ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાલામાં ટેસ્ટ શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેનોએ ઈંગ્લિશ બોલરોની ધોલાઇ કરી હતી. પાંચમી ટેસ્ટમાં અંગ્રેજોને ઈનિંગ અને ૬૪ રને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. પહેલી ઈનિંગમાં ૨૫૯ રનોથી પાછળ થયા બાદ બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ ૧૯૫ રનો પર ઓલઆઉટ થઈ ગઈ. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે ૪-૧ થી શાનદાર જીત સિરીઝ જીતી લીધી છે. તેમણે ૮૪ રન બનાવ્યા. ભારતીય સ્પિનરોનો ઈંગ્લેન્ડ સામે ધર્મશાળામાં દબદબો જોવા મળ્યો હતો.
ધર્મશાળા ટેસ્ટમાં ભારતીય ટીમના બેટર્સે ઈંગ્લીશ બોલરોની ધુલાઈ કરી દીધી હતી. ભારતીય ટીમે પ્રથમ દાવમાં ૪૭૭ રન નોંધાવ્યા હતા. સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર સદી નોંધાવી હતી. જ્યારે ઓપનર યશસ્વી જયસ્વાલે અડધી સદી નોંધાવી હતી. દેવદત્ત પડિકલે પણ ૬૫ રનની ઈનીંગ રમીને ટીમ ઈન્ડિયાની શરુઆત મજબૂત બનાવી હકતી. સરફરાઝ ખાને ૫૬ રન અને કુલદીપ યાદવે ૩૦ તથા બુમરાહે ૨૦ રન નોંધાવ્યા હતા.
ઈંગ્લેન્ડની ટીમે ધર્મશાળામાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પરંતુ ઈંગ્લીશ ટીમ ૨૧૮ રન નોંધાવીને સમેટાઈ ગઈ હતી. ભારતીય સ્પિનરો રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવે પ્રથમ દાવમાં ધમાલ મચાવી હતી. અશ્વિને પ્રથમ દાવમાં ૪ અને કુલદીપે ૫ વિકેટ ઝડપી હતી. ઈંગ્લીશ ઓપનર ઝાક ક્રાઉલીએ પ્રથમ દાવમાં અડધી સદી નોંધાવી હતી.
આ પણ વાંચો :-