Home Blog Page 1166

VIDEO / બેબી શાવર ફંક્શનમાં Armaan Malik ની બંને પત્નીઓ વચ્ચે થયો ઝઘડો, જોત જોતામાં ન થવાનું થઈ ગયું

Armaan Malik’s two wives

  • અરમાન મલિકે પ્રથમ પત્ની પાયલની મિત્ર કૃતિકા સાથે 5 વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા. શરુઆતમાં બંને વચ્ચે સારો મનમેળ નહોતો. પરંતુ હવે તેઓ સારા મિત્રો તરીકે સાથે રહે છે. યૂટ્યૂબર અરમાન મલિક સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં રહેતા સ્ટાર્સમાંથી એક છે.

ફેમસ યૂટ્યૂબર અરમાન મલિક (Famous YouTuber Armaan Malik) સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં રહેતા સ્ટાર્સમાંથી એક છે. તેની સાથે-સાથે તેની પત્નીઓ કૃતિકા મલિક (Kritika Malik) અને પાયલ મલિક પણ ખૂબ જ જાણીતી છે. અરમાન ક્યારેક તેના બે લગ્નના કારણે તો ક્યારેક તેની બે પત્નીઓ એક સાથે પ્રેગ્નેટ થવાના કારણે ચર્ચામાં રહે છે. આ દરમિયાન તેની બે પત્નીઓ વચ્ચેની લડાઈના વીડિયો પણ જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

અરમાન મલિકની બંને પત્નીઓ પાયલ અને કૃતિકા પ્રેગ્નેટ છે. હાલમાં જ તેના ઘરમાં બેબી શાવરની પાર્ટી રાખવામાં આવી અને આ દરમિયાન બંને વચ્ચે લડાઈ થઈ હતી. કૃતિકાએ ફેસબુક પર તેનો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કૃતિકા બેબી શાવર ફંક્શન માટે તૈયાર થઈ રહી હોય છે અને પાયલ મોડુ કરવાના કારણે ખૂબ જ નારાજ થઈ જાય છે.

આ કારણે થયો બંને વચ્ચે ઝઘડો :

પાયલ વારં-વાર કૃતિકાને ટોકતી રહે છે. જેનાથી તે પણ પરેશાન થઈ જાય છે. બાદમાં પરિવારની સામે જ બંને વચ્ચે ઝઘડો શરુ થાય છે. પરિવારના સભ્યો તેને શાંત કરવાની કોશિશ કરે છે. એટલામાં કૃતિકાની માતા પણ આવી જાય છે અને કૃતિકા તેને ફરિયાદ કરે છે કે પાયલ હંમેશા કહે છે કે તે પોતાની માતા પાસે જતી રહે. તેની માતા કૃતિકાને પોતાની પાસે લઈ જવાની વાત કરે છે તો પાયલ કહે છે કે તેણે તેને સ્ટાર બનાવી છે તો તે નહી જઈ શકે. પાયલ પોતાનો દુપટ્ટો ફેંકીને રુમમાં જતી રહે છે અને કહે છે કે હવે કંઈ નહી કરે.

https://www.facebook.com/watch/?ref=external&v=633139065287479

અંતમાં અરમાન મલિક જણાવે છે કે આ બધુ માત્ર રમુજ માટે હતું. બંનેની લડાઈ લોકોને ખૂબ જ પસંદ છે, એટલે તેમણે આ વીડિયો બનાવ્યો છે. અરમાન મલિકે પ્રથમ પત્ની પાયલની મિત્ર કૃતિકા સાથે 5 વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા. શરુઆતમાં બંને વચ્ચે સારો મનમેળ નહોતો. પરંતુ હવે તેઓ સારા મિત્રો તરીકે સાથે રહે છે.

