Home Blog Page 1184

Budget 2023  : બજેટમાં શું સસ્તું થયું અને શું મોઘું ? જાણો મોદી સરકારના બજેટની સૌથી મોટી જાહેરાત

0

Budget 2023: What has become cheaper

  • મોદી સરકાર માટે આ બજેટ ખુબ જ અગત્યનું છે. કારણકે, વર્ષ 2024માં ફરી એકવાર દેશમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે એ પહેલાં મોદી સરકારે આ બજેટમાં મોટાપાયે લહાણી કરીને મતદારોને ખુબ કરી દીધાં છે. જાણો બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું?

મોદી સરકારના બજેટની જાહેરાત પર સમગ્ર દેશની જનતાની નજર રહેતી હોય છે. કારણ કે સરકારના બજેટની (Government budgets) સીધી અસર લોકોના ખિસ્સા પર પડતી હોય છે. એજ કારણ છે કે આમ થઈ લઈને ખાસ દરેક માટે આ બજેટ (Budget 2023) મહત્ત્વનું હોય છે.

દેશના સામાન્ય બજેટની સામાન્યથી લઈને ખાસ વ્યક્તિઓ સુધી દરેક વ્યક્તિ રાહ જોતું હોય છે. દેશની જનતાની નજર પણ નાણામંત્રીના ભાષણ પર કેન્દ્રિત રહે છે. નાણામંત્રીના (Finance Minister) ભાષણની શરૂઆત સાથે જ લોકો જેની સૌથી વધુ રાહ જોતા હોય છે તે એ છે કે તેમના ખિસ્સાનો બોજ ઓછો થયો કે વધ્યો.

શું સસ્તું થશે?

નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી છે કે રમકડાં પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 13 ટકા કરી દેવામાં આવી છે. એટલે કે હવે રમકડાં સસ્તા થશે. આ સાથે ઈલેક્ટ્રોનિક વાહનોમાં વપરાતી બેટરીઓ પરથી કસ્ટમ ડ્યૂટી હટાવી દેવામાં આવી છે અને મોબાઈલ ફોનમાં વપરાતી લિથિયમ બેટરી પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેને કારણે એવું અનુમાન લગાવી શકાય કે મોબાઈલ ફોન અને ઈલેકટ્રીક વાહનો સસ્તા થશે.

શું મોંઘું થશે ?

સાથે જ બજેટમાં કેટલીક વસ્તુઓ મોંઘી પણ કરવામાં આવી છે. તેમાં સિગારેટ પર ડિઝાસ્ટર સંબંધિત ડ્યુટી વધારી દેવામાં આવી છે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર સિગારેટ પર આકસ્મિક ડ્યુટી 16 ટકા વધારી દેવામાં આવી છે. આ પછી સિગારેટ મોંઘી થઈ ગઈ છે. આ સિવાય સોના, ચાંદી અને પ્લેટિનમથી બનેલી આયાતી જ્વેલરી મોંઘી થઈ ગઈ છે.

બજેટની રજૂઆત પહેલા જ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે 2024માં આવનારી લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ લોકપ્રિય બનશે. એક તરફ જ્યાં ટેક્સ સ્લેબમાં ફેરફારના સંકેત દેખાઈ રહ્યા હતા. તો બીજી તરફ ખેડૂતોથી લઈને શેરી વિક્રેતાઓ અને મજૂરો સુધીના દરેક ક્ષેત્રના લોકોને બજેટમાં રાહત મળવાની આશા હતી.

આ પણ વાંચો :-

 

35 વર્ષની ઉંમરે 10 વખત દુલ્હન બની છે આ અભિનેત્રી, લગ્નના થોડા દિવસ પહેલાં જ તૂટી ગઈ હતી સગાઈ

At the age of 35, the actress, who has been a bride for 10 times

  • ફેમસ ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા (Shraddha Arya) પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તાજેતરમાં અભિનેત્રીએ તેની નવીનતમ પોસ્ટ દ્વારા એક મોટો ખુલાસો કર્યો છે.

જે જાણીને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અભિનેત્રીએ જણાવ્યું કે તે લગભગ 10 વખત દુલ્હન બની છે. કુંડળી ભાગ્ય ફેમ અભિનેત્રી (Shraddha Arya) 35 વર્ષની છે. તેણે પોતાના કરિયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તે 10 વખત દુલ્હન બની છે. આટલું જ નહીં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો બ્રાઈડલ ગેટઅપ શેર કર્યો છે. પરંતુ તસવીરોમાં તે તેના પતિ રાહુલ નાગલ સાથે નહીં પરંતુ કોઈ અન્ય સાથે જોવા મળી રહી છે.

રીલ લાઈફમાં 10 વખત દુલ્હન બનવાની વાત છે. શ્રદ્ધા આર્યાએ (Shraddha Arya) જણાવ્યું કે તે તેના શો ‘કુંડલી ભાગ્ય’માં એક વાર નહીં પરંતુ 10-10 વખત દુલ્હન બની છે.

શ્રદ્ધાએ (Shraddha Arya) સીરિયલના સેટ પરથી લગ્નના મંડપની તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું – ‘જ્યારે તમે એક જ શોમાં 10મી વખત લગ્ન કરો છો, ત્યારે તમે કોઈપણ ચિંતા કર્યા વિના લગ્ન કરો છો. કારણ કે આ કુંડળી ભાગ્ય છે’.

ફોટામાં શ્રદ્ધા આર્યા (Shraddha Arya)બ્રાઈડલ આઉટફિટમાં જોવા મળી રહી છે અને તે તેના કો-એક્ટર સાથે મસ્તીના મૂડમાં છે. તે જ સમયે ચાહકો પણ અભિનેત્રીની તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે. થોડા જ સમયમાં તેની પોસ્ટ પર 3 લાખ 65 હજારથી વધુ લાઈક્સ આવી ગયા છે.

બીજી તરફ શ્રદ્ધા આર્ય (Shraddha Arya)ના અંગત જીવનની વાત કરીએ તો તેણે વર્ષ 2015માં એનઆરઆઈ બિઝનેસમેન જયંત રત્તી સાથે સગાઈ કરી હતી પરંતુ લગ્ન પહેલાં તેમના સંબંધોનો અંત આવી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્ન પહેલાં જયંતે શ્રદ્ધા (Shraddha Arya)ની સામે એક શરત રાખી હતી કે તેણે તેની એક્ટિંગ કરિયર છોડી દેવી પડશે. જોકે અભિનેત્રી આ માટે તૈયાર નહોતી. આ જ કારણ છે કે તેણે સગાઈ તોડી નાખી.

 જયંત સાથેની સગાઈ તોડીને આલમ સિંહ મક્કરે શ્રદ્ધા આર્યા (Shraddha Arya)ના જીવનમાં પ્રવેશ કર્યો. બંનેની મુલાકાત રિયાલિટી ડાન્સ શો ‘નચ બલિયે’માં થઈ હતી. પરંતુ શ્રધ્ધા અને આલમનું બ્રેકઅપ પણ થોડા મહિના પછી થયું.

ત્યારબાદ શ્રદ્ધા આર્યાને (Shraddha Arya)તેનો સાચો પ્રેમ રાહુલ નાગલમાં મળ્યો. રાહુલ એક નેવી ઓફિસર છે. બંને નવેમ્બર 2021માં લગ્નના બંધનમાં બંધાયા હતા. અભિનેત્રીનું સોશિયલ મીડિયા શ્રદ્ધા અને રાહુલની રોમેન્ટિક તસવીરોથી ભરેલું છે. ચાહકોને પણ તેમની જોડી ઘણી સુંદર લાગે છે.

આ પણ વાંચો :-

સુરતનાં બિલ્ડર સંજય મોવાલિયાએ ઘોર મંદીમાં બેંકનાં ૨૬૬ કરોડ ચૂકવીને દૂધેથી નાહી લીધું !

Builder Sanjay Mowalia of Surat paid 266 crores

  • ગ્લેમરની દુનિયાનાં પ્રભાવથી ઘેરાયેલા સંજય મોવાલિયાએ ‘રાજહંસ’થી છેડો ફાડીને અલગ ચોકો ઉભો કરી અમેઝિયા વોટરપાર્ક શરૂ કરીને કરોડોનું રોકાણ કર્યું હતું, પરંતુ બેંકનાં રૂપિયા પરત કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં.
  • નોટબંધી, જીએસટી અને કોરોનાને પગલે આર્થિક સંકટમાં ઘેરાતા બેંકે ડિફોલ્ટર જાહેર કરતાં આબરૂને મોટો ધબ્બો પહોંચ્યો હતો.
  • સુખેથી ધંધો કરતાં ગ્રીન ગ્રુપવાળા બિલ્ડર અલ્પેશ કોટડિયાએ સંજય મોવાલિયા સાથે ભાગીદારી કરીને ભેંસનાં શીંગડામાં પગ નાંખવા જેવો ઘાટ કર્યો હતો.
  • રૂપિયા ક્યાંથી લાવ્યા એ તો સંજય મોવાલિયા જ કહી શકે, પરંતુ બે તબક્કામાં બેંકનાં ૨૬૬ કરોડ રૂપિયા ચુકવીને મોટાભાગની મિલકતો બોજા મુક્ત કરાવી દઈ લોકોને વિચારતા કરી દીધા.

સુરતના ‘રાજહંસ’થી જાણીતા થયેલા પરંતુ ‘રાજ-હંસ’થી છુટા પડીને અલગ ચોકો ઊભો કરવાની લહાયમાં આર્થિક સંકટમાં ફસાયેલા સંજય મોવાલિયાએ (Sanjay Mowalia) આખરે ચારે તરફ આર્થિક કટોકટીના સમયમાં પણ બેંકના ૨૬૬ કરોડની લોન ચૂકતે કરીને પોતાની ‘શાખ’ ફરી પ્રસ્થાપિત કરી હતી. નોટબંધી, જીએસટી અને કોરોનાની મહામારી ઉપરાંત આખી દુનિયામાં મંદીને પગલે ભલભલી કંપનીઓને તાળા લાગી ગયા છે. ગુગલ, એમેઝોન, ફિલિપ્સ જેવી આંતરરા‌ષ્ટ્રિય અને ગંજાવર કંપનીઓની હાલત ડગમગી ગઇ છે. એવા સંજોગોમાં સંજય મોવાલિયા જેવા સેંકડો ઉદ્યોગકારો આર્થિક સંકટમાં ઘેરાઇ ચૂક્યા છે. ઘણી કંપનીઓએ તો નાદારી નોંધાવીને તાળા પણ મારી દીધા છે. આવા સંજોગોમાં કોઇ કંપની બેંકના ફડચામાં જાય કે ડિફોલ્ટર પુરવાર થાય તો નવાઇ પામવા જેવું નથી અને હવે લોકો પણ બેંક ડિફોલ્ટરની ઘટનાને ગંભીરતાથી લેતા નથી.

સંજય મોવાલિયા મુળભૂત રીતે રાજહંસ ગ્રુપ (દેસાઇ જૈન)ના ભાગીદાર હતા તથા સંજય મોવાલિયા અને જયેશ દેસાઇ વચ્ચે એક જ પરિવારના સભ્યો જેવા સંબંધો હતા. આજે પણ સંજય મોવાલિયા અને જયેશ દેસાઇની દોસ્તી અંકબંધ છે. બન્ને મિત્રોએ સાથે મળીને જ ‘રાજહંસ’ કંપનીની સ્થાપના કરી હતી અને પ્રારંભે સીંગતેલનો વેપાર કરતા હતા. વળી ‘રાજ-હંસ’ જેવા જ બન્‍ને  મિત્રો ગુણ ધરાવે છે. જયેશ દેસાઇ ‘રાજ’ ઘરાના જેવો ઠાઠમાઠ ધરાવે છે. તો સંજય મોવાલિયા ‘હંસ’ જેવો ઠાઠમાઠ ધરાવે છે. પરંતુ કોઇક કમનસીબ પળે બન્ને મિત્રોને અલગ પાડી દીધા હતા અને સંજય મોવાલિયા ચારે તરફ છવાઇ જવાની દોડમાં ‘ગ્લેમર’ની દુનિયામાં સરકી ગયા હતા અને આંતરરાષ્ટ્રીયકક્ષાનો ‘‘એમ્યુઝમેન્ટ પાર્ક’’ બનાવવાની ઘેલછામાં ક્રમશઃ આર્થિક સંકટમાં ઘેરાતા ગયા હતા અને આ અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક જ બન્‍ને મિત્રો વચ્ચે તિરાડ બનીને ઊભો રહી ગયો હતો.

