સુરતમાં લવ જેહાદની ઘટનામાં આરોપી સગીરા સાથે દુષ્કર્મ આચરી જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાયું

Share this story

સુરતમાં લવ જેહાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચરી જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાયું હોવાનું ખૂલ્યું છે. આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ પોતાનું નામ બદલી સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપી રિઝવાન ગફારે પોતાનું નામ કરણ રાખી સગીરા ફસાવી હતી. સગીરાને દિલ્હીમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ અને બરજસ્તી ધર્મ પરિવર્તન કરાવી.

વર્ષ 2018માં હિન્દુ સગીરાને મુસ્લિમ યુવકે પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીના પરિચયમાં આવ્યો હતો. રિઝવાન ગફારે હિન્દુ કરણ નામ ધારણ કરી સગીરાને ફસાવી હતી. બંને ભાગીને લગ્ન કરી દિલ્હી ખાતે જઈને રહેતા હતા. સગીરાએ એક વર્ષ બાદ પુત્રીને જન્મ આપતા વિધર્મી રિઝવાને પોતાની અસલ ઓળખનું પોત પ્રકાશયું હતું.

ત્યાર બાદ દીકરીને ખબર પડી કે તેના પતિ રિઝવાને અન્ય હિન્દુ છોકરી સાથે લગ્ન કરવાનો છે. આ મામલે દીકરીએ તેના પતિને પૂછ્યું કે તે મારી સાથે પ્રેમ કર્યો છે તો આવું કેમ કરે છે. ત્યારે રિવઝવાને કહ્યું કે અમારા ધર્મમાં જેટલી હિન્દુ છોકરીઓ અમે લાવીશું એટલા મને વધારે પૈસા મળશે. મારે અત્યારે પૈસાની વધુ જરૂર છે. જેટલી વધારે હિન્દુ યુવતીઓ લાવીશું એટલો અમારા ધર્મનો પ્રચાર વધારે થશે. ત્યાર બાદ આ વાત દીકરીને લાગી આવતાં તેણે તેનાં પરિવારજનોને જણાવ્યું હતું અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસ દ્વારા આરોપીને ડિટેઈન કરી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

સિરિયામાં મિલેટરી અકાદમી પર હુમલામાં ૧૦૦થી વધું મોત

નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૨૩ ઈરાનની બહાદુર મહિલા નરગીસ મોહમ્મદી