આ પણ વાંચો :-

South Australia vs Tasmania : હાય લા..છેલ્લી ઓવરમાં 4 જ રન જોઈતા હતા અને એક ઝાટકે પડી 5 વિકેટ, જુઓ Video

0

South Australia vs Tasmania

  • South Australia vs Tasmania : ટી 20 આવ્યા બાદથી ક્રિકેટ જગતમાં હવે ચોગ્ગા અને છગ્ગા વધુ જોવા મળી રહ્યા છે. આવામાં જો કોઈ ટીમે 50 ઓવરની મેચમાં છેલ્લા 6 બોલમાં 4 રન કરવાના હોય અને હાથમાં 5 વિકેટ બચી હોય તો જીત લગભગ પાક્કી જ ગણાતી હોય છે.

ટી 20 (T-20) આવ્યા બાદથી ક્રિકેટ જગતમાં હવે ચોગ્ગા અને છગ્ગા વધુ જોવા મળી રહ્યા છે. આવામાં જો કોઈ ટીમે 50 ઓવરની મેચમાં છેલ્લા 6 બોલમાં 4 રન કરવાના હોય અને હાથમાં 5 વિકેટ બચી હોય તો જીત લગભગ પાક્કી જ ગણાતી હોય છે.

પરંતુ ઓસ્ટ્રેલિયામાં મહિલા ઘરેલુ ક્રિકેટ એ ટુર્નામેન્ટમાં ખુબ જ રોમાંચક ફાઈનલ જોવા મળી. આ વિશે જાણીને તમે બે ઘડી તો સ્તબ્ધ થઈ જશો. આખરી ઓવરમાં જે ધમાલ મચી તે જાણીને તમને પહેલા તો માન્યમાં જ નહીં આવે કે આવું પણ બની શકે.

ક્રિકેટ ઈતિહાસની સૌથી રોમાંચક મેચ :

આ મેચના અંતને જોયા બાદ એ કહેવું જરાય કમ નહીં હોય કે આ મુકાબલો ક્રિકેટનો સૌથી રોમાંચક મુકાબલો બની ગયો. વાત જાણે એમ છે કે મહિલા ઘરેલુ લિસ્ટ એ ટુર્નામેન્ટના ફાઈનલ મુકાબલોમાં સાઉથ ઓસ્ટ્રેલિયા અને તસ્માનિયાની મહિલા ટીમો આમને સામને હતી. જો કે વરસાદના કારણે આ મેચમાં બીજી ઇનિંગના 3 ઓવરો ઓછા કરી  દેવાયા હતા.

મેચ એક સામાન્ય અંદાજમાં અંત તરફ જઈ રહી હતી. 46 ઓવર બાદ આખરી ઓવરમાં જીત માટે સાઉથ ઓસ્ટ્રેલિયાની ટીમે માત્ર 4 રન કરવાના હતા. તમામ ક્રિકેટ પ્રેમીઓને પણ એ વાતનો જરાય અંદાજો નહતો કે આગામી કેટલીક પળો શું ઉથલપાથલ મચાવશે. તસ્માનિયાની મહિલા ટીમ તરફથી છેલ્લી ઓવર ફેંકવા આવેલી સારાહ કોયટેએ અંતમાં આખી ગેમ પલટી નાખી.

છેલ્લી ઓવરમાં 5 વિકેટ :

અત્રે જણાવવાનું કે લાસ્ટ ઓવરના પહેલા જ બોલ પર સારાહ કોયટેએ સાઉથ ઓસ્ટ્રેલિયાની એક ખેલાડીને બોલ્ડ કરી. બીજા બોલ પર એક રન થયો તો ત્રીજા બોલે જિમી બેર્સી સ્ટમ્પ આઉટ થઈ ગઈ. ચોથા બોલ પર અમાન્ડા પણ રન આઉટ થઈ. આ પ્રકારે પહેલા 4 બોલમાં માત્ર એક રન થયો. હવે 2 બોલમાં જીત માટે 3 રન કરવાના હતા.

