HomeFestivalઆધુનિક જીવનશૈલીમાં વધુ પૈસા અને વધુ ભોગવિલાસ તરફની દોડને રોકવાનું કામ પર્યુષણ...

આધુનિક જીવનશૈલીમાં વધુ પૈસા અને વધુ ભોગવિલાસ તરફની દોડને રોકવાનું કામ પર્યુષણ કરે છે- શ્રેણિક વિદાણી

Date:

Related stories

સુરતમાં ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે આટલા લાખનો ‘ખેલ’!

સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપના રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના...

મહારાષ્ટ્રમાં ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 બાળકો સહિત 8 લોકોનાં મોત

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આજે વહેલી સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં...

Video : કુલદીપ યાદવે નાખી ‘બોલ ઓફ ધ સેન્ચુરી’! પિચ પર પડતાની સાથે જ એક ફૂટ ટર્ન, બેટ્સમેન ક્લીન બોલ્ડ

ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્ને 1993માં ઈંગ્લેન્ડ સામે...

આજનું રાશિફળ: નવી તકથી લઈને અટકેલા પૈસા સુધી, કોના પક્ષમાં રહેશે દિવસ?

🌟જાણો ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ નું રાશિફળ: ♈ મેષ: આજે કામકાજમાં...

iPhone 18 Pro vs iPhone 17 Pro: 7 મોટા અપગ્રેડથી જાણો કયો iPhone બેસ્ટ

નવો iPhone ખરીદવાનો પ્લાન હોય અને તમારી સામે iPhone...
spot_img

આધુનિક જીવન શૈલી ની એક વિડંબના છે, “વધુ ને વધુ” મેળવવાની સતત દોડ. વધુ પૈસા, વધુ સુવિધા, વધુ પ્રતિષ્ઠા, વધુ વસ્તુઓ અને વધુ ઉપભોગ… આમ પાસે ઘણું હોવા છતા મન કહે છે કે હજુ વધુ થોડું જોઈએ.

પર્યુષણ આ દોડ ને રોકવાનું કહે છે. જૈન પરિભાષામાં આ માટે વિરતી શબ્દ પ્રયોજાયો છે. વિરતી એટલે અટકવું, વિરતી એટલે વિરામ, વિરતી એટલે સંયમ.

ભોજન જરૂરી છે પરંતુ અતિભોજન નહીં. સંપત્તિ જરૂરી છે પણ લોભ નહીં. બોલવું જરૂરી છે પણ દરેક વાતને જવાબ આપવો જરૂરી નથી.

આજની ઉપભોક્તા સંસ્કૃતિમાં જાહેરાતો આપણને સતત સમજાવે છે જે આપણી પસે છે તે પુરતું નથી. જે જરૂરીયાતોને વધારે છે, ખરેખર તો એક ક્ષણ થોભીને જાતને પુછ્યું જોઈએ કે, હું જે ખરીદુ છુ.

તેની મને ખરેખર જરૂર છે કે માત્ર અમર્યાદ ઈચ્છા છે..? જે માણસ પોતાની જરૂરીયાત અને લાલસા વચ્ચેનો તફાવત સમજી જાય છે તે જીવનમાં વધુ સ્વતંત્ર બને છે. પર્યુષણ આપણને યાદ અપાવે છે કે વસ્તુઓ આપણા જીવનમાં રહે પરંતુ આપણું જીવન વસ્તુઓના કબ્જામાં ન જાય. સંયમનો અર્થ જીવનમાંથી આનંદની બાદબાકી નથી પરંતુ અનાવશ્યક ભારને ઘટાડવો છે.

ઉપવાસ, વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, પ્રવચન, શ્રવણ આ બધી આરાધના પર્યુષણમાં કરવા દ્વારા આત્મસંયમ કેળવવાનો છે. સુખ સાધનોમાંથી પ્રગટતું નથી પરંતુ સંતોષમાંથી પ્રગટે છે. વસ્તુઓના ખડકલામાંથી નહિ પરંતુ સંતોષશીલ ભીતરી વ્યવક્તિત્વથી પ્રસન્નતા પ્રગટે છે. વિચાર, વાણી અને વર્તનનું મૌન આપણ ને ભીતર તરફ લઈ જાય છે. રોજીંદી દોડમાંથી વિરામ લઈ અંદર તરફ ગતિ કરીએ તો પર્યુષણની આરાધના સાર્થક છે.

ખરેખરતો એક ક્ષણથોભીને આપણી જાતને પુછવું જોઇએ કે હું ખરીદું છું તેની ખરેખર જરૂર છે.

Subscribe

Latest stories

spot_img