Home Blog Page 1164

Nita Ambani Lifestyle : દુનિયાનું સૌથી મોંઘુ પાણી પીવે છે નીતા અંબાણી, એક ચુસ્કીની કિંમત જાણીને પણ ચોંકી જશો

0

Nita Ambani Lifestyle

  • Nita Ambani Water Bottle Price : દેશના સૌથી પાવરફુલ મહિલા નીતા અંબાણી પાસે રહેલી તમામ વસ્તુઓ ખૂબ જ મોંઘી હોય છે. નીતા અંબાણી જે પાણી પીવે છે તેની કિંમત પણ લાખોમાં છે. આવો, જાણીએ..

દેશની સૌથી શક્તિશાળી મહિલા નીતા અંબાણી (Nita Ambani) માટે આજે કોઈ પરિચયની જરૂર નથી. લાખો લોકો તેમની જીવનશૈલીને અનુસરે છે. નીતા અંબાણીની જીવનશૈલી પણ ઘણી અનોખી અને ખર્ચાળ છે. તેમની પાસે જે બધું છે તે ખૂબ જ મોંઘું છે. નીતા અંબાણી જે પાણી પીવે છે તેની કિંમત પણ લાખોમાં છે. આવો, તેના વિશે જાણીએ…

નીતા અંબાણી પોતાને ફિટ રાખવા માટે ‘Acqua di Cristallo Tributo a Modigliani’ની બોટલમાંથી પાણી પીવે છે. આ વિશ્વની સૌથી મોંઘી બોટલોમાંની એક છે. આ બોટલની ખાસ વાત એ છે કે આ બોટલ સોનાની બનેલી છે. બોટલમાં જે પાણી મળે છે તે ફ્રાન્સ અથવા ફિજીનું હોય છે.

No description available.

એવું કહેવાય છે કે તેના પાણીમાં 5 ગ્રામ સોનાની રાખ પણ મિક્સ કરવામાં આવે છે. જે માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેથી જ આ બોટલની કિંમત આટલી વધારે છે.

વર્ષ 2010માં ‘Acqua di Cristallo Tributo a Modigliani’નું નામ ‘ગિનીસ બુક‘માં સૌથી મોંઘી પાણીની બોટલ તરીકે નોંધવામાં આવ્યું હતું.

આ બોટલને Fernando Altamirano દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. તે એ જ ડિઝાઈનર છે જેણે વિશ્વની સૌથી મોંઘી બોટલ ‘Cognac Dudognon Heritage Henri IV’ ડિઝાઇન કરી હતી.

આ 750 ml બોટલની કિંમત લગભગ $60,000 છે. ભારતીય ચલણ અનુસાર આ 750 ML પાણીની બોટલની કિંમત 44 લાખ રૂપિયાથી વધુ છે.

આ પણ વાંચો :-

ઝુકેગા નહિ સાલા : જેલવાસ બાદ પણ રાણાનો વટ જોવા જેવો, દેવાયત ખવડના ડાયરામાં રૂપિયાનો વરસાદ

0

Even after imprisonment Rana’s vat

  • Devayat Khavad Dayro : ભાવનગરના પાલિતાણામાં ગઈકાલે કમળાઈ માતાજીના મંદિર ખાતે લોકડાયરાનું આયોજન કરાયું હતું. લોકસાહિત્યકાર દેવાયત ખવડનો જેલવાસ બાદનો આ પ્રથમ લોકડાયરો હતો. જેમાં દેવાયત ખવડે જમાવટ કરી.

રાજકોટમાં (Rajkot) મારામારીના કેસમાં જેલવાસ ભોગવીને આવેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડનો (Folk writer Devayat Khawad) ગઈકાલે ભાવનગરમાં (Bhavnagar) પ્રથમ ડાયરો યોજાયો હતો. દેવાયત ખવડે લોકડાયરામાં કહ્યું, જેલમાં નીકળ્યા બાદનો મારો પ્રથમ ડાયરો છે. જોકે, આ ડાયરામાં દેવાયતનો વટ જોવા મળ્યો હતો.

તેણે કહ્યુ હતું કે હજુ પણ કહું છું ઝુકેગા નહિ સાલા. રવિવારના રોજ ભાવનગરના કોલંબા ધામ ખાતે ડાયરો યોજાયો હતો. ડાયરામાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, દેવાયત ખવડ સહિતના કલાકારો હાજર રહ્યા હતા.

ભાવનગરના પાલિતાણામાં ગઈકાલે કમળાઈ માતાજીના મંદિર ખાતે લોકડાયરાનું આયોજન કરાયું હતું. લોકસાહિત્યકાર દેવાયત ખવડનો જેલવાસ બાદનો આ પ્રથમ લોકડાયરો હતો. જેમાં દેવાયત ખવડે જમાવટ કરી હતી. દેવાયત ખવડ પર પહેલાની જેમ જ રૂપિયાનો વરસાદ થયો હતો. દેવાયતે લોકડાયરામા રંગત જમાવી હતી. 72 દિવસ જેલવાસ બાદ લોકડાયરામાં દેવાયત ખવડે કેટલાક નિવેદન આપ્યા હતા.

સ્ટેજ પરથી દેવાયત ખવડે જણાવ્યું હતું કે, આમ તો જેલમાંથી છૂટ્યા બાદ આજે પ્રથમ ડાયરો માતાજીનાં ચરણોમાં યોજાયો છે. ત્યારે તેમનાં ચરણોમાં મારા કોટી કોટી વંદન અને આખી કામળિયાવાડને મારા લાખ લાખ વંદન. ગુજરાત આખું વાટ જોઈને બેઠું છે કે શું બોલશે, પણ આજે હું વાયડાઈની કોઈ વાત કરવાનો નથી અને વ્યવહારની જ વાત કરવાનો છું, કારણ કે વાયડઈ કદી જીતી નથી, જીત હંમેશાં વ્યવહારની જ થાય છે પણ હા, પહેલાં પણ કહેતો આજે પણ કહું છું ‘ઝૂકેગા નહીં સાલા.

સાથે જ દેવાયત ખવડે કહ્યું હતું કે મારા એકલાની પ્રાર્થના નથી, આ બધા જ લોકોએ કરેલી પ્રાર્થના છે. ત્યારે આજનો ડાયરો હું માતાજીનાં ચરણોમાં અને આપ બધા મારા પ્રેમીજનોને સમર્પિત કરું છું. રિજેક્ટ પર રિજેક્ટ થતી હતી જામીન અરજી, ત્યારે દુનિયા દાંત કાઢતી હતી.

નાક માથે કોઈ આંગળી મૂકે તો કહી દેવું કે હવે તું તારી રીતે. ડાયરામાં જતી વખતે શરમ થતી હતી. ડાયરામાં સંતાતાં સંતાતાં જવું પડતું હતું. જ્યારે સમાજને સંદેશ આપતાં તેમણે જણાવ્યું હતું કે સમયની સાથે ચાલવું હોય તો આપણે બધાએ એજ્યુકેશનને મહત્ત્વ આપવું પડશે. ભણતર નહીં હોય તો આપણે બધા ઘણા પાછળ રહી જઈશું.

આ પણ વાંચો :-

સ્પેશિયલ 26 ફિલ્મના સીનની જેમ રાબડી દેવીના ઘરે CBI ના દરોડા, લેન્ડ ફોર જોબ મામલે કાર્યવાહી

0

CBI raids at Rabi Devi’s house

  • CBI visits Rabri Devi’s residence : અગાઉ, IRCTC કૌભાંડ કેસમાં, કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી સહિત 14 આરોપીઓને સમન્સ જારી કર્યા છે અને તેમને 15 માર્ચે કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. આ સમન એવા સમયે જારી કરવામાં આવ્યું છે જ્યારે લાલુ હાલમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીને સિંગાપોરથી સ્વદેશ પરત ફર્યા છે.

CBI visits Rabri Devi’s residence in Patna : CBIની ટીમે સોમવારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના (Former Chief Minister Rabi Devi) ઘરે દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તપાસ એજન્સીએ આ કાર્યવાહી IRCTC કૌભાંડ એટલે કે જમીનના બદલામાં રેલવેમાં નોકરી (Job in Railways) આપવાના મામલામાં કરી છે.

અગાઉ IRCTC કૌભાંડ કેસમાં, કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી સહિત 14 આરોપીઓને સમન્સ જારી કર્યા છે અને તેમને 15 માર્ચે કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. આ સમન એવા સમયે જારી કરવામાં આવ્યું છે. જ્યારે લાલુ હાલમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીને સિંગાપોરથી સ્વદેશ પરત ફર્યા છે.

સીબીઆઈ રેલવેમાં નોકરીના બદલામાં લાંચ માટે જમીન લેવાના આરોપોની તપાસ કરી રહી છે. એજન્સીએ આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. આ કેસમાં લાલુ યાદવના નજીકના અને પૂર્વ ધારાસભ્ય ભોલા યાદવ અને હૃદયાનંદ ચૌધરી પણ આરોપી છે.

આરજેડી નેતા લાલુ યાદવના ઓએસડી ભોલા યાદવની સીબીઆઈ દ્વારા 27 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ભોલા 2004 થી 2009 વચ્ચે તત્કાલીન રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવના ઓએસડી હતા. ચાર્જશીટ દાખલ થયા બાદ તેની નોંધ લેતા રાઉઝ એવન્યુ કોર્ટે કુલ 14 લોકોને સમન્સ મોકલ્યા છે. 15 માર્ચે કોર્ટ તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરશે અને ત્યારબાદ આરોપ ઘડવામાં આવશે.

શું છે મામલો?

નોકરી કૌભાંડ માટે જમીન 14 વર્ષ જૂની છે. આ કૌભાંડ તે સમયનું છે જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા. એવો દાવો કરવામાં આવે છે કે લાલુ યાદવે રેલવે મંત્રી હતા ત્યારે રેલવેમાં નોકરી આપવાના બદલામાં લોકો પાસેથી જમીન લીધી હતી. લાલુ યાદવ 2004 થી 2009 સુધી રેલ્વે મંત્રી હતા.

18 મેના રોજ સીબીઆઈએ આ મામલે કેસ નોંધ્યો હતો. સીબીઆઈના જણાવ્યા અનુસાર લોકોને પહેલા રેલ્વેમાં ગ્રુપ ડી પોસ્ટમાં અવેજી તરીકે ભરતી કરવામાં આવી હતી અને જ્યારે તેમના પરિવારોએ જમીનનો સોદો કર્યો ત્યારે તેમને નિયમિત કરવામાં આવ્યા હતા.

સીબીઆઈનું કહેવું છે કે લાલુ યાદવના પરિવારે પટનામાં 1.05 લાખ ચોરસ ફૂટ જમીન પર કથિત રીતે અતિક્રમણ કર્યું છે. આ જમીનોનો સોદો રોકડમાં થયો હતો. એટલે કે લાલુ પરિવારે રોકડ ચૂકવીને આ જમીનો ખરીદી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ જમીનો ખૂબ જ ઓછી કિંમતે વેચવામાં આવી હતી.

સીબીઆઈએ પણ શોધી કાઢ્યું હતું કે ઝોનલ રેલ્વેમાં અવેજી ભરતી માટે કોઈ જાહેરાત અથવા જાહેર સૂચના જારી કરવામાં આવી નથી. પરંતુ, જે પરિવારોએ યાદવ પરિવારને તેમની જમીન આપી હતી, તેમના સભ્યોને મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરમાં રેલવે એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી.

ED અનુસાર, કેટલાક ઉમેદવારોની અરજીઓ મંજૂર કરવામાં ઉતાવળ દર્શાવવામાં આવી હતી. કેટલીક અરજીઓ ત્રણ દિવસમાં મંજૂર કરવામાં આવી હતી. વેસ્ટ સેન્ટ્રલ રેલ્વે અને વેસ્ટર્ન રેલ્વેએ સંપૂર્ણ સરનામા વિના પણ ઉમેદવારોની અરજીઓ મંજૂર કરી અને નિમણૂક કરી.

લાલુ યાદવ અને પરિવારે જમીનના બદલામાં 7 ઉમેદવારોને નોકરી આપી હોવાનો આક્ષેપ કર્યો હતો. આમાંથી પાંચ જમીન વેચાઈ હતી. જ્યારે બે જમીન ભેટમાં આપવામાં આવી હતી.

આ પણ વાંચો :-

સરકાર પોતે સાવ સસ્તામાં આપી રહી છે સોનું, ખાલી 5 દિવસ માટે સરકારે ખોલ્યો છે ખજાનો !

0

The government itself is giving gold

  • સરકાર પાસેથી માત્ર ₹5,611માં શુદ્ધ સોનું ખરીદો, આજથી 5 દિવસ માટે તક, જાણો શા માટે તે નફાકારક સોદો છે. કેન્દ્ર સરકાર દ્વારા તમને પણ આ યોજનાનો લાભ લેવાનો મોકો આપવામાં આવ્યો છે.

Sovereign Gold Bond Scheme : જો તમે સસ્તામાં સોનું ખરીદવા માંગો છો, તો તમારા માટે એક મોટી તક આવી છે. ખરેખર, 6 માર્ચ, 2022 થી સોવરેન ગોલ્ડ બોન્ડ 2022-23 (સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2022-23 – સિરીઝ IV)ની ચોથી શ્રેણીનું વેચાણ શરૂ થઈ રહ્યું છે. આ સ્કીમ માત્ર 5 દિવસ માટે ખુલ્લી છે.

આ દરમિયાન રોકાણકારોને બજાર કરતાં ઓછા દરે સોનું ખરીદવાની તક મળશે. નોંધપાત્ર રીતે, આ બોન્ડ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા સરકાર વતી જારી કરવામાં આવે છે. આ સ્કીમ હેઠળ તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિઓ દ્વારા સોનું ખરીદી શકો છો. ખાસ વાત એ છે કે ગોલ્ડ બોન્ડ GSTના દાયરામાં સામેલ નથી. આ સાથે ગેરંટીકૃત વળતર પણ મળશે.

ઓનલાઈન ખરીદવા પર તમને 50 રૂપિયા પ્રતિ ગ્રામનું ડિસ્કાઉન્ટ મળશે :

પાંચ દિવસ માટે ખુલતા ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 5,611 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરનારા રોકાણકારોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે, તેઓએ ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરવી પડશે. આનો અર્થ એ થયો કે ઓનલાઈન પેમેન્ટ રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઈશ્યુ કિંમત 5,561 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.

સોનું અને તેની જ્વેલરી ખરીદનારાઓ માટે મહત્વના સમાચાર! 1 એપ્રિલથી અમલમાં આવશે મોટો ફેરફાર, જો તમે ચૂકશો તો તમને ફટકો પડશે

સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાના ફાયદા :

>> વાર્ષિક 2.5% વ્યાજ, અર્ધવાર્ષિક ધોરણે વ્યાજની ચુકવણી.

>> GSTના દાયરામાં નથી, ભૌતિક સોના પર 3% GST.

>> ગોલ્ડ બોન્ડમાં પણ ટ્રાન્સફરનો વિકલ્પ.

>> બોન્ડ સામે પણ લોન લેવાનો વિકલ્પ.

>> ચોકસાઈની કોઈ સમસ્યા નથી.

>> પાકતી મુદત પછી ટેક્સ નહીં.

સોવરિન ગોલ્ડ બોન્ડમાં કેવી રીતે રોકાણ કરવું :

>> બેંકોમાંથી ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી કરી શકો છો

>> પોસ્ટ ઓફિસમાંથી પણ ખરીદી કરી શકાય છે

>> સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન દ્વારા ખરીદી શક્ય છે

>> ગોલ્ડ બોન્ડ BSE અને NSE ના પ્લેટફોર્મ પરથી પણ ખરીદી શકાય છે

રિઝર્વ બેંક પોતાનું સોનું વિદેશમાં છુપાવે છે, આખરે કોને પોતાના કરતાં વધુ વિશ્વાસ છે, બહાર કેટલું સોનું છે

સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણની મર્યાદા :

>> તમે ઓછામાં ઓછા 1 ગ્રામના યુનિટમાં રોકાણ કરી શકો છો.

>> 4 કિલોથી વધુની ઇનપુટ મર્યાદા.

>> વ્યક્તિગત, HUF માટે મહત્તમ રોકાણ મર્યાદા 4 કિલો.

>> ટ્રસ્ટ માટે મહત્તમ રોકાણ મર્યાદા 20 કિલો.

આ પણ વાંચો :-

 

રૂપાણી સાથે જન્મોજનમનું વેર : વીણી વીણીને તેમના ‘ખાસ’ લોકોને રવાના કરાયા

0

Janmojanam’s revenge with Rupani

  • Gujarat Government : રૂપાણી સરકારનો સત્તામાંથી એકડો ભૂંસાયો, જૂના મંત્રીઓના આ ખાસમખાસને પણ રવાના કરી દેવાયા.

રૂપાણી સરકાર (Rupani Sarkar) સાથે જનમો જનમનું વેર હોય એમ વીણી વીણીને સરકાર અને સંગઠનમાંથી નેતાઓને સાફ કરાવી રહ્યાં છે. ગુજરાતમાં ભાજપમાં બધુ સમુસૂતરું નથી એ બધા જ જાણે છે પણ સત્તા આગળ શાણપણ નકામું એમ માનીને તમામે ચૂપકીદી સાધી લીધી છે. રૂપાણી સરકારને એકઝાટકે ઘરભેગી કરી દીધા બાદ હાલમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર (Bhupendra Patel Govt) ગુજરાતમાં સરસ કામગીરી કરી રહી છે. જેના જશ સ્વરૂપે ભાજપે 156 બેઠકો મેળવી છે.

વિધાનસભાની ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપે રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સરકારના દોઢ ડઝનથી વધારે મંત્રીઓના સિફતપૂર્વક પત્તા કાપી નાખ્યા હતા. આવા મંત્રીઓના પહેલાં મંત્રીપદા પણ એક ઝાટકે કપાયા એની કળ વળે એ પછી બીજો ઘા હજુ અનેક લોકો પચાવી શક્યા નથી. એક જ રાતમાં પૂર્વ થઈ જવાશેનો કોઈએ સ્વપ્ને પણ ખ્યાલ નહોતો.

ગુજરાતમાં આ પ્રયોગ સફળ રહ્યો છે અને ભાજપે આ પ્રયોગ અન્ય રાજ્યોમાં અજમાવીને સફળતા મેળવી છે. ગુજરાતને ભાજપની પ્રયોગશાળા કહેવાય છે. મોદી અને અમિત શાહ કોઈ પણ પ્રયોગ એ ગુજરાતમાં કર્યા બાદ મોડેલ સ્વરૂપે દેશભરમાં લાગુ કરે છે.

દેશના રાજકારણમાં આવી ઉથલપાથલો અને પ્રયોગો ભાજપ જ કરી શકે છે, એવુ વારંવાર સાબિત થઇ ગયું છે અને એમ છતાંય તેની ચૂંટણીલક્ષી સફળતાના ગ્રાફને હજુ વાંધો આવ્યો નથી, પરંતુ આવા જૂના મંત્રીઓ દ્વારા દોમદોમ સાહબી હતી ત્યારે કેટલાક કાર્યકરો, ઓળખીતાઓ, સંબંધીઓને સીધી ભરતીથી પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. એવા ક્લાર્ક અને સેવકોની હાલત અત્યંત કફોડી બની ગઇ છે. હવે આ લોકો ના ઘરના ના ઘાટના થઈ ગયા છે.

રૂપાણી સરકારના કેટલાક મંત્રીઓએ પોતાની ઓળખનો ઉપયોગ કરી ભૂપેન્દ્ર પટેલ ૧.૦ સરકારમાં અંગત સ્ટાફના જરૂરિયાતમંદોને સેટ કરવામાં સફળ રહ્યા હતા. પરંતુ ૨૦૨૨ની ચૂંટણીમાં પત્તા કપાયા પછી ભૂપેન્દ્ર પટેલ ૨.૦ સરકારમાં કોઇ વગ ચાલી નથી એ સ્પષ્ટ થયું છે. મંત્રીઓને પણ પોતાના માનિતા અધિકારીઓ મળ્યા નથી. આ મામલે સીએમ સુધી ફરિયાદો થઈ છે. સરકારે દરેક ડિપાર્ટમેન્ટમાં ઓર્ડર થયા મુજબના અધિકારીઓ ગોઠવ્યા છે.

156 સીટો પર ભવ્ય વિજય બાદ નવી સરકાર બન્યા પછી આવા અડધા ડઝનથી ઉપરાંત સેવકો જુદા જુદા મંત્રીઓને ત્યાં ૫૦-૫૫ દિવસ સુધી ગમે તેમ કરી ‘સેટ’ થઇ જવાશે એવી આશાએ ખંતથી મહેનત કરી પોતાની ઉપયોગિતા વધુ સાબિત કરતા રહ્યા. પરંતુ ઓચિંતા કમલથી કોઇ આદેશ આવ્યો અને આવા તમામને હમણાં એમ કહીને રૂખસદ અપાઇ કે ‘તમારી જ્યારે જરૂર છે ત્યારે બોલાવાશે’.

આ પણ વાંચો :-

 

 

Real vs Fake Gram Flour : જો તમે ભજીયા ખાતા હોવ તો સાવધાન ! આ વસ્તુ ખાસ ધ્યાનમાં લો નહીં તો..

Be careful if you are eating Bhajiya

  • Gram Flour Test : ચણામાંથી ચણાનો લોટ એટલે કે બેસન તૈયાર થાય છે જેમાંથી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનતી હોય છે જેમ કે ભાત ભાતના ભજીયા. ખાસ કરીને ચોમાસામાં ભજીયા  ખાવાની અલગ જ મજા હોય છે. જો કે દરેક ઋતુમાં ભજીયા તો બધાને ભાવતા હોય છે અને બનતા પણ હોય છે.

ચણામાંથી (Chickpeas) ચણાનો લોટ એટલે કે બેસન (Besan) તૈયાર થાય છે જેમાંથી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનતી હોય છે જેમ કે ભાત ભાતના ભજીયા (Fritters). ખાસ કરીને ચોમાસામાં ભજીયા  ખાવાની અલગ જ મજા હોય છે. જો કે દરેક ઋતુમાં ભજીયા તો બધાને ભાવતા હોય છે અને બનતા પણ હોય છે.

પણ જો તમને ખબર પડે કે ભજીયા જેનાથી બનતા હોય છે તે ચણાનો લોટ ભેળસેળિયો કે નકલી છે તો શું કરો. આજકાલ બજારમાં ભેળસેળ ચરમસીમાએ છે અને બેસન પણ તેમાંથી બાકાત નથી. અમે તમને એક સરળ ટ્રિક બતાવીશું જેનાથી તમે અસલી અને નકલી બેસનની ઓળખ સરળતાથી કરી શકશો.

બેસનમાં કેમ થાય છે ભેળસેળ :

કોઈ પણ ખાવા પીવાની ચીજમાં ભેળસેળનો અસલ હેતુ વધુમાં વધુ નફો કમાવવાનો હોય છે પરંતુ આવા નફાખોર વેપારીઓ એવું નથી વિચારતા કે આ રીતે ભેળસેળ કરવાથી તેની ગ્રાહકો પર કેવી અસર પડે છે. કેટલાક લોકો તેમાં મકાઈનો લોટ તો કેટલાક લોકો ઘઉનો લોટ ભેળવી દેતા હોય છે.

આ રીતે કરો ઓળખ :

1. હાઈડ્રોક્લોરિક એસિડ ટેસ્ટ :

નરી આંખે કદાચ તમારા માટે બેસન કે ચણાના લોટમાં ભેળસેળ છે કે નહીં તે ઓળખવું મુશ્કેલ બનતું હોય પરંતુ આજકાલ પેકેટ અને ખુલ્લા બેસન એમ બંનેમાં ખુબ ભેળસેળ થતી જોવા મળે છે.

જેની ઓળખ કરવા માટે હાઈડ્રોક્લોરિક એસિડનો ટેસ્ટ કરવામાં આવે છે. તમે એક વાટકીમાં 2થી 3 ચમચી બેસન લઈ લો અને પાણી  ભેળવીને પેસ્ટ તૈયાર કરો. તેમાં 2 ચમચી હાઈડ્રોક્લોરિક એસિડ નાખો અને થોડીવાર રાહ જુઓ. જો બેસનનો કલર લાલ થઈ જાય તો સમજી જવું કે આ ભેળસેળનું પરિણામ છે.

2. લીંબુની મદદ  લો :

લીંબુ તો લગભગ બધાના ઘરમાં હોય છે. તેની મદદથી પણ તમે નકલી કે અસલી બેસનની ઓળખ કરી શકશો. આ માટે બસ એક નાનકડો પ્રયોગ કરો. એક વાસણમાં 3 ચમચી બેસન લો અને તેમાં એટલો જ લીંબુનો રસ ભેળવો.

હવે તેમાં હાઈડ્રોક્લોરિક એસિડ પણ ભેળવો. લગભગ 5 મિનિટ રહેવા દો અને પછી જુઓ કે જો બેસનનો રંગ ભૂરો કે લાલ થઈ જાય તો સમજી જાઓ કે તેમાં ભેળસેળ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

21 વર્ષની પુત્રવધૂ 60 વર્ષના સસરા સાથે ભાગી ગઈ, પતિએ કહ્યું- ‘તે બદલાઈ ગઈ હોય

0

21-year-old daughter-in-law

  • Kota News: યુવકે ફરિયાદ નોંધાવી દીધી છે. પરંતુ ત્યારબાદ પણ તે પત્નીને સાથે રાખવા માટે તૈયાર છે. તેને ખ્યાલ હતો કે પિતાની આદત ખરાબ છે. તે પત્નીને પણ પિતાથી દૂર રહેવાનું કહેતો હતો.

રાજસ્થાનના (Rajasthan) બુંદી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આવો મામલો જેણે માત્ર સંબંધોને તોડી નાખ્યા. પરંતુ ઘણા પરિવારોને કાળો કરી નાખ્યો છે. એક 60 વર્ષીય વ્યક્તિ તેની જ 21 વર્ષની પુત્રવધૂ સાથે ભાગી ગયો. જેણે પણ આ સાંભળ્યું તે કહેવા લાગ્યો કે શું થઈ રહ્યું છે. આ બહુ ખોટું થયું છે. આ મામલે પતિએ તેની પત્ની અને પિતા વિરુદ્ધ સદર પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ પણ નોંધાવી છે.’

મારા પોતાના પિતા મારી પત્નીને લઈ જશે, વિચાર્યું ન હતું’

હવે પુત્રએ પોતે જ તેના પિતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે જણાવ્યું છે કે તેના જ પિતાએ તેની પત્નીનું અપહરણ કર્યું છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી બંનેનો પત્તો લાગ્યો નથી. આ મામલો વેલેન્ટાઈન ડે વિશે કહેવામાં આવી રહ્યો છે.

પતિએ કહ્યું કે મેં મારી પત્નીને કોઈ સમસ્યાનો સામનો કરવા દીધો નથી. તેની દરેક ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કર્યો. તે ખુશ રહેવા માટે મજૂરી પર જતો હતો. પરંતુ મારા પિતા અને પત્ની વચ્ચે શું ચાલી રહ્યું હતું તે જાણી શકાયું નથી. પત્ની પણ થોડા દિવસ બદલાઈ ગઈ હોય એવું લાગતું હતું. પણ કોણ જાણે બંને ભાગી જશે. આટલું જ નહીં બંનેને મારી બેબી ગર્લ પણ છે.

‘હું મારી પત્નીને કહેતો હતો કે પિતાથી દૂર રહે :

યુવકે ફરિયાદ નોંધાવી છે પરંતુ તે પછી પણ તે તેની પત્નીને રાખવા તૈયાર છે. યુવકે કહ્યું કે તે જાણતો હતો કે તેના પિતાની આદત ખરાબ હતી. તે તેની પત્નીને પણ કહેતો હતો, તેમનાથી દૂર રહો. પપ્પા અમને સતત ધમકાવતા હતા. પરંતુ અમે વિચાર્યું ન હતું કે આટલું મોટું કામ થશે.

પોલીસ સ્ટેશન ઓફિસર અરવિંદ ભારદ્વાજે જણાવ્યું કે યુવકે તેના પિતા અને પત્નીની ફરિયાદ નોંધાવી છે. અમે ગુમ થયાની ફરિયાદ નોંધી છે. જેની શોધ ચાલી રહી છે. આ લોકો ભાગી ગયા છે કે ક્યાંક ગયા છે તે તપાસનો વિષય છે.

આ પણ વાંચો :-

Video Viral : બળદ ગાડુ લઈને જતા ખેડૂતે કહ્યું – ‘આપ તો સની દેઓલ જૈસે લગતે હૈ’, સનીએ કહ્યું- મૈં..

Video Viral

  • Sunny Deol : સની દેઓલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં એક બળદગાડા વાળો પશુઓ માટે ભૂસો લઇને જઇ રહ્યો હતો. ત્યારે એક ખેડૂત સની દેઓલને કહે છે કે, આપ તો સની દેઓલ જૈસે લગતે હૈ, ત્યારે સની દેઓલ તેને રિપ્લાય આપતા કહે છે કે મેં વો હિ હું.

Sunny Deol: હાલમાં સોશિયલ મીડિયા (Social media) પર એક ખેડૂત સાથેનો સની દેઓલનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ખેડૂત (farmer) રસ્તા પર બળદ ગાડુ લઈને જઈ રહ્યો હોય છે. અચાનક ત્યાં સની દેઓલ આવી જાય છે. તે ખેડૂત થોડીવાર ઉભો રહે છે. સની તેની સાથે વાત કરવા જાય છે. તો ખેડૂત કહે છે કે, અરે આપ તો સની દેઓલ (Sunny Deol) જૈસે લગતે હો…ત્યારે પછી સની દેઓલ કહે છેકે, મૈં વો હી હૂં…

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.છેલ્લા ઘણા સમયથી સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ‘ગદર 2’નું રાહ જોવામાં આવી રહી છે.

26મી જાન્યુઆરીના રોજ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરીને ફિલ્મની રિલીઝ ડેટ વિશે માહિતી આપવામાં આવી હતી. હાલ અહમદનગરમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યાંથી સની દેઓલે એક વીડિયો શેર કર્યો છે જે ઘણો વાયરલ થઇ રહ્યો છે.

સની દેઓલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં એક બળદગાડા વાળો પશુઓ માટે ભૂસો લઇને જઇ રહ્યો હતો. ત્યારે એક ખેડૂત સની દેઓલને કહે છે કે, આપ તો સની દેઓલ જૈસે લગતે હૈ, ત્યારે સની દેઓલ તેને રિપ્લાય આપતા કહે છે કે, મેં વો હિ હું.

સની દેઓલ વધુમાં તેને કહે છે કે તેણે પંજાબની યાદ આવી ગઇ. હવે આ વીડિયો સોશિયલા મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ પોસ્ટમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે- અહમદનગરમાં ગદર શૂટ દરમિયાન. આ સાથે જ તેણે હાર્ટ ઇમોજી પણ એડ કરી હતી.

ફિલ્મ ‘ગદર 2’ ભારત-પાકિસ્તાનના એન્ગલને આગળ લઈ જશે અને સિક્વલમાં તારા સિંહ અને તેના પરિવારની સુરક્ષાની આસપાસ ફરશે. ફિલ્મમાં તેમના પુત્રનો રોલ કરી રહેલા બાળ કલાકાર ઉત્કર્ષ શર્મા પણ મહત્વના રોલમાં જોવા મળશે.

આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ ગદર 2001માં રિલીઝ થઇ હતી. તે સમયે ફિલ્મની સ્ટોરી, ઉત્કૃષ્ઠ અભિનય અને શાનદાર એક્શન સીનના કારણે આ ફિલ્મ છવાઇ ગઈ હતી. હવે એક વખત ફરીથી અનિલ શર્મા ગદરની સિક્વલ લઈને આવી રહ્યા છે.

આ ફિલ્મના શૂટિંગના વીડિયો જેમ-જેમ સામે આવી રહ્યા છે, ફેન્સની એક્સાઈટમેન્ટ વધી રહી છે. ખાસ વાત એ છે કે, આ વખતે પણ તારા સિંહ અને સકીનાની ભૂમિકા સની દેઓલ અને અમિષા પટેલ જ ભજવી રહ્યા છે.

આ પણ વાંચો :-

ગાંધીના ગુજરાતમાં જીવતેજીવ સમાધિ લેવા મજબૂર બન્યા ખેડૂતો, અચ્છે કે બુરે કયા દિવસોના સંકેત છે આ ?

0

Farmers were forced to take

  • Gujarat Farmer Protest : ખેડૂતોને પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા. ધોરાજીના ખેડૂતોએ સરકારને રજૂઆત કરી કે, જો જણસીના પૂરા ભાવ નહિ આપે તો ઈચ્છા મૃત્યુ આપે.

ખેડૂતોને (Farmer) જણસીના પોષણક્ષમ ભાવ ન મળતા રાજકોટના ધોરાજીના (Dharaji) ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો. જેમાં ખેડૂતોએ પોતાના જ ખેતરમાં ગળા સુધીની સમાધિ લઈને પોતાનો રોષ પ્રગટ કર્યો. ઘઉં, કપાસ, સોયાબીન જેવા પાકોનું વાવેતર કરવા છતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ (Affordable price) મળી રહ્યા નથી.

ખેડૂતોએ બેનરો સાથે સરકાર પાસે માગ કરી છે કાંતો જણસીના પુરતા ભાવ આપો, અથવા ઈચ્છામૃત્યુની પરવાનગી આપો. હાલ ખેડૂતોને પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે સરકાર સુધી પોતાની વાત પહોંચે તે માટે આ ખેડૂતોએ સમાધિ લઈને વિરોધ વ્યક્ત કર્યો છે.

જણસીના પોષણક્ષમ ભાવ ન મળતા ઈચ્છા મૃત્યુ આપોની ખેડૂતોએ માંગ કરી રાજકોટ જીલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોએ પોતાના ખેતરમા જણસીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ખેતરમા સમાધિનો કાર્યક્રમ કર્યો અને સરકાર જણસીના ભાવ પુરતા આપો નહીંતર ઈચ્છા મૃત્યુ આપોની ખેડૂતોએ માંગ કરી.

ધોરાજી પંથકના ખેડૂતોએ ખેતરમાં ખાડો ખોદીને સમાધિનો કાર્યક્રમ કરેલ અને એક બાજુ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહી છે. પણ ખેડૂતોની કોઈપણ જણસીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યાં. તેથી પોષણક્ષમ ભાવ નહી મળતા ગુજરાત રાજ્ય સરકાર સુધી પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કરેલ અને ખેતરમા સમાધિનો કાર્યક્રમ કર્યો.

ખેડૂતોએ પોતાની રજૂઆત કરતા કાગળ પર એવુ લખાણ કર્યુ કે સરકાર કાતો જણસીના ભાવ પુરા આપે નહી તો ખેડૂતોને ઈચ્છા મૃત્યુ આપે તેવી માંગ સાથે સુત્રોચ્ચાર પણ કરેલ. હાલ ખેડૂતોને પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સરકાર સુધી ખેડૂતોની વ્યથા વ્યક્ત કરવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કરેલ હતો.

આ પણ વાંચો :- 

06 માર્ચ 2023, આજનું રાશિફળ : સૂર્યદેવની અસીમ કૃપાથી આ રાશિના જાતકો ધંધામાં પાર કરશે સફળતાના શિખરો

06 March 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષ
બપોર સુધી ઉષ્ણ પ્રકૃતિ રહે. ત્યારબાદ લાગણી શીલતા વધતી જણાય. આર્થિક પાસુ મજબૂત બને. કાર્યમાં સફળતા મળતી જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમિકલના ધંધાર્થીઓ માટે લાભ. સટ્ટો-જુગાર ટાળવા. ખોટી સોબત-મિત્રોથી પરેશાની વધે.

વૃષભ
માનસિક સ્વસ્થતા જળવાય. મોજશોખમાં ખર્ચ વધે. સાથે સાથે આવક પણ વધે. પરિવારમાં આનંદ. આરોગ્ય સાચવવું. પેટની સમસ્યા તાવે. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. ભાગ્યનો સાથ મળે. ધંધાકીય ક્ષેત્રે આનંદ.

મિથુન
નિખાલસ અને ચારિત્રવાન રહેશો. આવકનું પલ્લુ ભારી થતું લાગે. પરિવારમાં ઉગ્રતા વર્તાય. માતૃસુખ-વાહનસુખમાં વધારો. જીવનસાથી સાથે અસંતોષ રહે. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે શાંતિ જાળવવી.

કર્ક
આનંદનો અનુભવ થાય. નાણાંકીય વ્યવહારોમાં ફાયદો. પરિવારમાં સંપ. નોકરી-ધંધામાં કાર્યક્ષેત્રે સફળતા. વિશ્વાસઘાત થવાના યોગ છે. માન-સન્માનમાં વધારો થાય. સ્નાયુ સંબંધી સમસ્યા જણાય.

સિંહ
નકારાત્મક વિચારોને કારણે સમસ્યા ઊભી થતી જણાય. આર્થિક બાબતો અંગે લાભ. પરિવારમાં આનંદ-ઉત્સાહ. સ્થાવર મિલકતમાંથી લાભની શક્યતા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. શરદી-ખાંસી, કફનો ઉપદ્રવ રહે.

કન્યા
નાણાંકીય બાબતોમાં નુકસાન થવાના યોગ છે. આત્મવિશ્વાસ ઘટતો જણાય. માથાનો દુઃખાવો રહે. દીલમાં અજંપો રહે. માતાની તબિયત સાચવવી. સંતાનની પ્ર‌ગતિ થતી જણાય. ભાગ્ય સાથ આપતું જણાય.

તુલા
લાગણીશીલતા વધે. ખોટું લાગે એવા પ્રસંગો ઉભા થાય. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. પત્ની સાથે વૈમન્સ્ય તથા મતભેદ ટાળવા. અગ્નિથી સાચવવું. માથુ મગજ તથા નેત્રરોગોથી સાચવવું.

વૃશ્ચિક
ગુસ્સાનું વાતાવરણ રહે. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં મનમેળ જળવાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળની પ્રાપ્તિ થાય. સંતાનથી આનંદ. આરોગ્ય સાચવવું જરૂરી. ચર્મરોગોથી સાચવવું.

ધન
દિવસ દરમિયાન અજંપો રહે. નાણાંકીય ક્ષેત્રે મધ્યમ દિવસ. સંતાનની પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં થોડો આનંદ જળવાય. નસીબથી આવક મળતી જણાય. મગજના રોગોથી સાચવવું.

મકર
શાંતિનો અનુભવ થાય. નાના ભાઈ-બહેનોની ચિંતા રહે. કાર્યમાં સફળતા મળતી જણાય. માતા સાથે મતભેદ ટાળવા. સંતાનોના વ્યવહારમાં લાગણીનું પ્રમાણ વધે. કરોડરજ્જુ, હાડકાના રોગોથી પરેશાની રહે.

કુંભ :
વિચારો ડામાડોળ રહે. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો મળતો જણાય. પાણીથી દૂર રહેવું.

મીન :
માનસિક સ્વસ્થતા જળવાય આવકમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કરેલા કાર્યોમાં બરકત મળતી જણાય. સંતાનની પ્રગતિના સાથી બની શકાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા. આરોગ્ય સાચવવું.

આ પણ વાંચો :-