કિંગ ચાર્લ્સના ‘રાજતિલક’માં ભારતમાંથી આ એકમાત્ર સેલિબ્રિટીને આમંત્રણ, રાજકુમાર સાથે પણ કરશે મુલાકાત

Share this story

Sonam Kapoor

  • સોનમ કપૂર કિંગ ચાર્લ્સ થર્ડના રાજતિલકમાં હાજર રહેશે. સોનમ કપૂર એક માત્ર ભારતીય સેલબ્રિટી તરીકે શામેલ થશે.

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર (Sonam Kapoor) હાલમાં ફિલ્મોમાં જોવા નથી મળી રહી. પરંતુ પર્સનલ લાઈફના કારણે હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે. 7 મેના રોજ કિંગ ચાર્લ્સ થર્ડનો (King Charles the Third) રાજતિલક થશે. જેમાં સોનમ કપૂર  શામેલ થશે. આ સમારોહનું લંડનમાં (London) આયોજન થશે. જેમાં ટોમ ક્રૂઝ અને તેટી પરી જેવી સેલિબ્રિટીઝની સાથે સોનમ કપૂર એક માત્ર ભારતીય સેલબ્રિટી તરીકે શામેલ થશે.

કિંગ ચાર્લ્સ થર્ડની રાજતિલકમાં શામેલ થશે સોનમ કપૂર :

પ્રાપ્ત થયેલ રિપોર્ટ અનુસાર સોનમ કપૂર આ રાજતિલક ઈવેન્ટમાં કોમનવેલ્થ વર્ચ્યુઅલ ક્વાયરનો પરિચય આપશે. પહેલી વાર કોઈ અભિનેત્રી રોયલ ફેમિલીના ઉત્સવમાં શામેલ થશે. આ ઈવેન્ટમાં સિંગ કેટી પેરી અને લિયોનેલ રિચી શામેલ થશે, તેવું કહેવામાં આવી રહ્યું છે. આ બંને સેલિબ્રિટીઝ ગેસ્ટ ઈવેન્ટનો ભાગ બનશે. જેમાં ટોમ ક્રૂઝ પણ હાજર રહેશે. તેઓ પ્રિન્સેસ ડાયનાના અંતિમ સંસ્કારમાં જોવા મળ્યા હતા.

6થી 8મે સુધી ભવ્ય સમારોહ :

ડાઉટન એબે અને પેડિંગટન સ્ટાર હ્યૂગ બોનેવિલે રાજતિલક સમારોહની મેજબાની કરશે. તાજેતરમાં એક પ્રેસ રિલીઝના માધ્યમથી જણાવ્યું હતું કે, ‘બકિંઘમ પેલેસ ઔપચારિક ઉત્સવ અને સામુદાયિક કાર્યક્રમ વિશે વધુ જાણકારી આપતા ખુશી થઈ રહી છે. જે 6થી 8 મે 2023 સુધી ચાલશે.’

આ પણ વાંચો :-