HomeNationalIndian Railway : હવે ૧૫ દિવસની ફ્રી ટ્રેનિંગ બાદ બેરોજગારો પણ કરી...

Indian Railway : હવે ૧૫ દિવસની ફ્રી ટ્રેનિંગ બાદ બેરોજગારો પણ કરી શકશે મોટી કમાણી

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

Indian Railway

  • Indian Railway Kaushal Vikas Yojana : માત્ર ૧૦મું પાસ યુવાનો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે અને ૧૫ થી ૧૮ દિવસની તાલીમ મેળવીને પોતાનું સ્ટાર્ટઅપ ખોલી શકે છે.

ભારતીય રેલ્વેએ (Indian Railway) બેરોજગાર યુવાનો માટે એક અભિયાન શરૂ કર્યું છે. ભારતીય રેલ્વે વધુને વધુ બેરોજગાર યુવાનોને રોજગાર મેળવવા સક્ષમ બનાવવા માંગે છે. તેથી આ અભિયાન હેઠળ રેલ્વેએ યુવાનોને ૧૫ થી ૧૮ દિવસની તાલીમ આપવાનું નક્કી કર્યું છે. જેના પછી યુવાનો પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી શકશે.

૧૦મું પાસ પણ લાભ મેળવી શકે છે :

તમને જણાવી દઈએ કે ભારતીય રેલવેની આ સ્કીમ યુવાનોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે આ તાલીમ માટે યુવાનોને વધારે ભણવાની જરૂર નથી. માત્ર ૧૦ પાસ યુવાનો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે અને ૧૫ થી ૧૮ દિવસની તાલીમ મેળવી શકે છે.

નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવે છે :

ઉત્તર પશ્ચિમ રેલવેના સીપીઆરઓ કેપ્ટન શશિ કિરણે જણાવ્યું કે ભારતીય રેલવે દ્વારા રેલ કૌશલ વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ બેરોજગાર યુવાનોને મફત તાલીમ આપવામાં આવી રહી છે. નોર્થ વેસ્ટર્ન રેલ્વે હેઠળના તમામ ડિવિઝનમાં આવી ઘણી ફેક્ટરીઓ છે.

જ્યાં ટ્રેનો સંબંધિત કામ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે ફેક્ટરીઓમાં વેલ્ડીંગનું કામ કરવામાં આવે છે. યુવાનો આ કાર્યમાં કાર્યક્ષમતા મેળવી રહ્યા છે. જ્યારે વેલ્ડીંગ ઉપરાંત આવા ૪ થી ૫ કામ છે. જે આ યુવાનોને રેલવેના નિષ્ણાતો દ્વારા શીખવવામાં આવે છે.

લોન સરળતાથી મળી રહે છે

યુવાનોની તાલીમ પૂર્ણ થયા બાદ તેમને રેલવે તરફથી પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. જેની મદદથી યુવાનો સરળતાથી કોઈ પણ બેંકમાંથી પૈસા લઈને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી શકે છે. જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર નોર્થ વેસ્ટર્ન રેલ્વેમાં જ ૫૦૦૦ થી વધુ યુવાનોએ ફ્રી ટ્રેનિંગ લીધી છે.

અન્ય બેરોજગાર યુવાનોને પણ રોજગારી આપી શકશે :

આ સિવાય યુવાનોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે અહીં તાલીમ લેવાની સાથે તેઓ પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખી શકે છે. સાથે જ આ યુવાનોને રેલવેના નિષ્ણાતો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. તેથી જ તેમના કામમાં ઘણી કાર્યક્ષમતા જોવા મળે છે. આ ઝુંબેશની એક સારી વાત એ છે કે અહીંથી તાલીમ લીધા બાદ યુવાનો અન્ય બેરોજગાર યુવાનોને રોજગારીની તક આપી શકે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img