દિલ્હીના અલીપુરમાં ફેક્ટરીમાં ભીષણ આગ, ૧૧ શ્રમિકોના મોત

Share this story

દિલ્હીના અલીપુર વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. ગુરુવારે અહીં એક પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં દાઝી જવાથી ૧૧ લોકોના મૃત્યુ થયા હતા. શરૂઆતમાં ફાયર બ્રિગેડની ટીમે ફેક્ટરીમાંથી ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા હતા. સ્થળ પર હાજર ફાયર બ્રિગેડની ટીમે ૨૨ ફાયર ટેન્કરની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ઓલવ્યા બાદ જ્યારે ફેક્ટરીની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે વધુ ચાર બળી ગયેલા મૃતદેહો મળી આવ્યા હતા. આ ઉપરાંત ફેક્ટરી ગાઢ વિસ્તારમાં હોવાથી ૨૨ કાર અને ૫ દુકાનો પણ આગની લપેટમાં આવી હતી. હાલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ આગ પાછળના કારણોની તપાસમાં વ્યસ્ત છે.

ગઈ કાલે સાંજે દિલ્હીના અલીપુરમાં ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગની ઘટનાથી શોકનો માહોલ છે. અહેવાલો મુજબ અત્યાર સુધીમાં ૧૧ લોકોના મોત થયા છે. મૃતકોના મૃતદેહ સંપૂર્ણપણે બળી ગયા જેના કારણે તેમની ઓળખ થઇ શકી નથી. ફેક્ટરી ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં આવેલી છે, ઘટના સમયે ફેક્ટરીની અંદર રાબેતા મુજબ કામ ચાલી રહ્યું હતું અને કર્મચારીઓ કામમાં વ્યસ્ત હતા. અચાનક આગ ફાટી નીકળી હતી ત્યાર બાદ આગ ઝડપથી ફેલાઈ ગઈ કે કર્મચારીઓને બચવાની તક ના મળી.

નોંધનીય છે કે દિલ્હીનો આલીપુર વિસ્તાર ખુબ જ ભીડભાડવાળો છે. આ ગીચ વિસ્તારમાં આવેલી પેઇન્ટ ફેક્ટરી આગ ફાટી નીકળી હતી અને કેમિકલના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. જેના કારણે ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકો દાઝી ગયા હતા. અગાઉ ત્રણ શ્રમિકોના મોતના સમાચાર હતા, પરંતુ મોડી રાત્રે બહાર પાડેલા અપડેટમાં સામે આવ્યું છે કે દાઝી જવાથી ૧૧ શ્રમિકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે આગના કારણે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો :-