HomeSportsએક-બે નહીં 6-6 મેચમાં સાવ ફ્લોપ પ્રદર્શન, IPLમાંથી થયો બહાર આ ખેલાડી

એક-બે નહીં 6-6 મેચમાં સાવ ફ્લોપ પ્રદર્શન, IPLમાંથી થયો બહાર આ ખેલાડી

Date:

Related stories

સુરતની શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમા લાગેલી આગનું રહસ્ય ખૂલ્યું !

સુરત-કડોદરા રોડ પર સારોલીના કુંભારીયા ત્રણ રસ્તા પાસે આવેલી...

સુરતમાં ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે આટલા લાખનો ‘ખેલ’!

સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપના રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના...

મહારાષ્ટ્રમાં ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 બાળકો સહિત 8 લોકોનાં મોત

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આજે વહેલી સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં...

Video : કુલદીપ યાદવે નાખી ‘બોલ ઓફ ધ સેન્ચુરી’! પિચ પર પડતાની સાથે જ એક ફૂટ ટર્ન, બેટ્સમેન ક્લીન બોલ્ડ

ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્ને 1993માં ઈંગ્લેન્ડ સામે...
spot_img

Not one or two

  • અલગ ઓળખ ઊભી કરનાર યુવા ઓપનરે પોતાના જ પગ પર કુહાડી મારી છે. ફ્લોપ પ્રદર્શન કરવાને કારણે આ પ્લેયર હાલમાં ટીમમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમમાં (Indian Cricket Team) શાનદાર પ્રદર્શન કરીને નાની ઉંમરે જ પોતાની અલગ ઓળખ ઊભી કરનાર યુવા ઓપનરે પોતાના જ પગ પર કુહાડી મારી છે. આ યુવા ઓપનરે ટેસ્ટ ડેબ્યૂમાં શાનદાર સદી ફટકારી હતી અને વન ડે મેચમાં તથા T20 મેચમાં રમી ચૂકેલ પૃથ્વી શો (Prithvi Show) હાલમાં ટીમમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

IPL માટે પૃથ્વી શોને ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્લેયર માનવામાં આવી રહ્યો હતો. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) તરફથી રમનાર આ યુવા ઓપનર પાસેથી શાનદાર ઈનિંગની આશા કરવામાં આવી રહી હતી. પરંતુ મેદાન પર કંઈક અલગ જ પરિસ્થિતિ જોવા મળી હતી. પૃથ્વી શો ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થયા છે અને હાથમાં આવેલ તક ગુમાવી દીધી છે.

ઘરેલુ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી પૃથ્વી શોને ભારતીય ટીમમાં પરત આવવાનો મોકો આપવામાં આવ્યો હતો. પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવ્યા પછી આ ઓપનર પાસે IPLમાં રમવા માટેની શાનદાર તક હતી. 6 મેચમાં ફ્લોપ થયા પછી દિલ્હી કેપિટલ્સ તરફથી રમવાની પણ તક ગુમાવી દીધી છે.

પૃથ્વી શોએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની શરૂઆતની 6 મેચમાં સૌથી વધુ 15 રન કર્યા છે. બે મેચમાં એક પણ રન કર્યા વગર પરત આવ્યા છે અને કેપ્ટનનો ભરોસો પણ ગુમાવી દીધો છે. સતત ખરાબ પ્રદર્શન કરવાને કારણે રિકી પોન્ટિંગે પૃથ્વી શોને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધા છે. 6 મેચમાં માત્ર 47 રન કરીને ટીમને નિરાશ કરી દીધી છે.

પૃથ્વી શોએ આ સીઝનની પહેલી મેચમાં લખનઉ સામે માત્ર 12 રન કર્યા હતા. ત્યાર પછી ગુજરાત સામે 7 રન કરીને પરત ફર્યા હતા અને રાજસ્થાન સામેની મેચમાં એક પણ રન કરી શક્યા નથી. મુંબઈ ઈન્ડિયન્સ સામે 15 રન કર્યા અને પછી બેંગ્લોર સામેની મેચમાં એકપણ રન કર્યા વગર પરત આવ્યા હતા. કોલકત્તા સામેની મેચમાં 13 રનની ઈનિંગ રમ્યા પછી કોચ અને કેપ્ટને પૃથ્વી શોને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img