Home Blog Page 1165

Taarak Mehta ka Ooltah Chashmah : તારક મહેતા. શોમાં એપિસોડ દીઠ સૌથી વધુ કોને મળે છે રૂપિયા ? નામ જાણી ચોંકી જશો

Taarak Mehta ka Ooltah Chashmah : 

  • Taarak Mehta ka Ooltah Chashmah Cast Salary Per Episode : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આ શોના પાત્રો પોતાની ફીને લઈને પણ ચર્ચામાં રહે છે. લોકોને હસાવવા માટે આ કલાકારો તગડી રકમ વસૂલે છે.

Taarak Mehta ka Ooltah Chashmah Cast Salary Per Episode : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આ શોના પાત્રો પોતાની ફીને લઈને પણ ચર્ચામાં રહે છે. લોકોને હસાવવા માટે આ કલાકારો તગડી રકમ વસૂલે છે. હાઈએસ્ટ પેઈડ એક્ટરની (Highest paid actor) વાત કરીએ તો આ લિસ્ટમાં સૌથી ઉપર કોનું નામ આવે છે તે જાણીને તમે દંગ રહી જશો.

શોના કલાકારોનો પગાર :

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં સૌથી વધુ જે રકમ વસૂલે છે તે જેઠાલાલનું પાત્ર ભજવતા દિલિપ જોશી છે. એવું કહેવાય છે કે તેઓ આ પાત્ર ભજવવા માટે દર મહિને લાખોની કમાણી કરે છે. કારણ કે તેમના એક એપિસોડની કિંમત 1.50 લાખ રૂપિયા છે.

જેઠાલાલ બાદ જેમને સૌથી વધુ પગાર મળતો હતો તે દિશા વાકાણી હતી. જો કે હવે દિશા આ શોનો ભાગ નથી. પરંતુ તેના ગયા બાદ સેકન્ડ હાઈએસ્ટ પેઈડ અભિનેતા શૈલેષ લોઢા બન્યા હતા. તેમને મહેતાજીનું પાત્ર ભજવવા માટે એપિસોડ દીઠ એક લાખ રૂપિયા મળતા હતા.

પરંતુ હવે તેઓ પણ શોને અલવિદા કરી ચૂક્યા છે. તેમની જગ્યાએ સચિન શ્રોફ મહેતાજીનું પાત્ર ભજવે છે. હાલ જો કે સચિનને એટલી ફી નથી મળતી. આવામાં હવે શો સાથે જોડાયલા એક જૂના કલાકારને હવે ચાંદી થઈ ગઈ છે.

આ અભિનેતા બન્યા ત્રીજા સૌથી વધુ પગાર મેળવતા કલાકાર :

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અમિત ભટ્ટ હવે શોમાં સૌથી વધુ ફી વસૂલનારા કલાકારોમાં ત્રીજા નંબરે છે. જેઠાલાલ બાદ માસ્ટર ભીડેનો નંબર આવે છે જેમને એપિસોડ દીઠ 80000 રૂપિયા મળે છે. જ્યારે અમિત ભટ્ટ એક એપિસોડ દીઠ 70 હજાર રૂપિયા લે છે. આ અગાઉ તેમનો નંબર આ યાદીમાં ઘણો પાછળ હતો.

શો સાથે જોડાયા નવા કલાકારો :

છેલ્લા 15 વર્ષમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને અનેક કલાકારો અલવિદા કરી ચૂક્યા છે. આવામાં જ્યારે હવે શો સાથે નવા ચહેરા જોડાયા છે તો જે કલાકારો આ ખાલી જગ્યા ભરી રહ્યા છે તેમની ફી અંગે માહિતી હજુ સામે આવી નથી.

આ પણ વાંચો :-

સ્પીડમાં BMW હંકારીને અકસ્માત કરનાર નબીરાની ગાડીમાંથી ભાજપનો ખેસ મળ્યો

0

BJP’s case was found in the car of Nabira

  • BMW Hit And Run : અમદાવાદમાં દારૂના નશામાં BMW કાર ચાલકે સર્જ્યો અકસ્માત. બેફામ રીતે કાર ચલાવી સિમ્સ હોસ્પિટલ પાસે દંપતિને મારી ટક્કર. અકસ્માત કર્યા બાદ કાર ચાલક થયો ફરાર.

અમદાવાદમાં (Ahmedabad) હિટ એન્ડ રનની વધુ એક ઘટનાએ અમદાવાદ પોલીસના નાકે દમ કર્યો છે. BMW કાર ચાલકે દારૂના નશામાં દંપતીને અડફેટે લીધા હતા. સિમ્સ હોસ્પિટલથી (Sims Hospital) ઝાયડસ જવાના રસ્તે આ અકસ્માત સર્જીને BMW કાર ચાલક દોઢ કિ.મી. દૂર કાર મૂકીને ફરાર થયો હતો.

આ યુવક અમદાવાદના વગદાર પરિવારનો નબીરો હોવાનું સામે આવ્યું છે. કાર સત્યમ શર્મા નામનો માલેતુજાર પરિવારનો દીકરો ચલાવતો હતો. જેની ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. તો અકસ્માત પહેલાં સ્પીડનો વીડિયો પણ બનાવ્યો હતો.

કારમાંથી સત્યમ શર્મા નામના વ્યક્તિની પાસબુક મળી આવી હતી. તો સાથે જ ચોંકવનારી વાત એ છે કે તેની કારમાંથી ભાજપનો ખેસ પણ મળી આવ્યો છે. આ ઘટના બાદથી માલેતુજાર પરિવાર રાતોરાત ગાયબ થઈ ગયો છે.

ઝાડના હિસાબે દંપતી બચ્યું, BMW એ ચાર લોકોને અડફેટે લીધા  :

બન્યું એમ હતું કે બુધવારે રાતે 9.45 વાગ્યાના સુમારે બી.આર.પાર્ક પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં સીમ્સ હોસ્પિટલ રોડ સોલા વિસ્તારમાં યુવકે પોતાની કાર નંબર GJ-01-KV-1008 ની પુરઝડપે બેદરકારી તેમજ ગફલતભરી રીતે ચલાવી હતી.

