Home Blog Page 1139

28 માર્ચ 2023 2023, આજનું રાશિફળ : મહાદેવ આ રાશિના લોકો ઉપર થશે અતિપ્રસન્ન – એક વાર લખો “હર હર મહાદેવ”

28 March 2023, Today’s Horoscope

મેષ:
માનસિક ઉગ્રતા રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સુખ-શાંતિનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. નવા રોકાણો ફાયદાકારક સાબિત થાય. આદ્યાત્મિકતા વધતી જણાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ
માનસિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. નાના ભાઈ-બહેન સાથે પ્રેમભાવ વધે. પરિવારમાં આનંદ. ભાગ્યનો સાથ મળતો જણાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુનઃ
આત્મવિશ્વાસ વધવાને કારણે તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્વભાવમાં ગુસ્સો અને આનંદનું મિશ્રણ જોવા મળે. નાણાંકીય વ્યવહારો ફાયદાકારક સાબિત થાય. ટેલિફોન, મોબાઈલ, કોમ્પ્યુટર ક્ષેત્રથી વિશેષ લાભ.

કર્કઃ
માનસિક આનંદ જળવાય. નાણાંની આવક ઘટે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ રહે. શેરબજારથી લાભ. રોકાણો દ્વારા ફાયદો થતો જણાય. ભાગ્યનો સાથ મળે. આરોગ્ય સારું રહેશે.

સિંહઃ
સત્ય બોલવાને કારણે અપ્રિય થવાય. સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારના સભ્યો વચ્ચે લાગણીનું પ્રમાણ વધે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. માફકસરનો ખર્ચ રહે.

કન્યાઃ
વાણી ઉપરનો કાબુ વધે. સ્વાર્થવૃત્તિ વધતી જણાય. નાણાંકીય બાબતોમાં ગણત્રીપૂર્વક આયોજન કરી શકાય. માતાની તબિયત સાચવવી. ટ્રાવેલીંગ, વીમો, હોટલના કામકાજમાં સફળતા મળે. માથાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ
ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિણામે આવક વધતાં આનંદનો અનુભવ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ઠંડાપીણા, આઈસ્ક્રીમ, સ્ત્રીશણગારના ધંધામાં લાભ મળતો જણાય.

વૃશ્ચિકઃ
મોજશોખમાં ખર્ચ વધવાની શક્યતા છે. વ્યસનમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખવું. આવક બાબતે જૈસે થેની સ્થિતિ અનુભવાય. સંતાન સાથે મતભેદ ટાળવા. સ્નાયુઓ તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ
દિવસ દરમિયાન ઉશ્કેરાટ વધે તથા માનસિક અસ્થિરતા અનુભવાય. આવક જળવાશે. મશીનરી, એસ્ટેટ, વિજળીના સામાન, સંદેશ વ્યવહારને લગતા ધંધામાં વધુ લાભ. ખભાનો દુઃખાવો તથા તાવનો ઉપદ્રવ રહે.

મકરઃ
માનસિક સ્વસ્થતા તથા આત્મવિશ્વાસ ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. સફળતા માટે સંઘર્ષ વધુ કરવો પડે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાશે. માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. ભાઈ-બહેન સાથે ગુસ્સાનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનોની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થી‌મિત્રોને સફળતા. ખોટી સોબતથી સાવધાની જરૂરી.

મીનઃ
આત્મવિશ્વાસ વધતો જણાય. પોતે સાચા અને બીજા ખોટા એવી ભાવના પેદા થાય. પરિવારના સભ્યો સાથે લાગણીનું પ્રમાણ વધે. માતૃસુખ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય સારું રહેશે.

આ પણ વાંચો :-

ભાડુઆત અને મકાન માલિક બન્ને આ નિયમો નહીં જાણતા હોય તો થશે મોટી માથાકૂટ !

0

If both the tenant and the building  

  • About Rules of Rent Agreements : મકાન કે દુકાન ભાડે ચડાવવું એ માથાનો દુખાવો છે એટલે ઘણા લોકો આ જફામાં પડવાને બદલે બ્રોકર રાખતા હોય છે. આમ છતાં ભાડુઆત અને મકાનમાલિક વચ્ચે અવારનવાર વિવાદ થતા રહે છે.

