ્ય-દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. જેથી રાજ્યના 4 શહેરી વિસ્તારોમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જેમા અમદાવાદ રિવરફ્રન્ટ સિવાય વડોદરા, વડનગર, દ્વારકા, કેવડીયા –નર્મદા, સોમનાથ, સુરત, રાજકોટ, ધોલેરા અને ધોરડો ખાતે પતંગોત્સવ યોજાવાનો છે. ગુજરાતમાં 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી, 2023 સુધી ચાલનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશી પતંગબાજો પણ ભાગ લેશે. અગાઉ વર્ષ 2021 અને 2022માં પતંગ મહોત્સવ કોરોના રોગચાળાને કારણે રદ કરવામાં આવ્યો હતો.

વિદેશી પતંગબાજો આવશે :

અંદાજે 68 દેશોના 250 પતંગબાજોને આમંત્રણ આપવામાં આવશે. આ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં આઝાદીનો અમૃત મહોત્સવ અને જી-20 સમિટની થીમ પર ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે દેશ પહેલીવાર G-20 સમિટની યજમાની કરી રહ્યો છે. આવી સ્થિતિમાં G-20 સમિટના કેટલાક ભાગો કાઈટ ફેસ્ટિવલમાં જોવા મળશે. કાઈટ ફેસ્ટિવલમાં અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉત્સવમાં વિદેશી પતંગબાજો પણ ભાગ લેશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ પતંગોત્સવનું આયોજન :

અમદાવાદ ખાતે રાજ્યકક્ષાનો પતંગ ઉત્સવ યોજવામાં આવશે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યમાં વડોદરા, સુરત અને રાજકોટમાં પતંગ ઉત્સવ ઊજવાશે. વડોદરામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પતંગ ઉત્સવ યોજવા અંગે આયોજન કરાયું છે. આ વર્ષે રાજકોટ અને સુરતમાં પણ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આમ સરકાર પતંગોત્સવ મોટાપાયે ઉજવવા માગે છે.

આ પણ વાંચો :-