Home Blog Page 1179

શું બદલાઈ જશે ગુજરાતના આ સૌથી મોટા અને ઐતિહાસિક શહેરનું નામ ? જાણો કેમ થઈ રહી છે ચર્ચા

0

Will the name of this biggest and historical

  • આ અગાઉ પણ ગુજરાતના સૌથી મોટા અને ઐતિહાસિક શહેરનું નામ બદલવાની માંગણી ઉઠતી રહી છે. 2018માં જ્યારે વિજય રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવી જ માંગણી ઉઠી હતી.

રાષ્ટ્રપતિ ભવનના (Rashtrapati Bhavan) ઐતિહાસિક મુઘલ ગાર્ડનનું (Mughal Garden) નામ અમૃત ઉદ્યાન કરવામાં આવ્યા બાદ એકવાર ફરીથી હવે નામ બદલવાની માંગણીઓ થવા લાગી છે. આરએસએસના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હવે ગુજરાતના અમદાવાદ (Ahmedabad) શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની માંગણી ઉઠાવી છે.

NBT ના રિપોર્ટ મુજબ ABVP નું કહેવું છે કે આ એક રાજકીય મુદ્દો નથી પરંતુ સાંસ્કૃતિક મુદ્દો છે. તેને એ જ રીતે લેવાવો જોઈએ. આવું પહેલીવાર નથી બન્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગણી થઈ રહી છે. આ અગાઉ પણ ગુજરાતના સૌથી મોટા અને ઐતિહાસિક શહેરનું નામ બદલવાની માંગણી ઉઠતી રહી છે.

2018માં જ્યારે વિજય રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવી જ માંગણી ઉઠી હતી. ત્યારે તત્કાલિન ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે સરકાર નામ બદલવા પર વિચાર કરી રહી છે. અમદાવાદ દેશનું એકમાત્ર એવું શહેર છે જે વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સામેલ છે.

ABVP શરૂ કરશે મુહિમ :

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરરવા માટે મુહિમ ચલાવશે. આ નિર્ણય હાલમાં જ એબીવીપીની અમદાવાદમાં થયેલી બેઠકમાં લેવાયો હતો. જિલ્લા સ્તર પર થયેલા વિદ્યાર્થી ગૌરવ કાર્યક્રમમાં વિભિન્ન વિષયો પર ચર્ચા થઈ. જેમાં મુખ્ય મુદ્દો અમદાવાદના નામકરણનો હતો. 500 વિદ્યાર્થીઓ વચ્ચે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો.

જેને સર્વસંમતિથી પાસ કરાયો. ત્યારબાદ નક્કી કરાયું કે આ પ્રસ્તાવને એબીવીપી હવે અમદાવાદના મેયર કલેક્ટરને સોંપશે. એબીવીપીના પ્રદેશ મંત્રી યુતિ ગજરેએ કહ્યું કે પાંચસો વિદ્યાર્થીઓ વચ્ચે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો. હવે આ પ્રસ્તાવને લઈને અમે સંબંધિત અધિકારીઓને મળીશું અને નામકરણની માંગણી કરીશું.

કર્ણદેવે વસાવ્યું શહેર :

અમદાવાદનું નામ બદલવાની માંગણી કરનારાઓની એવી દલીલ છે કે 1411માં મુસ્લિમ શાસક અહમદ શાહે જ્યાં કબજો જમાવ્યો અને  તેનું નામ અહમદાબાદ કરી નાખ્યું. જે અમદાવાદ પણ કહેવાય છે. અમદાવાદનું અસલ નામ કર્ણાવતી છે. તેની પાછળ દલીલ એવી છે કે 11મી સદીમાં ગુજરાતના સોલંકી રાજા કર્ણદેવે અશાવલ ભીલ નામના રાજાને હરાવીને હાલનો પ્રદેશ જીત્યો હતો અને ત્યારબાદ તે જગ્યાનું નામ કર્ણાવતી રાખ્યું હતું.

આથી તેનું નામ કર્ણાવતી હોવું જોઈએ. હિન્દુ સંગઠનો અગાઉ પણ આ માંગણી કરતા આવ્યા છે. ભાજપની અમદાવાદ શાખાના નામ પર અમદાવાદની જગ્યાએ કર્ણાવતી જ લખવામાં આવે છે. શહેરની વાત કરીએ તો શહેરમાં કર્ણાવતી નામની એક ક્લબ  પણ છે.

આ ઉપરાંત કર્ણાવતી દાબેલી નામની એક જાણીતી દુકાન પણ છે. આ સિવાય વેસ્ટર્ન રેલવે પણ કર્ણાવતી એક્સપ્રેસનું સંચાલન કરે છે. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડે છે. આ ઉપરાંત અમદાવાદમાં એક ખાનગી યુનિવર્સિટીનું નામ પણ કર્ણાવતી યુનિવર્સિટી છે.

આ પણ વાંચો :-

8 ફેબ્રુઆરી 2023, આજનું રાશિફળ : ગણપતિ બાપા આ સાત રાશિના લોકો પર થશે મહેરબાન, તમામ દુઃખો થશે દુર

8 February 2023, Today’s Horoscope gujaratguardian

મેષઃ
સત્ય વાત કડવી રીતે કહેવાને કારણે અપ્રિય થવાય. આત્મવિશ્વાસ વધતો જણાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં આનંદ. રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાય.

વૃષભઃ
સ્વભાવમાં લાગણી શીલતા વધે. આવક વધે, સાથે સાથે મોજશોખમાં ખર્ચ વધે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. કરેલા રોકાણો ફળદાયી નીવડે.

મિથુનઃ
આર્થિક બાબતો અંગે શુભ દિવસ. નાના ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ. પરિવારમાં સભ્યોની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ
માનસિક સ્થિરતા જળવાય. આવકનું પ્રમાણ વધે. યોગ્ય નિર્ણય લેવાને કારણે કાર્યક્ષેત્રે સફળતા મળે. આર્થિક રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથી સાથે ગુસ્સો ટાળવો.

સિંહઃ
મનની ચંચળતા વધે. મિત્રોનો સાથ સહકાર મળે. મિત્ર વર્તુળમાં વધારો થાય. નાણાંકીય બાબતોમાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થતો જણાય. વાહન ચલાવવામાં અકસ્માતની શક્યતા છે. આથી સાવધાની જરૂરી.

કન્યાઃ
આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. અગત્યનાં નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી રાખવી હીતાવહ. માથાનાં દુઃખાવાની શક્યતા છે. આદ્યાત્મિક ક્ષેત્રે રસ વધે.

તુલાઃ
વધુ મહેનતે ઓછો લાભ મળતો જણાય. આળસ વધારે રહે. કુટુંબમાં શાંતિભર્યું વાતાવરણ જળવાય. શેર સટ્ટામાં લાભ. પિતાની તબિયત સાચવવી. ધંધામાં સાવધાનીથી કામ લેવું. આરોગ્ય સંબંધી ચિંતા ઓછી થાય.

વૃશ્ચિકઃ
નોકરીમાં ઉપરી અધિકારી તરફથી પ્રશંસા થાય. નવા ધંધાનું આયોજન તથા ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઈ શકાય. યાત્રા-પ્રવાસમાં કાળજી રાખવી. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એની કાળજી રાખવી.

ધનઃ
ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યમાં વધુ સફળતા મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ.

મકરઃ
નાણાંકીય ક્ષેત્રે નુકસાનીની શક્યતા છે. આવક ઘટે. પરિવારમાં તણાવભર્યું વાતાવરણ રહે. જીવનસાથી સાથે શાંતિથી કામ લેવું. અગત્યનાં નિર્ણયો મુલતવી રાખવા. શરદી-ખાંસી, કફની સમસ્યા રહે.

કુંભઃ
દામ્પત્ય ક્ષેત્રે આનંદભર્યો દિવસ. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. નિર્ણય શક્તિમાં વધારો થતો જણાય. હયાત રોકાણોથી ફાયદો તથા નવા રોકાણ યોગ્ય રીતે કરી શકાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.

મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. દૃઢ નિર્ણય શક્તિથી અગત્યનાં કાર્યોમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. જ્યોતિષ, કર્મકાંડ, એક્ષપોર્ટ-ઈમ્પોર્ટનાં ધંધામાં વિશેષ લાભ.

ગુજરાત સહિત બિહારમાં પણ મોટાપાયે થઈ રહી છે સ્ટ્રોબેરીની ખેતી, દર મહિને લાખોની કમાણી કરે છે ધરતીપુત્રો

0

Strawberry cultivation is being done on a large scale in Bihar

  • પહાડી અને ઠંડા વિસ્તારમાં ઉગાડવામાં આવતી સ્ટ્રોબેરીની ખેતી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક સહિત અનેક અન્ય પ્રદેશોમાં પણ કરવામાં આવી રહી છે. આ રાજ્યો સિવાય હવે બિહારમાં પણ સ્ટ્રોબેરીની ખેતી સફળ થઈ રહી છે.

ગુજરાત રાજ્યમાં મોટાભાગના ખેડૂતો નક્કી ને ઋતુઓ મુજબના પાક પકવી પોતાનું ગુજરાન ચલાવે છે પણ આપણે ત્યાં પણ ઘણા ખેડૂતો એવા છે જે પ્રયોગાત્મક વલણ રાખી સાહસપૂર્વક નવી ખેતી તરફ પણ વળે છે. કચ્છ-માંડવી (Kutch-Mandvi) પાસે આવેલા મઉં ગામના આ પ્રગતિશીલ ખેડૂતો ખુલ્લા ખેતરમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન સફળતાપૂર્વક કરી બતાવ્યું છે. સ્ટ્રોબેરી સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં ઊગે પણ હવે માર્કેટમાં ઉપલબ્ધ નવી જાતો ઉષ્ણકટિબદ્ધ વિસ્તારોમાં પણ ઊગી શકે છે. હવે બિહારના (Bihar) વિવિધ જિલ્લામાં સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવે છે.

અહીંયા સરકાર સ્ટ્રોબેરીની ખેતીને પ્રોત્સાહન પણ આપી રહી છે. આ ક્રમમાં રાજ્યના અરરિયા જિલ્લામાં મોટાપાયે સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવે છે. જિલ્લા મુખ્યાલયથી માત્ર 4 કિલોમીટરના અંતરે NH-57 ટોલ ટેક્સની પાસે તેની ખેતી કરવામાં આવી રહી છે.

અરરિયા જિલ્લાના રહેવાસી અબ્દુલ રહમાને પોતાના વિસ્તારમાં તેની શરૂઆત કરી છે. કોરોના કાળમાં અબ્દુલ રહમાને સ્ટ્રોબેરીની ખેતીની શરૂઆત કરીને પોતાના વિસ્તારમાં એક અલગ ઓળખ બનાવી લીધી છે.

ઔષધિ તરીકે પણ થાય છે ઉપયોગ :

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્ટ્રોબેરીનું ફળ ઘણું ઉપયોગી છે. તેમાં વિટામીન એ,બી, સી અને ડી હોય છે. તેની સાથે જ લોકો તેને ઔષધિ તરીકે ઉપયોગ કરે છે. પહાડી અને ઠંડા વિસ્તારમાં ઉગાડવામાં આવતી સ્ટ્રોબેરીની ખેતી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક સહિત અનેક અન્ય પ્રદેશોમાં પણ કરવામાં આવી રહી છે. આ રાજ્યો સિવાય હવે બિહારમાં પણ સ્ટ્રોબેરીની ખેતી સફળ થઈ રહી છે. કૃષિ વિશેષજ્ઞોનું માનીએ તો સ્ટ્રોબેરીની ખેતી ઠંડી સિઝનમાં કરવામાં આવે છે.

