ઝુકેગા નહિ સાલા : જેલવાસ બાદ પણ રાણાનો વટ જોવા જેવો, દેવાયત ખવડના ડાયરામાં રૂપિયાનો વરસાદ

Share this story

Even after imprisonment Rana’s vat

  • Devayat Khavad Dayro : ભાવનગરના પાલિતાણામાં ગઈકાલે કમળાઈ માતાજીના મંદિર ખાતે લોકડાયરાનું આયોજન કરાયું હતું. લોકસાહિત્યકાર દેવાયત ખવડનો જેલવાસ બાદનો આ પ્રથમ લોકડાયરો હતો. જેમાં દેવાયત ખવડે જમાવટ કરી.

રાજકોટમાં (Rajkot) મારામારીના કેસમાં જેલવાસ ભોગવીને આવેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડનો (Folk writer Devayat Khawad) ગઈકાલે ભાવનગરમાં (Bhavnagar) પ્રથમ ડાયરો યોજાયો હતો. દેવાયત ખવડે લોકડાયરામાં કહ્યું, જેલમાં નીકળ્યા બાદનો મારો પ્રથમ ડાયરો છે. જોકે, આ ડાયરામાં દેવાયતનો વટ જોવા મળ્યો હતો.

તેણે કહ્યુ હતું કે હજુ પણ કહું છું ઝુકેગા નહિ સાલા. રવિવારના રોજ ભાવનગરના કોલંબા ધામ ખાતે ડાયરો યોજાયો હતો. ડાયરામાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, દેવાયત ખવડ સહિતના કલાકારો હાજર રહ્યા હતા.

ભાવનગરના પાલિતાણામાં ગઈકાલે કમળાઈ માતાજીના મંદિર ખાતે લોકડાયરાનું આયોજન કરાયું હતું. લોકસાહિત્યકાર દેવાયત ખવડનો જેલવાસ બાદનો આ પ્રથમ લોકડાયરો હતો. જેમાં દેવાયત ખવડે જમાવટ કરી હતી. દેવાયત ખવડ પર પહેલાની જેમ જ રૂપિયાનો વરસાદ થયો હતો. દેવાયતે લોકડાયરામા રંગત જમાવી હતી. 72 દિવસ જેલવાસ બાદ લોકડાયરામાં દેવાયત ખવડે કેટલાક નિવેદન આપ્યા હતા.

સ્ટેજ પરથી દેવાયત ખવડે જણાવ્યું હતું કે, આમ તો જેલમાંથી છૂટ્યા બાદ આજે પ્રથમ ડાયરો માતાજીનાં ચરણોમાં યોજાયો છે. ત્યારે તેમનાં ચરણોમાં મારા કોટી કોટી વંદન અને આખી કામળિયાવાડને મારા લાખ લાખ વંદન. ગુજરાત આખું વાટ જોઈને બેઠું છે કે શું બોલશે, પણ આજે હું વાયડાઈની કોઈ વાત કરવાનો નથી અને વ્યવહારની જ વાત કરવાનો છું, કારણ કે વાયડઈ કદી જીતી નથી, જીત હંમેશાં વ્યવહારની જ થાય છે પણ હા, પહેલાં પણ કહેતો આજે પણ કહું છું ‘ઝૂકેગા નહીં સાલા.

સાથે જ દેવાયત ખવડે કહ્યું હતું કે મારા એકલાની પ્રાર્થના નથી, આ બધા જ લોકોએ કરેલી પ્રાર્થના છે. ત્યારે આજનો ડાયરો હું માતાજીનાં ચરણોમાં અને આપ બધા મારા પ્રેમીજનોને સમર્પિત કરું છું. રિજેક્ટ પર રિજેક્ટ થતી હતી જામીન અરજી, ત્યારે દુનિયા દાંત કાઢતી હતી.

નાક માથે કોઈ આંગળી મૂકે તો કહી દેવું કે હવે તું તારી રીતે. ડાયરામાં જતી વખતે શરમ થતી હતી. ડાયરામાં સંતાતાં સંતાતાં જવું પડતું હતું. જ્યારે સમાજને સંદેશ આપતાં તેમણે જણાવ્યું હતું કે સમયની સાથે ચાલવું હોય તો આપણે બધાએ એજ્યુકેશનને મહત્ત્વ આપવું પડશે. ભણતર નહીં હોય તો આપણે બધા ઘણા પાછળ રહી જઈશું.

આ પણ વાંચો :-