5માં બોલે કોયટેએ એલા વિલ્સનને પણ એલબીડબલ્યુ કરીને સાઉથ ઓસ્ટ્રેલિયાને 9મો ઝટકો આપ્યો. લાસ્ટ બોલ પર એલિસુ મુસ્વાંગા માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગઈ. આ રીતે છેલ્લી ઓવરમાં સાઉથ ઓસ્ટ્રેલિયાની ટીમની 5 વિકેટ પડી ગઈ. તસ્માનિયાએ મેચ એક રનથી જીતી લીધી અને ઓસ્ટ્રેલિયામાં મહિલા ઘરેલુ લિસ્ટ- એ ટુર્નામેન્ટને પોતાના નામે કરી.

આ પણ વાંચો :-

Photo : પત્ની મેહા સાથે મહાકાલના દર્શન કરવા પહોંચ્યો અક્ષર પટેલ, ભસ્મ આરતીનો લીધો લાભ

0

Akshar Patel reached Mahakal

  • Ujjain Mahakal temple : ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ પોતાની પત્ની મેહા પટેલ સાથે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. ભક્તોની ભારે ભીડ વચ્ચે અક્ષર પટેલ અને તેની પત્ની મહાકાલેશ્વર મંદિરમાં પહોંચ્યા હતા.

અહીં તેમણે ભોળાનાથની પૂજા અને અભિષેક કરીને ભસ્મ આરતીનો લાભ લીધો હતો. લગ્ન પછી પહેલી વખત બંને અહીં દર્શન કરવા પહોંચ્યા હતા. સોમવારે વહેલી સવારે જ અક્ષર પટેલ (Akshar Patel) પોતાની પત્ની સાથે મહાકાલેશ્વર મંદિરમાં (Mahakaleshwar temple) પહોંચ્યા હતા.

અક્ષર પટેલ અને મેહાના લગ્ન 26 જાન્યુઆરીએ થયા હતા. લગ્નના એક મહિના બાદ તેઓ પહેલી વખત ઉજ્જૈન આવ્યા હતા. બંનેએ સોમવારે સવારે બાબા મહાકાલ ધામમાં સવારે બે કલાક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કર્યો અને પછી આરતીના દર્શનનો લાભ લીધો.

આરતી કર્યા પછી બંને ગર્ભ ગૃહની અંદર પહોંચ્યા અને પૂજારી દ્વારા થતા અભિષેકનો લાભ લઈને મહાદેવના આશીર્વાદ લીધા. ગર્ભ ગૃહમાં પ્રવેશતા પહેલા અક્ષર પટેલે ધોતી પહેરી હતી. જ્યારે તેની પત્ની પીળા રંગની સાડીમાં સજ્જ થઈને મંદિર પહોંચી હતી.

અક્ષર પટેલે જણાવ્યું હતું કે તે ઈન્દોર રાહુલ દ્રવિડ સાથે પહોંચ્યો હતો. આ પહેલા તેણે વર્ષ 2016માં મહાકાલના દર્શન કર્યા હતા. જોકે તે સમયે તે ભસ્મ આરતીનો લાભ લઈ શક્યો ન હતો. આ પહેલી વખત છે જ્યારે તે ભસ્મ આરતીમાં સામેલ થઈ શક્યો છે. અક્ષર પટેલે મહાદેવના દર્શન કરીને કહ્યું હતું કે ભસ્મ આરતીનો લાભ લઈને અલૌકિક આનંદ પ્રાપ્ત થયો છે.

મહત્વનું છે કે અક્ષર પટેલ મંદિરમાં હોવાની વાત સામે આવતા ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મંદિર પરિસરમાં ઉપસ્થિત લોકો પણ અક્ષર પટેલને જોવા અને તેની સાથે ફોટો ક્લિક કરાવવા ઉમટી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઈન્દોરમાં ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ એક માર્ચથી શરૂ થશે. તેવામાં તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયેલા ક્રિકેટર ઈન્દોર પહોંચીને મહાદેવના આશીર્વાદ લેવા પણ આવી રહ્યા છે. અક્ષર પટેલ પહેલા અહીં કે એલ રાહુલ દર્શન કરી ચૂક્યા છે. તેણે પણ તાજેતરમાં જ આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે.