Tenant Rights : અનેકવાર મકાનમાલિકો (Landlords) મનમાની કરે છે અને ભાડુઆતની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. ક્યારેક તેઓ ભાડૂઆતોને ભાડુ વધારવા માટે કહી દે છે તો ક્યારેક તેઓ અચાનક મકાન ખાલી કરવા માટે  કહી દે છે. આવામાં ભાડુઆતોએ (Tenants) પરેશાન થવું પડે છે.

ભાડુઆતો પરેશાન એટલા માટે થાય છે કારણ કે તેઓ પોતાના  હક જાણતા નથી.  ભાડુઆત અને મકાનમાલિક વચ્ચે અવારનવાર વિવાદ થતા રહે છે. બંને વચ્ચેના સમાધાન માટે કેન્દ્ર સરકારે 2021માં નવો કાયદો બનાવવાની મંજૂરી આપી હતી. આ નવા કાયદામાં ભાડુઆત અને મકાન માલિકના અધિકાર નક્કી કરવામાં આવ્યા છે.

ભાડુઆતના આ છે અધિકાર :

1) મકાન માલિક બે મહિનાથી વધારે એડવાન્સ ભાડુ ન વસૂલી શકે.

2) કોમર્શિયલ વપરાશ માટે અપાતા મકાન માટે આ સીમારેખા 6 મહિના સુધીની નક્કી કરવામાં આવી છે. જમા કરેલી આ રકમ મકાન ખાલી કર્યાના 1 મહિનામાં મકાનમાલિકે સુપરત કરવાની હોય છે.

3) ભાડુ વધારવા માટે મકાન માલિકે નોટિસ આપવાની રહે છે. મકાનમાલિકે આ નોટિસ 3 મહિના પહેલા આપવાની રહે છે. બંને પક્ષો વાટાઘાટો કરીને ભાડાની રકમમાં વધારો કરી શકે છે. આ પ્રોસેસ પૂરી કર્યા પહેલા ભાડુ વધારવુ ગેરકાયદેસર માનવામાં આવે છે.

4) ભાડુ ન આપવા પર કેટલીક જગ્યાએ મકાનમાલિક, વીજળી-પાણીની લાઈન કાપી નાંખે છે. આવી હરકતને કોર્ટે ગેરકાયદેસર ગણાવી છે. વીજળી અને પાણી મૂળભૂત જરૂરિયાત હોવાનું જણાવ્યું.

5) ઘર ખાલી કરાવતા પહેલા મકાનમાલિકે એક મહિના પહેલા જાણ કરવાની હોય છે.

મકાન માલિકના આ છે હક :

1) ભાડા કરારમાં મૂકેલી શરતો સિવાયની શરતો લાગુ નથી પડતી

2) ભાડુઆત ઘરમાં ન હોય તો મકાનમાલિક તાળુ તોડીને ઘરમાં પ્રવેશ ન કરી શકે. ન તો તેના સામાનને બહાર ફેંકી શકે. પૂર્વ સૂચના આપ્યા વગર ઘરમાં પણ ન જઈ શકે.

3) ભાડુ આપવાની ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ હોય અને ભાડુઆતે રૂપિયા ન આપ્યા હોય તો મકાનમાલિક રકમ પાછી મેળવવાનો હકદાર છે.

4) ભાડુ લેવું મકાનમાલિકનો અધિકાર છે. મકાન ગંદુ રાખવા બદલ મકાનમાલિક ભાડુઆતને લડી પણ શકે છે.

5) મહિના પહેલાંથી મકાન ખાલી કરવાની નોટિસ આપી હોવા છતાં જો ભાડુઆત ખાલી ન કરે તો એ ગુનો બને છે.

રેટ એગ્રીમેન્ટ જરૂરી :

મોડલ ભાડુઆત નિયમ 2021 અનુસાર મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે રેન્ટ એગ્રીમેન્ટ હોવો અનિવાર્ય છે. તેમાં ભાડું કેટલું અને કેટલા સમય સુધીમાં આપવાનું રહેશે. એડવાન્સ ભાડુ સહિતની વિગતોનો કાયદેસર ઉલ્લેખ કરવામાં આવે છે. રેન્ટ એગ્રીમેન્ટ સમયાંતરે રિન્યૂ કરવાનો રહે છે.

આ પણ વાંચો :-

રાખી સાંવત ઉઠક-બેઠક કરવા માંડી, માફી માંગતા બોલી સલમાન ભાઈએ તમારું શું બગાડ્યું, લોરેન્સને કર્યા સવાલ

Rakhi samvat started sitting up and down

  • સલમાન ખાન તરફથી શુભચિંતક રાખી સાવંત પોતાના સલમાન ભાઈ માટે ખૂબ જ ડરી ગઈ છે અને બિશ્નોઈ સમાજની માફી માંગી રહી છે.

સલમાન ખાનને (Salman Khan) સતત લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ગેંગ તરફથી ધમકીઓ મળી રહી છે. હાલમાં જ એક્ટરને એક ઈ-મેઇલ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે તારો હાલ પર સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moosewala) જેવો જ થશે. જો કે સલમાનને સતત મળતી ધમકીઓથી દૂર જ રહીને પોતાના ડરને જાહેર થવા દેતો નથી. પરંતુ તેની શુભચિંતક રાખી સાવંત (Rakhi Sawant) પોતાના સલમાન ભાઈ માટે ખૂબ જ ડરી ગઈ છે અને બિશ્નોઈ સમાજની માફી માંગી રહી છે.

ભાઇ માટે ડરી રહી છે રાખી  :

તાજેતરમાં પાપારાઝી સાથે વાત કરતા રાખી સલમાન ખાનને સપોર્ટ કરતી જોવા મળી. તે સાથે તેમને બિશ્નોઈ ગેંગથી રિક્વેસ્ટની એક્ટર એક બહુ સારા માણસ છે. તેને મારવા વિશે કોઈએ વિચાર પણ ના લાવવો જોઈએ. રાખી પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. જ્યાં તે સલમાનને કઈ ના કરવાની વાત કરે છે. રાખી ઉઠક-બેઠક કરીને માંફી માંગી રહી છે.

રાખીએ કહ્યું મારા સલમાન ભાઈની તરફથી બિશ્નોઈ સમાજ પાસે હું માફી માંગુ છું. મારા ભાઈ સલમાન પર ખરાબ નજર ના રાખો. હું કહુ છું કે સલમાન બહુ જ સારા માણસ છે. ગરીબોનો દાતા છે એક લેજેન્ડ છે. સલમાન માટે દુઆ કરો. તે લોકો માટે એટલુ કરે છે કે હું ઈચ્છુ છું કે સલમાન ભાઈના દુશ્મનોની આંખો ફૂટી જાય તેમની યાદશક્તિ ખતમ થઇ જાય. હું અલ્લાહને દુઆ કરુ છું કે કોઈ મારા સલમાન ભાઈનું ખરાબ ના વિચારે.

મારા ભાઇની પાછળ કેમ પડ્યા છો ?

ત્યાર બાદ એક્ટ્રેસે સલમાનની ટાઈટ સિક્યોરીટી અને હાલમાં જ લોરિન્સ બિશ્નોઈના આપેલા ઈન્ટરવ્યૂ પર કમેન્ટ કરતા કહ્યું કે જે લોકો સલમાન ભાઈના વિરુદ્ધમાં ઈન્ટરવ્યૂ આપે છે. તેમનુ સલમાન ભાઈએ શું બગાડ્યું છે તમારુ? કેમ મારા ભાઈની પાછળ હાથ ધોઈને પડ્યા છો. તે બહુ સારા વ્યક્તિ છે. પ્લીઝ તેમનો પીછો છોડી દો. સલમાન એટલા અમીર છે કે તે બધા માટે બધુ કરે છે. તેણે મારી માતા માટે ઘણુ બધુ કર્યુ છે. આમ બોલતા બોલતા રાખી ઉઠક બેઠક કરવા લાગી.

બિશ્નોઈએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સલમાન ખાને માફી માંગવી પડશે. તેણે અમારા બિકાનેર મંદિરમા જiને ક્ષમા માંગવી પડશે. મારા જીવનનુ લક્ષ્ય સલમાન ખાનને મારવુ છે. જેવી તેની સિક્યોરિટી હટશે તેવું જ હું તેને મારી નાંખીશ. સલમાન પણ મૂસવાલાની જેમ ઘમંડી છે. જો તે માંફી માંગી લેશે તો આ મેટર અહીંજ સમાપ્ત થઈ જશે.

 આ પણ વાંચો :-

ધડામ થયા સોનાના ભાવ, દાગીના-લગડી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

0

Gold prices have exploded 

  • Gold Rate Today : દુનિયાભરમાં ચાલી રહેલી અસ્થિરતાની અસર સોનાના ભાવ પર જોવા મળી રહી છે. ઘરેલુ બજારમાં સોનાના ભાવ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને 60455 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પણ પહોંચી ગયા. પરંતુ હાલ સોનામાં નબળાઈ જોવા મળી રહી છે.

દુનિયાભરમાં ચાલી રહેલી અસ્થિરતાની અસર સોનાના ભાવ (Gold Rate) પર જોવા મળી રહી છે. ઘરેલુ બજારમાં સોનાના (Gold) ભાવ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને 60455 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પણ પહોંચી ગયા. પરંતુ હાલ સોનામાં નબળાઈ જોવા મળી રહી છે. ડોલરની (Dollar) સરખામણીએ રૂપિયાની મજબૂતાઈથી કિંમતો ઉપર પણ અસર જોવા મળી રહી છે.

MCX પર સોનાનો ભાવ :

MCX પર ગોલ્ડ સવારે 116 રૂપિયા સસ્તું થઈને 59157 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર જોવા મળ્યું. જ્યારે સિલ્વર પર 112 રૂપિયા ઘટીને 70299 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળ્યું.

શરાફાબજારમાં સોનાનો ભાવ :

શરાફા બજારના ભાવ  ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા જાહેર કરવામાં આવે છે. આજે શરાફા બજારના ભાવ જોઈએ તો 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 650 રૂપિયા તૂટીને 59003 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યો છે. 995 પ્યોરિટીવાળા ગોલ્ડની કિંમત 647 રૂપિયા ઘટીને 58767 રૂપિયાની સપાટીએ છે.

916 પ્યોરિટીવાળું ગોલ્ડ 10 ગ્રામના 596 રૂપિયા ઘટીને 54046ની સપાટીએ છે. 750 પ્યોરિટીવાળું સોનું 488 રૂપિયા તૂટીને 44252ની સપાટીએ છે. જ્યારે 585 પ્યોરિટીવાળું સોનું 381 રૂપિયા તૂટીને 34516ની સપાટીએ છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં સોનાની સરખામણીએ ઓછો ઘટાડો જોવા મળ્યો છે. 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદી 176 રૂપિયા તૂટીને હાલ શરાફા બજારમાં 69580ની સપાટીએ જોવા મળી છે.

આ પણ વાંચો :-

Aaliya સાથે સમાધાન માટે Nawazuddin Siddiquiએ ભર્યું પહેલું સ્ટેપ, 100 કરોડના માનહાનિના કેસ બાદ એક્ટરે..

Nawazuddin Siddiqui 

  • Nawazuddin Asks for Settlement With Wife: શું નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા વચ્ચે બધું બરાબર થઈ જશે. અભિનેતાએ આ સંબંધને બીજી તક આપવા માટે પહેલું પગલું ભર્યું છે.

નવાઝુદ્દીન સિદ્દીકીની (Nawazuddin Siddiqui) પ્રોફેશનલ લાઈફ સારી ચાલી રહી છે. પરંતુ તેનું અંગત જીવન ખૂબ જ વિવાદાસ્પદ બની ગયું છે. આલિયા (Alia) અને નવાઝ વચ્ચેના સંબંધોમાં ઘણી ખટાશ આવી ગઈ છેબંને વચ્ચે આરોપ-પ્રત્યારોપની પ્રક્રિયા ચાલુ છે.

જ્યારે આલિયાએ નવાઝુદ્દીન સામે બળાત્કારનો કેસ (Rape) દાખલ કર્યો છે. ત્યારે અભિનેતાએ તેની પત્ની અને ભાઈ શમસુદ્દીન સિદ્દીકી (Shamsuddin Siddiqui) વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ વિવાદો વચ્ચે હવે સમાચાર આવી રહ્યા છે કે બંને પોતાનો ઝગડો પતાવવા માંગે છે.

નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયા વચ્ચે બધુ સારું થશે?

નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા વચ્ચે બધુ બરાબર થઈ જશે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. આ માટે બંને આગળ વધી ગયા છે. સેટલમેન્ટ બાદ આલિયા તેના પતિ નવાઝુદ્દીન સિદ્દીકી પાસે જશે. આ મામલામાં પ્રતિક્રિયા આપતા આલિયાના વકીલ રિઝવાન સિદ્દીકીએ આ વાત સાચી હોવાનું જણાવ્યું છે.

નવાઝુદ્દીને આ સંબંધ માટે પહેલું પગલું ભર્યું હતું :

ઈ-ટાઈમ્સના સમાચાર મુજબ નવાઝુદ્દીન સિદ્દીકીએ કરાર માટે પહેલું પગલું ભર્યું છે. અભિનેતાએ આલિયાને એક ડ્રાફ્ટ મોકલ્યો હતો જેમાં કેટલીક શરતો હતી. જેમાં લખ્યું હતું કે બંને આ મામલે વાતચીત કરશે. તેમના લગ્ન જીવનમાં જે વિવાદો આવી રહ્યા છે. તેના વિશે તેઓ સાથે મળીને વાત કરશે.

તમને જણાવી દઈએ કે વિવાદો વચ્ચે નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાએ એકબીજા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. સોશિયલ મીડિયાથી લઈને કોર્ટ સુધી તેમનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. હવે બંને આ લડાઈનો અંત લાવવા માંગે છે. હવે સવાલ એ થાય છે કે શું નવાઝની પત્ની સાથે સમાધાનની ઈચ્છા પૂરી થશે કે નહીં. આલિયા આ માટે સહમત થશે કે નહીં આ બધી બાબતો જોવામાં આવશે.

અહીં આલિયાના વકીલ રિઝવાને ઈ-ટામ્સને કહ્યું, ‘નાઆલિયા ક્યારેય નવાઝ પાસે નહીં જાય. પરંતુ તે એક પરિપક્વ વ્યક્તિની જેમ તેના બંને બાળકોના ભલા માટે ચોક્કસ સારું કરશે.

આ પણ વાંચો :-

આર્થિક રીતે સદ્ધર ગુજરાતીઓ કરે છે આવું, ગુજરાતમાં બાળલગ્ન માટે બહારથી લાવવામાં આવે છે…

Economically prosperous Gujaratis  

  • Child Marriage In Gujarat : ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન બાળલગ્નના કેસમાં વધારો થયો છે. વર્ષ 2019 થી 2021 સુધીના ત્રણ વર્ષમાં બાળલગ્ન કેસમાં 186 લોકોની ધરપકડ કરાઈ.

ગુજરાતીઓનો વિશ્વભરમાં ડંકો વાગે છે. ગુજરાતીઓની ખ્યાતિ ચોમેર પ્રસરેલી છે. બિઝનેસ (Business) કરવામાં ગુજરાતીઓ અવ્વલ છે. ત્યારે ભણેલાગણેલા ગુજરાતી સમાજમાં કેટલાક દૂષણોમાં પણ વ્યાપેલા છે. જેમાંથી એક છે બાળ લગ્ન. કોઈ વિચારી પણ ન શકે ગુજરાતમા બાળલગ્નોના (Child Marriages) પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ત્રણ વર્ષ દરમિયાન બાળલગ્નના 47 જેટલા કેસ નોંધાયા છે.

2021ના આંકડા અનુસાર 273 બાળલગ્નોની ફરિયાદ સાથે કર્ણાટક રાજ્ય મોખરે છે. તો ઝારખંડમાં 169 કેસ, આસામમાં 155 કેસ, પશ્વિમ બંગાળમાં 105 કેસ નોંધાયા છે. વર્ષ 2021 ના આંકડા અનુસાર, ગુજરાતમાં 3 વર્ષ દરમિયાન બાળલગ્નના 47 કેસ નોંધાયા છે.

જોકે ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન બાળલગ્નના કેસમાં વધારો થયો છે. વર્ષ 2019 માં બાળલગ્નની ગુજરાતમાં માત્ર 20 ફરિયાદ નોઁધાઈ હતી. જેમાં 83 લોકોની ધરપકડ કરાઈ હતી તો 2020 ના વર્ષમાં 15 ફરિયાદ નોઁધાઈ અને 66 લોકોની ધરપકડ કરવામા આવી. પરંતુ 2021 માં બાળલગ્નની 12 ફરિયાદમાં 37 લોકોની ધરપકડ થઈ. આમ ત્રણ વર્ષમાં બાળલગ્ન કેસમાં 186 લોકોની ધરપકડ કરાઈ.

તો બીજી તરફ, ગુજરાતમાં બાળલગ્ન માટે બહારથી બાળાઓ લાવવાનું ષડયંત્ર પણ સામે આવ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મુંબઈ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોની ગરીબ છોકરી (બાળા)ઓને ગુજરાત અને રાજસ્થાનના ગામડામાં લગ્ન કરવા માટે વેચી દેવામાં આવે છે.

આ મહિનામાં વિધાન પરિષદના સભ્ય મહાદેવ જાનકર દ્વારા વિધાન પરિષદના સભાગૃહમાં ઉઠાવવામાં આવેલા બાળકી અને મહિલાઓની તસ્કરી અંગેના પ્રશ્નનો લેખિતમાં જવાબ ફડણવીસે જણાવ્યું હતું. ૧૮ વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓને (બાળવધૂ) લગ્ન પુખ્ત વયના પુરુષ સાથે કરાવવામાં આવે છે. જે ભારતમાં આ પ્રથા અપરાધ ગણાય છે. અને તેની સામે સખત કાર્યવાહી કરાય છે.

આ વર્ષે જાન્યુઆરીમાં લગ્નના બહાને મહિલા અને બાળવધૂઓનું કથિત અપહરણ કરવા માટે ૨૪ જેટલા ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૧માં ૪૪૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યની ગરીબ મહિલાઓ અને બાળવધુઓને રાજસ્થાન અને ગુજરાતમાં વેચવામાં આવી હતી.

આ પણ વાંચો :-

ગુજરાતમાં પ્રથમવાર મહિલા કાર રેલીનું આયોજન, કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે પણ દેખાડ્યા અજીબોગરીબ કરતબ

0

First women’s car rally organized in Gujarat 

  • રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણના દરિયાકિનારે આજે પ્રથમ વખત મહિલા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દમણ (Daman) અને આસપાસના વિસ્તારની પ્રતિષ્ઠિત મહિલાઓએ ભાગ લીધો હતો. કાર રેલીમાં દમણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર (Coast Guard helicopters) પણ જોડાઈ અને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.

અનાયા મહિલા ગ્રુપ દ્વારા યોજાયેલ આ કાર રેલીનો હેતુ બેટી બચાવો બેટી પઢાઓ, મહિલાઓને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવવાની સાથે દમણના દરિયાની સુંદરતાને લોકો સમક્ષ મૂકવા અને સાથે સ્વચ્છતાનો સંદેશ આપવાના હેતુ સાથે આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અનાયા વુમેન્સ ગ્રુપ દ્વારા યોજાયેલ આ મહિલા કાર રેલીમાં તમામ ક્ષેત્રની મહિલાઓ જોડાઈ હતી. વિશેષ કરીને દમણ કોસ્ટ ગાર્ડની મહિલા જવાનો પણ આ કાર રેલીમાં જોડાઈ હતી. કાર રેલીમાં દમણ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પણ જોડાઈ અને કરતબ બતાવ્યા હતા. અને સ્પર્ધકોનો ઉત્સાહ વધારી પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ વાંચો :-

આકાંક્ષા દુબેના મોત પહેલાં આખરે શું થયું હતું ? વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે આકાંક્ષાનો છેલ્લો વીડિયો

happened before the death of Akanksha Dubey? 

  • Akanksha Dubey Mobile : ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ રવિવારે વારાણસીની એક હોટલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુના થોડા કલાકો પહેલા તે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ પણ આવી હતી. જેની પોલીસ તપાસ કરી રહી છે.

ભોજપુરી (Bhojpuri) અભિનેત્રી આકાંક્ષા દુબેએ (Akanksha Dubey) રવિવારે ઉત્તર પ્રદેશના વારાણસીમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. 25 વર્ષની આકાંક્ષાનો મૃતદેહ સારનાથની એક હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. આકાંક્ષા દુબેના (Akanksha Dubey) મોત પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુના માત્ર 15 કલાક પહેલા જ આકાંક્ષાએ તેનો છેલ્લો વીડિયો શેર કર્યો હતો અને થોડા કલાકો પહેલા તે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર લાઈવ પણ આવી હતી. આ દરમિયાન તે રડતી જોવા મળી હતી.

આકાંક્ષા શૂટિંગ બાદ હોટલમાં રોકાઈ હતી :

આકાંક્ષા દુબેની લાશ વારાણસીના સારનાથમાં એક હોટલના રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શૂટિંગ પછી તે હોટલમાં રોકાઈ હતી અને સવારે તેનો મૃતદેહ ફાંસીથી લટકતો જોવા મળ્યો હતો. સવારે મેક-અપ આર્ટિસ્ટે આકાંક્ષાને ફોન કર્યો.

પરંતુ તેણે ફોન ન ઉપાડતાં તે હોટલ પહોંચી. જ્યાં આકાંક્ષાનો રૂમ અંદરથી બંધ હતો. આ પછી પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસની હાજરીમાં માસ્ટર કી વડે રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો તો આકાંક્ષાનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

આપઘાત પહેલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે :

આપઘાત કરતા પહેલા આકાંક્ષા દુબેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેત્રી મોં ઢાંકીને રડતી જોઈ શકાય છે. રવિવારે પોતાના જીવનનો અંત લાવવાના થોડા કલાકો પહેલા આકાંક્ષા ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવી અને રડી પડી. હાલ પોલીસ દરેક એંગલથી તપાસમાં લાગેલી છે.

આકાંક્ષાના મૃત્યુનું રહસ્ય મોબાઈલ દ્વારા ખુલશે :

આકાંક્ષા દુબેએ કથિત રીતે માત્ર 25 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે પોલીસ તેના મોબાઈલની તપાસ કરી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેના મોતનું રહસ્ય બહાર આવી શકે છે. કારણ કે વીડિયોમાં આકાંક્ષા રડતી જોવા મળી રહી છે. હવે મોબાઈલ ચેક કરવાની સાથે પોલીસ તેમના રડવાનું કારણ પણ શોધી રહી છે.

આ પણ વાંચો :-

MGNREGA Wage : મનરેગાના મજૂરો માટે સારા સમાચાર, સરકારે વિવિધ રાજ્યોમાં વેતન દરમાં કર્યો વધારો

0

MGNREGA Wage

  • MGNREGA Wage : કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ વેતન દરોમાં ફેરફાર અંગે સૂચના બહાર પાડી છે. જે અંતર્ગત મજૂરોનું વેતન રૂ.7 થી વધારીને રૂ.26 કરવામાં આવ્યું છે.

મનરેગાના (MGNREGA) કામદારો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે (Central Govt) નાણાકીય વર્ષ 2023-24 માટે ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ મજૂરોના વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) હેઠળ વેતન દરોમાં ફેરફાર અંગે સૂચના બહાર પાડી છે.

આ સૂચના મનરેગા એક્ટ 2005ની કલમ 6(1) હેઠળ જારી કરવામાં આવી હતી. આ અંતર્ગત મજૂરોનું વેતન 7 રૂપિયાથી વધારીને 26 રૂપિયા કરવામાં આવ્યું છે, જેમાં નવા દર 1 એપ્રિલથી લાગુ થશે. આ વધારા પછી, હરિયાણામાં સૌથી વધુ દૈનિક વેતન 357 રૂપિયા પ્રતિ દિવસ અને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સૌથી ઓછું 221 રૂપિયા પ્રતિ દિવસ હશે.

રાજસ્થાનમાં વેતનમાં સૌથી વધુ વધારો થયો છે :

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર તેના લાભાર્થીઓ માટે વેતન દર નોટિફિકેશન દ્વારા નક્કી કરી શકે છે. ગત વર્ષના દરની સરખામણીએ વેતનમાં સૌથી વધુ ટકાવારીનો વધારો રાજસ્થાનમાં થયો છે. રાજસ્થાન માટે સંશોધિત પગાર 255 રૂપિયા પ્રતિ દિવસ નક્કી કરવામાં આવ્યો છે. જે 2022-23માં 231 રૂપિયા હતો.

બિહાર અને ઝારખંડમાં લગભગ 8 ટકાનો વધારો :

બિહાર અને ઝારખંડમાં આ યોજના હેઠળ મજૂરોના વેતનમાં ગયા વર્ષની સરખામણીમાં લગભગ 8 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે આ બંને રાજ્યોમાં દૈનિક વેતન રૂ. 210 હતું, જે હવે ઘટાડીને રૂ. 228 કરવામાં આવ્યું છે.

છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સૌથી ઓછું વેતન :

છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સૌથી ઓછું દૈનિક વેતન રૂ. 221 છે. જેમાં ગત વર્ષની સરખામણીમાં 17 ટકાનો વધારો નોંધાયો છે. 2022-23માં બંને રાજ્યોમાં મજૂરોનું દૈનિક વેતન 204 રૂપિયા હતું. કર્ણાટક, ગોવા, મેઘાલય અને મણિપુર એવા રાજ્યો છે. જેણે સૌથી ઓછી ટકાવારી વૃદ્ધિ નોંધાવી છે.

આ પણ વાંચો :-

 

ઓનલાઈન સાઈટ પર પાર્ટનર શોધનારાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતની શિક્ષકાના 17 લાખ ગયા, જુઓ શું બન્યું

Red light case for partner seekers

  • સુરતની શિક્ષિકાને શાદી ડોટ કોમ પર રજિસ્ટ્રેશન કરાવવું ભારે પડયું. લંડનના ડૉ.પ્રશાંત પીટરના નામે ગઠિયાએ શિક્ષિકાનો સંપર્ક કરી 17.48 લાખની છેતરપિંડી કરી.

સુરતની (Surat) શિક્ષિકાને શાદી ડોટ કોમ (Shaadi.Com) પર રજીસ્ટ્રેશન કરાવવું ભારે પડયું. લંડનના (London) ડોક્ટરના નામે શિક્ષિકા સાથે 17.48 લાખની છેતરપિંડી (Fraud) કરી. લંડનના ડો.પ્રશાંત પીટરના નામે ગઠીયાએ શિક્ષિકાનો કર્યો હતો સંપર્ક. ગઠીયાએ દિલ્લી એરપોર્ટ (Delhi Airport) પર લંડનના DDને રૂપિયામાં કનવર્ટ કરવાના નામે પૈસા પડાવ્યા અને જુદી જુદી સર્વિસના ચાર્ડના બહાને રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

ગઠીયો પોતાના પરિવાર સાથે ઈન્ડિયા આવી રહ્યાની કરી હતી વાત કરતો રહ્યો અને  શિક્ષિકાએ પણ વાતમાં આવી જઈ ધડાધડ રૂપિયા ટ્રાન્સફર કરતી રહી હતી. આખરે છેતરાયાનો અહેસાસ થતાં શિક્ષિકાએ સુરત સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ છે.

આ પણ વાંચો :-