ઉત્તર પ્રદેશમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ જણાશે તો રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે નિર્દેશ જાહેર કર્યા છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ અંગે મુખ્યમંત્રીએ મંગળવારે મહત્વની બેઠક લીધી હતી. આ દરમિયાન તેમણે અનેક સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે જ્યુસ, દાળ અને રોટલી જેવા ખાદ્ય પદાર્થોમાં માનવ કચરો ભેળવવો ઘૃણાજનક છે. આ બધું સ્વીકારવામાં આવશે નહીં. હવે આવા ઢાબા/રેસ્ટોરાં અને ખાણીપીણીની સંસ્થાઓની સઘન તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, સંસ્થાઓમાં કામ કરતા દરેક કર્મચારીનું પોલીસ વેરિફિકેશન પણ થશે.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ખાદ્ય પદાર્થોની શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય સુરક્ષા અને માનક કાયદામાં જરૂરી સુધારા કરવા સૂચના આપી છે. જે મુજબ ફૂડ સેન્ટરો પર ઓપરેટર, પ્રોપ્રાઈટર, મેનેજર વગેરેનું નામ અને સરનામું દર્શાવવાનું ફરજિયાત રહેશે. હવે દરેક વ્યક્તિએ, તે રસોઇયા હોય કે વેઈટર, માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા પડશે.
ખાદ્યપદાર્થોમાં પ્રમુખ દિશા-નિર્દેશો………
- તાજેતરના દિવસોમાં દેશના વિભિન્ન ભાગોમાં જ્યૂસ, દાળ અને રોટલી જેવી ખાદ્ય વસ્તુઓમાં માનવ કચરો, અખાદ્ય, ગંદી વસ્તુઓની ભેળસેળની ઘટનાઓ સામે આવી રહી છે. આવી ઘટનાઓ ઘૃણાસ્પદ છે અને સામાન્ય લોકોના આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. આવા દુષ્ટ પ્રયાસોને ક્યારેય સ્વીકારવામાં નહીં આવશે. ઉત્તર પ્રદેશમાં આવી ઘટનાઓ ન બને તેના માટે ઠોસ વ્યવસ્થા કરવી જરૂરી છે.
- ખાણી-પીણીની સંસ્થાઓ જેવી કે ઢાબા-રેસ્ટોરન્ટ વગેરેની તપાસ કરવી જરૂરી છે. રાજ્યવ્યાપી સઘન ઝુંબેશ ચલાવીને આ સંસ્થાઓના સંચાલકો સહિત ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓની ચકાસણી કરવામાં આવે. ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યવાહી ઝડપથી પૂર્ણ થવી જોઈએ.
- સંચાલકો, માલિકો, મેનેજરો વગેરેના નામ અને સરનામા ખાવાની સંસ્થાઓ પર સ્પષ્ટપણે દર્શાવવા જોઈએ. આ સંદર્ભે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં પણ જરૂરી સુધારા કરવા જોઈએ.
- ઢાબા-હોટલો-રેસ્ટોરન્ટ વગેરે ખાદ્ય સંસ્થાઓમાં CCTVની વ્યવસ્થા કરવામાં આવે. માત્ર ગ્રાહકો માટે બેસવાના સ્થઆન પર જ નહીં પરંતુ સંસ્થાના અન્ય ભાગો પણ CCTVથી કવર હોવા જોઈએ. એ સુનિશ્ચિત થવું જોઈએ કે દરેક સંસ્થાના સંચાલક સીસીટીવી ફીડને સુરક્ષિત રાખશે અને જો જરૂર પડવા પર પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રને ઉપલબ્ધ કરાવશે.
- ખાદ્ય કેન્દ્રોમાં સ્વચ્છતા હોવી જોઈએ. એ સુનિશ્ચિત કરવામાં આવે કે, ખાદ્યપદાર્થો બનાવતી વખતે અને પીરસતી વખતે સંબંધિત વ્યક્તિૉ માસ્ક અને ગ્લવ્સનો ફરજિયાત ઉપયોગ કરે, તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન થવી જોઈએ.
- સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારે ખિલવાડ ન કરી શકાય. આવા પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ખાદ્યપદાર્થોને બનાવવા, વેચાણ અથવા અન્ય સંબંધિત ગતિવિધિઓ સાથે સંબંધિત નિયમોને વ્યવહારિકતાનું ધ્યાન રાખી વધુ કડક બનાવવામાં આવે. નિયમોના ભંગ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો :-