આરોપી તથ્ય પટેલે આલ્કોહોલ લીધું હોવાનું સ્થાનિકોનું અનુમાન, જાણો રિપોર્ટ શું કે છે 

Share this story
  • ઈસ્કોન બ્રિજ અકસ્માત બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલના તેના દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. જયારે તેના પિતા પ્રગ્નેશને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

તથ્ય પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેણે  શરીર દુખતું હોવાનું બહાનું કાઢ્યું હતું. જેથી મેડિકલ ચેકઅપ દરમિયાન વધારે પૂછ પરચો થઈ શકી નથી.

તથ્ય પટેલનું બ્લડ સેમ્પલ લઈ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં આલ્કોહોલ સંબંધિત રિપોર્ટ આવી ગયો છે. તથ્ય પટેલના બ્લડ સેમ્પલમાં આલ્કોહોલની માત્રા નહિવત મળી આવી છે. તેણે ડ્રગ્સ કે અન્ય કોઈ નશાકારક પદાર્થ લીધા હતા કે નહિ તે અંગેનો રિપોર્ટ ૪૮ કલાક બાદ આવશે. આરોપી તથ્ય પટેલ સાથેના 5 મિત્રોના રિપોર્ટમાં આલ્કોહલ આવ્યું નથી.

FSL, RTO એ અકસ્માત કરનાર ગાડી ટેસ્ટ કર્યો છે. હવે કાલે જેગુઆર કંપનીના ટેક્નિકલ ટીમ દ્વારા અકસ્માત કરનાર ગાડી ચેક કરવામાં આવશે. અકસ્માત સમયે ગાડીની સ્પીડ, યાંત્રિક સ્થિતિ અને ગાડીમાં બ્રેકમાં મારી હતી કે નહીં જેને લઈ રિપોર્ટ આપશે.

તથ્ય પટેલની પૂછપરછ અકસ્માતમાં ૯ લોકોના જીવ લીધા છતાં તેના ચહેરા પર કોઈ અફસોસ નથી. બપોરે અને અત્યાર આરામથી ભોજન લીધું. અકસ્માત સમય પહેલા જ તથ્ય પટેલ રાત્રીના ક્યાં ક્યાં ગયો હતો અને કેટલી સ્પીડએ ગાડી ચલાવતો હતો તેનો યોગ્ય જવાબ આપતો નથી.

આ પણ વાંચો :-