સ્વભાવે ‘રાજા’ પરંતુ આફતને ઓળખી જવામાં ચાણક્ય ગણાતા જયેશ દેસાઇએ પોતાની જાતને કિનારે કરી દીધી હતી અને સંજય મોવાલિયા સાથેના ‘રાજહંસ’ ગ્રુપમાંથી છુટા પડીને પોતાની અસલી ઓળખ જાળવી રાખવા સાથે ભાગીદાર શીવલાલ જૈન પોખરણા સાથે રાજહંસ (દેસાઇ-જૈન) ગ્રુપની અલગથી સ્થાપના કરી હતી.

આ તરફ સંજય મોવાલિયાએ સુરતના હોનહાર અને ઝનુનથી ભરેલા ગ્રીનગ્રુપવાળા અલ્પેશ કોટડિયાને ભાગીદાર બનાવીને ‘‘રાજગ્રીન’’ નામના ગ્રુપની રચના કરી હતી. પરંતુ લાંબી ઉડાન ભરવા નીકળેલા સંજય મોવાલિયાની દોડ ટુંકી પડી હતી. બેંકોએ છુટથી ધિરાણ આપ્યું હોવાથી એકાઉન્ટમાં રૂપિયા હતા ત્યાં સુધી બધું ધમધોકાર ચાલ્યું હતું પરંતુ નોટબંધી, જીએસટી અને કોરોનાની મહામારીને પગલે આવકના સાધનો બંધ થઇ ગયા હતા અને ખર્ચના દરવાજા ખુલ્યા હતા.

સંજય મોવાલિયા અને અલ્પેશ કોટડિયાનું ‘‘રાજગ્રીન’’ ગ્રુપ ક્રમશઃ બેંકના અજગર ભરડામાં ઘેરાતું ગયું હતું. સંજય મોવાલિયાએ જયેશ દેસાઇનો હાથ છોડીને ‘મહાભુલ’ કરી હતી જ. આ તરફ નિરાંતનો રોટલો રળી ખાતા અલ્પેશ કોટડિયાએ સંજય મોવાલિયા સાથે ભાગીદારી કરીને સામે ચાલીને ‘ભેંસના શીંગડામાં પગ નાંખવા જેવી હાલત ઊભી કરી હતી’, પરંતુ ચારે તરફથી આર્થિક સંકટમાં ઘેરાઇ ગયેલા ‘‘રાજગ્રીન’’ ગ્રુપમાંથી તાત્કાલિક છુટા પડવાનું પણ શક્ય ન હોતું. બીજી તરફ બેંકોનો નોટીસ વહેવાર અને કાયદાકીય પગલા ભરવાની ચીમકીનો દોર શરૂ થયો હતો અને બેંકે જ્યારે પ્રથમ વખત ‘‘રાજગ્રીન’’ ગ્રુપને ડિફોલ્ટર જાહેર કરવા સાથે જાહેર નોટીસો પ્રસિધ્ધ કરી એ દિવસે સુરતના ઉદ્યોગજગતમાં ગંભીર ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

શહેરભરના લોકોના મોઢે અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક, સંજય મોવાલિયા અને અલ્પેશ કોટડિયા ચર્ચાના કેન્દ્રમાં હતા. વળી અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્કનું ઉદ્દઘાટન એ સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યુ હોવાથી વડાપ્રધાન મોદી પણ ચર્ચાનો વિષય બન્યા હતા.

પરંતુ સમયે કરવટ બદલી હતી ચારે તરફ ભયાનક આર્થિક સંકટ હતું જ તેમ છતાં સંજય મોવાલિયા અને અલ્પેશ કોટડિયાએ પ્રથમ તબક્કાના ૧૭૦ કરોડ જેવી માતબર રકમ બેંકને ચુકવી દઇને પોતાની આબરૂ જાળવી રાખી હતી. અલબત્ત આ ૧૭૦ કરોડની રકમ ક્યાંથી અને કેવી રીતે મેળવી હશે એ માત્ર સંજય મોવાલિયા અને અલ્પેશ કોટડિયા જ કહી શકે પરંતુ આ ૧૭૦થી કામ પતે તેમ નહોતું. હજુ પુરા ૧૦૦ કરોડ ભરવાના બાકી હતા. પરંતુ હવે કસોટી સંજય મોવાલિયાની હતી. બાકીની લોન સંજય મોવાલિયાની ‘‘રાજહંસ ઇન્ફ્રા’ કંપનીએ ચૂકવવાની હતી મતલબ કે હવે સંજય મોવાલિયાએ એકલા હાથે લડવાનંુ હતું પરંતુ તેમને વિશ્વાસ હતો કે તેઓ બાકી ૧૦૦ કરોડની વ્યવસ્થા કરવામાં સફળ પુરવાર થશે અને આખરે બેંક ઓફ બરોડાના બાકી ૧૦૦ કરોડ પેટે સમાધાન કરીને ૯૬ કરોડની જંગી રકમ ચૂકવી દઇને તમામ મિલકતો બેંકના બોજામાંથી મુક્ત કરાવી દીધી હતી.

સંજય મોવાલિયાએ આજે જાન્યુઆરી ૨૦૨૩ના છેલ્લા દિવસે બેંક ઓફ બરોડામાંથી ‘‘નો ડ્યુ’’ સર્ટીફીકેટ મેળવી લઇને સુરતના બજારમાં ટીકાકારોના મોઢે તાળા મારી દીધા હતા. હવે આવનારા દિવસોમાં સંજય મોવાલિયા જાહેર કાર્યક્રમોમાં ફરી માથું ઊંચું રાખીને આગલી હરોળમાં બેસતા થઇ જશે એ દિવસો દુર રહ્યા નથી.

સમગ્ર ઘટનાક્રમ જોવામાં આવે તો સગા ભાઇ જેવો સંબંધ ધરાવતા અને એકબીજાનો પડછાયો ગણાતા જયેશ દેસાઇ અને સંજય મોવાલિયાની ધંધામાં જુદા પડવાની ઘટના સૌથી મોટી કમનસીબ ઘટના હતી. કદાચ તેઓ સાથે રહ્યા હોત તો આજની ઘટના જ સાકાર થવા પામી ન હોત અને સંજય મોવાલિયાની શાખ પણ જયેશ દેસાઇની સાથે આકાશને આંબતી હોત.

જ્યારે અલ્પેશ કોટડિયાએ પણ કમનસીબ પળે. સંજય મોવાલિયા સાથે ભાગીદારી કરીને આર્થિક નુકસાની વેઠવી પડી હતી.

સદનસીબે આજે પણ જયેશ દેસાઇ, સંજય મોવાલિયા અને અલ્પેશ કોટડિયા ત્રણે ખૂબ જ સારા મિત્રો છે. થોડા દિવસ પહેલા જયેશ દેસાઇના ભાઇની દિકરી ‘‘મોસમ’’ના  અભૂતપૂર્વ લગ્ન સમારોહમાં ત્રણ મિત્રો હાથમાં હાથ મિલાવીને સાથે જ ઊભા હતા. કદાચ એવું પણ બની શકે કે આવનારા દિવસોમાં જયેશ દેસાઇ અને સંજય મોવાલિયા એક જ ટેબલ ઉપર બેસીને આ જ સુરત શહેરમાં સાથે વેપાર, ધંધા કરતા હોય જે ‘કમનસીબ’ પળ છુટા પાડી શકે એ જ સમયચક્રની ‘સુખદ’ પળ ફરી ભેગા પણ કરી શકે.

આ પણ વાંચો :-

OMG…આ શું ? જીન્સને ટી-શર્ટની જેમ પહેરીને નીકળી પડી ઉર્ફી, VIDEO જોઈ ઉડી જશે હોંશ

OMG…what is this? Wearing jeans

  • ઉર્ફી જાવેદને થઈ ઈમરજન્સી તો તેણે આઈડિયા આવ્યો અને બનાવી દીધુ એવું ટોપ જેને બનાવવું કોઈ વિચારી પણ ન શકે. સોશિયલ મીડિયા પર ઉર્ફીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ઉર્ફી પોતાની અનોખી સ્ટાઈના કારણે ચર્ચામાં રહે છે અને ઘણી વખતે પોતાના અતરંગી આઉટફીટના (v) કારણે તે ટ્રોલ પણ થઈ જાય છે. આ વખતે તે પોતાના પેન્ટને ટી-શર્ટની જેમ પહેરીને જોવા મળી હતી. જેના વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યા છે.

ઉર્ફીએ પગની જગ્યા પર જીન્સને વચ્ચેથી કાપીને ટી-શર્ટ બનાવીને પહેરી લીધુ હતુ. ઉર્ફીએ જણાવ્યું કે તેને ઈમરજન્સી હતી અને તેને પહેરવા માટે કંઈ ન મળ્યું તો તેને આઈડિયાથી આ આવિષ્કાર કરી લીધો.

પગની જગ્યા પર ટોપ બનાવી પહેરી લીધું જીન્સ :

ઉર્ફી જાવેદ આમ તો કંઈક અનોખુ પહેરવા માટે જ જાણીતી છે પરંતુ છેલ્લા બે વખતથી તેનું ફેશન લોકોના સમજની બહાર છે. ગઈ વખતે ઉર્ફી કુલ્ફી કોનથી બનાવેલો ડ્રેસ પહેરીને ફરી રહી હતી.

અતરંગી અંદાજનો લોકો ઉડાવી રહ્યા મજાક :

હંમેશાની જેમ લોકો આ લુકને જોયા બાદ પણ રમુજી કમેન્ટ કરવાથી પોતાને રોકી ન શક્યા. કોઈએ પ્રેમ વરસાવ્યો તો. કોઈએ મેન્ટલ હોસ્પિટલ જવાની પણ સલાહ આપી દીધી.

લુક પર લોકોએ કરી અલગ અલગ કમેન્ટ :

આમ તો ઉર્ફીની આ સ્ટાઈલ જ તેને વર્લ્ડ ફેમસ બનાવી રહી છે. ત્યાં જ લોકો ગુગલ પર તેને ખૂબ જ સર્ચ કરી રહ્યા છે તો ઘણી વખત બોલિવુડ એક્ટ્રેસને પણ તેને કોપી કરતા જોવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

સુતા પહેલા કરો મીઠાના પાણીના કોગળા, મળશે આ તમામ સમસ્યામાંથી છૂટકારો

Do a salt water rinse before going to sleep

  • મીઠાના પાણીથી કોગળા કરવાથી ગળાના દુઃખાવામાં આરામ મળે છે. બીજી તરફ જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા મીઠાના પાણીથી કોગળા કરો છો. તો ગળામાં દુઃખાવો થતો નથી.

મીઠાના પાણીના કોગળા (Salt water Rinses) કરવાથી ઘણા લાભ થાય છે. મીઠાના પાણીના કોગળા કરવાથી મોં સંબંધિત ઘણી બિમારીઓથી છૂટકારો મળે છે. તો કયા કયા થાય છે ફાયદા ? જોઈશું આ અહેવાલમાં. આપણાં રોજિંદા જીવનની એવી કેટલીક બાબતો છે જેના પર આપણે ખાસ ધ્યાન નથી.

આપતા પણ એ નાની-નાની બાબતો જ આપણાં સ્વાસ્થ્ય (Health) પર સીધી અસર કરતી હોય છે. એજ પૈકી એક છે રાત્રે સુતા પહેલાં મીઠાના પાણીના કોગળા કરવા. જો તમે આમ કરશો નિયમિત રીતે તો તમને એના ચમત્કારિક ફાયદા મળશે.

કફની સમસ્યામાંથી મળશે છૂટકારો :

રાત્રે મીઠાના પાણીમાં કોગળા કરવાથી કફની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. આ કિસ્સામાં, જો તમને ખાંસી હોય તો તમે મીઠાના પાણીથી ગાર્ગલ કરી શકો છો.

દાંતના દુઃખાવામાંથી મળશે છૂટકારો :

દાંતના દુઃખાવાથી છૂટકારો મેળવવા માટે રાત્રે મીઠાના પાણીથી કોગળા કરો. તેથી જો તમે દાંતના દુઃખાવાથી પરેશાન છો. તો રાત્રે સૂતા પહેલા મીઠાના પાણીથી કોગળા અવશ્ય કરો.

મોઢાના ચાંદામાંથી મળે છે રાહત :

રાત્રે સૂતા પહેલા મીઠાના પાણીથી કોગળા કરવાથી મોઢાના ચાંદા મટી જાય છે.

મટાડે છે ગળાનો દુઃખાવો :

મીઠાના પાણીથી કોગળા કરવાથી ગળાના દુઃખાવામાં આરામ મળે છે. બીજી તરફ જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા મીઠાના પાણીથી કોગળા કરો છો. તો ગળામાં દુઃખાવો થતો નથી.

દૂર કરે છે શ્વાસની દુર્ગંધ :

મીઠાના પાણીથી કોગળા કરવાથી શ્વાસની દુર્ગંધથી રાહત મળે છે. આ કુદરતી રીતે શ્વાસની દુર્ગંધને સરળતાથી દૂર કરી શકાય છે.

આ પણ વાંચો :-

ગુજરાતના ખેડૂતો આનંદો ! ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતો માટે મોદી સરકારને કરી આ ભલામણ

0

Farmers of Gujarat rejoice

  • રાજ્ય ભાવ પંચે નક્કી કરેલ કિંમત કેંદ્ર સરકારને મોકલી અપાશે તથા કેંદ્ર સરકાર તમામ રાજ્યના ભાવ પંચના આધારે ભાવ અંગેનો નિર્ણય કરશે. ગુજરાત સરકાર ગત વર્ષ કરતા 8-10% નો વધારો કરવાનો નિર્ણય કરી કેન્દ્ર સરકારને ભાવ મોકલશે. ત્યારે તુવેર 8000, મગ 9300, અડદ રૂપિયા 8800નો ભાવ છે.

ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ટેકાના ભાવમાં 8 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાઘવજી પટેલે (Raghavji Patel) ખરીફ સીઝન માટે ટેકાના ભાવ નક્કી કર્યા છે અને જણાવ્યું છે કે ખેડૂતોને ખ્યાલ આવે કે કેટલા ભાવ મળશે. રાજ્ય સરકારની કૃષિ ભાવ પંચની બેઠક મળી હતી. જેમાં ડાંગરનો ભાવ રૂ.2750, બાજરીનો ભાવ રૂ.3200 નક્કી કરાયા છે તથા જુવાર રૂપિયા 5400, મકાઇ રૂપિયા 4500 કરવામાં આવી છે.

જણસીની ખરીદી માટેના ટેકાના ભાવમાં 8 ટકાના વધારાની ભલામણ કરવામાં આવી છે. ખરીફ સિઝનની પાકના ટેકાના ભાવ વધારવાની ભલામણ કરાઈ છે. ગાંધીનગરમાં મળેલી ભાવ પંચની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં મંત્રી રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, જગદીશ પંચાલ અને બચુભાઈ ખાબડ હાજર રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે, રાજ્ય ભાવ પંચે નક્કી કરેલ કિંમત કેંદ્ર સરકારને મોકલી અપાશે તથા કેંદ્ર સરકાર તમામ રાજ્યના ભાવ પંચના આધારે ભાવ અંગેનો નિર્ણય કરશે. ગુજરાત સરકાર ગત વર્ષ કરતા 8-10% નો વધારો કરવાનો નિર્ણય કરી કેન્દ્ર સરકારને ભાવ મોકલશે. ત્યારે તુવેર 8000, મગ 9300, અડદ રૂપિયા 8800નો ભાવ છે. તથા મગફળી-7500, તલ-10530ના ભાવ છે. તેમજ કપાસ (લંબતારી) રૂપિયા 8900 ક્વિન્ટલદીઠ ભાવ નક્કી કરાયા છે.

આ ઉપરાંત ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ અને આગેવાનો બેઠકમાં સામેલ થયા. ભાવપંચ દ્વારા પાકનો ઉત્પાદન ખર્ચ નક્કી થતો હોય છે. ભાવપંચ ઉત્પાદન ખર્ચ કેન્દ્ર સરકારને મોકલે છે. જે બાદ કેન્દ્ર સરકાર વિવિધ પેદાશોના ટેકાના ભાવ નક્કી કરે છે.

આ પણ વાંચો :-

01 ફેબ્રુઆરી 2023, આજનું રાશિફળ : સાંઈ બાબાની અસીમ કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં પથરાશે ઉજાસ

01 February 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPaper

મેષ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતા. આનંદ ઉત્સાહમાં વધારો થાય. નાના ભાઇ બહેનો સાથે પ્રેમનું વાતાવરણ સર્જાશે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ જળવાશે. નોકરી-ધંધા ક્ષેત્રે પ્રગતિ આરોગ્ય સારૂ રહેશે.

વૃષભ
કલાત્મક કૌશલ્યનો વિકાસ થાય. વ્યવહારિક અને ઉત્તેજના પૂર્ણ વ્યક્તિત્વ રહેશે. ધગશ, ઉત્સાહમાં વધારો થોડી સ્વાર્થવૃત્તિ વધતી જણાય. મશીનરી, દરજી, ફોટોગ્રાફીના કાર્ય સાથે સંકળાયેલ વ્ય‌િક્ત‌ઓને પ્રગતિ સફળતા મળે.

મિથુન
સ્વભાવ જીદ્દી થાય. આવકમાં ઘટાડો નોંધાય પરિવારમાં શાંતિ અને સંપની અનુભૂતિ થાય. નવા આર્થિક આયોજનો સફળ થતા જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકો. આરોગ્ય સારૂ રહેશે. જીવનસાથીની તબિયત સાચવવી.

કર્ક
દિવસ દરમ્યાન શારિરીક અને માનસિક તંદુરસ્તી સારી રહેતી જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. ભાગ્યના બળે કાર્ય સફળ થતા જણાય. મિત્રો તરફથી સાથ-સહકાર મળતો જણાય.

સિંહ
નાણાંકીય બાબતોથી લાભ સંભવે. કુટુંબમાં સુખ શાંતિ વધે. જમીન- મકાન મિલકતથી લાભ મળતો જણાય. રંગ રસાયણ ટાયરના ધંધાવાળા વ્યક્તિઓને માટે શુભ દિવસ. મિત્રો સાથે મન દુઃખ ન થાય એ સાચવવું.

કન્યા
આજનો દિવસ આપના માટે શુભ પુરવાર થાય. ભાઇ બહેનો તથા પુરા પરિવાર સાથેના સંબંધો સૌહાર્દ પૂર્ણ બને. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય. નવા કાર્યોની શરૂઆત શક્ય બને. નોકરીમાં બઢતી તથા ધંધામાં પ્રગતિ થાય. પિતાની તબિયત સાચવવી.

તુલા
બપોર સુધી નાણાંની ખેંચ વર્તાય. બપોર બાદ ભાગ્ય સાથ આપતું જણાય. નોકરી, ધંધામાં પરિસ્થિતિ સુધરતી જણાય. પરિવારના સભ્યો માટે ચિંતા રહે. કરેલા રોકાણોનું શુભ ફળ મળતુ જણાય. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ શુભ ફળદાયી નીવડે.

