Home Blog Page 1120

હાર્દિકભાઈ ભૂલી ગયા એ દિવસો : રાહુલ ગાંધીને ગુજરાત વિરોધી કહેતા લોકો હાર્દિક પટેલ પર ભડક્યા

0

Hardikbhai forgot the days 

  • Hardik Patel attack on Rahul Gandhi : ટવિટર યુઝર્સ હાર્દિક પટેલને લોકો એ જૂના દિવસોની યાદ તાજી કરાવી રહ્યાં છે. જ્યારે તેઓ કોંગ્રેસમાં રહીને બીજેપી પર નિશાન તાકતા હતા.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) હાલમાં જ અદાણી-હિંડનબર્ગ રિપોર્ટને લઈને એક વર્ડ પ્લે પઝલ ટ્વિટર પર શેર કરી હતી. જેમાં તેઓએ કોંગ્રેસ છોડી ચૂકેલા કેટલાક નેતાઓને ટાર્ગેટ કર્યા હતા. રાહુલે એ પૂર્વ કોંગ્રેસીઓ પર નિશાન સાધ્યું હતું. જેઓ હવે ભાજપના થયા છે. રાહુલની આ ટવીટ પર હવે ગુજરાતના ભાજપના નેતા હાર્દિક પટેલે (Hardik Patel) પલટવાર કર્યો છે. હાર્દિક પટેલે કહ્યું કે તમે સત્ય છુપાવો છો અને તે સત્ય ગુજરાત વિરોધી છે.

એક યુઝરે હાર્દિકના જૂના નિવેદનનો સ્ક્રીન શોટ શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, વારંવાર કોંગ્રેસનું નામ ન લેતા રહો વોશિંગ મશીન. આ નિવેદનમાં હાર્દિકે બીજેપી પર હુમલો બોલાવતા ટવીટ કરી હતી કે હિન્દુ મુસ્લિમના ચશ્મા હટાવીને જુઓ. ભાજપ નગ્ન અને બેશરમ નજર આવશે.

રાહુલ ગાંધી પર પહેલા પણ સાધ્યુ હતું નિશાન :

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલે કોંગ્રેસ છોડીને બીજેપીનો સાથ પકડ્યો હતો. જેના બાદ રાહુલ ગાંધી પર હાર્દિક પટેલ સતત નિશાન સાધતા રહે છે. આ પહેલા હાર્દિકે વિદેશમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર સવાલ ઉઠાવ્યા હતા. તેઓે કહ્યું હતું કે વિદેશમાં જઈને દેશની બદનામી કરવી ન જોઈએ. તેમની દાદી અને પિતા દેશની સેવા કરી ચૂક્યા છે. હાર્દિકે કહ્યું કે દરેક કોઈને પોતાની વાત કહેવાનો અધિકાર છે. પરંતુ છબીને નુકસાન પહોંચાડનારા નિવેદન ન આપવા જોઈએ.

રાહુલ બતાવ્યુ હતું ADANI નું ફુલ ફોર્મ :

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ 8 એપ્રિલના રોજ ADANI નું ફુલફોર્મ બતાવીને ટ્વીટ કરી હતી. તેઓએ લખ્યું હતું કે સત્ય છુપાવે છે. તેથી રોજ ભટકાય છે. સવાલ એ છે કે, અદાણી કંપનીઓમાં ₹20,000 કરોડ બેનામી રૂપિયા કોના છે?’ તેમાં તેઓએ A- ગુલામ નબી આઝાદ, D- જ્યોતિરાદિત્ય સિંધિયા, A-કિરણ કુમાર રેડ્ડી, N-હિમંત બિસ્વા સરમા અને I- અનિલ એટર્નીને પણ લપેટ્યા છે.

આ પણ વાંચો :-

ફક્ત 3 લાખ રૂપિયામાં મળી રહી છે Maruti Wagon R, તાત્કાલિક મળશે ડિલીવરી

Maruti Wagon R

  • Wagon R : ગત મહિનામાં એટલે કે માર્ચ (2023), મારુતિ સુઝુકીએ તેની વેગનઆર (Maruti Suzuki WagonR) ના કુલ 17305 યુનિટ વેચ્યા છે, જેની સાથે તે બીજા નંબરની સૌથી વધુ વેચાતી કાર હતી. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે તેની કેટલી માંગ છે અને લોકોમાં તે કેટલી લોકપ્રિય છે.

છેલ્લા મહિનામાં એટલે કે માર્ચ (2023), મારુતિ સુઝુકીએ તેની વેગનઆરના (Wagon R ) કુલ 17305 યુનિટ વેચ્યા છે, જેની સાથે તે બીજા નંબરની સૌથી વધુ વેચાતી કાર હતી. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે તેની કેટલી માંગ છે અને લોકોમાં તે કેટલી લોકપ્રિય છે. માત્ર નવી વેગનઆરની જ માંગ નથી. જૂની વેગનઆરની પણ ઘણી માંગ છે. સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં વેગનઆરની ઘણી માંગ છે.

જૂની કાર પર કોઈ વેઈટિંગ પિરિયડ પણ હોતો નથી. જેમ કે આજકાલ ઘણી નવી કારમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં જો તમે જૂની WagonR ખરીદવાનું વિચારી રહ્યા છો. તો અમે તમને કેટલાક વિકલ્પો જણાવવા જઈ રહ્યા છીએ. અમે મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યુ વેબસાઈટ પર કેટલીક જૂની વેગનઆર કાર લિસ્ટેડ જોઈ છે. જેની કિંમત લગભગ રૂ. 3 લાખ છે.

અહીં લિસ્ટેડ Maruti Wagon R VXI માટે રૂ. 310000 ની ડિમાન્ડ કરવામાં આવી છે. આ કાર 2017 મોડલની છે. જેમાં પેટ્રોલ એન્જિન છે અને તેણે 46432 કિમી ચલાવી છે. કાર ફર્સ્ટ ઓનર છે અને ત્રણ ફ્રી સર્વિસ અને 6 મહિનાની વોરંટી સાથે આવે છે. તે કોલકાતામાં વેચાણ માટે ઉપલબ્ધ છે અને ત્યાંનું રજિસ્ટ્રેશન પણ છે.

અહીં લિસ્ટેડ અન્ય મારુતિ વેગન આર VXI રૂ. 320000 માંગે છે. આ કાર પણ 2017 મોડલની છે અને માત્ર પેટ્રોલ એન્જિન જ છે. આ કાર 82337 કિમી ચાલી છે. આ પણ પ્રથમ માલિક છે. તે 6 મહિનાની વોરંટી અને ત્રણ સર્વિસ ફ્રી ઓફર કરવામાં આવી રહી છે. તે પટનામાં વેચાણ માટે ઉપલબ્ધ છે અને માત્ર પટનામાં જ રજિસ્ટ્રેશન પણ છે.

અહીં લિસ્ટેડ અન્ય Maruti Wagon R VXI ની કિંમત રૂ. 325,000 છે. આ કાર 2015 મોડલની છે. આ પેટ્રોલ એન્જિનવાળી કાર 84536 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ ફર્સ્ટ ઓનર કાર પર 6 મહિનાની વોરંટી અને ત્રણ ફ્રી સર્વિસ પણ મળી રહી છે. તે આગ્રામાં વેચાણ માટે ઉપલબ્ધ છે અને આગ્રામાં પણ રજિસ્ટ્રેશન છે.

અહીં લિસ્ટેડ અન્ય મારુતિ વેગન આર VXI ની કિંમત રૂ. 338,000 છે. આ 2016 મોડલની પેટ્રોલ એન્જિનવાળી કારે 42534 કિલોમીટર ચાલી છે. તેમાં 6 મહિનાની વોરંટી અને ત્રણ ફ્રી સર્વિસ પણ મળી રહી છે. કાર ફર્સ્ટ ઓનર છે. તે ગોરખપુરમાં વેચાણ માટે ઉપલબ્ધ છે અને ત્યાંનું રજિસ્ટ્રેશન છે.

આ પણ વાંચો :-

કહેવું પડે હોં ! અમથો નથી કેવાતો કિંગ કોહલી, અનુષ્કા સાથે મળીને લીધો એવો નિર્ણય કે ચારે કોર વાહવાહી

0

Have to say

  • વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કાએ તેમની પુત્રી વામિકાના રેપની ધમકી આપનાર શખ્સને માફ કરી દીધો છે.

ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની (Virat Kohli) પુત્રી પર બળાત્કાર કરવાની ધમકી આપવાના આરોપમાં બોમ્બે હાઈકોર્ટે સોમવારે એક વ્યક્તિ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરને રદ કરી દીધી છે. આ કેસમાં ફરિયાદી કોહલીના મેનેજરે આરોપીઓ સામેના આરોપો પડતા મૂકવાની સંમતિ આપ્યા બાદ જસ્ટિસ એ એસ ગડકરી (Justice AS Gadkari) અને પી ડી નાઈકની ડિવિઝન બેન્ચે આ આદેશ આપ્યો હતો.

2021માં શખ્સે કોહલીની પુત્રીના રેપની આપી હતી ધમકી :

2021માં જ્યારે ભારતીય ટીમને ટી20 વર્લ્ડકપમાં પહેલીવાર પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડયો હતો. ત્યારે હૈદરાબાદના આ વ્યક્તિએ ટ્વીટ દ્વારા કોહલીની દીકરી પર બળાત્કાર કરવાની ધમકી આપી હતી.

ધરપકડ બાદ મળ્યાં હતા જામીન   :

આ પછી દિલ્હી મહિલા આયોગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર હૈદરાબાદ પોલીસે સોફ્ટવેર એન્જિનિયર રામનાગેશ અકુબથિનીની ધરપકડ કરી હતી. અકુબથિનીની નવેમ્બર 2021 માં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને કલમ 67 બી હેઠળ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આ પછી 2022 માં અકુબથિનીએ કેસ રદ કરવાની અરજી દાખલ કરી હતી. જેની સોમવારે સુનાવણી થઈ હતી. ત્યારબાદ કેસ રદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

World Cup 2023 : ભારત સામે પાકિસ્તાનનું સરેન્ડર, હવે ભારત સરકારના હાથમાં બાજી

0

World Cup 2023

  • એશિયા કપને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલો વિવાદ વર્લ્ડ કપ સુધી પહોંચી ગયો છે, જ્યાં પીસીબીએ છેલ્લા કેટલાક મહિનામાં વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે. કદાચ હવે પાકિસ્તાનને સમજાઈ ગયું છે કે આ શક્ય નથી.

ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ (ODI World Cup) માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમના (Pakistan Cricket Team) આગમન અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી. થોડા સમય પહેલાં ભારતમાં નહીં આવવાની ધમકી આપનાર પાકિસ્તાનને હવે વાસ્તવિકતાનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન (Pakistan) માત્ર વર્લ્ડ કપ માટે ભારત આવવા માટે તૈયાર નથી. પરંતુ તેણે બે શહેરોની પણ ઓળખ કરી છે જ્યાં તે તેની તમામ મેચ રમવા માંગે છે.

ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી ટૂર્નામેન્ટને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેની શરૂઆત એશિયા કપ માટે ભારતીય ટીમને પાકિસ્તાન ન મોકલવા અંગે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહના નિવેદનથી થઈ હતી. ત્યારથી પીસીબીના અધિકારીઓ પણ વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી રહ્યા હતા.

પાકિસ્તાનની નજર કોલકાતા અને ચેન્નાઈ પર  :

પાકિસ્તાનની ધમકીની બીસીસીઆઈ અને આઈસીસી પર કોઈ અસર થતી નથી તે જોઈને હવે પીસીબી ઘૂંટણિયે પડીને ભારત આવીને રમવા તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્લ્ડ કપ માટે નક્કી કરાયેલા 12 સ્થળોમાં પાકિસ્તાને બે એવા શહેરોની ઓળખ કરી છે. જ્યાં તે પોતાની તમામ મેચ રમવા માંગે છે. રિપોર્ટમાં આઈસીસીના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન લીગ તબક્કાની તેની તમામ 9 મેચ ચેન્નાઈ અને કોલકાતામાં જ રમવા માંગે છે.

મળતી માહિતી મુજબ પાકિસ્તાની બોર્ડના અધિકારીઓ આ મુદ્દા પર ICC અધિકારી સાથે ચર્ચા કરી રહ્યા છે. જો કે ICC અને BCCI નક્કી કરશે કે કઈ ટીમ ક્યાં રમશે. પરંતુ પાકિસ્તાની ટીમ પોતાની તમામ મેચો માત્ર કોલકાતા અને ચેન્નાઈમાં જ રમવાનું પસંદ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની ટીમ બંને શહેરોમાં વધુ સુરક્ષિત અનુભવે છે.

કોલકાતા અને ચેન્નાઈ સાથે જોડાણ શા માટે?

પાકિસ્તાને કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે 2016 T20 વર્લ્ડમાં ભારત સામે તેની મેચ રમી હતી. જો કે મેચ ધર્મશાલામાં યોજાવાની હતી. પરંતુ સુરક્ષાના કારણોસર તેને કોલકાતા ખસેડવામાં આવી હતી. સાથે જ 1999માં ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન પાકિસ્તાનને ઘણો પ્રેમ મળ્યો હતો. આવી સ્થિતિમાં પાકિસ્તાન પોતાની મેચ આ બે શહેરોમાં રમવા માંગે છે. જો કે, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ બધું BCCI અને ભારત સરકાર પર પણ નિર્ભર રહેશે.

આ પણ વાંચો :-

જિયોમાં ઘર બેઠા નોકરીની તક, 45000 સુધી પગાર, જાણો વિગત

0

Job opportunity

  • દેશની દિગ્ગજ ટેલિકોમ કંપની જિયોમાં નોકરીની શાનદાર તક આવી છે. તમે ઘર બેઠા નોકરી કરી શકો છો. આ માટે તમને સારો પગાર પણ મળશે. જિયોની નોકરીની તમામ વિગત જાણવા માટે આ અહેવાલ વાંચો.

