ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ આજે આવી શકે અમદાવાદ

Share this story

ભારતીય ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલ ભલે આજની મેચમાં નહી રમી શકે પરંતુ તે પાકિસ્તાન સામે ૧૪ ઓક્ટોબરના રોજ રમાનાર મેચમાં ટીમમાં સામેલ થવા માટે ફીટ થઇ શકે છે. આ કારણસર ગિલ ચેન્નઈથી આજે અમદાવાદ આવવા માટે નીકળી શકે છે.

મળેલા અહેવાલો મુજબ શુભમન ગિલ આજે ચેન્નઈથી સીધો અમદાવાદ આવી શકે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે વનડે વિશ્વ કપ ૨૦૨૩ની તેની ત્રીજી મેચ રમશે. ડેન્ગ્યૂના કારણે ગિલ પ્રથમ બે મેચ રમી શક્યો નથી. ત્રીજી મેચમાં તે પાકિસ્તાન સામે રમશે કે નહીં તેના પર પછી વિચાર કરવામાં આવશે.

શુભમન ગિલ સારવાર માટે ચેન્નઈમાં રોકાયો હતો, જેથી તે ભારતીય ટીમ સાથે દિલ્હી આવી શક્યો ન હતો. તે આજે અમદાવાદ જવા માટે તૈયાર છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગીલ આજે ચેન્નઈથી અમદાવાદ એક કોમર્શિયલ ફ્લાઈટમાં જશે. તે તેની રિકવરી ચાલુ રાખશે અને BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ ત્યાં આરામ કરશે.

આ પણ વાંચો :-