વૃશ્ચિક
દિવસની શરૂઆત આનંદથી થાય. બપોર સુધી તમામ બાબતોમાં સફળતા મળતી જણાય. બપોર બાદ માનસિક તણાવ રહે. આવક ઘટતી જણાય. શરીરમાં થાક. સુસ્તીનો અનુભવ થાય. ગળાના રોગોથી સાચવવું.

ધન
ગઇકાલની માનસિક અશાંતિ દૂર થતી જણાય. આનંદ ઉત્સાહનો અનુભવ થાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં શુભ કાર્યનું આયોજન થાય. આરોગ્ય સુધરતું જણાય. ખોટા ખર્ચ ટાળવા જરૂરી.

મકર
આવક ઘટતી જણાય. બચત ઓછી થાય. છતાં માનસિક સ્વસ્થતા જાળવી શકાય. વિચારોમાં શુધ્ધતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. આદ્યાત્મિક પ્રગતિ થાય.

કુંભ
દિવસ દરમ્યાન શક્તિ-સ્ફુર્તિનો અનુભવ થાય. આવક વધતી જણાય. કુટુંબના સભ્યો સાથે વિશ્વાસનું વાતાવરણ સર્જાય. નવા રોકાણોથી લાભ થાય. જુના રોકાણો માંથી આવક વધતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

મીન
માનસિક શાંતિ જળવાશે. આવકનું પ્રમાણ વધશે. નોકરીમાં ઇન્સેન્ટીવની પ્રાપ્તિ શક્ય બને. ધંધામાં પ્રગતિ થાય. નવા વાહનની ખરીદી શકય બને. સ્ત્રીવર્ગ તરફથી લાભ મેળવી શકાય. ‌પત્નિ ને ગળાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

Budget 2023 : શું-શું થશે સસ્તું-મોંઘુ ? 35 વસ્તુઓના ભાવ વધારવાની તૈયારી

0

What will happen cheap-expensive?

  • એક ફેબ્રુઆરી 2023ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં સવારે બજેટ રજૂ કરશે. એવી શક્યતા છે કે અલગ અલગ સેક્ટર્સમાં કેટલીક આઈટમ્સ પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી શકે છે. જે અનિવાર્ય જરૂરિયાતોના સામાનની શ્રેણીમાં આવતા નથી.

આત્મનિર્ભર ભારતની (Self-Reliant India) મુહિમને મજબૂત અને તેજ કરવા માટે આ વખતના બજેટમાં આયાત કરવામાં આવતી અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી (Customs Duty) વધારવાની જાહેરાત થઈ શકે છે. આ પગલાંથી સરકારની મેક ઈન ઈન્ડિયા મુહિમને મદદ મળશે અને ઘરેલુ મેન્યુફેક્ચરીંગને (Domestic manufacturing) પ્રોત્સાહન મળશે.

આયાત ઓછી કરીને ઘરેલુ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર 35 જેટલી વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી વધારવાની તૈયારી કરી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેમાં પ્રાઈવેટ જેટ, હેલિકોપ્ટર, હાઈ એન્ડ ઈલેક્ટ્રોનિક આઈટમ, પ્લાસ્ટિકના સામાન, જ્વેલરી, હાઈ ગ્લોસ પેપર, અને વિટામિન જેવી વસ્તુઓ સામેલ છે.

મંત્રાલયોની ભલામણ બાદ બની યાદી ?

સરકારની જે વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી વધારવાની યોજના છે તેમની યાદી અલગ અલગ મંત્રાલયો પાસેથી મળી છે. આ યાદીની સમીક્ષા બાદ માનવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં સરકારે 35 એવી વસ્તુઓ છે જેના પર કસ્ટમ ડ્યૂટી વધારવાનું મન બનાવી લીધુ છે. જેવું એક કારણ એ છે કે આ સામાનના ભારતમાં નિર્માણને પ્રોત્સાહન આપવા માટે તેની આયાતને મોંઘી કરવામાં આવી રહી છે. ડિસેમ્બરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે અનેક મંત્રાલયોને એવા આયાત થતા બિન જરૂરી સામાનનું લિસ્ટ બનાવવાનું કહ્યું હતું જેના પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી શકે છે.

આયાત મોંઘી કરવાથી ઓછી થશે ખાધ ?

સરકાર ચાલુ વર્ષની ખાધને લઈને પણ આયાતને ઓછી કરવાની કોશિશોમાં લાગી છે. વાત જાણે એમ છે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં ચાલુ વર્ષની  ખાધ 9 મહિનાના ઉચ્ચ સ્તરે 4.4 ટકા પર પહોંચી ગઈ. ડેલોયટે હાલમાં જ એક રિપોર્ટ બહાર પાડ્યો તેમાં કહ્યું હતું કે ચાલુ ખાતાની ખાધમાં વધારાની આશંકા યથાવત છે.

વધતા ઈમ્પોર્ટ બિલના જોખમ ઉપરાંત એક્સપોર્ટ ઉપર પણ 2023-24માં મોઘવારીનો ભાર પડવાની આશંકા છે. લોકલ ડિમાન્ડે જે પ્રકારે એક્સપોર્ટ ગ્રોથને પછાડ્યો છે તેનાથી અનુમાન છે કે મર્ચેન્ડાઈઝ ટ્રેન્ડ ડેફિસિટ 25 અબજ ડોલર પ્રતિ મહિનો રહી શકે છે. આ આંકડો ચાલુ ખાતાની ખાધને GDP ના 3.2 થી 3.4 ટકા બરોબર રાખવામાં સફળ થઈ શકે છે.

આયાત ઘટાડવાની નવી યોજના !

અલગ અલગ સેક્ટર્સમાં એવી આઈટમ્સ પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી શકે છે જે અનિવાર્ય જરૂરી સામાનોની શ્રેણીમાં આવતી નથી. આ ઉપરાંત સરકારે લો ક્વોલિટી પ્રોડક્ટ્સના ઈમ્પોર્ટને ઘટાડવા માટે અનેક સેક્ટર્સમાં માપદંડો નક્કી કર્યા છે.

જેમાં સ્પોર્ટ ગુડ્સથી લઈને વુડન ફર્નીચર અને પોટેબલ પાણીની બોટલો સામેલ છે. આ ઘરેલુ અને ઈન્ટરનેશનલ બંને પ્રકારના મેન્યુફેક્ચર્સ માટે સમાન છે. આ સ્ટાન્ડર્ડના કારણે ચીનથી આવતા અનેક સસ્તા સામાનની આયાત ઘટી શકે છે. જે થોડા સમય માટે મોંઘો બની શકે છે.