આપણા દેશમાં લાખો યુવાનો આવા છે. જેઓ નોકરીની શોધમાં અહીં-તહીં ભટકી રહ્યા છે. પરંતુ હજુ પણ તેઓ ક્યાંયથી નોકરી મેળવી શકતા નથી. તો આવા યુવાઓ માટે Jio Company Work From Home તરફથી જોબની ઓફર લાવી છે. જેના માધ્યમથી તમે ઘરે બેઠા-બેઠા ₹15000 થી લઈને ₹45000 પ્રતિ મહિને કમાઈ શકો છો. બસ તે માટે તમારે જિયો કંપનીમાં (Jio Company) રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તેની જાણકારી સ્ટેપ બાય સ્ટેપ અમે નીચે આપી છે.

Jio Work From Home : જિયોની વર્ક ફ્રોમ હોમ ડિટેલ્સ

જિયો કંપનીની નોકરીઓ માટે પુરુષ અને સ્ત્રી બંને ઉમેદવારો અરજી કરી શકે છે. જેમાં તેમની ઉંમર 17 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આમાં તમારે ઘરે બેસીને મોબાઈલ, ટેબલેટ કે લેપટોપ દ્વારા કામ કરવું પડશે. આના દ્વારા તમારે જિયો વર્ક ફ્રોમ હોમ જોબ તરીકે ડેટા એન્ટ્રી ઓપરેટર, કોલિંગ, ટીમ લીડર અને સંપર્ક લેખન વગેરેના તમામ કાર્યો કરવા પડશે. વિદ્યાર્થીઓ મહિલાઓ અને પુરુષો અને ગ્રામ્ય વિસ્તારના લોકો પણ આ નોકરીનો લાભ લઈ શકે છે. અને તમને દર મહિને પગારનું સારું પેકેજ મળી શકે છે.

Jio Company Work From Home જરૂરી દસ્તાવેજ :

Jio કંપનીમાં અરજી કરતા પહેલા તેમાં માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજો જાણવા જરૂરી છે. આ જરૂરી દસ્તાવેજો રાખ્યા પછી જ તમે આ કંપનીમાં નોકરી કરી શકો છો.

  • બેંક ખાતાની પાસબુક
  • પાન કાર્ડ
  • ધોરણ 10 અને 12 ની માર્કશીટ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • અરજદારનું આધાર કાર્ડ
  • મોબાઇલ નંબર

Viral Video : ગલીમાં આધેડ સાથે રોમાન્સ કરવા લાગી યુવતી, પ્રેમી તો ઘૂંટણિયે પડી ગયો …

Jio Company Work From Home registration How To Apply :

– જિયો કંપનીમાં Registration કરવા માટે સૌથી પહેલા તમારે Jio Careers ની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે.

વેબસાઈટ પર ગયા બાદ તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલીને આવી જશે. જેના પર તમને Job Icon નો ઓપ્શન મળી જશે.

– Job Icon પર ક્લિક કર્યા બાદ તમારી સામે નવા પેજ પર Job નો ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરતા તમારી સામે અલગ અલગ Job ના નામ જોવા મળશે.

– આ સૂચિમાં, તમે જે કામ કરવાની ક્ષમતા ધરાવો છો. તમે તે નોકરી પસંદ કરી શકો છો. જ્યારે તમારે એપ્લિકેશન લિંક પર ક્લિક કરવાનું રહેશે.

– હવે અરજદારમાં માંગવામાં આવી છે. બધી જરૂરી માહિતી ભરો. અને સબમિટ ઓપ્શન પર ક્લિક કરો.

– હવે સબમિટ કર્યા પછી તમને પાસવર્ડ આઈડી મળશે. જે તમારે સારી રીતે સુરક્ષિત રાખવાની છે.

Jio Company Work From Home Registration Login :

– Jio કંપનીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે તમારા રજીસ્ટ્રેશન આઈડી દ્વારા લોગઈન પર ક્લિક કરવાનું રહેશે.

– હવે લોગીન કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખુલશે. જેના પર તમારી પાસેથી કેટલીક મહત્વપૂર્ણ માહિતી મેળવવામાં આવશે. અને સાથે કેટલાક મહત્વના દસ્તાવેજો પણ પૂછવામાં આવશે.

– હવે આ જરૂરી માહિતી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા પછી સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.

– તમે અરજી સબમિટ કરતાની સાથે જ તમને તેની રસીદ મળી જશે. જેની નકલ કાઢી લો અને તેને સુરક્ષિત રાખો.

– આ પછી તમને ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અથવા અન્ય માધ્યમથી નોકરીની માહિતી આપવામાં આવશે.

આ પણ વાંચો :-

જામનગર : 100 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા યુવકનું દિલધડક રેસ્ક્યુ, ખાટલામાં બેસાડી બહાર કઢાયો

0

જામનગર : 100 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા યુવકનું દિલધડક રેસ્ક્યુ, ખાટલામાં બેસાડી બહાર કઢાયો

  • જામનગરના મસિતીયા રોડ પાસે ગત મોડી રાત્રે એક માનસિક અસ્થિર યુવક અકસ્માતે 100 ફૂટ ઊંડા કૂવામાં ખાબકયો હતો અને જામનગર ફાયરની ટીમે દિલધડક રેસ્ક્યું કરી યુવકને સહી સલામત બહાર કાઢ્યો હતો.

જામનગરના (Jamnagar) મસિતીયા રોડ પાસે ગત મોડી રાત્રે એક માનસિક અસ્થિર યુવક અકસ્માતે 100 ફૂટ ઊંડા કૂવામાં ખાબકયો હતો અને જામનગર ફાયરની (Jamnagar Fire) ટીમે દિલધડક રેસ્ક્યું કરી યુવકને સહી સલામત બહાર કાઢ્યો હતો.

પ્રાપ્ત પ્રાથમિક અહેવાલ અનુસાર જામનગરના મસીતિયા રોડ ફાર્મ હાઉસ સામે ગત મોડી રાતના રવિરાજ જેઠવા નામનો 22 વર્ષીય માનસિક અસ્થિર યુવક અકસ્માતે સો ફૂટ ઊંડા કુવામા ખાબક્યો હતો.

યુવાન કૂવામાં ખાબકવાની જાણ થતાની સાથે જ સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા જામનગર મહાનગરપાલિકા ફાયર વિભાગની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને દિલધડક રેસ્ક્યુ હાથ ધરી મહામહેનતે યુવકને હેમખેમ કુવામાંથી બહાર કાઢ્યો હતો.

ફાયરની ટીમે ગ્રામજનોની મદદથી કુવાની અંદર દોરડા વડે ખાટલાને ઉતારી અને તેમાં આ યુવાનને ખાટલા પર ચઢાવી દોરડા વડે ખેંચી સહી સલામત બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. જ્યારે અકસ્માતે કૂવામાં પડી ગયેલા ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર અર્થે તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

જો તમારા ખિસ્સામાં પણ 2000ની નોટ હોય તો ખાસ જાણો આ માહિતી, કેમ ATM માંથી ગાયબ થઈ રહી છે?

0

If you have a 2000 note

  • 2000 Rupees Note : ભારતીય કરન્સીમાં સૌથી મોટી નોટ ગણાતી 2000 રૂપિયાની નોટ હવે હાલના દિવસોમાં લોકોના હાથમાં ઓછી જોવા મળે છે. લોકોનું કહેવું છે કે આ નોટ એટીએમમાંથી પણ નીકળતી નથી. આખરે શું છે તેની પાછળનું કારણ?

તમે 2000 રૂપિયાની (2000 Rupees Note) ગુલાબી નોટ છેલ્લે ક્યારે જોઈ હતી? કઈ યાદ છે તમને? જરા યાદ તો કરો કે એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ કાઢ્યા બાદ તેના છૂટ્ટા કરાવવા માટે છેલ્લે તમે ક્યારે ઠેર ઠેર ભટકી રહ્યા હતા. કદાચ લાંબો સમય વીતી ગયો હશે. કારણ કે 2000 રૂપિયાની ગુલાબી નોટનું સર્ક્યુલેશન હાલના દિવસોમાં ઓછું થઈ ગયું છે. આપણી કરન્સીની સૌથી મોટી નોટ 2000 રૂપિયાની નોટ વિશે સરકારે સંસદમાં પણ જાણકારી આપી હતી. આ સિવાય પોતાના વાર્ષિક રિપોર્ટમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (Reserve Bank of India) પણ નોટના સર્ક્યુલેશનમાં આવેલી કમીનું કારણ જણાવ્યું હતું.

સાંસદે પૂછ્યો હતો સવાલ :

માર્ચ 2023માં લોકસભામાં સાંસદ સંતોષકુમારે નાણામંત્રી નિર્મલા સીતારમણને 2000 રૂપિયાની નોટ અંગે સવાલ પૂછ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે શું રિઝર્વ બેંકે બેંકો પર 2000 રૂપિયાની નોટને એટીએમમાંથી જારી કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે? જો હાં તો તેની જાણકારી આપવી જોઈએ. આ સાથે જ તેમણે પૂછ્યું હતું કે શું રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટોનું છાપકામ બંધ કરી દીધુ?

નાણામંત્રીએ આપ્યો હતો જવાબ :

જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ATM માં 2000 રૂપિયાની નોટ ભરવા કે ન ભરવા માટે બેંકોને કોઈ નિર્દેશ અપાયા નથી. બેંક કેશ વેન્ડિંગ મશીનોને લોડ કરવા માટે પોતે જાણે પસંદ  કરે છે. તેઓ જરૂરિયાતની સમીક્ષા કરે છે. નાણામંત્રીએ કહ્યું હતું કે RBI ના વાર્ષિક રિપોર્ટ મુજબ વર્ષ 2019-20 બાદથી 2000 રૂપિયાની નોટનું છાપકામ થયું નથી.

ડિસેમ્બરમાં પણ સંસદમાં ઉઠયો હતો મુદ્દો :

આ અગાઉ ડિસેમ્બર 2022માં ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુશીલકુમાર મોદીએ પણ ગત વર્ષ ડિસેમ્બરમાં સર્ક્યુલેશનમાંથી ગાયબ થઈ રહેલી 2000 રૂપિયાની નોટો વિશે સવાલ પૂછ્યો હતો. તેમણે સરકારને પૂછ્યું હતું કે માર્કેટમાં ગુલાબી રંગની 2000ની નોટના દર્શન દુર્લભ થઈ ગયા છે. એટીએમથી પણ નીકળતી નથી. જેના લીધે અફવા છે કે હવે તે કાયદેસર નથી.

હકીકતમાં RBI સરકાર સાથે વાતચીત કર્યા બાદ નોટોના છાપકામ અંગે નિર્ણય લે છે. એપ્રિલ 2019 બાદથી કેન્દ્રીય બેંકે 2000 રૂપિયાની એક પણ નોટ છાપી નથી. જો કે 2000 રૂપિયાની નોટ હજુ પણ સંપૂર્ણ રીતે કાયદેસર છે. એટલે કે ચલણમાં છે. તેના છાપકામ અંગે કોઈ પણ પ્રકારની તાજા જાણકારી હાલ સામે આવી નથી.

આ પણ વાંચો :-

12 એપ્રિલ 2023 આજનું રાશિફળ : આ ચાર રાશિના જાતકો સાચવજો, જીવનમાં મચી શકે છે ‘હાહાકાર’! મીન રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય

12 April 2023 Today’s Horoscope

મેષઃ
મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય શક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્‍નતા અનુભવાય.

વૃષભઃ
મનમાં પ્રસન્‍નતા અનુભવાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાના ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી-ધંધા બાબતે મિશ્રફળ મળતું જણાય.

મિથુનઃ
નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છુટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન-મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય.

કર્કઃ
દિવસ દરમિયાન માનસિક ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી, કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાશે. મિત્રો તરફથી લાભ.

સિંહઃ
નાણાંની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યાઃ
નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમાં વૃદ્ધિ શક્ય બને. પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃસુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરી, ધંધા તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલાઃ
નસીબનો સાથ ઓછો મળતાં આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ
આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ જણાય.

ધનઃ
માનસિક શાંતિ વધતી જણાય. ગઈકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મકરઃ
આવક જાવકનું પાસું સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટિની ભાવના પેદા થાય. નાણાંનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતા મળતી જણાય. આરોગ્ય જળવાય.

કુંભઃ
મનોબળ મજબૂત બનતું જણાય. પોતાનું જ ધાર્યું કરવાની ઈચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. મિત્રવર્તુળનાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીનઃ
નોકરીમાં ટારગેટ પૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે. ખોટા ખર્ચ વધી  ન જાય એનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

કોઈ ફિલ્મ નહીં, પણ ગરીબ દીકરીની ‘જિંદગીના હીરો’ બન્યા અર્જુન કપૂર : નેશનલ ક્રિકેટ ટીમમાં રમવાનું છે સપનું

0
Arjun Kapoor
  • અનીશા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તરફથી રમવા માંગે છે. અનીશાની મહેનત અને સંઘર્ષની કહાની સાંભળીને અર્જુન કપૂર મદદ માટે આગળ આવ્યા છે.

ભારતમાં લોકોને ક્રિકેટ વધુ પસંદ છે. અનેક ખેલાડીઓ ક્રિકેટ (Cricket) રમીને પોતાના દેશનું નામ રોશન કરી રહ્યા છે. મુંબઈના (Mumbai) પનવેલમાં રહેનાર અનીશા (Anisha) પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તરફથી રમવા માંગે છે અને ભારત માટે વર્લ્ડ કપ જીતવા માંગે છે. આર્થિક પરેશાની હોવા છતાં અનીશા ખૂબ જ મહેનત કરી રહી છે.

અનીશાની મહેનત અને સંઘર્ષની કહાની સાંભળીને અર્જુન કપૂર (Arjun Kapoor) મદદ માટે આગળ આવ્યા છે. અનિશા 11 વર્ષની છે. તેની મહેનત અને જુસ્સો જોઈને લોકો ઈમ્પ્રેસ થઈ ગયા છે. મીડિયા અહેવાલમાં અનીશા વિશે અનેક વાર છાપવામાં આવ્યું છે.

અર્જુન કપૂરને અનીશાની ક્ષમતા અને સંઘર્ષ વિશે જાણ થતા તેમણે અનીશાના સપનાને પૂરુ કરવાનો નિર્ણય લીધો. અર્જુન કપૂરે નિર્ણય કર્યો છે કે અનીશા 18 વર્ષની થશે ત્યાં સુધી તેની ટ્રેનિંગ તથા ઈક્વિપમેન્ટ્સનો ખર્ચો તેઓ કરશે.

દેશ માટે રમવા માંગે છે અનીશા :

અનીશા પનવેલના ટ્રોમ્બે અને બાંદ્રામાં MIG ક્લબમાંથી ટ્રેનિંગ લે છે. અનીશા સચિન તેંડુલકરને આદર્શન માને છે અને દેશ માટે રમવાનું વિચારી રહી છે. તમને જણાવી દઈએ કે અનીશા મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે રમી ચૂકી છે.

અર્જુન કપૂર અનીશાનું સપનું પૂરું કરશે :

અનીશાને મદદ કરવા બદલ અનીશાના પિતાએ અર્જુન કપૂરનો આભાર વ્યક્ત કર્યો છે. અનીશાના પિતા જણાવે છે કે, ‘વર્લ્ડ ક્લાસ ક્રિકેટર માટે એક સારી ટ્રેનિંગની જરૂરિયાત હોય છે. અનીશા ઈન્ડિયા કેપ મેળવવા માંગે છે. એક પિતા હોવાના નાતે મારે અનીશાને સશક્ત બનાવવી જોઈએ.

જેથી તે અન્ય લોકો માટે પ્રેરણા બની શકે છે. અનીશા આવનારી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે.’ અનીશાના પિતાએ અર્જુન કપૂરને વરદાન ગણાવ્યા છે અને કહ્યું છે કે, તેમની મદદથી મારા ખભાનો ભાર થોડો ઓછો થઈ જશે.

આ પણ વાંચો :-

Amul Vs Nandini : અમૂલથી રૂ.11 સસ્તું દૂધ અને રૂ.17 સસ્તું દહીં વેચે છે આ ડેરી, ગુજરાતીઓને ઝટકો

0

Amul Vs Nandini 

  • Save Nandini Go back : છેલ્લા ઘણા દિવસોથી, #GoBackAmul અને #SaveNandini સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. સાથે જ રાજકીય રેલીઓમાં અમૂલ પર ‘ગુજરાતી દૂધ’નું ટેગ લગાવવામાં આવ્યું છે.

કર્ણાટકમાં ચૂંટણી (Karnataka election) પહેલાં પ્રાઈસ વોર ચાલુ થાય તો નવાઈ નહીં. કર્ણાટક ચૂંટણી (Karnataka election) વચ્ચે બે દૂધ કંપનીઓની લડાઈ હવે નવો વળાંક લઈ રહી છે. ‘નંદિની’ બ્રાન્ડનું દૂધ ‘અમૂલ’ (Amul) કરતાં 11 રૂપિયા સસ્તું છે. તો દેશની સૌથી મોટી કંપની હોવા છતાં શું અમૂલ તેનો સામનો કરી શકશે? હવે સવાલ એ છે કે અબજો ડોલરનું ટર્નઓવર ધરાવતી અને ગુજરાતના ખેડૂતો અને સહકારી સંસ્થા ગણાતી અમૂલ (Amul) ગુજરાતમાં (Gujarat) કેમ મોંઘા ભાવે દૂધ વેચે છે એ સૌથી મોટો સવાલ ગુજરાતીઓમાં ઉભો થયો છે. વધતા જતા દૂધના ભાવ વચ્ચે ગુજરાતના ખેડૂતોનું દૂધ ગુજરાતીઓને જ કેમ મોંઘુ પડી રહ્યું છે એ ચર્ચા ગુજરાતમાં ચાલુ થઈ છે.

તમને જણાવી દઈએ કે અમૂલની આ એન્ટ્રીને ન તો જનતાએ અને ન તો રાજ્યની વિપક્ષી રાજકીય પાર્ટીઓએ આવકારી છે. છેલ્લા ઘણા દિવસોથી #GoBackAmul અને #SaveNandini સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. સાથે જ રાજકીય રેલીઓમાં અમૂલ પર ‘ગુજરાતી દૂધ‘નું ટેગ લગાવવામાં આવ્યું છે. આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ આમને-સામને છે.

અમૂલ (Amul)બહુ મોટું તો નંદિની કંઈ ઓછી નથી :

અમૂલ (Amul) ભલે દેશની સૌથી મોટી દૂધની બ્રાન્ડ હોય. પરંતુ તેમ છતાં તેનું દૂધ આખા દેશમાં વેચાતું નથી. તેને વિવિધ રાજ્યોની દૂધ સહકારી મંડળીઓ તરફથી સ્પર્ધાનો સામનો કરવો પડે છે. તાજેતરનો કેસ કર્ણાટકના KMF અને તેની દૂધ બ્રાન્ડ નંદિનીનો છે. અમૂલ કરતાં નાની હોવા છતાં કર્ણાટક સહિત આસપાસના રાજ્યો અને ખાસ કરીને બેંગલુરુમાં ‘નંદિની‘ (Nandini) ઘણી બાબતોમાં ઉપર છે.

KMF નંદિની (Nandini) બ્રાન્ડ માટે દરરોજ 24 લાખ પશુપાલકો પાસેથી 81.3 લાખ લિટર દૂધ એકત્ર કરે છે. જ્યારે અમૂલ (Amul) દરરોજ 36.4 લાખ ખેડૂતો પાસેથી લગભગ 2.63 કરોડ લિટર દૂધ એકત્ર કરે છે. જ્યારે ‘નંદિની‘ (Nandini) દરરોજ 10 લાખ લિટર દૂધ પ્રોસેસ કરે છે. જ્યારે અમૂલ (Amul) 52 લાખ લિટર દૂધ પ્રોસેસ કરે છે. અમૂલ (Amul) દેશના ઘણા મોટા બજારોમાં અને ઘણા એશિયન દેશોમાં દૂધનું વેચાણ કરે છે. જ્યારે નંદિની (Nandini) બ્રાન્ડનું દૂધ બેંગલુરુ અને કર્ણાટક ઉપરાંત તમિલનાડુ, મહારાષ્ટ્ર અને તેલંગાણા જેવા પડોશી રાજ્યોમાં પણ સપ્લાય થાય છે.

નંદિનીનું દૂધ રૂ.11 સસ્તું :

જો આપણે અમૂલ (Amul) અને નંદિનીના (Nandini) ભાવ પર નજર કરીએ તો અહીં નંદિનીની આગેવાની છે. બંને બ્રાન્ડસ ટોન્ડ મિલ્ક, ફુલ ક્રીમ મિલ્ક અને દહીં જેવી લગભગ તમામ લોકપ્રિય શ્રેણીઓનું વેચાણ કરે છે. પરંતુ તેમની કિંમતમાં ઘણો તફાવત છે.

અમૂલના ટોન્ડ દૂધના એક લિટરની કિંમત 54 રૂપિયા પ્રતિ લિટર અને ફુલ ક્રીમ દૂધની કિંમત 66 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે નંદિનીનું (Nandini) ટોન્ડ દૂધ 43 રૂપિયા પ્રતિ લિટર અને ફુલ ક્રીમ દૂધ 55 રૂપિયા પ્રતિ લિટર છે. મતલબ સીધો 11 રૂપિયા પ્રતિ લીટર સસ્તો. એટલું જ નહીં અમૂલનું દહીં લગભગ રૂ. 66 પ્રતિ લીટરમાં ઉપલબ્ધ છે. જ્યારે નંદિનીનું દહીં રૂ. 19 સસ્તું એટલે કે રૂ. 47 પ્રતિ લીટર છે.

કેમ નંદીનીનું દૂધ સૌથી સસ્તું :

કેમ નંદીની સસ્તું દૂધનું વેચાણ કરે છે એનો જવાબ પણ અહીં છે. સપ્ટેમ્બર 2008 માં ભાજપ સરકારે KMF સાથે સંકળાયેલા જિલ્લા યુનિયનોને દૂધ સપ્લાય કરતા ખેડૂતોને ખરીદ કિંમત કરતાં વધુ 2 રૂપિયા પ્રતિ લિટર પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. પાંચ વર્ષ પછી મે 2013માં સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે પ્રોત્સાહન બમણું કર્યું અને નવેમ્બર 2016માં તેને વધારીને 5 ટકા કર્યું. નવેમ્બર 2019માં જ્યારે યેદિયુરપ્પા સીએમ તરીકે પાછા ફર્યા.

ત્યારે તેને ફરીથી વધારીને 6 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો હતો. આમ વાર્ષિક ધોરણે કર્ણાટક સરકાર દૂધ ઉત્પાદકોને આશરે રૂ. 1,200 કરોડનું પ્રોત્સાહન આપે છે. જેનો સીધો લાભ નંદીનીને થાય છે. નંદિની દૂધ ભારતમાં સૌથી સસ્તું છે. જેને પગલે બેંગલૂરુમાં ગ્રાહકોને હાલમાં 3 ટકા ફેટ અને 8.5 ટકા SNF (Solid Not Fat) દૂધ સાથે નંદિની ટોન્ડ દૂધ માટે માત્ર રૂપિયા 39 ચૂકવે છે. તેની સરખામણીએ દિલ્હીમાં લોકો અમૂલ દૂધના પ્રતિ લિટર રૂપિયા 54 અને ગુજરાતમાં રૂપિયા 52 પ્રતિ લિટર ચૂકવે છે.

આ પણ વાંચો :-