કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ રવિવારે તેમના દેશના હિન્દુ સમુદાયને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. તો બીજી તરફ બ્રિટિશ કોલંબિયાના સરે શહેરમાં આવેલ લક્ષ્મી નારાયણ મંદિર પાસે ખાલિસ્તાનીઓએ ઉપદ્રવ મચાવ્યો હતો. ખાલિસ્તાનીઓના વાહનોનો કાફલો અહીંથી પસાર થયો હતો, જેના પર અલગતાવાદી નેતાઓના પોસ્ટર ચોંટાડવામાં આવ્યા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. મંદિરમાં હાજર લોકોએ કહ્યું કે આ ઘટનાને ડરામણી હતી.
ખાલિસ્તાનીઓ 21 ઓક્ટોબરે કેનેડામાં ‘કીલ ઈન્ડિયા’ કાર રેલી કાઢવાના છે, જે વેનકુવરમાં ભારતીય કોન્સ્યુલેટ ખાતે સમાપ્ત થશે. મહત્વનું છે કે અત્યાર સુધી આ રેલીનું નેતૃત્વ ખાલિસ્તાની નેતા હરદીપ નિજ્જર કરતો હતો પણ 18 જૂને તેમની હત્યા કરી દેવામાં આવી હતી.
29 ઓક્ટોબરે આ ખાલિસ્તાનીઓ સરેમાં જનમત યોજવાના પણ અહેવાલ છે. આ અંગે પ્રચાર કરતાં દરમિયાન એમને વાહનો પર નિજ્જર અને ભિંડરાવાલેના પોસ્ટર લગાવ્યા હતા. નોંધનીય છે કે 1984માં અમૃતસરના સુવર્ણ મંદિરમાંથી આતંકવાદીઓને ખતમ કરવાના ઓપરેશનમાં ભિંડરાનવાલેની હત્યા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં સરે મંદિર બે વખત ખાલિસ્તાની તત્વોના નિશાના હેઠળ આવ્યું છે. તેના ગેટ અને દિવાલો પર ભારતીય રાજદ્વારીઓને નિશાન બનાવતા પોસ્ટર પણ ચોંટાડવામાં આવ્યા હતા. જો કે બાદમાં આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
કેનેડામાં નવરાત્રિ દરમિયાન ખાલિસ્તાનીઓએ મંદિરની બહાર એવા સમયે ઉપદ્રવ મચાવ્યો છે જ્યારે કેનેડિયન પીએમનું વલણ નરમ પડતું જોવા મળી રહ્યું છે. ટ્રુડોએ ભારતીયોને નવરાત્રીની શુભકામનાઓ આપતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ‘હેપ્પી નવરાત્રી! હું હિન્દુ સમુદાયના સભ્યો અને આ તહેવારની ઉજવણી કરી રહેલા તમામ લોકોને મારી હાર્દિક શુભેચ્છાઓ મોકલી રહ્યો છું.
આ પણ વાંચો :-
- સુપ્રીમ કોર્ટે મોદી સરકારને આપ્યો આદેશ, CJIએ કહ્યું કે સરકારે સમલૈંગિક લગ્નને કાનૂની દરજ્જો
- ગુજરાતમાં હાર્ટ ઍટેકથી વધું ૨ના મોત, પાટણમાં ન્હાતા સમયે હાર્ટઍટેક આવતા યુવકનું મોત