Sunday, Jul 20, 2025

અમરનાથ યાત્રાના કાફલામાં ચાર બસ વચ્ચે ટક્કર, 36 યાત્રાળુઓ ઘાયલ

1 Min Read

જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાને લઇને મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ રામબન નજીક અમરનાથ યાત્રાના કાફલાની ચાર બસો એકબીજા સાથે અથડાઈ હતી. જેમાં 36 યાત્રાળુઓને થોડી ઈજા થઈ હતી. આ બસો જમ્મુના ભગવતી નગરથી દક્ષિણ કાશ્મીરના પહેલગામ બેઝ કેમ્પ જઈ રહેલા કાફલાનો ભાગ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર ચંદ્રકુટ નજીક થયો હતો. તેમણે કહ્યું હતું કે આ અકસ્માત બસના બ્રેક ફેલ થવાને કારણે થયો હતો. ત્યારબાદ બસ બે અન્ય વાહનો સાથે અથડાઈ હતી.

આ બસો વચ્ચેની ટક્કર બાદ ઘાયલ મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. સારવાર બાદ જે બસો ક્ષતિગ્રસ્ત થઈ હતી તેમને બદલવામાં આવી હતી. કાફલો નવી બસો સાથે આગળ વધ્યો હતો. આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી.

યાત્રાળુઓને બીજી બસમાં આગળ મોકલાયા
આ અંગે અકસ્માત અંગે રામબનના ડેપ્યુટી કમિશનરે X પર લખ્યું, “પહલગામ કાફલાના છેલ્લા વાહને કાબુ ગુમાવ્યો અને ચંદ્રકોટ લંગર સ્થળ પર ફસાયેલા વાહનોને ટક્કર મારી. જેના કારણે 4 વાહનોને નુકસાન થયું અને 36 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ છે. સ્થળ પર પહેલાથી જ હાજર જિલ્લા વહીવટીતંત્રે ઘાયલોને તાત્કાલિક DH રામબનમાં ખસેડ્યા. મુસાફરોને પાછળથી તેમની આગળની મુસાફરી માટે અન્ય વાહનોમાં ખસેડવામાં આવ્યા હતા.

Share This Article