બી.આર.પાર્ક પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં ચાલીને પસાર થતા તેણે અમીતભાઈ દેવકીનંદન સિંઘલ (ઉ.વ.૪૪ ધંધો વેપાર રહેવાસી) અને તેમના પત્ની સાહેદ મેઘાબેન (ઉ.વ.૪૦) ને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતને પગલે અમીતભાઈને જમણા પગે ઘુટીના ભાગે ફ્રેક્ચર થયું છે. તો સાહેદ મેઘાબેનને ડાબા પગે ઘુટણના ભાગે ફ્રેક્ચર થયું છે. તેમજ તેમના થાપાના ભાગે ઈજાઓ પહોચી છે.

ગાડીમાંથી ભાજપનો ખેસ અને દારૂની બોટલ મળી :

BMW કારમાંથી પોલીસને દારૂની બોટલો પણ મળી આવી હતી. તેમજ કારની ફ્રન્ટ સીટ પર ભાજપનો ખેસ મળી આવ્યો હતો. ત્યારે શુ આ માલેતુજાર પરિવારનો ભાજપ સાથે કોઈ નાતો છે કે નહિ તે પણ ચર્ચામાં આવ્યું છે.

અકસ્માતના જાણ થતા બાદ પોલીસ કાર માલિકના ઘરે પહોંચી હતી. જ્યાં અકસ્માત બાદ કાર માલિક પરિવાર સાથે ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું. BMW કારનો માલિક શ્રીક્રિષ્ના શર્મા છે. શ્રીક્રિષ્ના શર્માનો પુત્ર સત્યમ શર્મા છે. આ BMW કાર સત્યમ શર્મા ચલાવે છે.

ઘરમાં કામ કરતા કુકે જણાવ્યું કે કાર માલિક પરિવાર બિઝનેસમેન છે. શર્મા પરિવાર મૂળ ગ્વાલિયાનો છે. તેમની આનંદ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની છે. પુત્ર સત્યમે સોશિયલ મીડિયા પર પુરઝડપે કાર હંકારતો અને પૈસા સાથેના રિલ અપલોડ કર્યા છે.

આ પણ વાંચો :-

 

 

અરે Rahul Gandhi તમે આ શું બોલી ગયાં ! જાણો શું કહ્યું ?

Hey Rahul Gandhi, what did you say?

  • Rahul Gandhi at Cambridge University : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બ્રિટનની પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોતાના ભાષણને ‘સાંભળવાની કલા’ પર કેન્દ્રીત કર્યું. તેમણે પોતાના વ્યાખ્યાનમાં દુનિયામાં લોકતાંત્રિક માહોલને પ્રોત્સાહન આપવા માટે એક એવી નવી સોચનું આહ્વાન કર્યું કે જેને થોપવામાં ન આવે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ (Congress MP Rahul Gandhi) બ્રિટનની પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં (University of Cambridge) પોતાના ભાષણને ‘સાંભળવાની કલા‘ (The art of listening) પર કેન્દ્રીત કર્યું. તેમણે પોતાના વ્યાખ્યાનમાં દુનિયામાં લોકતાંત્રિક માહોલને પ્રોત્સાહન આપવા માટે એક એવી નવી સોચનું આહ્વાન કર્યું કે જેને થોપવામાં ન આવે. અત્રે જણાવવાનું કે ગાંધી ‘કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલ‘ માં વિઝિટિંગ ફેલો છે.

હાલના વર્ષોમાં ભારત અને અમેરિકા જેવા લોકતાંત્રિક દેશોમાં વિનિર્માણ ક્ષેત્રમાં ઘટાડાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ ફેરફારથી મોટા પાયે અસમાનતા અને આક્રોશ સામે આવ્યો છે. જેના પર તત્કાળ ધ્યાન આપવાની અને સંવાદની જરૂર છે.

નવી સોચની જરૂરિયાત :

રાહુલ ગાંધીએ યુનિવર્સિટીમાં 21મી સદીમાં સાંભળવાનું શીખવાના વિષય પર વ્યાખ્યાન આપતા કહ્યું કે, આપણે એક એવી દુનિયાની કલ્પના ન કરી શકીએ જ્યાં લોકતાંત્રિક વ્યવસ્થાઓ ન હોય. તેમણે કહ્યું કે આથી આપણે આ અંગે નવી સોચની જરૂરિયાત છે કે તમે બળપૂર્વક માહોલ બનાવવાની જગ્યાએ કઈ રીતે લોકતાંત્રિક માહોલ બનાવી શકો છો. તેમણે કહ્યું કે ‘સાંભળવાની કલા‘ ખુબ શક્તિશાળી હોય છે. દુનિયામાં લોકતાંત્રિક વ્યવસ્થાઓનું ખુબ મહત્વ છે.

ત્રણ ભાગમાં વહેચાયેલું હતું વ્યાખ્યાન :

વ્યાખ્યાનને મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજિત કરાયું હતું. તેની શરૂઆત ભારત જોડો યાત્રાના ઉલ્લેખથી થઈ હતી. રાહુલ ગાંધીએ લગભગ 4000 કિલોમીટર પગપાળા યાત્રા સપ્ટેમ્બર 2022થી જાન્યુઆરી 2023 સુધી કરી હતી. આ યાત્રા ભારતના 12 રાજ્યોમાંથી પસાર થઈ હતી.

દ્વિતિય વિશ્વયુદ્ધ બાદથી વિશેષ રીતે સોવિયેત સંઘના 1991ના વિઘટન બાદથી અમેરિકા અને ચીનના બે અલગ અલગ દ્રષ્ટિકોણ પર વ્યાખ્યાનનો બીજો ભાગ કેન્દ્રીત હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે ‘વિનિર્માણથી સંબંધિત નોકરીઓને સમાપ્ત કરવા ઉપરાંત અમેરિકાએ 11 સપ્ટેમ્બર 2001ના આતંકી હુમલાઓ બાદ પોતાના દરવાજા ઓછા ખોલ્યા જ્યારે ચીને ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની આજુબાજુના સંગઠનો દ્વારા સદભાવને પ્રોત્સાહન આપ્યું છે.’

રાહુલ ગાંધીના વ્યાખ્યાનના અંતિમ તબક્કાના વિષય ‘વૈશ્વિક વાતચીતની જરૂરિયાત’ હતો. તેમણે વિભિન્ન દ્રષ્ટિકોણને અપનાવતા નવી રીતભાત માટે આહ્વાનમાં વિભિન્ન આયામોને સાંકળવાનો પ્રયત્ન કર્યો. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એ પણ સમજાવ્યું કે ‘યાત્રા’ એક તીર્થયાત્રા છે જેનાથી લોકો આપોઆપ જ જોડાય છે જેથી કરીને બીજાઓને સાંભળી શકે.

આ પણ વાંચો :-

Honda New Bike : બોસ આના જેવું બાઈક બીજું કોઈ નઈ ! માઈલેજ-મેન્ટેનસમાં બધાનો ‘બાપ’

Honda New Bike

  • Hero સ્પેન્ડરને ટક્કર આપશે Hondaનું આ નવું બાઈક, જાણો ક્યારે લોન્ચ થશે.

Honda New Bike : જાપાની ટુવ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની હોન્ડા (Honda is a Japanese two-wheeler manufacturing company) ખૂબ જ જલદી તેનું નવું બાઈક લોન્ચ કરશે. આ માટે કંપનીએ તમામ તૈયારીઓ પણ કરી લીધી છે. આજે અમે તમને જણાવીએ કે બાઈક ક્યારે લોન્ચ થશે અને તેની ભારતીય માર્કેટમાં શું કિંમત હશે.

આ બાઈકની બોલબાલા :

હોન્ડા તરફથી કન્ફર્મ કરવામાં આવ્યું છે કે આગામી 15 માર્ચે બાઈકને ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ કંપની તરફથી બાઈકને 100cc સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. કંપની તરફથી આ સેગમેન્ટમાં અત્યારે કોઈપણ બાઈકની ઓફર કરવામાં આવશે નહીં.

બાઈકની ખાસિયત :

હેન્ડાનું નવું 100cc બાઈક હીરોનું 100 ccવાળા બાઈક સ્પ્લેન્ડરને ટક્કર આપશે. આ ઉપરાંત કંપનીના નવા બાઇકની HF Delux, બજાજ પ્લેટિના 100 જેવા બાઈકને પણ ટક્કર આપશે.

પાવરફૂલ એન્જિન :

હોન્ડાએ શેર કરેલાં વીડિયોમાં માત્ર બાઈક લોન્ચિંગની તારીખ જણાવી છે. આ બાઈકમાં 100ccનું એન્જિન હશે 8hpનો પાવર અને 8Nmનો ટોર્ક જનરેટ કરશે. બાઈક એક લીટર પેટ્રોલમાં લગભગ 60થી 70 કિલોમીટરની એવરેજ આપશે તેવી શક્યતા છે. બાઈકમાં 4 ગિયર હશે. આ બાઇકની કિંમત 60થી 65 હજાર રૂપિયા વચ્ચે હોઈ શકે છે.

આ પણ વાંચો :-

Video Viral : અજગર પર બેઠો, પછી મોઢું પકડ્યું…દોઢ વર્ષનો બાળક છે ‘ખતરો કે ખેલાડી’

0

Sitting on a python

  • સાપ અને અજગર કેટલા ખતરનાક હોય છે તે બધા જાણે છે, પરંતુ આપણા દેશના ઘણા ગામડાઓમાં પણ તેમને પાળવામાં આવે છે. છત્તીસગઢ રાજ્યના મહાસમુંદ જિલ્લાના એક ગામમાં બાળકો પણ સાપ સાથે રમે છે.

અજગરને (Python) જો કોઈના શરીરને લપેટી લે તો જીવ બચાવવો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં તેનાથી દૂર રહેવું વધુ સારું છે. પરંતુ જ્યારે તમે સોશિયલ મીડિયા (Social media) પર એક બાળકને મોટા અજગર સાથે રમતા જોશો તો તમે દંગ રહી જશો. તે અજગરના મોં પાસે જાય છે અને તેને પકડી લે છે. વીડિયો બનાવનાર પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. મહાકાય અજગરને જોઈને માણસ ડરી જાય છે પરંતુ સોશિયલ મીડિયા પર આ વાયરલ વીડિયો જુઓ. એક બાળક અજગર સાથે રમી રહ્યું છે. આ વીડિયો જેણે જોયો તે દરેક સ્તબ્ધ થઈ ગયા.

એક વ્યક્તિએ લખ્યું, ‘બાળકને રમવા માટે આવું રમકડું કોણ આપે છે? આવા કડક માતાપિતા કયા ગ્રહ પર જોવા મળે છે?’ 26 સેકન્ડનો આ વાયરલ વીડિયો તમે જોતા જ રહી જશો. દોઢ વર્ષનું બાળક અજગરમાં લપેટાયેલું છે. સામાન્ય રીતે જો કોઈ અજગરના રસ્તે આવે તો તે પાંસળીઓ તોડી શકે છે. પરંતુ આ બાળકના ચહેરા પર ડરનો કોઈ ભાવ નહોતો. તે અજગર નહીં પણ રમકડાની જેમ રમી રહ્યો હતો. જ્યારે અજગર આગળ જવાનું શરૂ કરે છે. ત્યારે બાળક દોડીને તેનો રસ્તો રોકે છે. તેણે આગળ જે કર્યું તે તમને ગુસબમ્પ્સ આપશે.