બિહારમાં થઈ રહી છે મોટાપાયે સ્ટ્રોબેરીની ખેતી : 

સ્ટ્રોબેરીની ખેતી માટે બલુઆહી કે પછી દોમટ માટી ઉપયોગી માનવામાં આવે છે. અરરિયા જિલ્લામાં ખેતી કરી રહેલ યુવા ખેડૂત અબ્દુલ રહમાને જણાવ્યું કે તેમના પરિવારમાં બાળકો સ્ટ્રોબેરી ઘણી પસંદ કરે છે. તે વિસ્તારમાં 800 રૂપિયા પ્રતિ કિલોગ્રામમાં સ્ટ્રોબેરી વેચાય છે.

કોરોના કાળ દરમિયાન તે બેરોજગાર થઈ ગયા. આ દરમિયાન તેમને મહારાષ્ટ્રમાં સ્ટ્રોબેરીની ખેતી કરવાની જાણકારી મળી. જેના પછી તેમણે મહારાષ્ટ્રમાંથી સ્ટ્રોબેરીના 1000 છોડ મંગાવ્યા અને તેની ખેતીની શરૂઆત કરી.

આ પણ વાંચો :-

અહીં ભારતના રૂપિયાની છે બોલબાલા, ચિલ્લર લઈને જશો તો પણ મળશે રાજા જેવા ઠાઠ !

Here Indian rupees are bolbala

  • વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં ભારતીય રૂપિયા કરતાં ચલણ ખૂબ નબળું છે, એટલે કે આપણા રૂપિયાનું મૂલ્ય તે દેશોના ચલણ કરતાં વધારે છે. એટલે કે, જો તમે આ દેશોની સફર પર જાઓ છો, તો તમે નિશ્ચિત મુસાફરીના બજેટમાં ઘણી મજા સાથે વધુ ખરીદી કરી શકશો.

રાખી સાવંતના પતિ આદિલનો વળતો પ્રહાર, કહ્યું – મારે સુશાંત સિંહ રાજપૂત…..

Rakhi Sawant’s husband Adil hits back

  • રાખી સાવંત આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ રાખીએ આદિલ પર બેવફાઈનો આરોપ લગાવ્યો છે. હવે રાખી સાવંતે ફરી એકવાર આદિલ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.

આદિલ ખાને કહ્યું, જે દિવસ હું પોતાનું મોઢું ખોલીશ અને કહીશ કે તે મારી સાથે શું કરે છે, તે બાદ રાખી કશું જ બોલી નહીં શકે. એટલા માટે જ તે સામે આવીને લોકોને કહી રહી છે કે આદિલ ખૂબ ખરાબ વ્યક્તિ છે.

રાખી સાવંતની (Rakhi Sawant) ચેતવણી બાદ તેના પતિ આદિલ ખાન દુર્રાનીએ એક મેસેજના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપી છે. રાખી સાવંતના છેતરપિંડીના (Fraud) આરોપ અંગે આદિલે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં પોતાની વાત રાખી છે. આદિલે પોતાની સાથે થતાં દુરવ્યવહાર અંગેની વાત લોકો સામે કરી છે.

તેણે લખ્યું છે, જો હું કોઈ મહિલાને વળતો જવાબ નથી આપતો તો એનો અર્થ એવો નથી કે હું ખોટો છું. આ માત્ર એટલા માટે છે કે હું પોતાના ધર્મનો સન્માન કરું છું અને હું મહિલાઓનું સન્માન કરવામાં માનું છું.

તેણે વધુમાં કહ્યું, જે દિવસે હું પોતાનું મોઢું ખોલીશ અને કહિશ કે તે મારી સાથે શું કરે છે, તે બાદ તે પોતાનું મોઢું નહીં બતાવી શકે. એટલા માટે જ તે રોજ રોજ સામે આવવા માગે છે અને લોકોને કહેવા માગે છે કે હું ખૂબ ખરાબ વ્યક્તિ છું.

