HomeNationalજડબેસલાક સુરક્ષા વચ્ચે ચારધામ યાત્રાનો ભવ્ય પ્રારંભ

જડબેસલાક સુરક્ષા વચ્ચે ચારધામ યાત્રાનો ભવ્ય પ્રારંભ

Date:

Related stories

મહારાષ્ટ્રમાં ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 બાળકો સહિત 8 લોકોનાં મોત

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આજે વહેલી સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં...

Video : કુલદીપ યાદવે નાખી ‘બોલ ઓફ ધ સેન્ચુરી’! પિચ પર પડતાની સાથે જ એક ફૂટ ટર્ન, બેટ્સમેન ક્લીન બોલ્ડ

ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્ને 1993માં ઈંગ્લેન્ડ સામે...

આજનું રાશિફળ: નવી તકથી લઈને અટકેલા પૈસા સુધી, કોના પક્ષમાં રહેશે દિવસ?

🌟જાણો ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ નું રાશિફળ: ♈ મેષ: આજે કામકાજમાં...

iPhone 18 Pro vs iPhone 17 Pro: 7 મોટા અપગ્રેડથી જાણો કયો iPhone બેસ્ટ

નવો iPhone ખરીદવાનો પ્લાન હોય અને તમારી સામે iPhone...
spot_img

અત્યારના સંવેદનશીલ પરિસ્થિતિના પગલે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનું આયોજન ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થાઓ સાથે શરૂ થવા જઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના પહલગામ વિસ્તારમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાને પગલે સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. આવાં સંજોગોમાં 30મી એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે રાજ્ય સરકાર અને સુરક્ષા દળો દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. વેકેશનનો સમયગાળો હોવાના કારણે શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં હાજરીની શક્યતા છે.

યાત્રાના તમામ રૂટ્સ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. છ હજારથી વધુ પોલીસકર્મીઓની તૈનાતી સાથે 17 પીએસી કંપનીઓ તથા ૧૦ અર્ધ સૈન્ય દળોની ટીમ યાત્રામાર્ગ પર સતત પેટ્રોલિંગ કરશે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી 15 અલગ ઝોનમાં બે હજારથી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક ધામ પર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ પણ ઉપલબ્ધ રહેશે જેથી તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય.

પ્રશાસનના અંદાજ મુજબ, આ વર્ષે ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યા 60 લાખ સુધી પહોંચી શકે છે. આ સંભાવિત ભીડને નિયંત્રિત રાખવા માટે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 63 પોસ્ટ બનાવી દેવાઈ છે. તમામ યાત્રાળુઓના પત્રો, ઓળખપત્રો તથા સામાનની પણ સઘન ચકાસણી કરવામાં આવશે. ગુપ્તચર એજન્સીઓ પણ સતત માહિતી એકત્ર કરી રહી છે.

યાત્રામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. 28મી એપ્રિલથી ઓફલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે જે માટે 20 કાઉન્ટર ચાલુ કરવામાં આવ્યા છે. કુલ રજિસ્ટ્રેશનમાંથી 60 ટકા ઓનલાઇન અને 40 ટકા ઓફલાઇન દ્વારા કરવામાં આવશે. તમામ વ્યવસ્થાઓ શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને રચવામાં આવી છે.

Subscribe

Latest stories

spot_img