આ બાળક અજગરનું મોં પકડીને રમવાનું શરૂ કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં આ દ્રશ્ય ક્યાંનું છે તે જાણી શકાયું નથી, પરંતુ જે રીતે બાળકને અજગર સાથે એકલો છોડી દેવામાં આવ્યો હતો તેનાથી સ્પષ્ટ થાય છે કે આ લોકો માટે આ સામાન્ય વાત છે. આ વીડિયોને હજારો લોકોએ જોયો છે. જોકે, સોશિયલ મીડિયા પર વિડિયો જોનારાઓને તે ગમ્યો ન હતો. અશોક નામના યુઝરે લખ્યું, ‘વીડિયો બનાવનાર એક બેજવાબદાર વ્યક્તિ છે. બાળકને ડ્રેગનથી દૂર દૂર કરવું જોઈએ. બાળક ગમે ત્યારે મોતને ભેટી શકે છે. એક વાર અજગર તેને લપેટી લે તો તેની ચુંગાલમાંથી છૂટવું મુશ્કેલ છે.

સાપ અને અજગર કેટલા ખતરનાક હોય છે તે બધા જાણે છે. પરંતુ આપણા દેશના ઘણા ગામડાઓમાં પણ તેમને પાળવામાં આવે છે. છત્તીસગઢ રાજ્યના મહાસમુંદ જિલ્લાના એક ગામમાં બાળકો પણ સાપ સાથે રમે છે. આ લોકો સાપને પકડીને બતાવીને જીવન નિર્વાહ કરે છે. જો કે કોઈ સાપને નુકસાન પહોંચાડતા નથી. છોકરીને વિદાય ભેટ તરીકે માત્ર સાપ આપવામાં આવે છે. સાપના મૃત્યુ પર માનવીની જેમ અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

Shocking ! આ તે કેવી માતા…સેનેટાઈઝર છાંટીને પોતાની 5 વર્ષની માસૂમ પુત્રીને જીવતી બાળી મૂકી

0

Shocking! What kind of mother

  • ઉત્તર પ્રદેશના અલીગઢથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક કળયુગી માતાની હેવાનીયત જોઈને દરેક સ્તબ્ધ છે. પતિ પત્નીના વિવાદમાં કળયુગી માતાએ પોતાની 5 વર્ષની પુત્રીને સેનેટાઈઝર નાખીને બાળી મૂકી. ઘટના બાદ મમતા શબ્દને કલંકિત કરનારી આ માતા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અલીગઢથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક કળયુગી માતાની હેવાનીયત જોઈને દરેક સ્તબ્ધ છે. પતિ પત્નીના (husband wife) વિવાદમાં કળયુગી માતાએ પોતાની 5 વર્ષની પુત્રીને સેનેટાઈઝર નાખીને બાળી મૂકી. ઘટના બાદ મમતા શબ્દને કલંકિત કરનારી આ માતા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ. ત્યારબાદ 5 વર્ષની માસૂમ બાળકીના પિતાની ફરિયાદના આધારે પોલીસે કેસ દાખલ કરીને આરોપી માતાની શોધ શરૂ કરી છે.

સેનેટાઈઝર છાંટી જીવતી બાળી મૂકી :

અલીગઢ પોલીસ મથકના અતરૌલી વિસ્તારના મોહમ્મદપુર બડેરા ગામની રહીશ આશાદેવીનો પતિ સાથે  કોઈ વાતે ઝઘડો થયો. વિવાદ એટલો વધી ગયો કે ગુસ્સામાં આશાદેવીએ પોતાની 5 વર્ષની પુત્રી વંદના પર સેનેટાઈઝર છાટીને જીવતી બાળી મૂકી અને ત્યાંથી ફરાર થઈ ગઈ.

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ. પિતાની ફરિયાદના આધારે અતરૌલી પોલીસે આશા દેવી વિરુદધ 302 હેઠળ કેસ દાખલ કર્યો અને આરોપી મહિલાને પકડવા માટે 2 ટીમો બનાવી છે.

આસપાસના લોકોનું કહેવું છે કે પોતાની જ કોખેથી જન્મેલી 5 વર્ષની પુત્રી પર સેનેટાઈઝર નાખીને તેને બાળી મૂકવાની ઘટના ખુબ જ ખૌફનાક અને શરમજનક છે. લોકોમાં ચર્ચા છે કે આખરે પતિ પત્ની વચ્ચે થયેલા વિવાદમાં કોઈ માતા પોતાના જ બાળક પ્રત્યે આટલી ક્રૂર કઈ રીતે બની શકે. આથી આવી માતાને તો ફાંસીની સજા થવી જોઈએ.

માસૂમનું ઘટનાસ્થળે જ મોત :

ઘટનાની જાણકારી આપતા સીઓ અતરૌલી મોહસિન ખાને જણાવ્યું કે આ ઘટના બે દિવસ જૂની છે. અતરૌલી વિસ્તારના મોહમ્મદ પુર બડા ગામની રહીશ આશાદેવીએ પતિ સાથે વિવાદ બાદ પુત્રી પર સેનેટાઈઝર નાખીને તેને જીવતી બાળી મૂકી.

ઘટના બાદ પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જ્યારે પતિની ફરિયાદના આધારે આશાદેવી વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરાયો છે. આરોપી મહિલાને પકડવા માટે ત્રણ ટીમો પણ બનાવી છે. જલદી આરોપી મહિલાની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવશે.

આ પણ વાંચો :-

સુરતમાં છ-છ બાળકીઓ ઉપર બળાત્કાર અને હત્યાની હારમાળા, ક્યાં ગઇ શાસકોની ખુમારી?

The row of six girls in Surat

  • છ એ છ હવસખોરોને ફાંસીએ લટકાવવાની સજા ફટકારીને ન્યાયતંત્રએ કાયદાનું કામ કર્યું પરંતુ ઘટનાઓનું પુનરાવર્તન રોકવા સરકારે શું કર્યું.
  • સુરતમાં બબ્બે સાંસદ, રાજ્ય સરકારના ત્રણ અને કેન્દ્ર સરકારના એક મંત્રી સહિત ૧૩૪ ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓની આખી ફોજ છતાં માસુમ ભુલકાઓની સલામતી માટે કેમ પગલા ભરાતા નથી.
  • સુરત શહેરની શ્રમજીવી વસાહતોમાં રોજબરોજ બનતી ઘટનાઓ ઉપર ચોકીદારી કરવામાં આવે તો ગુનાખોરીની હારમાળા બહાર આવશે.
  • ગૌરવ નહીં કહી શકાય પરંતુ સરકારી વકીલ નયન સુખડવાળા હવસખોરી અને હત્યાની છ-છ ઘટનાઓમાં ગુનેગારોને ફાંસી‌ની સજા કરાવવામાં સફળ રહ્યા કદાચ દેશના સૌથી મોખરે હશે.