આ પણ વાંચો :-

Watch Video : ડાન્સ કરતા કરતા જતો રહ્યો જીવ, સબંધીના લગ્નમાં જ સબંધો ચીરીને જતો રહ્યો 19 વર્ષના યુવકનો જીવ 

0

Watch Video

  • Watch Viral Video: 25 ફેબ્રુઆરીની રાત્રે તેલંગનામાં એક 19 વર્ષના યુવકનું ડાન્સ કરતા મૃત્યુ થયું હતું. આ યુવક ડાન્સ કરી રહ્યો હતો કે અચાનક જ તેને હૃદય રોગનો હુમલો આવ્યો હતો.

હૈદરાબાદથી (Hyderabad) લગભગ 200 કિલોમીટર દૂર આવેલા નિર્મલ જિલ્લાના પારદી ગામમાં મહારાષ્ટ્રના (Maharashtra) રહેવાવાળા મોતિમ નામના યુવકનું મૃત્યુ. યુવક પોતાના એક સબંઘીના લગ્નમાં ડાન્સ કરી રહ્યો હતો અને અચાનક જ તેને હૃદય રોગનો હુમલો આવ્યો અને તે ત્યાં જ મૃત્યુ પામ્યો.

મહેમાનો યુવકને તરત જ હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ હોસ્પિટલમાં ફરજ પર રહેલા તબીબે યુવકને મૃત જાહેર કર્યો. તબીબોએ જણાવ્યું કે યુવકને હૃદય રોગનો હુમલો આવ્યો હશે. તેલંગનામાં 4 દિવસમાં આ બીજી ઘટના છે. 22 ફેબ્રુઆરીના રોજ પણ હૈદરાબાદના એક જીમમાં કસરત કરતી વખતે 24 વર્ષના એક પોલીસ કોન્સ્ટેબલનું હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુ થયું હતું.

લગ્નમાં ડાન્સ કરતા પટકાયો જમીન પર :

આ વીડિયોમાં જોવા મળતો યુવક નાદેડ જિલ્લાના કિનવટ તહસીલના શિવનીનો રહેવાસી છે. તેની ઉંમર 19 વર્ષ છે. તે હૈદરાબાદ પાસે 200 કિલોમીટર દૂર આવેલા નિર્મલ જિલ્લાના પારડી ગામમાં પોતાના સબંધીના લગ્નમાં ગયો હતો.

વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે તે એક તેલુગુ ફિલ્મના ગીત પર ડાન્સ કરી રહ્યો છે. તે લગ્નના રિસેપ્શનમાં નાચી રહ્યો હતો પરંતુ લગભગ 45 સેકન્ડના વીડિયોમાં 33 સેકન્ડ પછી જોવા મળી છે કે તે ડાન્સ કરતા કરતા અચાનક સત્બ્ધ થઈ જાય છે અને ત્યાંજ ઢળી પડે છે.

Mallikarjun Kharge : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે આ શું બોલી ગયા? PM મોદી પર આપ્યું વિવાદિત નિવેદન

0

Mallikarjun Kharge 

  • Mallikarjun Kharge controversial statement on PM Modi : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ રવિવારે  ભાજપના નેતૃત્વવાળી કેન્દ્રની મોદી સરકાર પર ‘અલોકતાંત્રિક’ થવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે લોકતંત્રને બચાવવા માટે લોકોએ સરકારની તાનાશાહી વિરુદ્ધ મજબૂતાઈથી લડવું પડશે. આ સાથે જ તેમણે પીએમ મોદી ઉપર પણ નિશાન સાંધ્યુ.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ (Congress president Mallikarjun Kharge) રવિવારે  ભાજપના નેતૃત્વવાળી કેન્દ્રની મોદી સરકાર (Modi Govt) પર ‘અલોકતાંત્રિક’ થવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે લોકતંત્રને બચાવવા માટે લોકોએ સરકારની તાનાશાહી વિરુદ્ધ મજબૂતાઈથી લડવું પડશે. આ સાથે જ તેમણે પીએમ મોદી ઉપર પણ નિશાન સાંધ્યુ.

