સુપ્રીમ કોર્ટ ગુરુવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની જામીન માંગતી અને એક્સાઇઝ ડ્યુટી નીતિ કૌભાંડમાં CBI દ્વારા તેમની ધરપકડને પડકારતી અરજીઓ પર સુનાવણી કરે તેવી શક્યતા છે. કારણ યાદી અનુસાર જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચ આ કેસની સુનાવણી કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે 23 ઓગસ્ટના રોજ સીબીઆઈને આ કેસમાં તેનું કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવાની મંજૂરી આપી હતી અને કેજરીવાલને જવાબ દાખલ કરવા માટે બે દિવસનો સમય આપ્યો હતો. કેજરીવાલે આ કેસમાં સીબીઆઈ દ્વારા જામીન નકારવા અને તેમની ધરપકડને પડકારતી બે અલગ-અલગ અરજીઓ દાખલ કરી છે. AAP સુપ્રીમોએ તેમને જામીન ન આપવાના દિલ્હી હાઈકોર્ટના 5 ઓગસ્ટના આદેશને પડકાર્યો છે.
સુપ્રીમકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન કેજરીવાલ વતી દિગ્ગજ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા અને તેમણે દલીલો કરી હતી. તેમણે કહ્યું હતું કે કેજરીવાલ સમાજ માટે કોઈ ખતરો નથી એટલા માટે જ તેમને જામીન આપી દેવા જોઈએ. અમારા અસીલ વિરુદ્ધ કોઈ પૂરાવા નથી. ફક્ત નિવેદનોના આધારે જ તેમને જેલમાં રખાયા છે. તે દિલ્હીના સીએમ છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી લીકર પોલિસી કેસમાં જ ફસાયેલા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આપના કદાવર નેતા મનીષ સિસોદિયાને આ કેસમાં જામીન મળી ગયા હતા. જ્યારે બીજી બાજુ તેલંગાણાના પૂર્વ સીએમની દીકરી કે.કવિતાને પણ 10 લાખના બોન્ડ પર જામીન મળી જતાં કેજરીવાલને જામીન મળશે તેવી આશા વધી ગઇ હતી.
આ પણ વાંચો :-