થોડા દિવસ પહેલા કતારગામ (Katargam) વિસ્તારમાં ‘પોર્નફિલ્મ’ (Pornfilm) જોવાના મુદ્દે પતિ-પત્ની વચ્ચે થયેલી તકરારમાં પતિએ પત્નીને જીવતી સળગાવી દીધી હતી! આ ઘટના પુરવાર કરે છે કે ‘હવસખોર’ માણસ કેટલી હદ સુધી જઈ શકે છે. કારણ ગમે તે હોય પરંતુ પાછલા સમય દરમિયાન હવસખોરીના કિસ્સામાં સતત આઘાતજનક (Shocking) વધારો થઈ રહ્યો છે. માસૂમ બાળકોને એકલા છોડતા કે નજીકના સંબંધીઓ, મિત્રોને સોંપતા ડર લાગી રહ્યો છે. દરેકને એક વાતનો ભય સતાવતો હોય છે અમારા માસૂમ દીકરા, દીકરીઓ સાથે કંઈપણ થઈ શકે.

એકવાત ચોક્કસ છે કે જ્યારથી મોબાઈલ ફોન ઉપર બીભત્સ ફિલ્મોનું પ્રમાણ વધ્યું છે ત્યારથી વાસનાનો કીડો વધુને વધુ આક્રમક બની રહ્યો છે. સીંગલ ફેમિલી અને એકાંતમાં સંતાનો માટે પોર્નફિલ્મ માનસિક વિકૃતિ પેદા કરવા માટે પૂરતા છે. હવસ આપોઆપ પેદા થતી નથી. હવસનું ઉદ્‍ભવસ્થાન માનસિક હોવાનું નિષ્ણાતોનું માનવું છે અને કંઈક અંશે આ વાતમાં કેટલુંક તથ્ય છે એવું ચોક્કસ માની શકાય. એક તરફ પોર્નફિલ્મ અને બીજી તરફ યુવાન-યુવતીઓના અંગઉપાંગ દર્શાવતા ટૂંકાવસ્ત્રો પણ હવસખોરી માટે કારણભૂત માની શકાય. આ બધું નગ્‍ન સત્ય હોવા છતાં આધુનિકતા કે ફેશનના નામે પ્રદર્શિત કરાતી બીભત્સતા હવસને ઉશ્કેરવા માટે કે આકર્ષવા માટેનું કારણ માની શકાય. કોઈ મહિલા ટૂંકા વસ્ત્રો પહેરે છે એટલે કોઈને ઉશ્કેરાઈ જવાનો અધિકાર મળી જતો નથી. પરંતુ બદલાયેલી માનસિક સ્થિતિ ‘બળાત્કાર’ જેવી ગુનાખોરી આચરવા તરફ દોરી જાય છે.

સુરત જેવા શાંતિપ્રિય અને સંસ્કારી શહેરમાં બળાત્કારની ઘટના બનવા પામે એ જ મોટો આઘાત ગણી શકાય. પરંતુ પાછલા દિવસો દરમિયાન માસૂમ બાળકીઓને હવસનો શિકાર બનાવી હત્યા કરવાની ઘટનાઓની હારમાળા શહેરના કાયદો-વ્યવસ્થા સામે ચોક્કસ આંગળી ચીંધી રહી છે. મોટાભાગની ઘટનાઓમાં બળાત્કારી, હત્યારાઓ ઝડપાઈ ગયા છે અને એક-બે નહીં, આઠ-આઠ નરાધમોને ફાંસીએ લટકાવવા કોર્ટ સજા ફટકારી ચૂકી છે અને તેમ છતાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં માસૂમ બાળકીઓ હવસખોરોની હેવાનિયતનો શિકાર બની રહી છે. વધુ એક નરાધમોને ફાંસીની સજા ફટકાર્યાના બીજા જ દિવસે શહેરના સચિન વિસ્તારમાં ફૂલની કળી જેવી માત્ર બે જ વર્ષની માસૂમ બાળકીને  હવસખોરે રગદોળી નાંખી હતી અને બાળકીનું તડપી-તડપીને કરૂણ મોત નિપજ્યું હતું.

આ અને અગાઉ બાળકીઓ સાથે બનેલી ઘટનાઓની વાત સાંભળતા પણ ધ્રુજી જવાય એવી ક્રુરતા આચરવામાં આવી હતી. પોલીસે હવસખોરોને પકડીને ફાંસીએ લટકાવવા સુધીની સજા કરાવી હતી. પરંતુ ત્યાર પછી પણ માસૂમ બાળકીને હવસખોરીનો શિકાર બનતા અટકાવી શકાતી નથી. કદાચ એવું બની શકે પોલીસ તંત્રની ચોકીદારીમાં ક્યાંક ખામી હશે. સુરત દેશભરમાંથી આવતા શ્રમજીવીઓથી ઉભરાતું શહેર છે. અહીંયા મોટાભાગના પરપ્રાંતીય યુવાનો મજુરી માટે આવે છે અને એકલા રહેતા હોવાથી તેમને નિયંત્રણમાં રાખનારું કોઈ જ હોતું નથી. વળી નવરાશના સમયમાં સ્માર્ટફોન અને પોર્નફિલ્મ વાસનાના કીડાને ઉશ્કેરવા માટેનું સાધન બની જાય છે અને જેમ ભૂખ્યો માણસ નાસ્તાની લારીની શોધમાં નીકળી પડે છે તેમ હવસખોરો માટે પરિચિત પરિવારોના માસૂમ સંતાનો હાથવગુ નિશાન બની જાય છે.