મેક ઈન ઈન્ડિયા માટે વધશે આયાત ડ્યૂટી !

2014માં લોન્ચ કરાયેલા મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને વધુ મજબૂત કરવા માટે સરકાર આયાત ડ્યૂટી વધારવાનો નિર્ણય લઈ શકે છે. ગત બજેટમાં પણ નાણામંત્રીએ નકલી જ્વેલરી, છત્રીઓ અને ઈયરફોન જેવા અનેક સામાન પર આયાત ડ્યૂટી વધારીને તેમના ઘરેલુ મેન્યુફેક્ચરીંગને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. આવામાં આ વર્ષે પણ અનેક અન્ય સામાન પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધવું નક્કી છે અને પછી તેનો મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સને ફાયદો મળી શકે છે.

રત્ન અને આભૂષણ સસ્તા થઈ શકે :

મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ રત્ન અને આભૂષણ સેક્ટર માટે ગોલ્ડ અને કેટલાક બીજા સામાન પર આયાત ડ્યૂટી ઘટાડવાનું સૂચન આપ્યું છે. જેનાથી દેશના જ્વેલરી અને બીજા ફિનિશ પ્રોડક્ટની એક્સપોર્ટને વધારવામાં પ્રોત્સાહન મળશે. ગત વર્ષ બજેટમાં સરકારે સોના પર આયાત ડ્યૂટીને 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી હતી. સરકારે એવિએશન, ઈલેક્ટ્રોનિક્સ, સ્ટીલ અને ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન સેક્ટરમાં કસ્ટમ ડ્યૂટીને ખતમ કરી હતી.

આ વખતે બજેટમાં દેશની ઘરેલુ જ્વેલરી ઈન્ડસ્ટ્રીને સરકાર અનેક મોરચા પર રાહત આપી શકે છે. જેમાં કાચા માલની આયાતથી લઈને તૈયાર માલના એક્સપોર્ટ સુધીમાં જ્વેલરી ઈન્ડસ્ટ્રીને ફાયદો થઈ શકે છે. જો વાત કરીએ ઈન્ડસ્ટ્રીની ડિમાન્ડ્સની તો જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ્સની ડિમાન્ડ છે કે બજેટમાં લેબ ડાયમન્ડ્સના કાચા માલ પર આયાત ડ્યૂટીને લગભગ ખતમ કરવામાં આવે.

આ સાથે જ જ્વેલરી રિપેર પોલીસીની જાહેરાતની પણ માંગણી કરાઈ છે. આ ઉપરાંત સરકારે સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં હીરાના વેચાણ પર અંદાજિત ટેક્સ લગાવવાનું સૂચન આપ્યું છે અને SEZ માટે લાવવામાં આવી રહેલી નવા દેશ વિધેયકને લાગૂ કરવાની પણ માંગણી કરવામાં આવી છે. ઈન્ડસ્ટ્રીએ બજેટમાં ડાયમન્ડ પેકેજની જાહેરાતની પણ ભલામણ કરી છે.

આ પણ વાંચો :-

Budget 2023 : બજેટમાં દરવખતે હલવો જ કેમ બનાવે છે ? કેમ બીજી કોઈ આઈટમ નથી રાખતા ?

0

Budget 2023

  • ભારત સરકારની બજેટ રજૂ થયું હોય તે પહેલાં એક મહત્ત્વની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. બજેટ રજૂ કરતા પહેલાં દરવખતે હલવો બનાવવામાં આવે છે. નાણાંમંત્રી પોતે બજેટની કામગીરી સાથે સંકળાયેલાં સ્ટાફને હલવો ખવડાવે છે.

બજેટનું પ્રિન્ટિંગ દર વર્ષે નોર્થ બ્લોકમાં હલવા સિરેમની (Halwa Ceremony) સાથે શરૂ થાય છે. નાણાં મંત્રી પોતે આ કાર્યક્રમની આગેવાની કરે છે. બજેટ (Budget 2023 ) આવે ત્યારે દરવખતે હલવો બનાવવામાં આવે છે. તેથી તે પ્રથાનું નામ હલવા સેરેમની પડી ગયું છે. શું છે બજેટ અને હલવા વચ્ચેનું કનેશક્શન જાણો.

શું છે હલવા સિરેમની?

બજેટનું પ્રિન્ટિંગ દર વર્ષે નોર્થ બ્લોકમાં હલવા સિરેમની સાથે શરૂ થાય છે. નાણાં મંત્રી પોતે  આ કાર્યક્રમની આગેવાની કરે છે. તે ઉપરાંત નાણા મંત્રાલયના અન્ય અધિકારી પણ આ રિવાજમાં જોડાય છે. હલવા સિરેમની પછી બજેટના પ્રિન્ટિંગ સાથે જોડાયેલ મંત્રાલયના લગભગ 100 કર્મચારી નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં બનેલ પ્રિન્ટિંગ પ્રેસમાં આગામી દિવસોમાં થોડા દિવસ રહે છે.

ગયા વર્ષે પણ હલવા સિરેમની થઈ હતી. પરંતુ તેમાં જોડાયેલા અધિકારીઓની સંખ્યા ઓછી હતી. બજેટને ખાનગી રાખવા માટે દર વર્ષે બજેટ બનાવવામાં જોડાયેલા અધિકારીઓને લોક-ઈન કરી દેવામાં આવે છે. આ અધિકારી નોર્થ બ્લોકની અંદર બજેટ પ્રેસમાં કેન્દ્રીય બજેટની પ્રસ્તુતિ સુધી બંધ રહે છે. કેન્દ્રીય નાણા મંત્રી દ્વારા સંસદમાં બજેટ રજૂ કર્યા પછી જ આ કર્મચારી અને અધિકારી પોતાના પ્રિયજનોના સંપર્કમાં આવે છે.

મોબાઈલ એપ અપાયું હતું પેપરલેસ બજેટ :

એક ઐતિહાસિક પગલાં તરીકે 2021-22નું કેન્દ્રીય બજેટ પેપરલેસ રૂપમાં રજૂ કરવામાં આવ્યું હતું. સાંસદો અને સામાન્ય જનતા દ્વારા બજેટ દસ્તાવેજોની માથાકૂટમાંથી મુક્ત થવા માટે કેન્દ્રીય બજેટ મોબાઈલ  એપ લોન્ચ કરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરી 2022ના રોજ સંસદમાં બજેટ રજૂ કરવાની પ્રક્રિયા પૂરી થયા પછી કેન્દ્રીય બજેટ મોબાઈલ એપ રજૂ કરાયું હતું.

મોબાઈલ એપ દ્વારા બજેટ ભાષણ, વાર્ષિક નાણાંકીય વિવરણ, અનુદાનની માગણી, નાણાં બિલ સહિત 14 કેન્દ્રીય બજેટ દસ્તાવેજ એક્સેસ કરી શકાય તેવી વ્યવસ્થા કરાઈ હતી. મોબાઈલ એપ અંગ્રેજી અને હિંદીમાં ઉપલબ્ધ કરાયું હતું.

2022માં કેમ તૂટી હતી હલવા સેરેમનીની વર્ષો જૂની પરંપરા?

બજેટ છાપતાં પહેલાં શરૂ થનારી હલવા સિરેમનીનું આયોજન થતું હોય છે. પણ કોવિડ-19 મહામારીની સ્થિતિને કારણે વર્ષ 2022માં હલવા સેરેમની પણ મોકૂફ રખાઈ હતી. હલવા સિરેમનીની જગ્યાએ કોર સ્ટાફને તેમના કાર્યસ્થળો પર લોક-ઈનના કારણે મિઠાઈ વહેંચવામાં આવી હતી.

તેની પાછળનું કારણ હાલની મહામારીની સ્થિતિ અને સ્વાસ્થ્ય સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની જરૂરિયાત છે. તે સમયે નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાંકીય વર્ષ 2022-23 માટે બજેટ રજૂ કર્યું હતું. કોરોનાના કારણે 2021 અને 2022 બન્ને વર્ષોમાં બજેટ પેપરલેસ રહ્યું હતું.

આ પણ વાંચો :-

પતિ અને બોયફ્રેન્ડની સાથે રહે છે આ મહિલા, અનોખી રિલેશનશિપથી લોકોએ કહ્યું કે..

This woman lives with her husband and boyfriend

  • સ્ત્રી તેના બોયફ્રેન્ડ અને પતિ સાથે રહે છે. આ ત્રણેયના અનોખા સંબંધોએ સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું છે. આ કારણે મહિલાઓને રોજ ટ્રોલ થવું પડે છે.

એક મહિલા તેના અનોખા સંબંધના કારણે ચર્ચામાં રહે છે. આ મહિલા તેના બોયફ્રેન્ડ (Boyfriend) અને પતિ એમ બન્ને સાથે રહે છે. આ ટ્રિપલ રિલેશનશિપને (Relationship) કારણે મહિલાને ટ્રોલ પણ થવું પડયું છે. મહિલાએ તેના ખુલ્લા સંબંધો વિશે ઘણી રસપ્રદ વાતો જણાવી હતી.

સારાહ નામની આ મહિલા સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે. સારાએ ટિકટોક અને ઈન્સ્ટા વીડિયોમાં આ ઓપન રિલેશનશિપને લઈને ઘણા વીડિયો શેર કર્યા છે. બીજી તરફ સારાએ તેને ટ્રોલ કરતા જોવા મળતા લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે.

સારાએ ગયા અઠવાડિયે જ ટ્રિપલ રિલેશનશિપ વિશેનો એક ટિકટોક વીડિયો અપલોડ કર્યો હતો. જ્યાં તેને આ સંબંધને લઈને ઘણા લોકોની ટીકા સાંભળવી પડી હતી. સારાહના આ વીડિયોને 1,71,400 વ્યૂઝ મળ્યા છે.

તે જ સમયે, અન્ય ટિકટોક વીડિયોમાં તે તેના પતિ રેયાન અને બોયફ્રેન્ડ રોની સાથે જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે કહી રહી છે કે લોકો મને કહે છે કે કાં તો હું મારા પતિને છોડી દઉં અથવા મારા બોયફ્રેન્ડને. લોકો ઈચ્છે છે કે હું મારા બહુમુખી સંબંધોનો અંત આણું.

અન્ય એક વીડિયોમાં સારાહે એ પણ જણાવ્યું કે ત્રણેય લોકો કેવી રીતે સૂઈ છે? સારાહને મોટાભાગે તેના વીડિયો પર નકારાત્મક ટિપ્પણીઓનો સામનો કરવો પડે છે. જોકે, ઘણા ઈન્ટરનેટ યુઝર્સ પણ આવા હોય છે. જેઓ ટ્રિપલ રિલેશનશિપમાં રહેતા આ લોકોને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું કે- તું નસીબદાર છોકરી છે. અન્ય યુઝરે લખ્યું- તમે શાનદાર જીવન જીવી રહ્યા છો.

નકારાત્મક ટિપ્પણી કરનાર વ્યક્તિએ લખ્યું કે- કેટલી પાપી દુનિયામાં રહેવું પડે છે. અન્ય એક યુઝરે લખ્યું કે- કેટલાક યુવકો બંને (પતિ અને બોયફ્રેન્ડ) માટે દુઃખી મહેસુસ કરી રહ્યા છે. ત્રીજા યુઝરે લખ્યું કે- જો હું સારાહના બોયફ્રેન્ડ અને પતિની જગ્યાએ હોત તો હું એકલો હોત.

woman lives with husband and boyfriend u (1)

તાજેતરમાં સારાએ ટિકટોક પર વધુ એક વીડિયો શેર કર્યો છે. વીડિયોનું કેપ્શન હતું કે- હું લકી ગર્લ છું. આ વીડિયોમાં તેણે તેના બોયફ્રેન્ડ અને પતિ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો હતો કે, બંને લોકોને એકબીજા વિશે શું ગમે છે? આ વીડિયોમાં સારાહના પતિ રિયાને કહ્યું કે તેને રોનીની રસોઈ કરવાની સ્ટાઈલ પસંદ છે. તે જ સમયે, રોનીએ રેયાનના વખાણ કરતા કહ્યું કે – જે રીતે તે સારાહને પ્રેમ અને સન્માન કરે છે. આ બાબત જોવા જેવી છે.

બહુવિવાહી (Polyamory) અથવા ટ્રિપલ રિલેશનશિપ (ત્રણ લોકોનું એકસાથે રહેવું) એ હવે અસામાન્ય બાબત નથી. 2021 માં મનોવિજ્ઞાનમાં ફ્રન્ટિયર્સે એક અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં સામેલ 6 માંથી 1 લોકોએ દાવો કર્યો હતો કે, તેઓ બહુમુખી સંબંધ અજમાવવા માગે છે.

આ પણ વાંચો :-