Tuesday, Apr 21, 2026

ચેન્નાઈમાં મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી રાજકીય તોફાન: નરેન્દ્ર મોદી પર ટિપ્પણી બાદ આપી સ્પષ્ટતા

3 Min Read

ચેન્નાઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદી માટે આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમના આ નિવેદન પર ભાજપે આકરા શબ્દોમાં ટીકા કરી છે.

મલ્લિકાર્જુન ખડગેએ મોદીને આતંકવાદી કહ્યાકોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ચેન્નાઈમાં આયોજિત એક પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે, ‘ભાજપ સમાનતાના સિદ્ધાંતને માનતી નથી.’ આ દરમિયાન વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, ‘મોદી આતંકવાદી છે અને તેમનો પક્ષ સમાનતાના સિદ્ધાંતને માનતો નથી.

’‘AIADMK લોકશાહીને નબળી પાડી રહી છે’

કોંગ્રસ અધ્યક્ષ ખડગેએ વધુમાં આરોપ લગાવ્યો કે, ‘AIADMK લોકશાહીને નબળી પાડી રહી છે અને પેરિયાર અને આંબેડકર દ્વારા અપનાવવામાં આવેલા સિદ્ધાંતોની વિરુદ્ધ કાર્ય કરી રહી છે.’ જોકે, પોતાના નિવેદન બાદ ખડગેએ પાછળથી તેમના નિવેદ અંગે સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે, ‘મેં PM મોદીને આતંકવાદી નથી કહ્યા, મારો કહેવાનો અર્થ એ હતો કે મોદી લોકોને અને રાજકીય પક્ષોને ડરાવે છે. વડાપ્રધાન મોદી હંમેશા ધમકીઓ આપે છે અને તેમનું વર્તન રાજકીય વર્તુળોમાં ભય પેદા કરે છે.

’ખડગેએ ભાજપ અને AIADMKના ગઠબંધન પર શું કહ્યું?

ભાજપ અને AIADMK વચ્ચે બનેલા ગઠબંધન પર સવાલ ઉભા થતા ખડગેએ નિવેદન આપતા કહ્યું કે, ‘AIADMK ભાજપ સાથે ગઠબંધન કેવી રીતે કરી શકે? મોદી એક આતંકવાદી છે જે સમાનતાના સિદ્ધાંતમાં માનતા નથી. ભાજપ સમાનતા અને ન્યાયમાં કોઈ વિશ્વાસ રાખતી નથી, છતાં આ લોકો તેમની સાથે ગઠબંધન કરી રહ્યા છે. આનો અર્થ એ થાય છે કે AIADMK લોકશાહીને નબળી પાડી રહી છે, અને અન્નાદુરાઈ, આંબેડકર અને કરુણાનિધિ દ્વારા સ્થાપિત સિદ્ધાંતો સાથે સમાધાન કરી રહ્યા છે.

’CBI, ED અને IT વિભાગનો દુરુપયોગ

તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ચેન્નાઈમાં જણાવ્યું હતું કે મોદી અને શાહે અગાઉ ચૂંટાયેલી સરકારોને ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, “જેમ તમે જાણો છો, છેલ્લા 11 વર્ષોમાં, તેમણે અનેક સરકારોને પાડી દીધી છે અને ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદોને ખરીદી લીધા છે. આ વ્યક્તિઓએ નાણાકીય શક્તિ અને ક્રૂર બળનો ઉપયોગ કર્યો છે. તેઓ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ પર દરોડા પાડવા માટે તેમના નિયંત્રણ હેઠળની સંસ્થાઓ જેમ કે CBI, ED અને IT વિભાગનો દુરુપયોગ કરી રહ્યા છે.” ત્યારબાદ, ખડગેએ તેમના નિવેદન અંગે સ્પષ્ટતા જાહેર કરી છે.કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મલ્લિકાર્જુન ખડગેના નિવેદનની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું, “અમને શરમ આવે છે કે કોંગ્રેસ પાર્ટી આટલી નીચી સપાટીએ ઉતરી ગઈ છે. તેઓ લોકશાહી રીતે ચૂંટાયેલા વડા પ્રધાન – જેને લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યા છે – ને આતંકવાદી ગણાવી રહ્યા છે. હું ખડગેના આ નિવેદનની સખત નિંદા કરું છું. હું ભારતના લોકો પ્રત્યેના આ અપમાન બદલ માફી માંગુ છું. તેમણે માત્ર વડા પ્રધાનનું જ અપમાન કર્યું નથી પરંતુ 142 કરોડ ભારતીયો અને તમિલ લોકોનું પણ અપમાન કર્યું છે. તમિલનાડુના લોકો રાહુલ ગાંધી, ખડગે અને સ્ટાલિનને ક્યારેય માફ કરશે નહીં.”

Share This Article