પરંતુ આ દરમિયાન તેઓ પીએમ પદની ગરિમા ભૂલી ગયા અને આપત્તિજનક નિવેદન આપ્યું. મલ્લિકાર્જૂન ખડગેએ ‘તુ તારી’ ની ભાષાનો ઉપયોગ કર્યો. અત્રે જણાવવાનું કે ખડગે કોંગ્રેસના ત્રણ દિવસના 65માં પૂર્ણ અધિવેશનના સમાપન પર છત્તીસગઢના જોરા ગામમાં આયોજિત જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.

શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષે?

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરતા કહ્યું કે, ‘તારા જેવા અનેક આવ્યા અને ગયા.’ મલ્લિકાર્જૂન ખડગે આટલેથી જ ન અટક્યા તેમણે વધુમાં કહ્યું કે, ’56 ઈંચની છાતીનું શું કરીશું, લોકોને ખાવાનું અને રોજગાર આપો. જો આ (છાતી) એક ઈં પણ ઓછી થઈ જાય તો કોઈ મુશ્કેલી નહીં આવે, દુબળા થવાથી કોઈ મરતું નથી.’

કેન્દ્ર સરકાર લોકતાંત્રિક નથી -ખડગે

મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, કેન્દ્રમાં હાલની સરકાર લોકતાંત્રિક નથી. આ સરકાર જનતા માટે કામ કરતી નથી. આ સરકાર ફક્ત પોતાની તાનાશાહી ચલાવે છે. તેમણે દાવો કર્યો કે અમે ત્યાં (સંસદમાં) ગરીબો, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને મહિલાઓ સંબંધિત મુદ્દાઓને ઉઠાવવા માટે સ્વતંત્ર નથી. મારું ભાષણ અને રાહુલજીનું ભાષણ  હટાવી દેવાયું. અમે કોઈ અપમાનજનક શબ્દોનો ઉપયોગ નથી કર્યો. અમે ફક્ત અદાણી વિશે સવાલ પૂછ્યો હતો.

આ પણ વાંચો :-

Jasprit Bumrah : આગામી IPL અને WTC માં પણ નહીં દેખાય બુમરાહ? ખેલાડીઓને આ શું થવા બેઠું છે?

0

Jasprit Bumrah

  • Latest Updates about Jasprit Bumrah : પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે બુમરાહ IPLથી કમબેક કરી લેશે. તેનું કારણ એ કહેવામાં આવી રહ્યું હતું કે, બુમરાહની બોડી 4 ઓવરનું વર્કલોડ સહન કરી શકે એમ છે.

ભારતીય ક્રિકેટ ટીમના (Indian cricket team) ફેન્સ માટે ખરાબ સમાચાર છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI) સાથે જોડાયેલા સૂત્રો અનુસાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઇજાને લીધે આગામી IPL સીઝન તેમજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ મિસ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, બુમરાહ હજી સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી અને તેને રિકવર થવામાં હજી વધુ સમય લાગશે.

ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI) સાથે જોડાયેલા સૂત્રો અનુસાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇજાને લીધે આગામી IPL સીઝન તેમજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ મિસ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, બુમરાહ હજી સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી અને તેને રિકવર થવામાં હજી વધુ સમય લાગશે.

સૂત્રોનું કહેવું છે કે, ઇન્ડિયન ટીમ મેનેજમેન્ટનો ટાર્ગેટ છે કે, બુમરાહ ઓક્ટોબર-નવેમ્બરમાં થનાર વર્લ્ડ કપ પહેલાં સ્વસ્થ થઈ જાય. જેથી તે ICC ટૂર્નામેન્ટમાં રમીને નિર્ણાયક ભૂમિકા ભજવી શકે. ઉલ્લેખનીય છે કે, બુમરાહ ભારત માટે છેલ્લે 25 સપ્ટેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20માં રમ્યો હતો.

તેને તાજેતરમાં કાંગારું સામેની ત્રણ વનડે શ્રેણીમાં અનફિટ જાહેર કરવામાં આવ્યો હતો. લેટેસ્ટ અપડેટ એ છે કે નેશનલ ક્રિકેટ એકેડમી બુમરાહને જલ્દી જ ફિલ્ડ પર લાવવા માટે ઉતાવળ કરવા માગતું નથી અને તે લાંબો સમય રિહેબમાં સ્પેન્ડ કરશે.

પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે બુમરાહ IPLથી કમબેક કરી લેશે. તેનું કારણ એ કહેવામાં આવી રહ્યું હતું કે, બુમરાહની બોડી 4 ઓવરનું વર્કલોડ સહન કરી શકે એમ છે. જો કે, હવે તે IPLમાં પણ કમબેક નથી કરવાનો તો તેની ઇન્જરીના સ્ટેટ્સ અને ફાઇનલ રિપોર્ટ્સ અંગે ફેન્સે રાહ જોવી પડશે.

આ પણ વાંચો :-

Viral Video : Mayya Mayya ગીત પર છોકરીએ કર્યો હોટ બેલી ડાન્સ, જેણે જોયો તે થઈ ગયા પાણી પાણી

Viral Video 

  • સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કઈ પણ ચર્ચાનો વિષય બની જાય છે. ખાસ કરીને છોકરીઓ આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તેમના ડાન્સ વીડિયો આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. છોકરીઓના ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતા વાર લાગતી નથી. લોકો આ પ્રકારના વીડિયોને ખુબ પસંદ કરતા હોય છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા (Social media) એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કઈ પણ ચર્ચાનો વિષય બની જાય છે. ખાસ કરીને છોકરીઓ આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તેમના ડાન્સ વીડિયો આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. છોકરીઓના (Girl) ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતા વાર લાગતી નથી. લોકો આ પ્રકારના વીડિયોને ખુબ પસંદ કરતા હોય છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. એક સુંદર છોકરીએ પોતાના બેલી ડાન્સથી એટલી ધૂમ મચાવી છે કે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.

‘Mayya Mayya’ પર કર્યો ગજબનો ડાન્સ :

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરીએ બોલીવુડ ગીત ‘Mayya Mayya’ પર જબરદસ્ત ડાન્સ કર્યો છે. તેનો હોટ બેલી ડાન્સ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. તેના મૂવ્સ ખુબ જ ઈમ્પ્રેસિવ છે. બ્લ્યુ બેલી ડાન્સિંગ આઉટફિટમાં યુવતી એકદમ સ્ટનિંગ લાગે છે.

સેન્સુઅસ ડાન્સ વીડિયો હાલ ઈન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે. વીડિયોને દીપાલી વશિષ્ઠે યુટ્યૂબ પર શેર કર્યો છે. આ વીડિયો યુટ્યૂબ  પર કોહરામ મચાવી રહ્યો છે. બોલ્ડ અને મોહક ડાન્સ મૂવ્સ બધાને દીવાના બનાવી રહ્યા છે અને હજારો વ્યૂઝ અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે.

આ પણ વાંચો :-

મોટા સમાચાર ! સંજય સિંહ સહિત 36 AAP નેતાઓની દિલ્હી પોલીસે ધરપકડ કરી હોવાનો આરોપ, જાણો શું છે મામલો

0

Big news! Delhi Police arrested 36 AAP leaders

  • દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનિષ સિસોદીયાની ધરપકડ બાદ સંજય સિંહએ ટ્વીટ કરી કહ્યું કે દિલ્હી પોલીસે મારી અને મંત્રી ગોપાલ રાય તેમજ ધારાસભ્ય ઋતુરાજ જાનીની ધરપકડ કરી છે.

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહએ (Sanjay Singh) ચૌંકાવનારી ટ્વીટ કરી છે. જેનાથી દિલ્હીનો રાજકીય માહોલ ગરમાયો છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, દિલ્હી પોલીસે મારી અને મંત્રી ગોપાલ રાય (Gopal Rai) તેમજ ધારાસભ્ય ઋતુરાજ જા, દિનેશ મોહનિયા, રોહિત મેહરૌલિયા તેમજ આદિલ ખાન સહિત કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીનો આક્ષેપ :

આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, તેમના 36થી વધુ નેતાઓ પોલીસે અટકાયત કરી લીધી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને MCD પ્રભારી દુર્ગેશ પાઠકે દિલ્હી પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, દુર્ભાવનાપૂર્ણ કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. પોલીસે ઈન્દ્રપુરીના કાઉન્સિલર જ્યોતિ ગૌતમ, વોર્ડ પ્રમુખ અમર ગૌતમ, સુભાષ મ્યુનિસિપલ કાઉન્સિલર સુરેન્દ્ર સેઠિયા, હરી મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશ લાડિયાને નજરકેદ કરી દીધા છે. તેમણે કહ્યું કે આ સરમુખત્યારશાહી છે.

મનિષ સિસોદીયાની ધરપકડ :

તમને જણાવી દઈએ કે દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનિષ સિસોદીયાની ગઈકાલે ધરપકડ થઈ છે. સીબીઆઈએ ગઈકાલે11 કલાકે તેમને પૂછપૂરછ માટે મુખ્યાલય બોલાવ્યાં હતા જ્યાં તેમની આઠ કલાક પૂછપરછ કરી હતી જે પછી સાંજના સમયે તેમની ધરપકડ કરી હતી.

સીબીઆઇએ આ કેસમાં એક અમલદારનું નિવેદન નોંધ્યું હતું. તપાસ એજન્સીનો દાવો છે કે આ કેસમાં તેણે કહ્યું છે કે તે (મનીષ સિસોદિયા) આબકારી નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કેટલીક સૂચનાઓ આપી હતી. સીબીઆઈની સિસોદીયાની આ બીજા રાઉન્ડની પૂછપરછ છે.

આ પણ વાંચો :-

હાર્ટ એટેકથી બચવું હોય તો આ 4 સુપરફુડનું શરુ કરો સેવન, નહીં થાય હાર્ટ પ્રોબ્લેમ

If you want to avoid heart attack

  • Healthy Food : આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તેવામાં જો તમારે હાર્ટ અને હેલ્ધી રાખવું હોય તો તમે કેટલાક સુપરફૂડનું સેવન કરી શકો છો. ચાર વસ્તુઓ એવી છે જેને ખાવાથી આપણા શરીરને ખાસ કરીને હૃદયને ખૂબ જ ફાયદો થાય છે.

આપણું હૃદય આપણા શરીરનું મહત્વનું અંગ છે. જેવી રીતે આપણી ઉંમર વધે છે તેમ હૃદય (Heart) સહિતના મહત્વના અંગોની સંભાળ વધુ રાખવી પડે છે. કારણ કે ઉંમર વધવાની સાથે આ બધા અંગ પણ નબળા પડવા લાગે છે. ખાસ કરીને જો હાર્ટ સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો નાની ઉંમરમાં હૃદય સંબંધિત ગંભીર સમસ્યા (Serious problem) થઈ શકે છે.

આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તેવામાં જો તમારે હાર્ટ અને હેલ્ધી રાખવું હોય તો તમે કેટલાક સુપરફૂડનું સેવન કરી શકો છો. ચાર વસ્તુઓ એવી છે જેને ખાવાથી આપણા શરીરને ખાસ કરીને હૃદયને ખૂબ જ ફાયદો થાય છે. આ ચાર વસ્તુઓનું સેવન કરવામાં આવે તો 40 ની ઉંમર પછી હાર્ટ ડીસીઝ થતા નથી.