મારે સુશાંત સિંહ રાજપૂત નથી બનવું :

મીડિયાના આપેલા પોતાના નિવેદનમાં રાખીએ કહ્યું હતું કે આદિલના જીવનમાં અન્ય મહિલા આવી ચુકી છે. તેણે કહ્યું છે કે તે એક ફ્રિજમાં નથી રહેવા માગતી. તે વાત અંગે પ્રતિક્રિયા આપતા આદિલે લખ્યું, જે રીતે તે કહે છે કે હું ફ્રિજમાં રહીશ, મારે કહેવું છે કે મારે સુશાંત સિંહ રાજપૂત નથી બનવું.

રાખી સાવંતે આપી હતી ચેતવણી :

ગત અઢવાડિયાની શરૂઆતમાં મીડિયા સાથે વાત કરતી વખતે રાખીએ કહ્યું હતું કે, તમારા માધ્યમથી હું આદિલના જીવનમાં આવેલી મહિલાને ચેતવણી આપવા માગું છું, તે સ્ત્રીએ હું બિગ બોસ મરાઠીમાં હતી તે વખતેનો ફાયદો ઉઠાવ્યો હતો. હું તેનું નામ નહીં લઉ. પરંતું, ખરા સમયે હું તમામની તસ્વીર સામે લાવીશ. પર સ્ત્રી સાથેના સંબંધોના કારણે આદિલે 8 મહિના સુધી અમારા લગ્ન દુનિયાથી છુપાવેલા રાખ્યા હતા.

ગત વર્ષે કર્યા હતા લગ્ન :

આપને જણાવી દઈએ કે રાખી સાવંત અને આદિલે ગત વર્ષે જુલાઈમાં લગ્ન કર્યા હતા. બંનેએ ગત મહિને પોતાના લગ્નના સમાચાર દુનિયા સામે મુક્યા હતા.

આ પણ વાંચો :-

ક્રિકેટ ગ્રાઉન્ડ પર યુવકને આવ્યું મોત, પાટીદાર યુવકના મોતથી શેખપુરમાં ગમગીની છવાઈ

0

A young man died on the cricket ground

  • સુરતના યુવકનું ક્રિકેટ રમતી વખતે મોત. અચાનક બેભાન થઈ ગયા બાદ નિપજ્યું મોત.

સુરતમાં (Surat) એક ચોંકાવનારી ઘટના બીન છે. એક યુવક કિશન પટેલનું ક્રિકેટ રમતા સમયે મોત નિપજ્યું છે. સુરતના જહાંગીરપુરાનો (Jahangirpura) યુવક કામરેજના શેખપુર ગામે રવિવારે ક્રિકેટ (Cricket) રમવા ગયો હતો. જ્યાં રમતા રમતા તે અચાનક બેભાન થઈ ગયો હતો. જેના બાદ તેને સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં (Hospital) હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કામરેજ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. કામરેજ તાલુકાના સેખપુર ગામનો યુવક કિશન પટેલ રવિવારે ઓલપાડના સેલૂટ ગામે ક્રિકેટ રમવા ગયો હતો. ક્રિકેટ રમતા સમયે કિશનને આંખે અંધારા આવી ગયા હતા અને તે બેહોશ થઈ ગયો હતો. જેના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ હતું.

આ પણ વાંચો :-

જિમમાં સાડી પહેરી મહિલાએ બતાવ્યો પોતાની તાકાતનો પરચો, વીડિયો જોઈ લોકોએ વાહવાહી કરી

0

A woman wearing a saree showed

  • ઈન્ટરનેટ એક એવી જગ્યા છે જ્યાં તમને હજારો વર્ક આઉટના વીડિયો મળી જાય છે. જે કોઈપણ વ્યક્તિને પ્રેરિત કરી શકે છે. ત્યારે હાલમાં જ એક નવો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સાડી પહેરેલી એક મહિલા જિમાં અઘરી કસરત કરતી જોવા મળી રહી છે.

આજકાલ બદલાતી જીવનશૈલીના (Lifestyle) કારણે બોડી મૂવમેન્ટ બહુ ઓછી થાય છે. જેના કારણે શરીરને સ્વસ્થ રાખવા માટે લોકો ઝુમ્બા, જિમ, વોક વગેરે જેવા વર્કઆઉટનો સહારો લે છે. ઈન્ટરનેટ એક એવી જગ્યા છે જ્યાં તમને હજારો વર્ક આઉટના (Work out) વીડિયો મળી જાય છે. જે કોઈપણ વ્યક્તિને પ્રેરિત કરી શકે છે.

