Aaliya સાથે સમાધાન માટે Nawazuddin Siddiquiએ ભર્યું પહેલું સ્ટેપ, 100 કરોડના માનહાનિના કેસ બાદ એક્ટરે..

Share this story

Nawazuddin Siddiqui 

  • Nawazuddin Asks for Settlement With Wife: શું નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા વચ્ચે બધું બરાબર થઈ જશે. અભિનેતાએ આ સંબંધને બીજી તક આપવા માટે પહેલું પગલું ભર્યું છે.

નવાઝુદ્દીન સિદ્દીકીની (Nawazuddin Siddiqui) પ્રોફેશનલ લાઈફ સારી ચાલી રહી છે. પરંતુ તેનું અંગત જીવન ખૂબ જ વિવાદાસ્પદ બની ગયું છે. આલિયા (Alia) અને નવાઝ વચ્ચેના સંબંધોમાં ઘણી ખટાશ આવી ગઈ છેબંને વચ્ચે આરોપ-પ્રત્યારોપની પ્રક્રિયા ચાલુ છે.

જ્યારે આલિયાએ નવાઝુદ્દીન સામે બળાત્કારનો કેસ (Rape) દાખલ કર્યો છે. ત્યારે અભિનેતાએ તેની પત્ની અને ભાઈ શમસુદ્દીન સિદ્દીકી (Shamsuddin Siddiqui) વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ વિવાદો વચ્ચે હવે સમાચાર આવી રહ્યા છે કે બંને પોતાનો ઝગડો પતાવવા માંગે છે.

નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયા વચ્ચે બધુ સારું થશે?

નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા વચ્ચે બધુ બરાબર થઈ જશે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. આ માટે બંને આગળ વધી ગયા છે. સેટલમેન્ટ બાદ આલિયા તેના પતિ નવાઝુદ્દીન સિદ્દીકી પાસે જશે. આ મામલામાં પ્રતિક્રિયા આપતા આલિયાના વકીલ રિઝવાન સિદ્દીકીએ આ વાત સાચી હોવાનું જણાવ્યું છે.

નવાઝુદ્દીને આ સંબંધ માટે પહેલું પગલું ભર્યું હતું :

ઈ-ટાઈમ્સના સમાચાર મુજબ નવાઝુદ્દીન સિદ્દીકીએ કરાર માટે પહેલું પગલું ભર્યું છે. અભિનેતાએ આલિયાને એક ડ્રાફ્ટ મોકલ્યો હતો જેમાં કેટલીક શરતો હતી. જેમાં લખ્યું હતું કે બંને આ મામલે વાતચીત કરશે. તેમના લગ્ન જીવનમાં જે વિવાદો આવી રહ્યા છે. તેના વિશે તેઓ સાથે મળીને વાત કરશે.

તમને જણાવી દઈએ કે વિવાદો વચ્ચે નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાએ એકબીજા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. સોશિયલ મીડિયાથી લઈને કોર્ટ સુધી તેમનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. હવે બંને આ લડાઈનો અંત લાવવા માંગે છે. હવે સવાલ એ થાય છે કે શું નવાઝની પત્ની સાથે સમાધાનની ઈચ્છા પૂરી થશે કે નહીં. આલિયા આ માટે સહમત થશે કે નહીં આ બધી બાબતો જોવામાં આવશે.

અહીં આલિયાના વકીલ રિઝવાને ઈ-ટામ્સને કહ્યું, ‘નાઆલિયા ક્યારેય નવાઝ પાસે નહીં જાય. પરંતુ તે એક પરિપક્વ વ્યક્તિની જેમ તેના બંને બાળકોના ભલા માટે ચોક્કસ સારું કરશે.

આ પણ વાંચો :-