સુરતમાં માસૂમ ભૂલકાઓને શિકાર બનાવવાની હારમાળા તેમ છતાં સ્થાનિક પોલીસ તંત્ર, કલેક્ટર કચેરી, સમાજ કલ્યાણ વિભાગ અને છાશવારે નારી સંરક્ષણના ઝંડા લઈને દોડી જતી સમાજસેવિકાઓ અને છેલ્લે એક પણ ચૂંટાયેલા પદાધિકારીઓએ માસૂમ બાળકીઓ સાથે આચરાયેલી હેવાનિયતભરી ઘટના અંગે હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી.

ગુજરાત ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયા, પર્યાવરણ અને વનમંત્રી મુકેશ પટેલ ઉપરાંત કેન્દ્રીય ટેક્સટાઈલ અને રેલવે મંત્રી દર્શના જરદોશ આજ સુરત શહેરમાં રહે છે. છાશવારે ઉદ્‍ઘાટનો કરવા કે ભાષણો આપવા દોડી જતા લોક‌પ્રતિનિધિઓને સુરતમાં રોજબરોજ બનતી ‘કલંકિત’ ઘટના અંગે બોલવા માટે કે વિચારવા માટે સમય સુદ્ધા નથી. આમાંના એક પણ લોકપ્રતિનિધિએ માસૂમ બાળકીઓ સાથે આચરાયેલ બળાત્કાર અને હત્યાના અત્યંત ઘૃણાસ્પદ બનાવ અંગે ઘટનાસ્થળે જવાનું તો ઠીક પોલીસ તપાસની વિગતો જાણવાની પણ તસ્દી લીધી નહીં હોય.

અરે, જાણવાની વાત છોડો, તપાસ કરનાર અમલદાર, વકીલ કે ન્યાયતંત્રના ચુકાદાની પણ સરાહના કરવાની કોશીશ નહીં કરી હોય.સુરતની ઔદ્યોગિક સમસ્યા અને પ્રશ્નોની ચર્ચા થવી જ જોઈએ. પરંતુ સુરતની સા‌માજિક શાંતિ અને સંરક્ષણ અંગે પણ ચિંતા થવી જ જોઈએ.

સુરત શહેરમાં બબ્બે સાંસદ અને ૧૪ ધારાસભ્યો અને ૧૨૦ કોર્પોરેટરોની ફોજ શહેરમાં મોંઘાદાટ વાહનોમાં આંટાફેરા મારતી રહે છે. પરંતુ બળાત્કાર અને હત્યા જેવી અત્યંત ઘૃણાસ્પદ ઘટનાનો ભોગ બનેલા પરિવારના આંસુ લુછવાની ભાગ્યે જ કોઈએ પરવાહ કરી હશે. દેશના દિલ્હી સહિત મેટ્રો શહેરોમાં અપહરણ, બળાત્કાર, હત્યાની ઘટના વખતે દિવસો સુધી બુમરાણ મચાવતા પ્રચાર માધ્યમો પણ સુરતમાં માસુમ ભુલકાઓ સાથે આચરવામાં આવતી હેવાનિયત સામે જાગૃતિ ફેલાવવામાં ઊણા ઉતરી રહ્યા છે. શાળા, કોલેજોમાં ‘બેડ ટચ ગુડ ટચ’ની પરિભાષા શીખવનારા કહેવાતા મોટીવેટરો માસૂમ બાળકો સાથે બનતી હેવા‌િનયતભરી ઘટના વખતે કયા ભૂગર્ભમાં ઉતરી જાય છે કે શોધ્યા પણ મળતા નથી.

આ બધાની વચ્ચે સુરતના મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાળાનો આત્મા આવી ઘટનાઓ વખતે ધ્રુજી જાય છે.શહેરના કોઈક ખુણામાં હેવા‌િનયતભરી ઘટના બની હોવાની જાણ થતાની સાથે જ નયન સુખડવાળા હવસખોરને ફાંસીની સજા કરાવવા માટે કામે લાગી જાય છે. તપાસ કરનાર પોલીસ અધિકારીને તપાસના તબક્કામાં માર્ગદર્શન પણ પૂરું પાડે છે. ઉપરાંત પોતે પણ કોઈક મુદ્દે સમજી શકતા ના હોય તો સિનિયર ધારાશાસ્ત્રીઓનું માર્ગદર્શન પણ મેળવે છે.

નયન સુખડવાલા ચોક્કસ માને છે કે, કોર્ટ પોતે તપાસ કરવા જતી નથી પરંતુ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા મજબૂત પુરાવા ગુનેગારને આકરી સજા ફટકારવા માટે રસ્તો કરી આપે છે. મોટાભાગના ચુકાદાઓમાં કોર્ટે કરેલું અવલોકન અને ગુનેગારને સજા ફટકારતી વખતે ટાંકેલી કલમો, સંજોગો અને કરેલી ટિપ્પણીઓને પ્રચાર માધ્યમોમાં આવકારદાયક કે લોકોને જાગૃત કરી શકાય એટલી હદે સ્થાન આપવામાં આવતું નથી. માસૂમ બાળકો સાથેના બળાત્કાર, છેડતી, હત્યાની ઘટનાઓની કોર્ટમાં ચાલતી ન્યા‌િયક પ્રક્રિયા દરમિયાન ખૂબ જ ઝીણવટપૂર્વકની દલીલો કરાતી હોય અને પ્રત્યેક દલીલ સ્થિતિનું વર્ણન કરતી હોય છે. સમાજમાં જાગૃતિ લાવવા અને માસૂમ બાળકો સાથેના હવસખોરીના બનાવો અને કોર્ટે ફટકારેલી સજાઓનો વ્યાપક માત્રામાં પ્રચાર કરવાની હવે અનિવાર્યતા દેખાઈ રહી છે અને હેવા‌િનયતની એક એક ઘટનાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને કાયદામાં હજુ પણ વધુ આકરા સુધારા કરવાની જરૂર હોય એવું હાલના તબક્કે લાગી રહ્યું છે.

વિતેલા નજીકના દિવસોમાં માસૂમ બાળકીઓને હવસનો શિકાર બનાવવા સાથે હત્યા કરવાની ઉપરાછાપરી નવ ઘટનાઓ બનવા પામી હતી. આ પૈકી છ હવસખોરોને ફાંસીએ લટકાવવાની સજા ફટકારવામાં મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાની પુરાવા સાથેની તર્કબદ્ધ દલીલો લેખે લગી હતી.
મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા અને પોલીસ અધિકારીઓની આધાર, પુરાવા સહિતની તપાસને પગલે છ છ ગુનેગારોને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફાંસીની સજા ફટકારી આ ઘટના જ સુરતની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ઘણું ઘણું કહી જાય છે. ભૂતકાળમાં આજીવન કેદની ઘટના પણ ચર્ચાનો વિષય બનતી હતી. જ્યારે હવસખોરીની ઘટનામાં આઠ આઠ નરાધમોને ફાંસીએ લટકાવવાની સજાની હારમાળા પછી પણ સરકાર અને સ્થાનિક લોકપ્રતિનિધિઓમાં સંવેદના હોય તો ચોક્કસ મનોમંથન કરી કાયદામાં કે પોલીસદળમાં જ્યાં પણ ફેરફાર કરવાની જરૂર હોય ત્યાં ફેરફાર કરાવી ગુનેગારોમાં કાયદાનો ભય ઉભો કરવામાં નહીં આવે તો માસૂમ ભૂલકાઓ શિકાર બનતા રહેશે.

આ પણ વાંચો :-

વિષ્ણુ ભગવાનની કૃપાથી આ સાત રાશિના લોકો પાર કરશે સફળતાના શિખર

With the grace of Lord Vishnu

મેષઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. આત્મવિશ્વમાં વધારો થતો જણાય. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં પ્રેમ વધે. જૂના રોકાણોથી લાભ. તથા નવા રોકાણો યોગ્ય રીતે થાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. નોકરી-ધંધામાં પ્રગતી.

વૃષભઃ
મોજશોખ વધતાં ખર્ચનું પ્રમાણ પણ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ, સ્થાવર-જંગમ મિલકતથી લાભ. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સાચવવું. લીવરની સમસ્યાથી સાચવવું.

મિથુનઃ
સ્વભાવમાં વિનોદીવૃત્તિ રહે. આવકનો સ્ત્રોત વધતો જણાય છે. પરિવારના સભ્યો સાથે વાદ-વિવાદ ટાળવા. નવા નાણાંકીય રોકાણો સારી રીતે કરી શકાય. ધંધાકીય રીતે પ્રગતી જળવાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.

કર્કઃ
માનસિક શાંતી જળવાય. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ જળવાય. માતા-પિતાનો સાથ-સહકાર મળતો જણાય. અેમની ચિંતા ઓછી થાય. દામ્પત્ય જીવનમાં આનંદ ભાગ્ય બળવાન

સિંહઃ
તમામ ક્ષેત્રે આનંદ ઉત્સાહનો અનુભવ થાય. આવક વધે. પરિવારના સભ્યોની પ્રગતી થતી જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. સ્ત્રી શણગારના ધંધામાં લાભ.

કન્યાઃ
મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. નવા રોકાણો કરતી વખતે સાવચેતી જરૂરી. ઠંડા પીણા, મીનરલ વોટર, ટ્રાવેલીંગના ધંધામાં લાભ.

તુલાઃ
શરીરમાં આળસ વધે. પરિવારમાં લાગણીશીલતાનું પ્રમાણ વધશે. નાણાંકીય રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે.

વૃશ્ચિકઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ ઘટે. નાના ભાઇ-બહેનોની તબિયત સાચવવી. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્યની કાળજી જરૂરી. સફેદ વસ્તુના ધંધામાં લાભ.

ધનઃ
માનસિક આનંદ વર્તાય. જીવનની સમસ્યાઓ વ્યવહારીક રીતે હલ કરી શકશો. કોમ્પ્યૂટર, પેકેજીંગ, કોમ્યુનીકેશનના ધંધામાં લાભ મળશે. સ્થાવર-જંગમ મિલકતના ખરીદ-વેચાણ શક્ય બને. ખોટી સોબતથી સાચવવું.

મકરઃ
આદ્યાત્મિકતા સામાજીક કાર્યોમાં રૂચી વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
મનોબળ વધે. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારવામાં વાદ-વિવાદ ટાળવો. શેરબજારમાં લાભ. શેરબજારમાં લાભ. સ્ત્રીવર્ગ તરફથી ફાયદો. સંતાનની ચિંતા ઓછી થાય. નવું જાણવા શીખવાનો યોગ બને છે. ધંધામાં સફળતા મળતી જણાય.

મીનઃ
ગુસ્સામાં વધારો થતો જણાય. આવક વધે. પરિવારમાં શાંતી જળવાય. જૂના રોકાણોથી લાભ. નવા રોકાણો ફાયદાકારક થાય. માતૃસુખ વધે. ટ્રાવેલીંગ તથા પાણીને લગતા ધંધામાં લાભ.

આ પણ વાંચો :-

Tips / વાળમાં તેલ ના લગાવવાના છે ઘણા નુકસાન, સાચવી લો ક્યાંક બાદમાં પસ્તાવું ના પડે

There are many damages

  • સુંદર દેખાવા માટે હેલ્ધી વાળ હોવા ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે વાળમાં તેલ ન લગાવવાના શું નુકસાન છે.

સુંદર દેખાવા માટે હેલ્ધી વાળ (Healthy hair) હોવા ખૂબ જ જરૂરી છે. વાળની ​​યોગ્ય કાળજી લેવા અને તેને મજબૂત અને ચમકદાર રાખવા માટે સમય સમય પર તેલ લગાવવું જોઈએ. સાથે જ ઘણા લોકો વાળમાં તેલ બિલકુલ નથી લગાવતા. પરંતુ કેટલાક લોકો વાળમાં ચમક લાવવા માટે દરરોજ તેલ લગાવે છે.

તમને જણાવી દઈએ કે ઘણી વખત વાળમાં તેલ લગાવવાથી પણ ઘણા નુકસાન થાય છે. પરંતુ આનો મતલબ એ નથી કે તમારે વાળમાં તેલ બિલકુલ ન લગાવવું જોઈએ. વાળમાં તેલ લગાવવાથી માત્ર તમારા વાળને જ ફાયદો નથી થતો પરંતુ તેનાથી તમારા સ્કેલ્પને પણ ફાયદો થાય છે. એટલા માટે વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે, ચાલો અમે તમને અહીં જણાવીએ કે વાળમાં તેલ ન લગાવવાના શું નુકસાન થાય છે.

વાળમાં તેલ ન લગાવવાના ગેરફાયદા :

  • વાળમાં તેલ ન લગાવવાથી તમારા વાળ ડ્રાય થઈ શકે છે અને તેના કારણે તમારા વાળ નબળા થઈ જાય છે.
  • ઉનાળામાં વાળ અને સ્કેલ્પમાં મોઈસ્ચર જાળવી રાખવા માટે વાળમાં તેલ લગાવવું જરૂરી છે.
  • માથાની ચામડીમાં ખીલ અને ખંજવાળથી બચવા માટે વાળમાં તેલ લગાવવું જરૂરી છે.
  • વાળમાં તેલ ન લગાવવાથી ડ્રાયનેસ અને ડેન્ડ્રફ જેવી સમસ્યા થઈ શકે છે.
  • હેર ઓઈલીંગ ન કરવાથી તમારા વાળને પોષણ મળતું નથી અને વાળ તૂટવા લાગે છે.

વાળમાં તેલ લગાવવું કેમ જરૂરી?

  • વાળમાં તેલ ન લગાવવાથી તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. વાળના પૂરતા પોષણ, વૃદ્ધિ અને મજબૂતાઈ માટે સમયાંતરે તેલ લગાવવું જોઈએ.
  • વાળને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે તેલ લગાવવું જરૂરી છે.
  • વાળની ​​ફ્રિઝિનેસ ઘટાડવા અને તૂટવાથી બચવા માટે તેલ લગાવવું જરૂરી છે.
  • વાળને હાઇડ્રેટ રાખવા માટે હેર ઓઇલીંગ જરૂરી છે.
  • વાળના પોષણમાં મદદ કરે છે.

આ પણ વાંચો :-

શું તમને PM કિસાન યોજનાના 2,000 રૂપિયા નથી મળ્યા ? આ નંબર પર કોલ કરીને કરો ફરિયાદ

0

Did you not get Rs 2,000 from PM Kisan Yojana?

  • પીએમ કિસાન હેલ્પલાઈન નંબર : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. પીએમ મોદીએ કર્ણાટકના બેલાગવીમાં આ હપ્તો બહાર પાડ્યો હતો. જો તમારી પાસે યોજના સંબંધિત કોઈ પ્રશ્નો અથવા ફરિયાદો હોય. તો તમે ટોલ ફ્રી નંબરો પર ફરિયાદ કરી શકો છો.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો (PM Kisan Samman Nidhi Yojana) 13મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. પીએમ મોદીએ કર્ણાટકના (PM Modi Karnataka) બેલાગવીમાં આ હપ્તો બહાર પાડ્યો હતો. જો તમારી પાસે યોજના સંબંધિત કોઈ પ્રશ્નો અથવા ફરિયાદો હોય, તો તમે ટોલ ફ્રી નંબરો પર ફરિયાદ કરી શકો છો.

પ્રધાનમંત્રી મોદીએ સોમવારે PM કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો જાહેર કર્યો છે. પીએમએ કર્ણાટકના બેલાગવીમાં એક કાર્યક્રમમાં આ હપ્તો રજૂ કર્યો. આ હપ્તામાં 8 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 16,800 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે. હવે આ હપ્તો DBT દ્વારા ખેડૂતોના ખાતામાં પહોંચવા લાગ્યો છે.

પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને દર ત્રણ મહિને 2,000 રૂપિયાનો હપ્તો મળે છે. આ રીતે તેને એક વર્ષમાં 6,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. અગાઉ, 8.42 કરોડ ખેડૂતોને PM કિસાનના 12મા હપ્તાનો લાભ મળ્યો હતો અને 10.45 કરોડ ખેડૂતોને 11મા હપ્તાનો લાભ મળ્યો હતો.

શું તમારી પાસે યોજના સંબંધિત કોઈ ફરિયાદ છે?

જો તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમે તેની ફરિયાદ પણ કરી શકો છો. ખેડૂતો હેલ્પલાઇન પર ફોન કરીને તેમની ફરિયાદ નોંધાવી શકે છે. PM કિસાન યોજના સંબંધિત કોઈપણ માહિતી મેળવવા અથવા સમસ્યાના ઉકેલ માટે હેલ્પલાઈન નંબર (PM કિસાન હેલ્પલાઈન) જારી કરવામાં આવ્યો છે.

સમસ્યાનું સમાધાન અહીં કોલ કરીને શોધી શકાય છે. આ સિવાય તમારી ફરિયાદ ઈમેલ પર પણ મોકલી શકાય છે. ખેડૂતો સોમવારથી શુક્રવાર સુધી તેમની ફરિયાદ નોંધાવી શકશે. આ નંબરો પર કોલ કરો

પીએમ કિસાન યોજના માટે હેલ્પલાઈન નંબર 011-24300606 અને 155261 છે. એક ટોલ ફ્રી નંબર 1800-115-526 પણ છે. ખેડૂતો https://pmkisan.gov.in/Grievance.aspx લિંક પર જઈને તેમની ફરિયાદો પણ નોંધાવી શકે છે. અહીં પ્રશ્નો પણ પૂછી શકાય છે. આ માટે તમારે તમારો આધાર અથવા એકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર નાખવો પડશે. તે પછી ‘Get details’ પર ક્લિક કરો. કિસાન મેઈલ આઈડી pmkisan-ict@gov.in. અને તમે pmkisan-funds@gov.in પર મેઈલ કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

આ પણ વાંચો :-