હૃદયના સ્વાસ્થ્યને સારું રાખે છે આ ચાર વસ્તુઓ :

1. આખા અનાજ આપણા શરીર અને ખાસ કરીને હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થો હૃદય રોગનું જોખમ વધારે છે. તેના બદલે આખા અનાજ ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે.

2. સામાન્ય રીતે ચોકલેટ તો તમે પણ ખાદી હશે પરંતુ હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ. ડાર્ક ચોકલેટ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તે આપણા શરીરમાં રહેલા ઝેરી પદાર્થોથી હૃદયને સુરક્ષિત રાખે છે. ડાર્ક ચોકલેટ માં એવા ખનીજ હોય છે જે હાર્ટ ફંક્શનને સુધારે છે.

3. સર્ટિફિશ જેમ કે સેલમન અને ટુના હેલ્દી ફેટ રીચ સોર્સ છે. આ ફેટ શરીરને અને ખાસ કરીને હૃદયને સારી રીતે કામ કરવા માટે મદદ કરે છે.

4. ઓલિવ ઓઈલ પણ હાર્ટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. અન્ય કુકિંગ ઓઇલ કોરનરી ડીસીઝને વધારવાનું જોખમ વધારે છે જ્યારે ઓલિવ ઓઇલ તેને ઘટાડે છે. જો તમે ભોજનમાં ઓલીવ ઓઇલ નો ઉપયોગ કરો છો તો હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે.

આ પણ વાંચો :-

આ તો કળજુગ છે કળિયુગ … સુરેન્દ્રનગરમાં બાળકીના મૃતદેહ સાથે કરાયું દુષ્કર્મ

This is Kaljug Kaljug

  • Rape With Deadbody :  બાળકીના મૃતદેહની તપાસ કરતા જે જાણવા મળ્યું તે કાળજુ કંપાવનારું હતું. કારણ કે, તબીબોએ જણાવ્યું કે, બાળકી સાથે દુષ્કર્મ થયું છે.

Surendranagar news : આજકાલ સમાજમાં માનવામાં ન આવે તેવું બની રહ્યું છે. સંબંધો ખાલી નામના રહ્યાં છે. પરંતુ લોકો તેમાં હદ વટાવી રહ્યાં છે. લોકોના મગજ પર વિકૃતિ સવાર થઈ રહી છે. આવામાં સૌથી વધુ ભોગ નાના બાળકો બની રહ્યાં છે.

ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendranagar) એક એવી ઘટના બની છે જે માનવામાં ન આવે. આ વાંચીને તમારું મગજ ચકરાઈ જશે કે સુરેન્દ્રનગરમાં દોઢ વર્ષની દફનાવેલી બાળકીના મૃતદેહ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. આ જાણીને માતાપિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરમાં 25 ફેબ્રુઆરીના રોજ એક દોઢ વર્ષની બાળકીનું મોત નિપજ્યુ હતુ. પરિવારે જણાવ્યું કે, તેમની બાળકીને હૃદયમાં કાણું હોવાથી તે જીવી શકી ન હતી, અને મોતને ભેટી હતી. જેના બાદ તેના દફનવિધિ કરવામાં આવી હતી. પરંતુ દફનવિધિ બાદ બાળકીનો મૃતદેહ અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યો હતો. જેથી પરિવાર સમસમી ગયો હતો. આ બાબતે તેઓએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

બાળકીના મૃતદેહની તપાસ કરતા જે જાણવા મળ્યું તે કાળજુ કંપાવનારું હતું. કારણ કે તબીબોએ જણાવ્યું કે, બાળકી સાથે દુષ્કર્મ થયું છે. આખરે કોણે દફનાવેલી બાળકી સાથે આવું કૃત્ય કર્યું. આ સમાચારથી લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચો :-