ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત બન્યું આવ્યું, શ્રીલંકાએ ૧ બોલમાં ૨ વિકેટ ગુમાવી! જાણો કેવી રીતે..

Share this story

બાંગ્લાદેશ પહેલાથી જ આ વર્લ્ડ કપથી બહાર થઈ ચૂકી છે જ્યારે શ્રીલંકાથી પણ આશા રાખવા જેવું લાગી રહ્યું નથી. તેવામાં આજની મેચ બંને ટીમો માટે ઈજ્જતનો સવાલ વધુ લાગી રહી છે. દિલ્હીમાં ચાલી રહેલી આ મેચ દરમિયાન એક બેટ્સમેનને એ રીતે આઉટ દેવામાં આવ્યું જે વિશે કોઈએ ક્યારેય નહીં વિચાર્યું હોય. આવો આઉટ જે વર્લ્ડ કપ ઈતિહાસમાં પહેલા ક્યારેય જોવા નથી મળ્યો. શ્રીલંકાનાં બેટર એંજેલો મેથ્યૂઝ મેદાનમાં પહોંચ્યાં જ હતાં કે તેમને પેવેલિયન તરફ વળવું પડ્યું. કારણકે ક્રીઝ પર પહોંચતા સમયે તે સંપૂર્ણપણ તૈયાર નહોતાં. જેની અસર એ થઈ કે તેમને ટાઈમ આઉટ દેવામાં આવ્યો. ક્રિકેટમાં પહેલીવાર કોઈ બેટરને આ રીતે ટાઈમ આઉટ દેવામાં આવ્યું છે.

પહેલા બેટિંગ કરી રહેલી શ્રીલંકાની ટીમે ૨૫ ઓવરમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશી કેપ્ટન શાકિબ અલ હસનની બીજી બોલ પર સદીરા સમરવિક્રેમાની વિકેટ મળી. પછી ક્રીઝ પર આવેલા અનુભવી બેટર એંજેલો મેથ્યૂઝ ટાઈમ આઉટ થઈ ગયાં. ખેલ ખેલ્યા વિના આ ખેલાડી ટાઈમ આઉટ જાહેર થયાં. આવી રીતે બાંગ્લાદેશની ટીમે ૧ બોલમાં ૨ વિકેટ પોતાને નામ કરી.

બાંગ્લાદેશી બોલર શાકીબ એમ્પાયરને ટાઈમ આઉટ અંગે જણાવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. બાંગ્લાદેશની રજૂઆત સાંભળતા એમ્પાયર એંજેલો મેથ્યૂઝની સાથે વાતચીત કરે છે અને છેલ્લે તે ટાઈમ આઉટ જાહેર થાય છે. ક્રોધી ભારયેલા એંજેલો મેથ્યૂઝ ક્રીઝથી બહાર જઈને હેલ્મેટ અને બેટ ફેંકેં છે.

આ પણ વાંચો :-