હાલમાં જ કેટલાંક એવા આશ્વર્યજનક વીડિયો સામે આવ્યા છે. જેમાં સાડી પહેરેલી (Wearing Saree) મહિલાઓ વર્ક આઉટ કરતી જિમમાં જોવા મળે છે. આવો જ એક નવો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થયો છે. જેમાં સાડી પહેરેલી એક મહિલા જિમાં અઘરી કસરત કરતી જોવા મળી રહી છે.

લોકોએ મહિલાને ફિટનેસની મહારાણી ગણાવી :

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેને જોઈને લોકો મોંમાં આંગળા નાંખી ગયા છે. એક મહિલા પોતાની તાકાતનો પરચો બતાવતી જોવા મળી રહી છે. વીડિયોએ સોશિયલ મીડિયા યૂઝર્સને ચકિત કરી દીધા છે.

કેટલાક લોકોએ આ મહિલાને ફિટનેસની મહારાણી ગણાવતાં તેના મન ભરીને વખાણ કર્યા છે. સાડી પહેરેલી મહિલાએ જિમમાં એવી તાકાત બતાવી કે તેનો વીડિયો વાયરલ થઈ ગયો.

વાયરલ થયો વર્કઆઉટનો વીડિયો :

વીડિયોમાં જોવા મળતી મહિલા સાડી પહેરીને લોકોને ફિટનેસનો મંત્ર પણ આપી રહી છે. તો બીજા કેટલાંક યૂઝર્સ એવા પણ છે જેમણે સાડીમાં આ પ્રકારની કોઈપણ એક્સરસાઈઝને ખોટી ગણાવી છે. તેમનું માનવું છે કે સાડીમાં પગ પણ ફસાઈ શકે છે. જેનાથી પડવાનો ડર રહે છે. જોકે આ વાયરલ વીડિયો ઈન્ટરનેટની દુનિયામાં હજારો વ્યૂઝ  અને લાઈક્સ મેળવી ચૂક્યો છે.

આ પણ વાંચો :-

અરે બાપ રે ! ત્રણ-ત્રણ બહેનોના એક જ યુવક સાથે લગ્ન : તૈયાર કર્યું એવું ટાઈમટેબલ કે… 

Marriage of three sisters to the same young man

  • કેન્યામાં રહેતા કેટ, ઈવ અને મેરી સગી બહેનો છે. ત્રણેય ગોસ્પેલ મ્યુઝિકનો અભ્યાસ કરતી હતી. અભ્યાસ વખતે કેટની મુલાકાત સ્ટીવો નામના યુવક સાથે થઈ. ત્યાર બાદ તેણે સ્ટિવોને પોતાની બહેનનો સાથે મુલાકાત કરાવી.

ભારતમાં (India) સામાન્ય રીતે એક સાથે એકથી વધારે પત્ની રાખવી કાયદેસર યોગ્ય નથી માનવામાં આવતું. જોકે ઈસ્લામમાં (Islam) એક કરતા વધારે વિવાહની અનુમતિ છે પરંતુ ઘણા ઓછા લોકો એક સાથે એકથી વધારે પત્ની રાખે છે. જોકે વિદેશોમાં એવું નથી. ત્યાં જ એક કરતા વધારે પત્ની (Wife) રાખવાના ઘણા કેસો સામે આવતા રહે છે. પરંતુ કેન્યામાંથી (Kenya) એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે.

રિપોર્ટ અનુસાર અહીં ત્રણ સજી બહેનોને જ એક શક્સ સાથે પ્રેમ થઈ ગયો અને ત્રણેયે તે શખ્સ સાથે લગ્ન પણ કરી લીધો. મજાની વાત એ છે કે આ રિલેશનથી કોઈને કોઈ મુશ્કેલી નથી. ચારેય આ લગ્નથી ખુશ છે.

પહેલી વખત જોતા જ ત્રણેયને થઈ ગયો પ્રેમ  :

એક રિપોર્ટ અનુસાર કેન્યામાં રહેતા કેટ, ઈવ અને મેરી સગી બહેનો છે. ત્રણેય ગોસ્પેલ મ્યુઝિકનો અભ્યાસ કરી રહી હતી. અભ્યાસ વખતે કેટની મુલાકાત સ્ટીવો નામના યુવક સાથે થઈ. ત્યાર બાદ તેણે સ્ટિવોને પોતાની બહેનનો સાથે મુલાકાત કરાવી. ત્યાર બાદ બન્ને બહેનોને પણ સ્ટિવો સાથે પહેલા નજરમાં જ પ્રેમ થઈ ગયો. જોકે ત્યારે સ્ટીવોની તરફથી એવું કંઈ ન હતું. તે ફક્ત કેટને પસંદ કરતો હતો.

થોડા દિવસ રિલેશનમાં રહ્યા બાદ કર્યા લગ્ન :

સ્ટીવોએ જણાવ્યું કે જ્યારે તેણે પોતાની ગર્લફ્રેન્ડની કેટ સાથે મુલાકાત કરાવી તો તેણે બ્રેકઅપ કરી લીધી. ત્યાર બાદ તે કેટની સાથે રિલેશનશિપમાં આવી ગયો. થોડા દિવસ બાદ કેટની બન્ને બહેનોએ પણ પ્રેમનો ઈઝહાર કર્યો અને ત્રણેયની સાથે રિલેશન રાખીને રહેવા લાગ્યા. થોડા દિવસો રિલેશનમાં રહ્યા બાદ સ્ટીવોએ લગ્નનો નિર્ણય કર્યો અને ત્રણેય બહેનો સાથે લગ્ન કરી લીધા. ત્યાં જ ત્રણેયની સાથે જ રહેવા લાગ્યો અને આ હાલ તે આ રિલેશનને એન્જોય કરી રહ્યો છે.

ત્રણેયને સાથે રહેવામાં કોઈ મુશ્કેલી નહીં  :

સ્ટીવોએ જણાવ્યું કે ત્રણેય બહેનોને રૂટીન બનાવ્યું છે અને તેના હિસાબથી જ નિર્ણય કરવામાં આવે છે કે સ્ટીવો કઈ બહેનની સાથે ક્યારે રહેશે. સ્ટીવોનું કહેવું છે કે તેને એક સાથે ત્રણ પત્નીની સાથે રહેવામાં કોઈ મુશ્કેલી નથી.

ત્રણેયના ખુશ રાખવી સરળ છે. હું સોમવારે મેરીની સાથે રહું છું. જ્યારે મંગળવારે કેટની સાથે. ત્યાં જ બુધવારે હું ઈવની સાથે રહ્યું છું. જ્યારે વિકેન્ડ પર અમે બધા સાથે રહીએ છીએ અને ખૂબ મસ્તી કરીએ છીએ.

આ પણ વાંચો :-

પૌંઆ ભાવતા હોય તો પણ રોજ નાસ્તામાં પૌંઆ ખાતા હોવ તો ચેતી જાઓ, આ આદત કરી શકે છે તમને બીમાર

Even if you eat pauna for breakfast

  • પૌંઆ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને પચવામાં હળવા તેથી મોટાભાગના લોકો પૌંઆ કોઈ પણ જાતની ચિંતા વિના ખાતા હોય છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો એવું પણ જણાવે છે કે..

સવારનો નાસ્તો ખૂબ જ જરૂરી હોય છે કારણ કે નાસ્તાથી (Breakfast) જ શરીરને દિવસભર માટેની એનર્જી મળે છે. પરંતુ સાથે જ મોટાભાગના લોકો સવારનો નાસ્તો ઝટપટ બની જાય તેવો અને પચવામાં સરળ હોય તેવો પસંદ કરે છે. કારણ કે નાસ્તો કર્યા પછી કામ પણ કરવાનું હોય છે. આજ કારણ છે કે મોટાભાગના લોકો નાસ્તામાં  પૌંઆ ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકોના ઘરે તો અઠવાડિયામાં ચારથી પાંચ વખત પૌંઆનો (Pouna) નાસ્તો બને છે.

એ વાતમાં કોઈ શંકા નથી કે પૌંઆ ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે કારણ કે તે કાર્બોહાઈડ્રેટ ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે સાથે જ તે ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે અને પચવામાં હળવા તેથી મોટાભાગના લોકો પૌંઆ કોઈ પણ જાતની ચિંતા વિના ખાવાનું પસંદ કરે છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો એવું પણ જણાવે છે કે જો તમે જરૂર કરતાં વધારે પૌંઆનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં કેટલીક આડ અસરો પણ થઈ શકે છે.

અન્ય નાસ્તાઓની સરખામણીમાં પૌંઆ ચોક્કસથી હેલ્ધી માનવામાં આવે છે. પરંતુ પૌંઆમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે તેથી જો તમે નિયમિત રીતે પૌંઆ ખાશો તો તમારું વજન પણ વધી શકે છે. સાથે જ પોવર સફેદ ચોખા માંથી બને છે તેથી તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે અને તે રક્તમાં શુગરનું પ્રમાણ વધારી શકે છે.

કોઈપણ ઘરમાં પૌંઆ બને છે તો તેને બનાવવા માટે તેમાં તેલ મગફળી, બટેટા, ફરસાણ જેવી વસ્તુઓ પણ ઉમેરવામાં આવે છે. આ પ્રકારની વસ્તુઓ ઉમેરવાથી તેમાં કેલરીનું પ્રમાણ વધી જાય છે. તેથી જે  પૌંઆને તમે પચવામાં હળવા ગણીને ખાવ છો તે તમારા શરીરમાં કેલેરીનું પ્રમાણ વધારે છે. આજ કારણ છે કે નિયમિત રીતે અને વધારે પ્રમાણમાં પૌંઆ ખાવાથી બચવું જોઈએ

પૌંઆ ખાવાથી થતા નુકસાન

સ્થૂળતા :

ઘણા લોકો વજન ઘટે તે માટે નાસ્તામાં  પૌંઆ ખાવાનું પસંદ કરે છે પરંતુ જો તમે રોજ  પૌંઆ ખાશો તો વજન ઘટવાને બદલે વધવા લાગશે કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે. સાથે જ  પૌંઆ બનાવતી વખતે તેમાં બટેટા નો ઉપયોગ પણ થાય છે જે વજનને વધારે છે.

બ્લડ સુગર વધારે છે :

ડાયાબિટીસના દર્દી હોય તેમણે ચોખા ખાવાથી પણ બચવું જોઈએ. તેવામાં જો તમે ચોખામાંથી બનેલા  પૌંઆ નિયમિત રીતે ખાશો તો તમારું બ્લડ સુગર લેવલ વધી જવાનું જોખમ વધી જશે.

એસિડિટી :

ઘણા લોકો સવારે નાસ્તામાં પૌંઆ ખાય પછી તેમને એસિડિટી ની ફરિયાદ રહે છે. પૌંઆ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે જેના કારણે પેટમાં દુખાવો અને એસીડીટી ની સમસ્યા પણ થઈ શકે છે.

ક્યારે અને કેટલી માત્રામાં ખાવા પૌંઆ

પૌંઆનું સેવન હંમેશા મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. જો તમે વધારે પ્રમાણમાં તેનું સેવન કરો છો તો સ્વાસ્થ્યને ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. જો તમને પૌંઆ ભાવતા હોય તો તમે સપ્તાહમાં બે કે ત્રણ વખત નાસ્તામાં ચા સાથે તેને લઈ શકો છો. પરંતુ ધ્યાન એક વાતનું રાખવું કે એક વાટકી થી વધારે પૌંઆનું સેવન ન કરવું. જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોય તો તેમાં બટેટાનો ઉપયોગ પણ ન કરવો.

આ પણ વાંચો :-